રવિન્દ્ર જાડેજાને ઊંધમાં ચાલવાની બીમારીની જાણ માત્ર આ બે લોકોને જ હતી, આ મહાન કિક્રેટરને પણ હતી આવી જ બીમારી
કેટલાક લોકોને ઊંઘમાં ચાલવાની બીમારી હોય છે. જેને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે. હાલની ઇન્ડિયન ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઊંઘમાં ચાલતા હતા, એક પૂર્વ ક્રિકેટર પણ આ જ બીમારીથી પીડાતા હતા.

આજે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજાના જન્મદિવસ પર તેમના ચાહકો જન્મદિવસની શુભકામનાઓ વરસાવી રહ્યા છે.જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે જાડેજાની એક બીમારીને ઊંઘમાં ચાલવાની બીમારી છે. જેને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે.

રવિન્દ્ર જાડેજા અડધી રાત્રે ઉઠીને ચાલવા લાગવાની બીમારી છે. આ બીમારી તેમને બાળપણથી છે. આ બીમારીનું રહસ્ય જાડેજાના માતા લતાબેન અને તેમના બહેન નયનાબહેન જ જાણતા હતા.

રવિન્દ્ર જાડેજાએ 2005માં તેમના માતા લતાબેનને ગુમાવ્યા હતા. જો કે શરૂઆતમાં જ્યારે તે સ્થાનિક ટુર્નામેન્ટ રમવા માટે મુંબઈ જતા હતા, ત્યારે તેની માતા લતાબેનને ડર રહેતો હતો કે તે રાત્રે ટ્રેનમાં ચાલવા માંડશે.

લતા બહેનને દીકરા રવિન્દ્ર જાડેજાની ચિંતા સતાવતી હતી.એક રિપોર્ટ અનુસાર તેની માતા આ ડરથી બચવા રાત્રે રવિન્દ્ર જાડેજાનો હાથ પકડીને સૂતી હતી.

સચિન તેંડુલકર પણ સ્લીપ વોકિંગ ડિસઓર્ડરથી પીડાય છે. તે ઊંઘમાં પણ બોલે છે કે ગણગણાટ કરે છે. આ માહિતી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક યુટ્યુબ ચેનલમાં આ અંગેની માહિતી જાહેર કરી હતી.
