AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ-દીકરી બંન્ને છે રાજકારણમાં , 3 દિકરીના પિતા મનોજ તિવારીનો આવો છે પરિવાર

ભોજપુરી અભિનેતા અને સાંસદ મનોજ તિવારનો જન્મ 1 ફ્રેબુઆરી 1971ના રોજ થયો છે. અભિનેતા એક્ટિંગની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. 2 વખત લગ્ન કરી ચૂકેલા મનોજ તિવારીના પરિવાર વિશે જાણો.

| Updated on: Nov 13, 2025 | 11:04 AM
Share
મનોજ તિવારીનો જન્મ 1 ફેબ્રુઆરી 1971 રોજ થયો છે. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર, રાજકારણી અને સંગીત નિર્દેશક મનોજ તિવારી ફિલ્મોમાં કામ કરતા પહેલા અંદાજે દસ વર્ષ સુધી ભોજપુરી ગાયક તરીકે કામ કર્યું હતું.

મનોજ તિવારીનો જન્મ 1 ફેબ્રુઆરી 1971 રોજ થયો છે. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર, રાજકારણી અને સંગીત નિર્દેશક મનોજ તિવારી ફિલ્મોમાં કામ કરતા પહેલા અંદાજે દસ વર્ષ સુધી ભોજપુરી ગાયક તરીકે કામ કર્યું હતું.

1 / 11
મનોજ તિવારીના પરિવાર વિશે જાણો

મનોજ તિવારીના પરિવાર વિશે જાણો

2 / 11
 2003માં તેણે ફિલ્મ 'સસુરા બડા પૈસા વાલા' માં અભિનય કર્યો, જે સફળ ફિલ્મ સાબિત થઈ અને તે માની શકાય કે ભોજપુરી ફિલ્મ નિર્માણનો એક નવો યુગ શરૂ થયો છે. ત્યારબાદ  'દારોગા બાબુ આઈ લવ યુ' અને 'બંધન ટૂટે ના' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

2003માં તેણે ફિલ્મ 'સસુરા બડા પૈસા વાલા' માં અભિનય કર્યો, જે સફળ ફિલ્મ સાબિત થઈ અને તે માની શકાય કે ભોજપુરી ફિલ્મ નિર્માણનો એક નવો યુગ શરૂ થયો છે. ત્યારબાદ 'દારોગા બાબુ આઈ લવ યુ' અને 'બંધન ટૂટે ના' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

3 / 11
મનોજ તિવારીએ ટેલિવિઝન પ્રોગ્રામ 'ચક દે બચ્ચે'માં હોસ્ટ તરીકે ઘણી વખત કામ કર્યું છે. 2010માં મનોજ તિવારીએ રિયાલિટી શો 'બિગ બોસ'માં ભાગ લીધો હતો  મનોજ તિવારી અને શ્વેતા તિવારીએ 'કબ ઐબુ આંગણવા હમાર' અને 'એ ભાઈજી કે બાલો'માં સાથે કામ કર્યું હતું.

મનોજ તિવારીએ ટેલિવિઝન પ્રોગ્રામ 'ચક દે બચ્ચે'માં હોસ્ટ તરીકે ઘણી વખત કામ કર્યું છે. 2010માં મનોજ તિવારીએ રિયાલિટી શો 'બિગ બોસ'માં ભાગ લીધો હતો મનોજ તિવારી અને શ્વેતા તિવારીએ 'કબ ઐબુ આંગણવા હમાર' અને 'એ ભાઈજી કે બાલો'માં સાથે કામ કર્યું હતું.

4 / 11
 મનોજ તિવારીએ રામલીલા મેદાન ખાતે બાબા રામદેવ દ્વારા શરૂ કરાયેલ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. 2009માં મનોજ તિવારીએ સમાજવાદી પાર્ટી વતી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હાલમાં તિવારી ભાજપ તરફથી રાજકારણમાં સક્રિય છે અને ઉત્તર-પૂર્વ દિલ્હીથી સંસદ સભ્ય છે. તેની દિકરી રિતી પણ ભારતીય જનાત પાર્ટીમાં સામેલ થઈ છે.

મનોજ તિવારીએ રામલીલા મેદાન ખાતે બાબા રામદેવ દ્વારા શરૂ કરાયેલ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. 2009માં મનોજ તિવારીએ સમાજવાદી પાર્ટી વતી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હાલમાં તિવારી ભાજપ તરફથી રાજકારણમાં સક્રિય છે અને ઉત્તર-પૂર્વ દિલ્હીથી સંસદ સભ્ય છે. તેની દિકરી રિતી પણ ભારતીય જનાત પાર્ટીમાં સામેલ થઈ છે.

