રવિન્દ્ર જાડેજા
6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.
રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
Read MoreVideo: વૈભવ સૂર્યવંશી કયા બોલરથી ડરે છે ? રવિન્દ્ર જાડેજાએ કહ્યું- ‘માર્કેટમાં આવો કોઈ…’
વૈભવ સૂર્યવંશી પોતાની નિર્ભય બેટિંગ માટે જાણીતો છે, પરંતુ શું 15 વર્ષીય આ સ્ટાર કોઈ બોલરથી ડરે છે? IPL 2026 દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથેના એક રેપિડ ફાયર રાઉન્ડમાં વૈભવે આ સવાલનો જવાબ આપ્યો હતો. જોકે, વૈભવના જવાબ કરતાં જાડેજાની એક લાઇન વધુ ચર્ચામાં આવી છે. વૈભવ-જાડેજાનો IPL 2026 નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 5:20 pm
Breaking News : શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ
Team India Squad: ભારતીય ક્રિકેટ બોર્ડે આજે એટલે કે, 28 જુલાઈના રોજ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં 2 ટેસ્ટ મેચ રમાશે. આ ખેલાડીની 262 દિવસ પછી વાપસી થઈ છે.
- Nirupa Duva
- Updated on: Jul 28, 2026
- 9:41 am
SL vs IND: શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટા અપડેટ, બુમરાહ-જાડેજાની થશે વાપસી !
ભારતીય ટીમ આગામી મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ અઠવાડિયે ટીમની જાહેરાત થવાની શક્યતા છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની વાપસીના સંકેત મળ્યા છે, જ્યારે વોશિંગ્ટન સુંદરની ઉપલબ્ધતા હજુ અનિશ્ચિત છે. ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ચાર દિવસની વોર્મ-અપ મેચ પણ રમશે.
- Smit Chauhan
- Updated on: Jul 21, 2026
- 5:07 pm
Breaking News: 968 દિવસ બાદ વન-ડે રમવા ઉતર્યો અને એકસાથે ‘2 મોટા રેકોર્ડ’ તોડી નાખ્યા
લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરતાની સાથે જ જસપ્રિત બુમરાહે મેદાન પર પોતાનો કમાલ બતાવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ધમાકેદાર બોલિંગ કરીને બુમરાહે રવિન્દ્ર જાડેજા અને અજીત અગરકર જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 14, 2026
- 7:58 pm
Breaking News: 8 વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા ! IND vs AFG છેલ્લી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી 10 ખેલાડીઓ બહાર
ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમવા જઈ રહી છે. છેલ્લી ટેસ્ટમાં ભારતની જે પ્લેઈંગ ઈલેવન હતી, તેમાંથી આ વખતે 10 ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. ચાલો આ વર્ષની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ અને જાણીએ કે ટીમમાં કેટલો ફેરફાર થયો છે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 4:56 pm
રાજકોટ,જામનગર,વડોદરા,નડિયાદમાં આવેલા ક્રિકેટરના ઘર આગળ બોલિવુડ સ્ટારના ઘર પણ ઝાંખા પડે, જુઓ ફોટો
અજય જાડેજાના ભવ્ય હેરિટેજ બંગલાથી લઈને હાર્દિક પંડ્યાના લક્ઝરી પેન્ટહાઉસ સુધી ગુજરાતમાં કરોડોના કિંમતના ભારતીય ક્રિકેટરોના ઘર આવેલા છે. ચાલો આજે આપણે ગુજરાતમાં વૈભવી મિલકતો ધરાવતા ભારતીય ક્રિકેટરોના ઘર પર એક નજર કરીએ.
- Nirupa Duva
- Updated on: May 29, 2026
- 8:34 am
Breaking News : ગુજરાતના સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાંથી કેમ કરવામાં આવ્યા બહાર?
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને બાકાત રાખવામાં આવ્યા હતા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આનું કારણ સમજાવ્યું.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 6:09 pm
Breaking News: બટલરની વિકેટ લેતા જ જાડેજાનું ‘ખિસ્સા’ સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, મચી ગયો હોબાળો
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જોસ બટલરની વિકેટ લીધી અને તેને ખિસ્સામાં મૂકવાનો ઈશારો કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સાથે જ તેના આ સેલિબ્રેશનથી જેના કારણે હોબાળો પણ મચી ગયો હતો.
