
રવિન્દ્ર જાડેજા
6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.
રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
Travel Tips : આ ફેમસ ક્રિકેટરોની પોતાની રેસ્ટોરન્ટ છે, પરિવાર સાથે મુલાકાત લો, એક તો રાજકોટમાં આવેલી છે રેસ્ટોરન્ટ
જો તમે ક્રિકેટના મોટા ચાહક છો તો આજે અમે તમને કેટલીક એવી રેસ્ટોરન્ટ વિશે વાત કરીશું. જેના માલિક ખુબ ક્રિકેટરો છે. જેમાં વિરાટ કોહલીથી લઈ ફેમસ ક્રિકેટરોના નામ સામેલ છે. તમે પરિવાર કે ફ્રેન્ડ સાથે અહી જવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Mar 21, 2025
- 5:11 pm
ધોની, વિરાટ, રોહિત સહિત આ સ્ટાર ખેલાડીઓ IPL 2025માં મોટા રેકોર્ડ તોડશે
IPL 2025માં મોટા રેકોર્ડ તૂટી શકે છે. દિગ્ગજ ખેલાડીઓ આ સિઝનમાં નવા માઈલસ્ટોન હાંસલ કરી શકે છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા નામો સામેલ છે. જાણો કોણ કયા રેકોર્ડ તોડશે?
- Smit Chauhan
- Updated on: Mar 21, 2025
- 4:43 pm
IPL 2025 : આઈપીએલમાં ચમકશે બાપુ, ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક
IPL 2025ની પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજા 41 રન બનાવતા જ એક ખાસ રેકોર્ડ બનાવશે. આ એક એવો રેકોર્ડ હશે. જે આજ સુધી કોઈ ઓલરાઉન્ડર આવો રેકોર્ડ બનાવી શક્યો નથી.
- Nirupa Duva
- Updated on: Mar 20, 2025
- 12:25 pm
Rivaba Jadeja : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની MLA રીવાબાને કેટલું પેન્શન મળશે?
ગુજરાતમાં ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન ન મળવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે રીવાબા જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાતના ધારાસભ્ય, નિવૃત્તિ પછી કેટલું પેન્શન મેળવશે તે અંગે ચર્ચા થઈ રહી છે.
- Sagar Solanki
- Updated on: Mar 13, 2025
- 4:15 pm
ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી કોને થશે કરોડોનું નુકસાન? જાણો
BCCI ટુંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી શકે છે. હવે આનો ફાયદો કોને થશે અને કોને નુકસાન થશે. તો હવે ખબર પડશે. BCCI આ ખેલાડીઓને બહાર કરીને કેટલાક નવા ચેહરાને તક આપી શકે છે.
- Nirupa Duva
- Updated on: Mar 13, 2025
- 4:02 pm
IND vs NZ Champions Trophy Final : જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સફેદ બ્લેઝર કેમ પહેર્યા ? જાણો કારણ
ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી છે. આ જીત બાદ આખી ટીમ ખાસ સફેદ બ્લેઝરમાં સજ્જ જોવા મળી હતી. ત્યારે એક ચર્ચા થઈ રહી છે કે, આખરે ટીમ સફેદ બ્લેઝરમાં કેમ જોવા મળી હતી. તો ચાલો જાણીએ
- Nirupa Duva
- Updated on: Mar 10, 2025
- 3:12 pm
Ravindra Jadeja Retirement : રવિન્દ્ર જાડેજાની વિક્ટરી ફોર બાદ આવો હતો સ્ટેડિયમમાં નજારો, બાપુની નિવૃત્તિની થવા લાગી ચર્ચા
IND vs NZ: ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. ટાઇટલ જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓનો ઉજવણી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Mar 10, 2025
- 7:15 am
Ravindra Jadeja Retirement : રવીન્દ્ર જાડેજાએ લીધી નિવૃત્તિ ? ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં વિરાટ કોહલીએ ગળે લગાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ પછી રવીન્દ્ર જાડેજા નિવૃત્ત થવાની ચર્ચા છે. હકીકતમાં, મેચ દરમિયાન વિરાટ કોહલીએ તેને ગળે લગાવ્યો હતો, જેના કારણે આ અટકળો વધુ વધી ગઈ છે. ફાઈનલમાં શાનદાર બોલિંગ કરતા જાડેજાએ 10 ઓવરમાં 30 રન આપ્યા અને એક વિકેટ લીધી.
