લોકસભા
લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.
લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.
ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.
બિલ નો કાયદો કેવી રીતે બને છે? જાણો સંસદમાં રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની રસપ્રદ સફર અને બહુમતીનું ગણિત
ભારતમાં કોઈપણ નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અત્યંત ગહન અને બંધારણીય છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થયેલા ત્રણ નવા બિલો વચ્ચે, સામાન્ય જનતા માટે એ જાણવું જરૂરી છે કે એક ડ્રાફ્ટ કેવી રીતે દેશનો કાયદો બને છે અને તેમાં વિપક્ષ તથા રાષ્ટ્રપતિની ભૂમિકા શું હોય છે.
- Sachin Agrawal
- Updated on: Apr 18, 2026
- 9:15 pm
Breaking News : PM મોદીનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું.. મહિલા આરક્ષણનો વિરોધ કરી જે પાપ વિપક્ષે કર્યું છે તેની સજા તેમને મળશે
મહિલા શક્તિને આગળ વધતી અટકાવી દેવામાં આવી છે. મહિલા અનામત પર પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
- Sagar Solanki
- Updated on: Apr 18, 2026
- 8:54 pm
Breaking News: આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાષ્ટ્રજોગ કરશે સંબોધન
ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશજોગ સંબોધન કરવાના છે. આ પહેલા મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધી સમયે પણ રાત્રે જ દેશને સંબોધિત કર્યો હતો. જો કે હાલ મનાઈ રહ્યુ છે કે વડાપ્રધાનનું આ સંબોધન નારી શક્તિ વંદન અધિનિયમ ને સંબંધિત હોઈ શકે છે.
- Mina Pandya
- Updated on: Apr 18, 2026
- 3:48 pm
Breaking News : મહિલા અનામત બિલ.. 131મા બંધારણીય સુધારાને બહુમતી નહીં, તરફેણમાં 298 અને વિરુદ્ધ 230 મત પડ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે વિપક્ષી 'ભારત' ગઠબંધન વિવિધ ચેતવણીઓ અને શરતોનો આશરો લઈને મહિલા અનામતનો વિરોધ કરી રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: Apr 17, 2026
- 8:02 pm
Breaking News : ‘વાળ સફેદ થઈ જશે તો પણ સંસદમાં નહીં બેસી શકો’…, નવા સીમાંકન અંગે લોકસભામાં અમિત શાહની ગર્જના, જુઓ Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે મહિલા અનામત બિલના સિદ્ધાંતનો વિરોધ નથી, પરંતુ અમલીકરણના મુદ્દાઓ છે. તેમણે 2029 સુધીમાં મહિલા અનામત અમલમાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
- Sagar Solanki
- Updated on: Apr 17, 2026
- 6:52 pm
Breaking News : રાહુલ ગાંધીએ જણાવ્યો મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડા
મહિલા અનામત બિલ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું કે, આ બિલ થકી ભાજપના બે ઉદ્દેશ્યો છે. ચૂંટણી નકશામાં ફેરફાર કરવો અને મહિલાઓનો વિશ્વાસ જીતવો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકાર સંપૂર્ણપણે જાણે છે કે આ બિલ, સર્વાનુમતે કે વિના વિરોધે તો પસાર નહીં જ થાય. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ […]
- TV9 Gujarati
- Updated on: Apr 17, 2026
- 4:17 pm
Breaking News: ચાલો ઇતિહાસ રચીએ… વોટિંગ પહેલાં PMની પોસ્ટ, વિપક્ષી પક્ષોને અપીલ
મહિલા અનામત બિલ અને સીમાંકન પર સંસદમાં ગુરુવારથી ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે આ ચર્ચા સવારે 1 વાગ્યા સુધી ચાલી હતી અને આજે શુક્રવારે પણ ચાલુ રહેશે. બિલ પર મતદાન સાંજે 4 વાગ્યે થવાનું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને તેમના નિર્ણય પર કાળજીપૂર્વક વિચાર કરવા અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરી હતી.
