લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી

લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. 17મી લોકસભાનો કાર્યકાળ આગામી 16 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ 16 જૂન પહેલા સામાન્ય ચૂંટણી કરાવશે અને નવી સરકારની રચના થશે. છેલ્લે લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2019માં એપ્રિલ અને મે મહિનામાં યોજાઈ હતી. જો કેન્દ્રમાં સ્થિર સરકાર એટલે કે સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર આવે તો લોકસભાની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 83 મુજબ, લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે એકવાર યોજાય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા 18મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. દેશમાં લાયક મતદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેણે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તો તે મતદાન કરી શકે છે. જો કે, મતદાન કરવા માટે તેણે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું પડે છે. આ સાથે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માન્ય મતદાર ઓળખ કાર્ડ હોવું જોઈએ.

છેલ્લે 2019માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી હતી. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે અને બહુમત માટે 272 બેઠકોની જરૂર હોય છે.

Read More

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, તમામ વિપક્ષી સાંસદોને લખ્યા પત્ર

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે… PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા, ધ્વનિ મત દ્વારા કરવામાં આવી પસંદગી

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીએ કોને કહ્યુ, “કમળમાં હવે કાંઈ લેવાનું નથી”- પુરી વાતચીત જાણવા -જુઓ Video

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ચૂંટણી જીતી ગયા બાદ, ભાજપના આ સાંસદે ખુલ્લેઆમ આપી ધમકી, જુઓ વીડિયો

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

ફિલ્મની જેમ રાજનીતિમાં પણ હિટ રહ્યા છે આ સાઉથ સ્ટાર, આટલા સ્ટાર બની ચુક્યા છે મુખ્યમંત્રી, જુઓ લિસ્ટ

રાજનીતિ અને ફિલ્મ જગત બે અલગ અલગ છેડા છે, પરંતુ તેમ છતાં બંને વચ્ચે ખૂબ જ ઊંડું જોડાણ છે. બોલિવૂડ સહિત સાઉથ અને તેલુગુ સ્ટાર રાજકારણમાં સક્રિય છે, ત્યારે કેટલાક તો એવા સ્ટાર છે જે મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલયે મળી બેઠક, લોકસભા ચૂંટણીના પરિણામો પર મંથન- Video

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળી છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મંથન કરવામાં આવશે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારના પરિણામોની અપેક્ષા કોંગ્રેસ રાખી રહી હતી. એ પ્રકારનું ધાર્યુ પરિણામ નથી આવ્યુ. જેના પર બેઠકમાં મંથન કરવામાં આવશે.

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા, સાંસદ ગેનીબેન ઠાકોરનો ભાજપ પર મોટો આરોપ

ભાજપને બરાબરની ટક્કર આપી, ગેનીબેન ચૂંટણી તો જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવ્યાનો આરોપ હવે ગેનીબેન લગાવી રહ્યા છે. ગેનીબેને ભાજપ પર ચૂંટણીમાં મત તોડવાની રણનીતિ અપનાવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજ કે પછી કોંગ્રેસ ખોટું મતદાન થતું અટકાવી શક્યો નથી.

કંઈપણ હેક થઈ શકે છે…EVM પર એલોન મસ્કનું મોટું નિવેદન, ભાજપ નેતાએ આપ્યો આવો જવાબ, જુઓ

ટેસ્લાના CEO એલોન મસ્કે ભારતીય EVMને લઈને મોટી ચર્ચા શરૂ કરી છે. ગઈ કાલે તેમણે કહ્યું કે આપણે EVM નાબૂદ કરી દઈએ. હેક થવાનું જોખમ છે. જેના પર બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે મસ્કના નિવેદનમાં કોઈ સત્ય નથી. આના પર મસ્કે ફરીથી જવાબ આપ્યો અને કહ્યું કે કંઈપણ હેક થઈ શકે છે.

ભારતમાં EVM બ્લેક બોક્સ છે, રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા પર કેમ ઉઠાવ્યા સવાલ?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને (EVM) લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને ઊંડી ચિંતા છે. આ સાથે જ કોંગ્રેસે ઈવીએમને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું છે.

Porbandar Video : મનસુખ માંડવિયા અને દિનેશ ખટારીયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ, કહ્યું આસુરી શક્તિએ હવનમાં હાડકાં હોમવા કર્યો પ્રયત્ન

પોરબંદર લોકસભા બેઠકના સાંસદ સભ્ય મનસુખ માંડવિયા અને સહકારી આગેવાન દિનેશ ખટારીયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો છે.

નર્મદા વીડિયો : સંકલન સમિતિમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા,ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી

નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા હતા અને ચૈતર વસાવા દ્વારા પૂછવામાં આવેલા 5 પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

કેન્દ્રીય મંત્રી જેવી મને કોઈ ફિલિંગ આવતી નથી…. નવસારીમાં સાંસદ C R પાટીલ આવું કેમ બોલ્યા?

ચોથી વખત સાંસદ બનેલા સીઆર પાટીલને જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેને લઈને નવસારી લોકસભા મત વિસ્તારના લોકોમાં ખુશીની લહેર વ્યાપી છે. ત્યારે નવસારી જિલ્લા ખાતે યોજાયેલા આ અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સંગઠનના આગેવાનોએ હાજરી આપી હતી.

PM Modi ત્રીજી વાર વડાપ્રધાન બનતા અમેરિકામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ

લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ભારતમાં ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનતા અમેરિકામાં વસતા મૂળ ભારતીયોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">