- Smit Chauhan
- Updated on: Mar 9, 2025
- 7:59 pm
IND vs NZ : જાડેજાને 12 વર્ષ પછી ICC ફાઈનલમાં મળી વિકેટ, 8 દિવસમાં બીજી વખત આ ખેલાડીને કર્યો આઉટ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં રવીન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડના બેટ્સમેન ટોમ લેથમની વિકેટ લીધી હતી. આ વિકેટ ખૂબ જ ખાસ હતી કારણ કે તેને લગભગ 12 વર્ષની લાંબી રાહ જોયા પછી આ વિકેટ મળી હતી. યોગાનુયોગ, તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ છેલ્લી વિકેટ મળી હતી.
- Smit Chauhan
- Updated on: Mar 9, 2025
- 5:44 pm
Champions Trophy Final : જામનગરના બાપુએ ન્યુઝીલેન્ડને આપ્યો મોટો ઝટકો, ભારતને આપવી મોટી સફળતા
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહેલી ન્યુઝીલેન્ડને રવિન્દ્ર જાડેજાએ ચોથો ઝટકો આપ્યો છે. જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો છે. આ પહેલા કુલદીપ યાદવે કેન વિલિયમસન અને સેટ બેટ્સમેન રવિચંદ્રન અશ્વિનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો જ્યારે વરુણ ચક્રવર્તીએ વિલ યંગને આઉટ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.
- Sagar Solanki
- Updated on: Mar 9, 2025
- 5:11 pm
IND vs AUS : રવીન્દ્ર જાડેજાને ચાલુ મેચમાં આ વસ્તુ કાઢવાનું કહેવામાં આવ્યું, સ્મિથની ફરિયાદને કારણે મેચ રોકવી પડી
દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ મેચમાં રવીન્દ્ર જાડેજાના કારણે રમત થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. વાસ્તવમાં જાડેજા હાથમાં સફેદ પટ્ટી બાંધીને બોલિંગ કરી રહ્યો હતો. પરંતુ સ્ટીવ સ્મિથે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી. આ પછી અમ્પાયરે જાડેજાનો પાટો કઢાવી નાખ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Mar 4, 2025
- 5:31 pm
IND vs PAK: ગુજરાતની ત્રિપુટીએ મચાવી તબાહી, પાકિસ્તાનને લાવી દીધું ઘૂંટણીએ
દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ કમાલ પ્રદર્શન કરતા પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું. આ ત્રણેય ક્રિકેટરોએ બોલિંગમાં દમદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો અને સારી શરૂઆત અને મજબૂત પાર્ટનરશિપ છતા પાકિસ્તાન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ હતું.
- Smit Chauhan
- Updated on: Feb 23, 2025
- 6:55 pm
IND vs PAK: પાકિસ્તાનને હરાવવા મેદાનમાં ઉતરશે આ 11 ખેલાડીઓ, જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. બંને ટીમો 23 ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાશે. શું રોહિત-વિરાટ કે શુભમનના બેટ પાકિસ્તાન સામે આગ ફેલાવશે કે શમી-રાણાના બોલ તબાહી મચાવશે કે પછી આપણે જાડેજા-અક્ષરના સ્પિનનો જાદુ જોશું? ટીમ ઈન્ડિયાનો દરેક ખેલાડી પાકિસ્તાન સામે કેવું પ્રદર્શન કરે છે તે તો સમય જ કહેશે, પરંતુ તે પહેલા ચાલો ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Feb 22, 2025
- 5:48 pm
રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત આ ખેલાડીઓને મળ્યો આઈસીસીનો એવોર્ડ, જુઓ ફોટો
ચેમ્પિયન ટ્રોફી પહેલા આઈસીસીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એક ખાસ કેપ આપી સન્માનિત કર્યા છે. જેમાં રોહિત શર્મા સિવાય 3 ખેલાડીઓ છે. જે 2024ના આઈસીસી દ્વારા પંસદ કરાયેલી બેસ્ટ ટીમનો ભાગ છે.
- Nirupa Duva
- Updated on: Feb 18, 2025
- 12:22 pm
IND vs ENG : T20 બાદ ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું
T20 શ્રેણીમાં 4-1થી શાનદાર જીત બાદ ODI સિરીઝની પહેલી મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી ત્રણ મેચની વનડે શ્રેણીની વિજયી શરૂઆત કરી હતી. વનડે શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર હતી પરંતુ કેપ્ટન રોહિત શર્માની નિષ્ફળતાએ ફરી એકવાર ટીમનું ટેન્શન વધારી દીધું. આ વખતે પણ રોહિત સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો. જોકે, બાકીના ખેલાડીઓએ ટીમને વિજય તરફ દોરી ગયા.
- Smit Chauhan
- Updated on: Feb 6, 2025
- 9:53 pm