- Meera Kansagara
- Updated on: Apr 17, 2026
- 2:53 pm
Breaking News : લોકતંત્રને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી, જેમણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ ખતમ કરી નાખ્યાઃ અમિત શાહ
વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા એક સંશયનો ઉત્તર આપતા અમિત શાહે કહ્યું કે, દેશમાં જાતિ જણગણના કરવાનો નિર્ણય મોદી કેબિનેટ કર્યો છે. આગામી વસ્તી ગણતરી જાતિ વસ્તી ગણતરી જ થશે. સૌ કોઈ જાણે છે કે, વસ્તી ગણતરી બે ચરણમાં થાય છે. હાલમાં પહેલો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પહેલા બિલ્ડીગની ગણતરી થાય છે. ઈમારતોની અત્યાર સુધીમાં કોઈ જાતિ નક્કી કરવામાં આવી નથી. જો બિલ્ડીગની જાતિ નક્કી કરાશે તો અમે બિલ્ડીગની પણ જાતિ ગણતરી કરીશું.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 6:44 pm
Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો
લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 5:11 pm
મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?
કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 2:25 pm
Women Reservation Bil Explained: નવા અને જૂના મહિલા અનામત બિલ વચ્ચે શું તફાવત છે અને ચૂંટણી બેઠકો અંગે શા માટે પ્રશ્નો ઉભા થયા છે?
પ્રથમ વખત મહિલા આરક્ષણ બિલ 1996માં રજૂ કરવામાં આવ્યું હતું. તેને 81મું બંધારણીય સુધારા વિધેયક કહેવામાં આવ્યું હતું. તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ હતો. આ બિલ વારંવાર અટકી ગયું. હવે “નારી શક્તિ વંદન અધિનિયમ” સાથે મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થવાની આશા ફરી જાગી છે. જૂના અને નવા મહિલા આરક્ષણ બિલમાં શું તફાવત છે, તે જાણો.
- Nishat
- Updated on: Apr 16, 2026
- 11:17 am
બંધારણીય સુધારો કરીને મહિલા અનામતની સાથેસાથે સરકાર લોકસભાની વધારશે બેઠકો ?
કેન્દ્ર સરકારે મહિલા અનામતના અમલીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે. બેઠકોની નવી ફાળવણી લાંબા સમયથી અટકેલી હતી. આ બિલ તે મુદત ઉઠાવી લેશે, જેનાથી સીમાંકન પંચ નવા ચૂંટણી મતવિસ્તારોનું સીમાંકન કરી શકશે. વધુમાં, બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની મહિલાઓ માટે બેઠકો અનામત રાખવા માટેની જોગવાઈઓ શામેલ છે. આ અનામત બેઠકો વિવિધ મતવિસ્તારોમાં વારાફરતી નક્કી કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Apr 14, 2026
- 6:24 pm
નક્સલી હથિયાર ફેંકી દો, ગોળીનો જવાબ ગોળીથી મળશે.. અમિત શાહે લોકસભામાં આપી 5 મોટી ચેતવણી, જુઓ Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે ભારત 2026 સુધીમાં નક્સલવાદ મુક્ત બનશે. તેમણે કોંગ્રેસ પર નક્સલવાદને પ્રોત્સાહન આપવા અને આદિવાસીઓના વિકાસની અવગણના કરવાનો આરોપ મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Mar 30, 2026
- 9:35 pm
Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હવે વિપક્ષના નિશાને આવ્યા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી છે. જો કે સરકારે આ મુદ્દે વિપક્ષને કોઈ હકારાત્મક પ્રતિભાવ ના આપતા, હવે વિપક્ષે સંયુક્તપણે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે નવી રણનીતિ ઘડી કાઢી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 1:42 pm
લોકસભામાં રાહુલે કહ્યું- ટ્રેડ ડીલમાં દેશ-ખેડૂતો વેચી માર્યા, કિરેન રિજ્જુએ કહ્યું કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે દેશ વેચે, મોદી સૌથી મજબૂત પીએમ
રાહુલ ગાંધી લોકસભા ભાષણ: લાંબા વિવાદ પછી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં ભાષણ આપ્યું. તેમણે ભારત-અમેરિકા વેપાર કરાર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સરકારની ટીકા કરી. રાહુલે કહ્યું કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ આ કરાર કર્યો હતો અને બધું અમેરિકાને વેચી દેવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 11, 2026
- 3:42 pm