પાલનપુરમાં અભ્યાસ કર્યો, ઈન્ટરનેશનલ ડાયમંડ કિંગથી ભાગેડુ બનેલા મેહુલ ચોક્સીનો આવો છે પરિવાર
મેહુલ ચોક્સી કેન્સરની સારવાર કરાવવાના બહાને બેલ્જિયમ પહોંચ્યો હતો અને ત્યાંથી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે પહેલાં જ તે ભારતીય એજન્સીઓના જાળમાં ફસાઈ ગયો.આજે આપણે મેહુલ ચોક્સીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

મેહુલ ચિનુભાઈ ચોક્સીનો જન્મ 5 મે 1959માં મુંબઈમાં થયો હતો. તે એક ભારતીય મૂળના ભાગેડુ અને એન્ટિગુઆ અને બાર્બુડામાં રહેતા ઉદ્યોગપતિ છે,હાલમાં ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે.

પીએનબી કૌભાંડને ભારતના બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટા નાણાકીય છેતરપિંડીના કેસોમાંનો એક માનવામાં આવે છે. આ કૌભાંડ 2018માં સામે આવ્યું હતું અને તેના મુખ્ય આરોપીઓમાં હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદીનો સમાવેશ થાય છે. પંજાબ નેશનલ બેંકે ફેબ્રુઆરી 2018માં ખુલાસો કર્યો હતો કે મુંબઈમાં તેની બ્રેડી હાઉસ શાખામાં લગભગ 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

મેહૂલ ચોક્સી બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંથી એક છે. ત્યારબાદ ભારત છોડીને ભાગી ગયા બાદ, તેને પકડવાના વર્ષોથી ચાલી પ્રયાસો કરવામાં આવતા હતા.આ કૌભાંડને કારણે પીએનબીના શેરમાં 40% થી વધુનો ઘટાડો થયો, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતુ.

મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં તેમની કથિત ભૂમિકાનો આરોપ છે, જ્યાં તેમના પર બેંક સાથે રુપિયા 13,850 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. જ્યારે, મુંબઈની એક કોર્ટે મેહુલ ચોક્સી વિરુદ્ધ બે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યા છે.

મેહુલ ચોક્સી ભારતીય ન્યાયિક અધિકારીઓ દ્વારા કથિત ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત, છેતરપિંડી અને અપ્રમાણિકતા, જેમાં મિલકતની ડિલિવરી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે, માટે વોન્ટેડ હતા. તપાસ એજન્સીઓએ મેહુલ વિરુદ્ધ અનેક કેસ નોંધ્યા છે અને હજારો કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

મેહુલ ચોક્સીનો જન્મ 5 મે 1959 ના રોજ મુંબઈમાં થયો હતો. મેહુલે ગુજરાતના પાલનપુરની જીડી મોદી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમને એક દીકરો અને બે દીકરીઓ છે.

બે દીકરીઓમાંથી એકનું નામ પ્રિયંકા ચોક્સી છે. પ્રિયંકા ચોક્સીના લગ્ન વર્ષ 2010 માં આકાશ મહેતા સાથે થયા હતા. અહેવાલો અનુસાર, આકાશ મહેતા એન્ટવર્પ સ્થિત હીરા વેપારી છે. એન્ટવર્પ બેલ્જિયમનું એક પ્રખ્યાત શહેર છે.

મેહુલ ચોક્સીએ 1975માં જેમ્સ અને જ્વેલરીનો વ્યવસાય શરૂ કર્યો હતો અને 1985માં તેમના પિતા ચિનુભાઈ ચોક્સી પાસેથી ગીતાંજલિ જેમ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું. મેહુલ ચોક્સીની એપ્રિલ 2025માં બેલ્જિયમમાં કૌભાંડના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. Credits: Getty Images

તેમના નાના ભાઈ ચેતન ચિનુભાઈ ચોક્સી એન્ટવર્પ સ્થિત ડિમિન્કો એનવી નામની હીરા કંપનીના માલિક અને સંચાલન કરતા હતા, જેણે આઈસીઆઈસીઆઈ બેંકની પેટાકંપનીને 25.8 મિલિયન યુએસ ડોલરની ચુકવણી કરવામાં ડિફોલ્ટ કર્યું હતું. Credits: Getty Images

ચોક્સીએ 1975માં રત્ન અને ઝવેરાત ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, અને 1985માં તેમના પિતા પાસેથી ગીતાંજલિ જેમ્સનું નેતૃત્વ સંભાળ્યું, જ્યારે તે ફક્ત રફ અને પોલિશ્ડ હીરા પર કેન્દ્રિત હતું. તેઓ ગીતાંજલિ ગ્રુપના માલિક છે, જેમાં ગીતાંજલિ જેમ્સનો સમાવેશ થાય છે. Credits: Getty Images

મેહુલ ચોક્સી ચિનુભાઈ ચોક્સીનો દીકરો છે. તેમનું શિક્ષણ ગુજરાતના પાલનપુરમાં આવેલી જી. ડી. મોદી કોલેજમાં થયું હતું. ચોક્સી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના મામા છે.

તે એક આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગપતિ રહીચૂક્યોછે જેમને વર્ષ 2011 માં એશિયા પેસિફિક આંત્રપ્રિન્યોરશિપ એવોર્ડ મળ્યો હતો.

મેહુલની કંપની, જે ઇટાલી, ચીન, જાપાન, હોંગકોંગ અને થાઇલેન્ડ જેવા દેશોમાં હીરા અને ઝવેરાત ઉત્પાદનોની નિકાસ કરતી હતી.

તેની પાસે અનેક બ્રાન્ડ્સ છે. ગિલી, નક્ષત્ર, અસ્મિ, માયા, દિયા, સંગિની તમામ મોટી બ્રાન્ડ આ મેહુલ ચોકસીની છે. તમે આ બ્રાન્ડ્સની જાહેરાતોમાં ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ જેવી બોલિવૂડ સેલિબ્રિટીઓને જોઈ હશે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































