રવિન્દ્ર જાડેજા
6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.
રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
Read MoreIND vs SL: ટીમ ઈન્ડિયાની જીતની રાહમાં નો-બોલનો કાંટો, કોચે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિનરોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ એક સમસ્યાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. અનુભવી અને નવા બંને સ્પિનરો વારંવાર નો-બોલ કરી રહ્યા છે. કોલંબો ટેસ્ટ દરમિયાન આ ભૂલનું પ્રમાણ એટલું વધ્યું કે કોચે પણ તેના કારણો અને સંભવિત ઉકેલ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Aug 26, 2026
- 9:12 pm
IND vs SL: રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ પાસેથી કરાવે છે ભૂલ? 22 રિવ્યૂ થયા નિષ્ફળ
રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાના અનુભવી અને મેચવિનર ખેલાડી છે, પરંતુ DRSને લઈને તેના તાજેતરના આંકડા ચોંકાવનારા છે. કોલંબો ટેસ્ટમાં પણ તેની સલાહ પર શુભમન ગિલે રિવ્યૂ લીધો, જે ખોટો સાબિત થયો. ખાસ વાત એ છે કે બોલર તરીકે જાડેજાના છેલ્લા 22 DRS રિવ્યૂમાંથી એક પણ સફળ રહ્યો નથી.
- Smit Chauhan
- Updated on: Aug 25, 2026
- 9:19 pm
IND vs SL: સદી તરફ આગળ વધી રહ્યો હતો શ્રીલંકાનો ખેલાડી, જાડેજાએ ક્લીન બોલ્ડ કરી 7 દિવસ બાદ લીધો બદલો
કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેન પાસિન્દુ સૂર્યબંદારા શાનદાર બેટિંગ કરી રહ્યા હતા અને સદી તરફ આગળ વધી રહ્યા હતા. જોકે, રવિન્દ્ર જાડેજાના એક બોલે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. જાડેજાએ સૂર્યબંદારાને 80 રને બોલ્ડ કર્યો અને સાત દિવસ પહેલા મળેલી વિકેટનો હિસાબ પણ બરાબર કરી લીધો.
- Smit Chauhan
- Updated on: Aug 25, 2026
- 8:10 pm
350 વિકેટથી લઈને 175 રનની ઇનિંગ સુધી… ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના આ રેકોર્ડ્સ છે ખાસ
શાનદાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં અનેક ચાર ખાસ રેકોર્ડ ધરાવે છે. બોલિંગ, બેટિંગ અને ઘરઆંગણે પ્રદર્શનના આંકડા તેની ક્ષમતા દર્શાવે છે. ગાલે ટેસ્ટમાં 350 વિકેટનો આંકડો પાર કર્યા બાદ જાડેજાએ એક ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. તેના નામે એવા ચાર રેકોર્ડ છે, જે તેની કારકિર્દીને વધુ ખાસ બનાવે છે.
- Smit Chauhan
- Updated on: Aug 19, 2026
- 9:18 pm
નો-બોલને કારણે ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાને અત્યાર સુધી કેટલીવાર લીધેલી વિકેટ નહીં મળી ? આંકડા જાણીને ચોંકી જશો
શું રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં ઓવરસ્ટેપિંગ કરવાની આદતથી મજબૂર છે? તેના ઓવરસ્ટેપિંગને કારણે ઘણીવાર વિકેટ ટેકિંગ બોલને નો-બોલ જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે વિકેટ મળવાને બદલે લીધેલી વિકેટ પણ તેણે ગુમાવી છે. ચાલો જાણીએ આવું કેટલીવાર થયું છે.
- Smit Chauhan
- Updated on: Aug 19, 2026
- 7:56 pm
IND vs SL: જાડેજાએ કરી ફરી એ જ ભૂલ, ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી ગઈ મોટી વિકેટ
ગાલે ટેસ્ટ મેચની અંતિમ ઇનિંગમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની એક ભૂલ ટીમ ઈન્ડિયા માટે મોંઘી સાબિત થઈ. તેની ભૂલથી શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાને જીવનદાન મળ્યું. ખાસ વાત એ છે કે જાડેજાએ ચોથી વાર મેચમાં આ ભૂલ કરી હતી. સ્પિન બોલર માટે વારંવાર આવી ભૂલો ચિંતાનો વિષય બની શકે છે
- Smit Chauhan
- Updated on: Aug 18, 2026
- 7:13 pm
કપિલ દેવથી રવિન્દ્ર જાડેજા સુધી… ટેસ્ટમાં 4,000+ રન અને 350+ વિકેટ લેનારા માત્ર 4 ખેલાડીઓ
રવિન્દ્ર જાડેજાએ પોતાની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ ગાલે ટેસ્ટ દરમિયાન તેણે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ટેસ્ટમાં 350 વિકેટ પૂર્ણ કરી હતી. તેના નામે 4,000 થી વધુ રન પણ છે. આ સાથે તે ટેસ્ટમાં 350 વિકેટ અને 4,000 થી વધુ રન બનાવનારા ચોથો ખેલાડી બન્યો હતો. ચાલો આ કમાલ કરનાર તમામ ખેલાડીઓ વિશે જાણીએ.
