AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 આદત નાની ઉંમરે આંખો પાડી શકે છે નબળી ?

આજકાલ લોકોમાં આંખ સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. બાળકો નાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી રહ્યા છે. દ્રષ્ટિ ગુમાવવાના લક્ષણોમાં થાક, બળતરા, ઝાંખી દ્રષ્ટિ જેવા અનેક કારણ છે. કેટલીક સામાન્ય રોજિંદા ભૂલો નબળી દ્રષ્ટિમાં ફાળો આપી શકે છે.

| Updated on: Aug 23, 2026 | 3:15 PM
Share
જો તમે બે લિટરથી ઓછું પાણી પીતા હોય તો આ તમારી દ્રષ્ટિ નબળી પડવાનું કારણ હોઈ શકે છે. ઓછું પાણી પીવાથી આંખોમાં ભેજ ઓછો થઈ શકે છે. આ સ્થિતિ આંખોની નબળાઈ, શુષ્કતા, લાલાશ અને ઝાંખી દ્રષ્ટિ તરફ દોરી શકે છે. (Image Source | iStock)

જો તમે બે લિટરથી ઓછું પાણી પીતા હોય તો આ તમારી દ્રષ્ટિ નબળી પડવાનું કારણ હોઈ શકે છે. ઓછું પાણી પીવાથી આંખોમાં ભેજ ઓછો થઈ શકે છે. આ સ્થિતિ આંખોની નબળાઈ, શુષ્કતા, લાલાશ અને ઝાંખી દ્રષ્ટિ તરફ દોરી શકે છે. (Image Source | iStock)

1 / 6
લાંબા સમય સુધી મોબાઇલ, લેપટોપ અથવા ટીવીની સ્ક્રીન સામે રહેતી વખતે આંખો પર સતત તાણ આવે છે. સ્ક્રીન જોતી વખતે આપણે સામાન્ય કરતાં ઓછું પલકારા મારે છે.  જેના કારણે આંખોમાં થાક વધી શકે છે. તેથી સમયાંતરે સ્ક્રીનથી નજર હટાવીને આંખોને આરામ આપવો જરૂરી હોય છે. (Image Source | iStock)

લાંબા સમય સુધી મોબાઇલ, લેપટોપ અથવા ટીવીની સ્ક્રીન સામે રહેતી વખતે આંખો પર સતત તાણ આવે છે. સ્ક્રીન જોતી વખતે આપણે સામાન્ય કરતાં ઓછું પલકારા મારે છે. જેના કારણે આંખોમાં થાક વધી શકે છે. તેથી સમયાંતરે સ્ક્રીનથી નજર હટાવીને આંખોને આરામ આપવો જરૂરી હોય છે. (Image Source | iStock)

2 / 6
આંખોને વારંવાર ઘસવાથી કોર્નિયા એટલે કે આંખની બહારની પારદર્શક સપાટી પર નુકસાન થઈ શકે છે. આવું સતત કરવાથી આંખોની દૃષ્ટિ પર પણ અસર પડી શકે છે. તેથી આંખોમાં ખંજવાળ કે બળતરા થાય તો તેને ઘસવાને બદલે યોગ્ય તબીબી સલાહ લેવી જોઈએ. (Image Source | iStock)

આંખોને વારંવાર ઘસવાથી કોર્નિયા એટલે કે આંખની બહારની પારદર્શક સપાટી પર નુકસાન થઈ શકે છે. આવું સતત કરવાથી આંખોની દૃષ્ટિ પર પણ અસર પડી શકે છે. તેથી આંખોમાં ખંજવાળ કે બળતરા થાય તો તેને ઘસવાને બદલે યોગ્ય તબીબી સલાહ લેવી જોઈએ. (Image Source | iStock)

3 / 6
નિષ્ણાતોના મતે, અંધારામાં સતત મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખોને ત્રાસ થાય છે. અંધારામાં જો મોબાઇલનો ઉપયોગ કરતા હોય તો નેત્ર પટલ પર વધારાનો તાણ આવી શકે છે. આનાથી આંખોમાં ડ્રાયનેસ જેવી સમસ્યા થાય છે. તેના કારણે આંખોમાં થાક અને અસ્વસ્થતા વધે છે. (Image Source | iStock)

નિષ્ણાતોના મતે, અંધારામાં સતત મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખોને ત્રાસ થાય છે. અંધારામાં જો મોબાઇલનો ઉપયોગ કરતા હોય તો નેત્ર પટલ પર વધારાનો તાણ આવી શકે છે. આનાથી આંખોમાં ડ્રાયનેસ જેવી સમસ્યા થાય છે. તેના કારણે આંખોમાં થાક અને અસ્વસ્થતા વધે છે. (Image Source | iStock)

4 / 6
રાત્રે પૂરતી ઊંઘ ન લેવાથી આંખોને જરૂરી આરામ મળતો નથી. સતત ઊંઘની કમીથી આંખોમાં થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત અને પૂરતી ઊંઘ આંખોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. (Image Source | iStock)

રાત્રે પૂરતી ઊંઘ ન લેવાથી આંખોને જરૂરી આરામ મળતો નથી. સતત ઊંઘની કમીથી આંખોમાં થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત અને પૂરતી ઊંઘ આંખોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Bathroom Towel : ટુવાલ કેટલા વખત વાપર્યા બાદ ધોવો જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાત !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">