લોકસભા
લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.
લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.
ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.
ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ
વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Dec 2, 2025
- 2:32 pm
Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર
સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Nov 24, 2025
- 8:59 pm
Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.
- Ravi Prajapati
- Updated on: Sep 9, 2025
- 8:32 pm
Breaking News : લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ, જાણો પૈસાના લોભ માટે ઓનલાઈન ગેમ રમનારાઓ માટે શું સજા હશે ?
કેન્દ્ર સરકારે બુધવારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ રજૂ કર્યું જે લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે જ્યારે ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે. પીડિતો માટે કોઈ સજા નથી પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સ, જાહેરાતકર્તાઓ અને પ્રમોટરો પર કડક દંડ અને સજાની જોગવાઈ છે.
- Sagar Solanki
- Updated on: Aug 20, 2025
- 7:05 pm
Breaking News: જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ, 3 સભ્યોની બનાવી કમિટી, લોકસભા સ્પીકરે કરી જાહેરાત
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે.
- Devankashi rana
- Updated on: Aug 12, 2025
- 1:05 pm
ટ્રમ્પના ટેરિફને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈશું, લોકસભામાં બોલ્યા પીયૂષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટોની પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે તમામ પગલાં લેશે. 2047 ના વિકાસ લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કરતા, તેમણે ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા ગણાવી.
- TV9 Gujarati
- Updated on: Jul 31, 2025
- 8:40 pm
30 જુલાઈના મહત્વના સમાચાર : 31 જુલાઈને ગુરુવારે, સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાશે
આજે 30 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Jul 30, 2025
- 10:03 pm
Breaking News: ઓપરેશન સિંદૂર પર PM મોદીએ ટ્રમ્પના સિઝફાયરને લઈને સદનમાં આપ્યુ સૌથી મોટુ નિવેદન, કર્યો આ મોટો ખૂલાસો
દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે નથી કહ્યુ, એ જ દરમિયાન 9 મે એ રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ અનેક કલાકોથી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મિટીંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી.
- Mina Pandya
- Updated on: Jul 29, 2025
- 7:27 pm
પંડિત જવાહરલાલ નહેરૂ – ઈન્દિરા ગાંધીએ કરેલ ભૂલના કારણે કાશ્મીર મુદો આટલા વર્ષે પણ સળગતો રહ્યોઃ અમિત શાહ
લોકસભામાં ગઈકાલ સોમવારથી ઓપરશન સિંદૂર પર શરૂ થયેલ ચર્ચાનો આજે ગૃહપ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો. કાશ્મીર મુદ્દે કોંગ્રેસની નીતિ જવાબદાર હોવાનું જણાવીને અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને છોડીને આજે દેશના બીજા કોઈ રાજ્યમાં આતંકી હુમલા નથી થતા. જો પંડિત જવાહરલાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ કરેલ ઐતિહાસિક ભૂલ ના કારણે જ કાશ્મીરની સમસ્યા રહેલા પામી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 29, 2025
- 3:23 pm
Breaking News: પહેલગામમાં જે આતંકીઓએ 26 લોકોને માર્યા, તે ત્રણેય આતંકવાદીઓને ઠાર મરાયા, સસંદમાં બોલ્યા અમિત શાહ
પહેલગામ આતંકવાદી હુમલા પછી, સેનાએ ઓપરેશન મહાદેવમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી, જેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્ય સભ્ય સુલેમાની શાહ પણ માર્યા ગયા હતા.
- Devankashi rana
- Updated on: Jul 29, 2025
- 1:33 pm
ફ્લેટ-એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ ચાર્જ પર GST કેવી રીતે લેવાશે ? નાણામંત્રીએ આપ્યો જવાબ
લોકસભામાં, સાંસદ મણિકમ ટાગોર અને સુરેશ કુમાર શેતકરે, ફ્લેટ-એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ ચાર્જ પર GST સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. નિર્મલા સિતારમણે કહ્યું છે કે કેટલા રૂપિયા મેઈન્ટેનન્સ તરીકે ચૂકવનારા પાસેથી GST વસૂલાશે અને GST નહીં ભરનારા ફ્લેટ-એપાર્ટમેન્ટ એસોસિએશન પાસેથી દંડ વસૂલાશે ?
- TV9 Gujarati
- Updated on: Jul 28, 2025
- 6:21 pm
ભાઈ સાહેબ હવે બંધ કરો…… ભારતના હુમલાઓથી ડરીને પાકિસ્તાને કાકલુદી કરતા ઓપરેશન સિંદૂર અટકાવ્યુ – લોકસભામાં બોલ્યા રાજનાથસિંહ
આજે સોમવારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કરાવતા કહ્યું કે, ભારતીય વાયુસેનાના જબરદસ્ત હુમલાઓ, નિયંત્રણ રેખા પર સેનાનો જોરદાર જવાબી કાર્યવાહી અને નૌકાદળના હુમલાના ડરથી પાકિસ્તાનને નમવા માટે મજબૂર કરવામાં આવ્યું. પાકિસ્તાનનો આ પરાજય તેમની સામાન્ય નિષ્ફળતા નહોતી, પરંતુ તે તેના લશ્કરી બળ અને મનોબળ બંનેનો ભારત સામે પરાજય હતો.
- TV9 Gujarati
- Updated on: Jul 28, 2025
- 4:17 pm
થાઈલેન્ડમાંથી હાઇબ્રિડ ગાંજાની દાણચોરી, ગુજરાત બીજા નંબરે, કેન્દ્ર સરકારે ઉઠાવ્યો મુદ્દો
ભારત સરકારે આ વર્ષે મે મહિનામાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, થાઇલેન્ડથી દેશમાં હાઇબ્રિડ (હાઇડ્રોપોનિક) ગાંજાની દાણચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે ગઈકાલ મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના જણાવ્યા અનુસાર, ગાંજાની દાણચોરી કરવા માટે હવાઈ માર્ગ, આંતરરાષ્ટ્રીય કુરિયર્સ અને ડાર્ક વેબનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
- TV9 Gujarati
- Updated on: Jul 23, 2025
- 2:43 pm
Breaking News : ન્યાયાધીશ યશવંત વર્માની મુશ્કેલીઓ વધી, વિપક્ષીઓએ તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે વિપક્ષી પક્ષોએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી કે આ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવશે કે રાજ્યસભામાં. ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
- Dhinal Chavda
- Updated on: Jul 4, 2025
- 5:11 pm
વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી… 2024 સૌથી ખરાબ રહ્યું વર્ષ
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે, 2024 માં વિવિધ એરલાઇન્સને વિમાનમાં બોમ્બ મુકાયાની ધમકીના નકલી કોલ કરવા બદલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જાણો શા માટે 2024નું વર્ષ બોમ્બ ધમકીઓ માટે સૌથી ખરાબ રહ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2025
- 11:30 pm