જાણો ગુજરાતમાં મતદાનના દિવસે તેટલુ રહેશે તાપમાન ? ગરમીના પારા અંગે શુ કહે છે જાણકારો

આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પણ એક જ દિવસે મતદાન હાથ ધરાશે. આ દિવસે, ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાવાની સંભાવના છે. ગુજરાતમાં હાલમાં ગરમીનુ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 3:46 PM

ગુજરાતમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. રાજકીય ગરમીની સાથોસાથ કુદરતી ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પણ એક જ દિવસે મતદાન હાથ ધરાશે. આ દિવસે, ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાવાની સંભાવના છે. ગુજરાતમાં હાલમાં ગરમીનુ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક ભાગમાં ગરમીનુ મોજૂ ફરી વળવાની શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારીએ કરેલ આગાહી મુજબ, આગામી 7મી મેના રોજ ગુજરાતમાં ગરમીનું મોજૂ ફરી વળશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર 7મી મેને મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. આ દિવસે એટલે કે ચૂંટણીના દિવસે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સુધી પહોચશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળશે.

મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ રહેવાનો હોવાની સંભાવનાને ધ્યાને રાખીને જ રાજકીય પક્ષ દ્વારા સવારના 10-11 વાગ્યા સુધીમાં જ મતદાન વધુને વધુ થાય તેવા પ્રયાસ કરી રહ્યાં છે. ચૂંટણી પંચ પણ મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ મતદાતાને ના નડે તે માટે આરોગ્યને લઈને સાવધાની રાખી રહ્યું છે. દરેક મતદાન મથકે લૂથી બચવા માટેના જરૂરી ઉપકરણ ઉપલબ્ધ કરાવાશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">