
લોકસભા
લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.
લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.
ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.
વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી… 2024 સૌથી ખરાબ રહ્યું વર્ષ
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે, 2024 માં વિવિધ એરલાઇન્સને વિમાનમાં બોમ્બ મુકાયાની ધમકીના નકલી કોલ કરવા બદલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જાણો શા માટે 2024નું વર્ષ બોમ્બ ધમકીઓ માટે સૌથી ખરાબ રહ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2025
- 11:30 pm
Waqf Amendment Bill : CAAના કાયદાથી એક પણ મુસ્લિમની નાગરિકતા સમાપ્ત નથી થઈ, કોંગ્રેસ મુસ્લિમોને ડરાવીને વોટબેંકની રાજનીતિ કરે છેઃ અમિત શાહ
Waqf Amendment Bill : અમિત શાહે લોકસભામાં કહ્યું કે, દેશમાં રહેતા કોઈ પણ ધર્મના લોકોને સહેજ પણ આંચ નહીં આવે, આ નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ ટર્મથી ચૂંટાઈ આવી છે અને હજુ બીજી ત્રણ ટર્મ મોદી સરકાર સત્તા પર રહેશે એ નોંધી લેજો.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2025
- 8:06 pm
લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ, NDA સરકારે મુસ્લિમોને આપ્યા 5 વચન
વકફ સુધારા બિલ 2025 લોકસભામાં, આજે રજૂ કરવામાં આવ્યું છે. બિલ રજૂ કરતી વખતે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મુસ્લિમોને પાંચ ખાતરી આપી હતી, જેમાં મસ્જિદો સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં દખલ નહીં કરવાનું પણ વચન તેમા સામેલ છે. વિપક્ષે બિલ પર ચર્ચા કરવા માટે વધુ સમયની માંગણી કરીને હોબાળો મચાવ્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે આ બિલ ફક્ત વકફ મિલકતો સાથે સંબંધિત છે અને તેને ધાર્મિક સ્થળો સાથે કોઈ પણ પ્રકારે લેવાદેવા નથી.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2025
- 2:25 pm
લાલ કિલ્લો, તાજમહેલ, જામા મસ્જિદ વક્ફબોર્ડ પાસે છે ? આના માલિક કોણ ? જાણો
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ એક આંતરિક સર્વેક્ષણ હાથ ધર્યું. તેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 250 સંરક્ષિત સ્મારકો હાલમાં વકફ મિલકતો તરીકે નોંધાયેલા છે. તેમાં ફિરોઝ શાહ કોટલા ખાતેની જામા મસ્જિદ, આરકે પુરમમાં છોટી ગુમતી મકબરો, હૌઝ ખાસ મસ્જિદ અને ઇદગાહ જેવા દિલ્હીના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2025
- 1:56 pm
બધા સાંસદો લોકસભામાં હાજર રહે, ભાજપે વકફ સુધારા બિલને લઈને 3 લાઈનનો વ્હીપ ઈસ્યું કર્યો
કેન્દ્ર સરકાર, આવતીકાલ 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. આ સંદર્ભે, પાર્ટીએ તેના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ ઈસ્યું કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2025
- 4:48 pm
Waqf Amendment Bill: વકફ બિલને લઈને સરકાર પીછેહઠ નહીં કરે, 3 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કેટલાક પક્ષો અને સંગઠનો સમાજને ગેરમાર્ગે દોરવામાં લાગેલા છે. આ લોકો અસત્યનો આશરો લે છે. સત્ય એ છે કે આ બિલ મુસ્લિમોના હિતમાં છે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2025
- 9:34 pm
Breaking News : લોકસભામાં કિરેન રિજિજુ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ, શું છે આરોપ?
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે, લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પર ખોટી માહિતી આપવાનો અને સંસદ ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. કોંગ્રેસે રિજિજુ સામે વિશેષાધિકાર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2025
- 3:45 pm
શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે
દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 7:12 pm
12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરા ઘટાડીને અમે મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ નહીં લાગે. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે જે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2025
- 7:30 pm
દેશમાં બેરોજગારીનો ઉકેલ UPA કે NDA ને હજુ સુધી મળ્યો નથી : રાહુલ ગાંધી
રાષ્ટ્રપતિએ બજેટસત્ર પૂર્વે સંસદને કરેલા સંબોધન પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, બેરોજગારીનો ઉકેલ હજુ સુધી યુપીએ કે એનડીએને મળ્યો નથી. પીએમ મોદીનો 'મેક ઇન ઇન્ડિયા'નો વિચાર સારો હતો પરંતુ તેનાથી દેશમાં કંઈ થયું નહીં. તેમના પ્રયાસને નિષ્ફળતા સાંપડી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2025
- 3:32 pm
JPC on Waqf Bill : વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા, જાણો વિગત
વકફ સુધારા બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના વિરોધ બાદ, કેન્દ્ર સરકારે ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ JPC ની રચના કરી હતી.
- Sagar Solanki
- Updated on: Jan 27, 2025
- 6:22 pm
રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ આપી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 20, 2024
- 11:00 am
રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે દેશભરમાં કરશે વિરોધ
ગઈકાલ ગુરુવારે, સંસદભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સંસદ સભ્યો એકબીજાની સામે આવ્યા હતા અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સામસામે ભારે સૂત્રોચ્ચારો અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિપક્ષ ઈન્ડિયા એલાયન્સ અને સત્તાધારી એનડીએના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 20, 2024
- 9:19 am
રાહુલ ગાંધીએ મારી સાથે કર્યુ ગેરવર્તન, મહિલા સાંસદ કોન્યાકે અધ્યક્ષને કરી ફરિયાદ
ફાનોંગ કોન્યાકે રાહુલ ગાંધી વિશે કહ્યું, "આજે દિવસ દરમિયાન, જ્યારે હું આંબેડકરને લઈને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યી હતી, ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા. મને તે ગમ્યું નહીં અને અચાનક તેઓ બૂમો પાડવા લાગ્યા."
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:38 pm
ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:01 pm