India Pakistan Ceasefire : સીઝફાયર એટલે શું અને ક્યારે લાગુ થાય છે? જાણો
તમે પણ ઘણીવાર કોઈ પાડોશી દેશ પાસેથી સાંભળ્યું હશે કે સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની ઘોષણા કરવામાં આવી છે. તેની જાહેરાત સૌપ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.પરંતુ 4 કલાકમાં સીઝફાયરનું ઉલ્લંધન થયું હતુ. પણ શું તમે જાણો છો કે સીઝફાયર શું છે? ચાલો તેના વિશે જાણીએ

સીઝફાયરને સરળ ભાષામાં યુદ્ધવિરામ પણ કહેવામાં આવે છે.આ કોઈપણ યુદ્ધને કાયમી કે અસ્થાયી રૂપે રોકવાનું એક માધ્યમ છે. આ અંતર્ગત, બંને પક્ષો સરહદ પર કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી નહીં કરવાનું વચન આપે છે. તેને બંને દેશો વચ્ચે તણાવ અટકાવવા માટે એક ઔપચારિક સંધિ પણ માનવામાં આવે છે.

આ કરાર પછી પણ, જો કોઈ દેશ સરહદ પર કોઈ આક્રમક કાર્યવાહી કરે છે અથવા ગોળીબાર કરે છે, તો તેને સીઝફાયર ( યુદ્ધવિરામ)નું ઉલ્લંઘન કહેવામાં આવે છે. શાંતિ જાળવવા માટે આનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બંને દેશો પરસ્પર સંમતિથી તેનું પાલન કરે અને આ સંધિનો આદર કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આમ ન થાય તો બંને વચ્ચે તણાવ વધે છે અને યુદ્ધની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

સીઝફાયરનો અર્થ શું હોય છે?સીઝફાયરનો અર્થ થાય છે સંધર્ષ કે લડાઈનો કામચલાઉ અથવા કાયમી અંત થાય છે. જ્યારે બે દેશો અથવા પક્ષો પરસ્પર સંમતિથી ગોળીબાર અને અન્ય લશ્કરી પ્રવૃત્તિઓ બંધ કરવાનો નિર્ણય લે છે, ત્યારે તેને સીઝફાયર કહેવામાં આવે છે. આ એક પ્રકારની શાંતિ પહેલ છે જેથી વાતચીત માટે વાતાવરણ બનાવી શકાય અથવા માનવતાવાદી સહાય પૂરી પાડી શકાય.

સીઝફાયર એકપક્ષીય પણ હોઈ શકે છે, એટલે કે, એક પક્ષ યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરે છે. અથવા તે પરસ્પર સંમતિ દ્વારા પણ અમલમાં મૂકી શકાય છે, જેમાં બંને પક્ષો હુમલાઓ રોકવાનું વચન આપે છે.

સીઝફાયરનો પ્રોટોકૉલ શું હોય છે? સીઝફાયરની કોઈ એક ફોર્મૂલા હોતી નથી પરંતુ કેટલાક સામાન્ય પ્રોટોકોલ છે. બંને દેશોની સેનાઓની જેમ આગળના મોરચે આક્રમક પ્રવૃત્તિઓ બંધ કરે. નાગરિકના રહેઠાણ (જેમ કે હોસ્પિટલો, શાળાઓ, વગેરે) ને નિશાન બનાવવામાં આવતા નથી.

ખોટી માહિતી અને પ્રચાર રોકવા પર સહમતિ હોય છે, અફવાઓ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર દેખરેખ વધારવામાં આવે છે. દેખરેખની જવાબદારી ત્રીજા દેશ અથવા સંગઠન (જેમ કે યુએન અથવા યુએસ) ને આપી શકાય છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.






































































