Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા

લોકસભા

લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.

લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.

ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.

 

Read More

Breaking News : લોકસભામાં કિરેન રિજિજુ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ, શું છે આરોપ?

કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે, લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પર ખોટી માહિતી આપવાનો અને સંસદ ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. કોંગ્રેસે રિજિજુ સામે વિશેષાધિકાર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.

શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે

દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરા ઘટાડીને અમે મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ નહીં લાગે. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે જે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.

દેશમાં બેરોજગારીનો ઉકેલ UPA કે NDA ને હજુ સુધી મળ્યો નથી : રાહુલ ગાંધી

રાષ્ટ્રપતિએ બજેટસત્ર પૂર્વે સંસદને કરેલા સંબોધન પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, બેરોજગારીનો ઉકેલ હજુ સુધી યુપીએ કે એનડીએને મળ્યો નથી. પીએમ મોદીનો 'મેક ઇન ઇન્ડિયા'નો વિચાર સારો હતો પરંતુ તેનાથી દેશમાં કંઈ થયું નહીં. તેમના પ્રયાસને નિષ્ફળતા સાંપડી છે.

JPC on Waqf Bill : વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા, જાણો વિગત

વકફ સુધારા બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના વિરોધ બાદ, કેન્દ્ર સરકારે ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ JPC ની રચના કરી હતી.

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ આપી છે.

રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે દેશભરમાં કરશે વિરોધ

ગઈકાલ ગુરુવારે, સંસદભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સંસદ સભ્યો એકબીજાની સામે આવ્યા હતા અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સામસામે ભારે સૂત્રોચ્ચારો અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિપક્ષ ઈન્ડિયા એલાયન્સ અને સત્તાધારી એનડીએના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.

રાહુલ ગાંધીએ મારી સાથે કર્યુ ગેરવર્તન, મહિલા સાંસદ કોન્યાકે અધ્યક્ષને કરી ફરિયાદ

ફાનોંગ કોન્યાકે રાહુલ ગાંધી વિશે કહ્યું, "આજે દિવસ દરમિયાન, જ્યારે હું આંબેડકરને લઈને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યી હતી, ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા. મને તે ગમ્યું નહીં અને અચાનક તેઓ બૂમો પાડવા લાગ્યા."

ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.

આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહનું ખરગેએ માગ્યું રાજીનામુ, કિરણ રિજ્જુજીએ કહ્યું- કોંગ્રેસ નાટક કરે છે

આજે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ, સંસદ પરિસરમાં આંબેડકરના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, લોકસભાના સાંસદો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી સાંસદોએ મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે આંબેડકર અંગે ઉચ્ચારાયેલા શબ્દોનો વિરોધ કર્યો હતો.

આંબેડકરના મુદ્દે અમિત શાહને વિપક્ષે ચારેબાજુથી ઘેર્યા, BJP – PM મોદી એક્ટિવ મોડમાં આવ્યા, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

સંસદમાં અમિત શાહની ઘેરાબંધી બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય મોડમાં આવી ગઈ છે. શાહ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં તે રણનીતિઓ પર ચર્ચા થઈ શકે છે જેના દ્વારા ભાજપ સંસદમાં આ મુદ્દા પર કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી શકે.

વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?

મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.

One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર

દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તે માટે કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશન બિલ આજે લોકસભામાં રજૂ કર્યું છે. કાયદા પ્રધાન અર્જૂન મેઘવાલે, લોકસભામાં વન નેશન વન ઈલેક્શન માટે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકાર આ બિલ અંગે સર્વપક્ષીય સાંસદોની બનેલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી) રચવા તૈયાર છે. જો કે વિપક્ષે, વન નેશન વન ઈલેકશન બિલને બંધારણ વિરુદ્ધનુ ગણાવીને વિરોધ કર્યો છે.

રાજકારણની પિચ પર નહીં, ક્રિકેટ પિચ પર તમામ પક્ષોના સાંસદોએ કરી ફટકાબાજી, જુઓ ફોટા

દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે લોકસભા અને રાજ્યસભાના તમામ પક્ષના સાંસદો વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચને ટીબી ફ્રી ઈન્ડિયા અવેરનેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નામ આપવામાં આવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

બંધારણ, ગાંધી પરિવાર અને 11 સંકલ્પો… PM મોદીના 110 મિનિટના સંબોધનની 10 મોટી વાતો

PM Modis Address Key Highlights : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બંધારણની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં પોતાના સંબોધનમાં ઘણીબધી વાતો કહી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. આ સમાચારમાં જાણીશું કે પીએમ મોદીએ 110 મિનિટના આ ભાષણમાં કઈ 10 મોટી વાતો કહી.

સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
g clip-path="url(#clip0_868_265)">