Breaking News: LPG થી લઈ એરપોર્ટ સુધી 1 સપ્ટેમ્બરથી દેશમાં આ મોટા ફેરફાર થશે, જાણો
Rule Change : ઓગ્સ્ટ મહિનો પૂર્ણ થવાનો છે અને પાંચ દિવસ બાદ સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં કેટલાક મોટા ફેરફાર થવાના છે. આ ફેરફાર તમારા રસોડાથી લઈ બજેટથી લઈ વિદેશ યાત્રામાં થશે. આ માટે આ વાત તમારે જાણવી જરુરી છે. કે, 1 સપ્ટેમ્બરથી ક્યા ક્યા ફેરફાર થવા જઈ રહ્યા છે.

ચાલો આપણે આવા મોટા ફેરફારો પર એક નજર કરીએ, જે પહેલી સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે.જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા પછી નવા ભાવ જાહેર કરશે, ત્યારે એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ફેરફાર થશે. તેમજ હવાઈ મુસાફરીના ખર્ચમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તેમજ કેટલીક કારના ભાવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.

દર મહિનાની પેહલી તારીખના મોટો ફેરફાર જોવા મળે છે, તેમાંથી સૌથઈ પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલેન્ડરની કિંમતોમાં થનારો ફેરફાર હોય શકે છે. 1 સપ્ટેમ્બરથી નવા એલપીજી સિલેન્ડરના ભાવ જાહેર કરવામાં આવશે. જે રસોઈના બજેટ પર સીધી અસર નાંખશે.પહેલી ઓગસ્ટના રોજ, કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 202 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, પરંતુ 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા હતા.

જો તમે ઘરેલુ LPG સિલિન્ડર સમાન ભાવે મેળવવાનું ચાલુ રાખવા માંગતા હો, તો તમારી પાસે LPG સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ સુધી પાંચ દિવસ છે. IOCL, BPCL અને HPCL એ તાજેતરમાં LPG e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદા 23 ઓગસ્ટથી લંબાવીને 31 ઓગસ્ટ કરી છે. આમ કરવામાં નિષ્ફળતાથી 1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના ભાવ વધી શકે છે, અથવા તમને તે મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ત્રીજો ફેરફાર ઓઈલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે માત્ર નવા એલપીજી ભાવ જ નહી પરંતુ, તે ઉડ્ડયન બળતણ એટલે કે ATFના ભાવમાં પણ ફેરફાર કરે છે અને તેની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા ખર્ચ પર જોવા મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં એટીએફની નવી કિંમત સામે આવી શકેછે. આ સાથે સીએનજી,પીએનજીના ભાવમાં પણ ફેરફારજોવા મળી શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં કારના શૌખીનોને મોટો ઝટકો લાગશે. કારણ કે, 1 સપ્ટેમ્બરથી ફોર વ્હીલના ભાવમાં વધારો થઈ શકે છેત. આ ભાવ વધારો ICE અને ઇલેક્ટ્રિક વાહનો (EV) બંને પર લાગુ થશે.

છેલ્લો ફેરફાર તમારી વિદેશ યાત્રા સાથે જોડાયેલો એક મોટો ફેરફાર છે. રિપોર્ટ મુજબ ભારતથી વિદેશ જનારા મુસાફરોને ઈમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની જરુરત નહી રહે પરંતુ મુસાફરો મોબઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા પ્રિન્ટેડ કોપી દેખાડી ઈમિગ્રેશન પ્રોસેસ પુરી કરી શકે છે. મુસાફરોને આ નિયમમાં ફેરફારથી હવાઈ મુસાફરોને મોટી રાહત મળશે. (all photo: AI, PTI)
World Senior Citizens Day: ખોરાકથી લઈને સારવાર સુધી, દેશમાં વૃદ્ધો માટે કેટલી યોજનાઓ છે અને કયા લાભો છે? જાણો અહી ક્લિક કરો
