Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી

લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. 17મી લોકસભાનો કાર્યકાળ આગામી 16 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ 16 જૂન પહેલા સામાન્ય ચૂંટણી કરાવશે અને નવી સરકારની રચના થશે. છેલ્લે લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2019માં એપ્રિલ અને મે મહિનામાં યોજાઈ હતી. જો કેન્દ્રમાં સ્થિર સરકાર એટલે કે સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર આવે તો લોકસભાની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 83 મુજબ, લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે એકવાર યોજાય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા 18મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. દેશમાં લાયક મતદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેણે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તો તે મતદાન કરી શકે છે. જો કે, મતદાન કરવા માટે તેણે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવું પડે છે. આ સાથે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માન્ય મતદાર ઓળખ કાર્ડ હોવું જોઈએ.

છેલ્લે 2019માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી હતી. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે અને બહુમત માટે 272 બેઠકોની જરૂર હોય છે.

Read More

ટેક્નોલોજીએ બદલ્યું ચિત્ર, લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા, News9 Global Summit માં બોલ્યા અશ્વિની વૈષ્ણવ

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી, વાયનાડથી ભર્યુ ઉમેદવારીપત્ર, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસનુ મોટું નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યા

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં “One Nation, One Election” ને મંજૂરી મળી પરંતુ આ 5 સવાલ વિશે વિચારવું જરૂરી, જુઓ Video

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શન કેમ જરુરી છે તેમજ તેની સામે પડકારો કેટલા છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

One Nation, One Electionથી કોને ફાયદો થશે ? જાણો કયા દેશોમાં આ મોડલ લાગુ છે

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, તમામ વિપક્ષી સાંસદોને લખ્યા પત્ર

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે… PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા, ધ્વનિ મત દ્વારા કરવામાં આવી પસંદગી

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીએ કોને કહ્યુ, “કમળમાં હવે કાંઈ લેવાનું નથી”- પુરી વાતચીત જાણવા -જુઓ Video

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ચૂંટણી જીતી ગયા બાદ, ભાજપના આ સાંસદે ખુલ્લેઆમ આપી ધમકી, જુઓ વીડિયો

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

ફિલ્મની જેમ રાજનીતિમાં પણ હિટ રહ્યા છે આ સાઉથ સ્ટાર, આટલા સ્ટાર બની ચુક્યા છે મુખ્યમંત્રી, જુઓ લિસ્ટ

રાજનીતિ અને ફિલ્મ જગત બે અલગ અલગ છેડા છે, પરંતુ તેમ છતાં બંને વચ્ચે ખૂબ જ ઊંડું જોડાણ છે. બોલિવૂડ સહિત સાઉથ અને તેલુગુ સ્ટાર રાજકારણમાં સક્રિય છે, ત્યારે કેટલાક તો એવા સ્ટાર છે જે મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલયે મળી બેઠક, લોકસભા ચૂંટણીના પરિણામો પર મંથન- Video

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળી છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મંથન કરવામાં આવશે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારના પરિણામોની અપેક્ષા કોંગ્રેસ રાખી રહી હતી. એ પ્રકારનું ધાર્યુ પરિણામ નથી આવ્યુ. જેના પર બેઠકમાં મંથન કરવામાં આવશે.

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા, સાંસદ ગેનીબેન ઠાકોરનો ભાજપ પર મોટો આરોપ

ભાજપને બરાબરની ટક્કર આપી, ગેનીબેન ચૂંટણી તો જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવ્યાનો આરોપ હવે ગેનીબેન લગાવી રહ્યા છે. ગેનીબેને ભાજપ પર ચૂંટણીમાં મત તોડવાની રણનીતિ અપનાવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજ કે પછી કોંગ્રેસ ખોટું મતદાન થતું અટકાવી શક્યો નથી.

g clip-path="url(#clip0_868_265)">