AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા

લોકસભા

લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.

લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.

ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.

 

Read More

Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. રાહુલ ગાંધી ભારતના પૂર્વ સૈન્યવડા એમ એમ નરવણેના પુસ્તક પર ચીનની ઘૂસણખોરીને લઈને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, જ્યારે ભાજપે વળતો જવાબ આપ્યો છે. આ હોબાળાને કારણે, પીએમ મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન લોકસભામાં થઈ શક્યું નથી.

સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ

રાહુલ ગાંધીએ લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખ્યું ત્યારે અધ્યક્ષે તેમને બોલવા દેવાનો ઇનકાર કર્યો, જેના કારણે હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે, વિપક્ષી સાંસદો ટેબલ પર ચઢવા લાગ્યા, અને કેટલાકે તો સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંકવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે પહેલા ગૃહની કાર્યવાહી 3 વાગ્યા સુધી અને ત્યાર બાદ બુધવાર સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.

Budget 2026 : 1 ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે અંદાજપત્ર ? આ તારીખ પાછળનું રહસ્ય શું છે ?

ભારતીય ઇતિહાસમાં, બજેટ રજૂ કરવાની તારીખ હંમેશા 1 ફેબ્રુઆરી નહોતી. પહેલા કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાનાના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું. આ પરંપરા બ્રિટિશ શાસનકાળથી શરૂ થઈ હતી અને સ્વતંત્રતા પછીના દાયકાઓ સુધી ચાલુ રહી.

દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો, મિલક્તમા સૌથી વધુ વધારામાં મહારાષ્ટ્રના ઉદયનરાજે ભોંસલે પહેલા, તો જામનગરના પુનમ માડમ બીજા નંબરે

ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. સૌથી વઘુ વધારો મહારાષ્ટ્રના સાંસદ ઉદયનરાજ ભોંસલેની મિલકતમાં થવા પામ્યો છે. જેઓ દેશભરમાં પહેલા નંબરે છે, તો જામનગરના ભાજપના સાંસદ પુનમ માડમ મિલકત વધારાના ક્ષેત્રે બીજા નંબરે છે.

Breaking News : રેલવે હવે વિમાન જેવી બની ! વધુ લગેજ લઈ જશો તો મુસાફરી પડશે મોંઘી, જાણો રેલવેની નવી ગાઈડલાઈન

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવચેત રહો. રેલવે મુસાફરો માટે નવા સામાન નિયમો કડક બનાવી રહી છે. માન્ય વજન કરતાં વધુ વજન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 2,00,000થી વધુ ખાનગી કંપનીઓના દરવાજા વાગ્યાં ખંભાતી તાળા

દેશમાં વર્તમાનમાં અમલી કંપની અધિનિયમ, 2013 અનુસાર, જો કોઈ કંપની લાંબા સમય સુધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ રાખે છે અથવા નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી સ્વેચ્છાએ રેકોર્ડમાંથી દૂર થવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરી શકાય છે.

ઓફિસ ટાઈમ પછી બોસનો કોલ રિસીવ નહીં કરવાનો… લોકસભામાં રજૂ થયુ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025- જુઓ Video

લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ એક પ્રાઈવેટ મેંબર બિલ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યુ. આ બિલમાં પ્રસ્તાવ છે કે કર્મચારીઓને ઓફિસના સમય પછી ઓફિશિયલ કોમ્યુનિકેશન સાંભળવા માટે મજબુર ન કરવામાં આવે.

સંસદમાં વંદે માતરમ પર બોલ્યા પીએમ મોદી : નહેરૂએ લખી હતી મુસ્લિમાનોના ભડકવાની વાત

વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ખાસ ચર્ચા શરૂ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વંદે માતરમ સ્વતંત્રતા ચળવળનો અવાજ અને દરેક ભારતીયના સંકલ્પ બન્યો હતો. અંગ્રેજોએ 1905માં બંગાળનું વિભાજન કર્યું, પરંતુ વંદે માતરમે એકતાની પ્રેરણા આપી.

ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ

વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર

સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો

સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.

Breaking News : લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ, જાણો પૈસાના લોભ માટે ઓનલાઈન ગેમ રમનારાઓ માટે શું સજા હશે ?

કેન્દ્ર સરકારે બુધવારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ રજૂ કર્યું જે લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે જ્યારે ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે. પીડિતો માટે કોઈ સજા નથી પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સ, જાહેરાતકર્તાઓ અને પ્રમોટરો પર કડક દંડ અને સજાની જોગવાઈ છે.

Breaking News: જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ, 3 સભ્યોની બનાવી કમિટી, લોકસભા સ્પીકરે કરી જાહેરાત

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે.

ટ્રમ્પના ટેરિફને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈશું, લોકસભામાં બોલ્યા પીયૂષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટોની પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે તમામ પગલાં લેશે. 2047 ના વિકાસ લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કરતા, તેમણે ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા ગણાવી.

30 જુલાઈના મહત્વના સમાચાર : 31 જુલાઈને ગુરુવારે, સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાશે

આજે 30 જુલાઈને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">