5 / 11
મનોજ તિવારીના રાજકારણ વિશે વાત કરીએ તો તેમણે વર્ષ 2009માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમને સમાજવાદી પાર્ટીએ 2009માં લોકસભામાં ગોરખપુરથી ટિકિટ આપી હતી પરંતુ મનોજ તિવારી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી હારી ગયા હતા. 2014માં

મનોજ તિવારીના રાજકારણ વિશે વાત કરીએ તો તેમણે વર્ષ 2009માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમને સમાજવાદી પાર્ટીએ 2009માં લોકસભામાં ગોરખપુરથી ટિકિટ આપી હતી પરંતુ મનોજ તિવારી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી હારી ગયા હતા. 2014માં

6 / 11
મનોજ તિવારી ભોજપુરી જાણીતા-દિગ્ગજ કલાકાર છે. આજે ભલે તે ફિલ્મોની દુનિયામાં નથી પરંતુ તેની ફિલ્મો અને ગીત માટે જાણીતો છે. તેના અવાજના આજે પણ લાખો લોકો દિવાના છે. ફિલ્મી પડદાં પર રોમાન્સનો બાદશાહ રિયલ લાઈફમાં વિવાદોમાં રહી ચુક્યો છે.

મનોજ તિવારી ભોજપુરી જાણીતા-દિગ્ગજ કલાકાર છે. આજે ભલે તે ફિલ્મોની દુનિયામાં નથી પરંતુ તેની ફિલ્મો અને ગીત માટે જાણીતો છે. તેના અવાજના આજે પણ લાખો લોકો દિવાના છે. ફિલ્મી પડદાં પર રોમાન્સનો બાદશાહ રિયલ લાઈફમાં વિવાદોમાં રહી ચુક્યો છે.

7 / 11
મનોજ તિવારીએ તેમની પ્રથમ પત્ની રાની તિવારી સાથે 1999માં લગ્ન કર્યા હતા. તેઓને એક પુત્રી છે જેનું નામ રિતિ છે. આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતી અને 12 વર્ષ બાદ તલાક થયા હતા.

મનોજ તિવારીએ તેમની પ્રથમ પત્ની રાની તિવારી સાથે 1999માં લગ્ન કર્યા હતા. તેઓને એક પુત્રી છે જેનું નામ રિતિ છે. આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતી અને 12 વર્ષ બાદ તલાક થયા હતા.

8 / 11
 કોરોનાકાળમાં મનોજ તિવારીએ સુરભિ તિવારી સાથે લગ્ન કર્યા હતા.  51 વર્ષીય મનોજ તિવારી ત્રીજીવાર પિતા બન્યા હતા.સુરભિએ ડિસેમ્બર, 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. ઋતિએ જ પોતાની નાની બહેનનું નામ સાન્વિકા રાખ્યું હતું.

કોરોનાકાળમાં મનોજ તિવારીએ સુરભિ તિવારી સાથે લગ્ન કર્યા હતા. 51 વર્ષીય મનોજ તિવારી ત્રીજીવાર પિતા બન્યા હતા.સુરભિએ ડિસેમ્બર, 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. ઋતિએ જ પોતાની નાની બહેનનું નામ સાન્વિકા રાખ્યું હતું.

9 / 11
મનોજ તિવારી ત્રણ પુત્રીઓના પિતા છે અને તેણે બે વાર લગ્ન કર્યા છે. જો કે, જો અભિનેતાના વ્યવસાયિક જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 2004 માં ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 'સસુરા બડા પૈસાવાલા' હતી. આ કારણે તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું.

મનોજ તિવારી ત્રણ પુત્રીઓના પિતા છે અને તેણે બે વાર લગ્ન કર્યા છે. જો કે, જો અભિનેતાના વ્યવસાયિક જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 2004 માં ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 'સસુરા બડા પૈસાવાલા' હતી. આ કારણે તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું.

10 / 11
મનોજ તિવારીની દિકરીનું નામ રીતિ છે જે બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી સુંદર છે. રીતિ મનોજ તિવારીની પહેલી પત્નીની દિકરી છે. રીતિને પિતાની જેમ સિંગિંગનો ખુબ રસ છે. સોશિયલ મડિયા પર અનેક ગીતના વીડિયો પોસ્ટ કર્યા છે.

મનોજ તિવારીની દિકરીનું નામ રીતિ છે જે બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી સુંદર છે. રીતિ મનોજ તિવારીની પહેલી પત્નીની દિકરી છે. રીતિને પિતાની જેમ સિંગિંગનો ખુબ રસ છે. સોશિયલ મડિયા પર અનેક ગીતના વીડિયો પોસ્ટ કર્યા છે.

11 / 11

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">