રવિન્દ્ર જાડેજા
6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.
રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
Breaking News : રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
શું ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ ખોટા કામ કરે છે? રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જાહેરમાં પોતાના પતિના વખાણ કરતી વખતે ગંભીર આરોપ લગાવ્યો છે.આઈપીએલ 2026માં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ નહી પરંતુ રાજસ્થાન રોયલ્સની જર્સીમાં જોવા મળશે.
- Nirupa Duva
- Updated on: Dec 11, 2025
- 10:01 am
6 ડિસેમ્બરના દિવસે જન્મેલા ક્રિકેટરોની સ્પેશિયલ પ્લેઈંગ ઈલેવન, જાડેજા-બુમરાહ સહિત 5 ભારતીય ખેલાડીઓનો સમાવેશ
6 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર ખેલાડીઓના જન્મદિવસને કારણે ફેમસ તારીખ છે. ભારતીય ટીમ માટે તો આ વધુ ખાસ દિવસ છે, કારણ કે એક-બે નહીં પણ પાંચ-પાંચ ભારતીય ખેલાડીઓ 6 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ખાસ વાત એ છે કે 6 ડિસેમ્બરે જન્મેલ ખેલાડીઓની એક ખાસ પ્લેઈંગ ઈલેવન બની છે.
- Smit Chauhan
- Updated on: Dec 6, 2025
- 4:26 pm
IND vs SA: શ્રેણી હારવાની કોઈ અસર નહીં પડે… રવિન્દ્ર જાડેજાનું ચોંકાવનારું નિવેદન
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા હારની કગાર પર છે. ગુવાહાટીમાં રમતના પાંચમા દિવસે, ભારતે કોઈક રીતે આઠ વિકેટ બચાવવી પડશે અને જીતથી 522 રન દૂર છે. આ દરમિયાન, રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે શ્રેણી હારવાની કોઈ અસર નહીં પડે.
- Smit Chauhan
- Updated on: Nov 25, 2025
- 10:07 pm
IPL Trade : જાડેજાને 4 કરોડનું નુકસાન, સેમસનને 18 કરોડ, જાણો ટ્રેડ ખેલાડીઓને કેટલા રૂપિયા મળશે
IPL મીની ઓક્શન પહેલા કુલ 8 ખેલાડીઓને IPL રિટેન્શન ટીમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કેટલી રકમ મળશે તેની સંપૂર્ણ વિગતો જાણો.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 3:23 pm
Breaking News: રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ છોડી રાજસ્થાનમાં સામેલ, સંજુ સેમસન CSK માં રમશે
IPL મીની ઓક્શન પહેલા CSK અને RR વચ્ચે સૌથી મોટી ટ્રેડ ડિલ થઇ છે. રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસનની IPL ટીમ બદલાઈ ગઈ છે. રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ છોડી રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો છે અને સંજુ સેમસન RR છોડી CSK માં સામેલ થયો છે.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 12:26 pm
IND vs SA: કોલકાતા ટેસ્ટમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેપ્ટન શુભમન ગિલ સહિત 9 ભારતીય ખેલાડીઓ કરશે ડેબ્યૂ
શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચમાં એક અનોખો નજારો જોવા મળશે. આ મેચમાં નવ ભારતીય ખેલાડીઓ પોતાનું ડેબ્યૂ કરશે.
- Smit Chauhan
- Updated on: Nov 13, 2025
- 5:24 pm
Ravindra Jadeja IPL Trade: 12 વર્ષ સુધી CSK માટે રમ્યા પછી રવિન્દ્ર જાડેજાએ કેટલા પૈસા કમાયા?
રવિન્દ્ર જાડેજા 2012 માં પહેલીવાર CSK માં જોડાયા અને તેને 9.2 કરોડ રૂપિયાનો પગાર મળ્યો. ત્યારબાદ તેણે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી સાથે 12 સિઝન વિતાવી અને હવે તેની CSK સાથેની સફરનો અંત આવી રહ્યો છે. CSK તરફથી રમતા રવિન્દ્ર જાડેજાએ જોરદાર કમાણી કરી છે.
- Smit Chauhan
- Updated on: Nov 13, 2025
- 12:28 pm
IPL Trade: રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાની શરત સ્વીકારવાની ફરજ પડી, જયસ્વાલ-પરાગ માટે ખરાબ સમાચાર!
રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટ્રેડ ડીલ તેના અંતિમ તબક્કામાં છે. જોકે, જાડેજાએ CSK છોડી RR માં રમવા એક ખાસ શરત મૂકી છે, જેના માટે રાજસ્થાન રોયલ્સ તૈયાર થયું છે અને આ શરત યુવા સ્ટાર ખેલાડીઓ માટે સારા સમાચાર નથી.
- Smit Chauhan
- Updated on: Nov 12, 2025
- 4:01 pm
IPL Trade Window : સંજુ સેમસન માટે રવિન્દ્ર જાડેજાની કુર્બાની, શું મોટી ભૂલ તો નથી કરી રહ્યું ને CSK
CSK-RR Trade, IPL 2026 : આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેડમાંતી એક ઘટના બનવા જઈ રહી છે. જો આવું થાય છે તો પ્રશ્ન એ જ રહેશે કે શું લીગની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા લેવાયેલો નિર્ણય સાચો હતો?
- Nirupa Duva
- Updated on: Nov 10, 2025
- 11:13 am
રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થઈ ગયું બંધ, IPL ટ્રેડ અફવાઓ વચ્ચે ગાયબ… !
IPL 2026ની ટ્રેડ વિન્ડો દરમિયાન ટીમોના ખેલાડીઓની આપ-લેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સમાચારમાં છે. અહેવાલો અનુસાર, CSK રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે જાડેજાનો ટ્રેડ કરવા તૈયાર છે. આ અફવાઓ વચ્ચે જાડેજા અચાનક ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઈ ગયો છે, જેને લઈને ચાહકોમાં ચર્ચાનો માહોલ છે.
- Sagar Solanki
- Updated on: Nov 9, 2025
- 8:07 pm
Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજા છોડી રહ્યો છે ચેન્નાઈ સુપર કિંગ્સ ? CSKના વીડિયો બાદ મચી ગયો હંગામો, જાણો કેમ
રવિન્દ્ર જાડેજા ના કોઈ મેચ રમી રહ્યો છે, ના કોઈ સ્પેશિયલ દિવસ છે. તો પછી CSK એ અચાનક જાડેજાનો વીડિયો કેમ પોસ્ટ કર્યો? જે બાદ ફેન્સના મનમાં અનેક સવાલો ઉભા થયા છે, જેમાં સૌથી મોટો સવાલ એ છે કે શું જાડેજા ચેન્નાઈ છોડી રહ્યો છે?
- Smit Chauhan
- Updated on: Nov 7, 2025
- 9:20 pm
Gujarat Richest Minister : ગુજરાતના અમીર મંત્રી છે રિવાબા જાડેજા, સંપતિનો આંકડો તમે નહીં જાણતા હોવ..
રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની મોટી નેટવર્થ સાથે ગુજરાતના અમીર મંત્રીઓમાંના એક છે. મોતભાગના લોકો તેમની નેટવર્થ વિશે જાણતા નહીં હોય.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 5:30 pm
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કેટલા અમીર છે ? 70, 80 કે 90 કરોડ નહીં, પણ આટલી છે કુલ સંપત્તિ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ગુજરાત સરકારમાં મંત્રી બન્યા. રીવાબા જાડેજા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
- Smit Chauhan
- Updated on: Oct 17, 2025
- 6:00 pm
‘દાદા’ ના મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન, રાજકોટમાં પિયરીયું અને જામનગરમાં છે સાસરિયું, પતિ ઓલરાઉન્ડર, આવો છે રીવાબાનો પરિવાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાનો રાજકારણમાં દબદબો છે. રીવા બાનું પિયરીયું રાજકોટ શહેરમાં છે. જ્યારે સાસરિયું જામનગરમાં છે. પત્ની રાજકારણમાં બેટિંગ કરી રહી છે તો પતિ ક્રિકેટના મેદાનમાં કરે છે શાનદાર પ્રદર્શન. હવે રિવાબાને સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે, ત્યારે જુઓ રીવાબાનો પરિવાર
- Nirupa Duva
- Updated on: Oct 19, 2025
- 9:39 am
IND vs AUS : બે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા નહીં જાય, દિલ્હીથી ઘરે પરત ફરશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂર્ણ થઈ ગઈ છે, અને હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો સમય આવી ગયો છે, જેના માટે ટીમ ઈન્ડિયા 15 ઓક્ટોબરે રવાના થશે. બે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા નહીં પણ પોતાના ઘરે જશે.
- Smit Chauhan
- Updated on: Oct 14, 2025
- 5:26 pm