- Smit Chauhan
- Updated on: May 9, 2026
- 9:58 pm
Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો
T20 ક્રિકેટમાં ફિલ્ડિંગ જીત અને હાર વચ્ચે સૌથી મોટો ફરક ઉભો કરે છે. IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં એક ડ્રોપ કેચ આખી મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો શાનદાર કેચ માટે ખેલાડીઓની પ્રશંસા કરે છે, પરંતુ સહેલાઈથી છોડાયેલા કેચ નિરાશા પણ લાવે છે. IPL ઈતિહાસમાં કેટલાક મોટા ખેલાડીઓ સૌથી વધુ કેચ છોડવાના મામલે પણ ટોચ પર રહ્યા છે.
- Smit Chauhan
- Updated on: May 9, 2026
- 7:01 pm
Breaking News: ગુજરાતના આ ફેમસ ક્રિકેટરોએ ના આપ્યો વોટ, જાણો કેમ?
ગુજરાત રાજ્યમાં આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ રાજ્યના અનેક ફેમસ ક્રિકેટરો મતદાન ના કરી શક્યા, જાણો કેમ.
- Smit Chauhan
- Updated on: Apr 26, 2026
- 9:51 pm
Breaking News : શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવાની અપીલ કરી જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન છે.શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે. આ સાથે લોકોને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવાની પણ વાત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 12:43 pm
LSG vs RR: પત્નીએ જે કહ્યું હતું રવિન્દ્ર જાડેજાએ મેચમાં તે જ કર્યું… POTM એવોર્ડ ગુજરાતના શિક્ષણ મંત્રીને કર્યો સમર્પિત
IPL 2026માં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન બાદ Player of the Match એવોર્ડ પોતાની પત્ની અને ગુજરાતની શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાને સમર્પિત કર્યો.
- Nishat
- Updated on: Apr 23, 2026
- 1:50 pm
IPL Controversy: રવિન્દ્ર જાડેજા પર લાગ્યો હતો 1 વર્ષનો બેન, જાણો શું હતું કારણ
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે Indian Premier League માત્ર રોમાંચક મેચો માટે જ નહીં, પરંતુ વિવાદો માટે પણ ચર્ચામાં રહે છે. આજે આપણે એવા જ એક જુના વિવાદ વિશે જાણીએ, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર Ravindra Jadeja પર 2010ના સીઝન પહેલા એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
- Meera Kansagara
- Updated on: Apr 20, 2026
- 2:26 pm
IPL 2026 ની સૌથી ખરાબ ઇનિંગ અને ચેન્નાઈ શર્મસાર, શું Ravindra Jadeja પાસે હતી… આખી CSK ટીમની દુખતી નસ!
રવિન્દ્ર જાડેજાના એક જ ઓવરે IPL મેચનો રૂખ પલટી નાખ્યો. 7મા ઓવરમાં તેમણે સરફરાઝ ખાન (LBW) અને શિવમ દુબે (કેચ)ની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી.
- Sagar Solanki
- Updated on: Mar 30, 2026
- 8:59 pm
IPL 2026: CSK પર ઇજાનું ગ્રહણ ધોની, બ્રેવિસ અને એલિસ બહાર, યુવા ખેલાડીઓના ખભા પર મોટી જવાબદારી !
ચેન્નાઈ સુપર કિંગ્સના ઈતિહાસમાં એક યુગનો અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર, મેદાન પર 'થાલા' ના માર્ગદર્શન વગર CSK ની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. એમ.એસ. ધોનીની પિંડણની ઈજાએ માત્ર ટીમને જ નહીં, પણ લાખો ચાહકોને આંચકો આપ્યો છે. હવે સવાલ એ છે કે, શું રુતુરાજ ગાયકવાડ ધોનીની છત્રછાયા વગર આ 'અગ્નિપરીક્ષા' પાર કરી શકશે ?
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2026
- 3:59 pm