પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે. પેટ્રોલમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કાર્બનિક સંયોજનોના નિશાન હોય છે.

આજકાલ દેશમાં મોટાભાગના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જો વૈશ્વિક લેબલ પર ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થાય છે તો તેની અસર સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડે છે.

પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે આવકનો મોટો સ્ત્રોત છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સનો મોટો હિસ્સો સરકારી તિજોરીમાં જાય છે.

ભારતમાં, ડીઝલ કરતાં પેટ્રોલમાં વધુ ટેક્સ લાગે છે, જે તેને થોડુ મોંઘુ બનાવે છે. ઘણા ઠંડા દેશોમાં તેનો ઉપયોગ પ્રાધાન્યરૂપે થાય છે, કારણ કે ખૂબ જ નીચા તાપમાને તેની દહનક્ષમતા અન્ય ઇંધણ કરતા વધારે છે.

Read More

Akshaya Tritiya 2024 : દેશના તમામ શહેરોમાં સોનાના ભાવ અલગ-અલગ કેમ છે ? જાણો કારણ

Akshaya Tritiya 2024: શું તમે જાણો છો કે ભારતના દરેક રાજ્યમાં સોનાની કિંમત અલગ-અલગ હોય છે. આની પાછળ માત્ર એક નહીં પરંતુ છ કારણો છે. અક્ષય તૃતીયાના અવસર પર અમે તમને જણાવીએ કે દિલ્હીમાં સોનાના ભાવ લખનૌ કરતા અલગ કેમ છે.

Iran Israel war : ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવની અસર પેટ્રોલ અને ડીઝલ પર થશે ? જાણો ભારતમાં કિંમત વધશે કે નહીં

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ દરમિયાન મધ્ય પૂર્વમાં તણાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે છે. યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે, જો આવું થાય તો તેની સીધી અસર ભારતીયોના ખિસ્સા પર પડી શકે છે.

પેટ્રોલ પંપ પર મોબાઈલ વાપરવાની કેમ મનાઈ છે? કારણ જાણી ચોંકી જશો

પેટ્રોલ પંપ પર તેલ ભરતી વખતે તમને વારંવાર ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેટ્રોલનો ફોન સાથે શું સંબંધ છે? પરંતુ, જો તમને સાચું કારણ ખબર હોય તો પછીની ક્યારેય તમે પેટ્રોલ પંપ પર મોબાઈલ ફોન વાપરવાની ભૂલથી ક્યારેય નહીં કરો.

ચૂંટણી પહેલા પેટ્રોલ પર મોટી જાહેરાત, આ રાજ્યમાં 75 રૂપિયા થઈ જશે ભાવ!

દેશમાં લોકસભા ચૂંટણીની તારિખોની જાહેરાત કરવામાં આવી ચુકી છે. દેશની અનેક પાર્ટીઓ મતદારોને મનાવવાના પ્રયત્નો કરી રહી છે. લોકો માટે પણ અલગ અલગ વાયદાઓ કરવામાં આવ્યા છે. ત્યારે દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હાલમાં જ કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો છે, જેના કારણે હાલ દેશમાં પેટ્રોલના ભાવ ટ્રેન્ડિંગમાં છે અને લોકો તેના પર ચર્ચા પણ કરી રહ્યા છે.

દેશમાં આ જગ્યાએ સસ્તું થયું 15 રૂપિયા પેટ્રોલ, 2 રૂપિયા ભાવ ઘટાડો પેટ્રોલિયમ કંપનીઓને 30 હજાર કરોડનો ફટકો આપશે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓની આર્થિક સ્થિતિ પર એક રિપોર્ટ આવ્યો છે. જેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં કંપનીઓના નફામાં રૂ. 30 હજાર કરોડનો ઘટાડો થઈ શકે છે. આવો તમને એ પણ જણાવીએ કે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે.

પેટ્રોલ અને ડીઝલ હજુ વધારે સસ્તું થશે! પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યું મોટું નિવેદન

ઈન્ડિયન ઓઇલ આઉટલેટમાંથી 'ઈથેનોલ 100'ના લોન્ચિંગ સમયે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, OMCએ છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. છેલ્લા 3 ક્વાર્ટરમાં દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીએ 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

મોદી સરકારની જનતાને મોટી ભેટ, આજથી પેટ્રોલ ડીઝલ થયું આટલું સસ્તું

લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેટલાક રાજ્યોમાં, સ્થાનિક સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે કિંમતોમાં વધુ ઘટાડો થયો છે. મહત્વનું છે કે તારીખ 15ના રોજ આ સમગ્ર ઘટાડો અમલી થયો છે. જાણો ક્યાં ક્યાં ઘટ્યા ભાવ...

આનંદો… પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકારે કર્યો ઘટાડો, પ્રતિ લીટર 2 રૂપિયા ઘટ્યા, નવા ભાવ શુક્રવાર સવારે 6 વાગ્યાથી અમલી

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથેના નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થશે.

ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સરકારનું મોટું નિવેદન, જાણો ક્યારે થશે સસ્તું?

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બે વર્ષથી સ્થિર છે. એપ્રિલ 2022થી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે સરકારે મે 2022માં ટેક્સમાં ઘટાડો કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે સરકારે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચાલો તમને પણ જણાવીએ...

ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, પરંતુ પેટ્રોલ અને ડીઝલમાં ક્યારે મળશે રાહત?

દેશની પેટ્રોલિયમ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 3 ક્વાર્ટરમાં 69,000 કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે, જે એક રેકોર્ડ છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર નફો કરતી હતી.

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય? સામાન્ય લોકો જોઈ રહ્યા છે રાહ

મે 2022 માં સરકારે ટેક્સમાં ઘટાડો કર્યો અને પેટ્રોલ-ડીઝલના ભાવ સસ્તા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ એક લિટરના 100 રૂપિયાથી વધારે છે. મોટાભાગના શહેરોમાં લગભગ 90 રૂપિયા પ્રતિ લિટરથી વધારે છે.

સામાન્ય માણસ માટે રાહતના સમાચાર : લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ 11 અને ડીઝલ 6 રૂપિયા સસ્તું થઈ શકે છે

ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. આ કપાત માત્ર 1-2 રૂપિયાની નથી પણ મોટી હોઈ શકે છે. સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. આ સાથે જ એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 6 થી 11 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

7 દિવસથી ક્રૂડ ઓઈલ 80 ડોલરથી નીચે, પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે ?

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 21 મે, 2022ના રોજ જોવા મળ્યો હતો. ત્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ટેક્સમાં ઘટાડો કર્યો હતો.

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">