- Smit Chauhan
- Updated on: Aug 17, 2026
- 7:52 pm
Breaking News: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, કપિલ દેવ પછી આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે મોટી સિદ્ધિ નોંધાવી છે. કેશરા નુવંતાની વિકેટ સાથે જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી. આ સાથે તેણે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને આમ કરનાર વિશ્વનો ચોથો અને ભારતનો માત્ર બીજો ઓલરાઉન્ડર બની ગયો છે.
- Smit Chauhan
- Updated on: Aug 17, 2026
- 5:38 pm
IND vs SL: ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 ભારતીય સ્પિનર, જાણો કોણ છે નંબર-1
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. સ્પિન બોલિંગ ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે અને ટેસ્ટ ફોર્મેટમાં તો ભારતીય સ્પિનરો ડંકો વાગે છે. ચાલો ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરો પર નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Aug 14, 2026
- 5:05 pm
IND vs SL: શ્રીલંકામાં જીતવું એ ‘ડાબા હાથની’ રમત છે, ગાલેમાં જીતનો આ છે મંત્ર, જાણો કેવી રીતે
15 ઓગસ્ટથી ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. જેની પહેલી મેચ ગાલે ખાતે રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની ફોર્મ્યુલા લગભગ તૈયાર છે. હવે શ્રીલંકામાં જીતવું એ ટીમ ઈન્ડિયા માટે 'ડાબા હાથની' રમત બની જશે, જાણો કેવી રીતે.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2026
- 8:10 pm
IND vs SL: 15 ઓગસ્ટની સવારે શ્રીલંકા સામે પહેલી ટેસ્ટમાં ભારત ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારશે, કોચે આપ્યો સંકેત
ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટ, શનિવારના રોજ ગાલેમાં રમાશે. ભારતીય કોચે સંકેત આપ્યો છે કે ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે. આવું કેમ? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2026
- 5:35 pm
રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બોલરની એક્ટિંગ કરતા ગૌતમ ગંભીર હસવા લાગ્યો, જુઓ Video
કોલંબોમાં પ્રેક્ટિસ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બેસેલા ગૌતમ ગંભીર પાસે જઈ બોલરની એવી નકલ ઉતારી કે, ગૌતમ ગંભીર જોર જોરથી હસવા લાગ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Aug 9, 2026
- 10:07 am
Video: વૈભવ સૂર્યવંશી કયા બોલરથી ડરે છે ? રવિન્દ્ર જાડેજાએ કહ્યું- ‘માર્કેટમાં આવો કોઈ…’
વૈભવ સૂર્યવંશી પોતાની નિર્ભય બેટિંગ માટે જાણીતો છે, પરંતુ શું 15 વર્ષીય આ સ્ટાર કોઈ બોલરથી ડરે છે? IPL 2026 દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથેના એક રેપિડ ફાયર રાઉન્ડમાં વૈભવે આ સવાલનો જવાબ આપ્યો હતો. જોકે, વૈભવના જવાબ કરતાં જાડેજાની એક લાઇન વધુ ચર્ચામાં આવી છે. વૈભવ-જાડેજાનો IPL 2026 નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 5:20 pm
Breaking News : શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ
Team India Squad: ભારતીય ક્રિકેટ બોર્ડે આજે એટલે કે, 28 જુલાઈના રોજ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં 2 ટેસ્ટ મેચ રમાશે. આ ખેલાડીની 262 દિવસ પછી વાપસી થઈ છે.
- Nirupa Duva
- Updated on: Jul 28, 2026
- 9:41 am
SL vs IND: શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટા અપડેટ, બુમરાહ-જાડેજાની થશે વાપસી !
ભારતીય ટીમ આગામી મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ અઠવાડિયે ટીમની જાહેરાત થવાની શક્યતા છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની વાપસીના સંકેત મળ્યા છે, જ્યારે વોશિંગ્ટન સુંદરની ઉપલબ્ધતા હજુ અનિશ્ચિત છે. ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ચાર દિવસની વોર્મ-અપ મેચ પણ રમશે.
- Smit Chauhan
- Updated on: Jul 21, 2026
- 5:07 pm