Women’s health : પ્રેગ્નેન્સી દરમિયાન વર્કિંગ વુમને આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો મુશ્કેલીઓ આવી શકે છે
ગર્ભમાં રહેલા બાળકની સાથે સાથે ઘર અને ઓફિસના કામને મેનેજ કરવા અધરા હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓની જવાબદારી વધી જાય છે. તેમણે પોતાના સ્વાસ્થનું વધુ ધ્યાન રાખવું જોઈએ.

પ્રેગ્નેન્સીની જર્ની દરેક મહિલાઓ માટે એક અલગ અનુભવ લઈને આવે છે પરંતુ એક બાળકને જન્મ આપવો મહિલાઓ માટે ખુબ ખાસ પળ હોય છે. પ્રેગ્નેન્સીના 9 મહિનાની અંદર અનેક ફેરફાર જોવા મળે છે. જેમાં શારીરિક,માનસિક,હોર્મોનલ, ભાવાનાત્મક તમામ સામેલ છે.

ગર્ભમાં રહેલા બાળકની સાથે ઘર અને ઓફિસના કામને મેનેજ કરવા અઘરા હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓની જવાબદારી વધી જાય છે. તો આજે આપણે ડોક્ટર પાસેથી કેટલીક એવી ટિપ્સ વિશે વાત કરીશું કે, જેનાથી તમે પ્રેગ્નેન્સીમાં પણ સુંદર પળ એન્જોય કરી શકો.

પ્રેગ્નેન્ટ મહિલાઓ જે પણ કાંઈ ખાય છે. તેનાથી ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે, આ દરમિયાન મહિલાઓને પૌષ્ટિક આહારનું સેવન કરવાનું કહેવામાં આવે છે. પૌષ્ટિક આહારનો અર્થ એટલે તમને જરુરી તમામ પોષક તત્વો સંતુલિત માત્રામાં મળી જાય છે.

તમારે તમારા આહારમાં તાજા ફ્રુટ્સ-શાકભાજી, ડ્રાયફ્રુટ્સ, દાળ, દૂધ, દહીં વગેરે વસ્તુઓ સામેલ કરવી જોઈએ,જેનાથી પ્રોટીન,ફાઈબર, મિનરલ્સ મળી જાય છે. જે તમારા ગર્ભમાં રહેલા બાળકનું પણ પુરતું ધ્યાન રાખે છે.જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ઓફિસમાં ઘરે બનેલું શુદ્ધ અને સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ.જ્યારે કોઈ મહિલાના શરીરમાં પાણીની ઉણપ થાય છે. તો શરીરમાં સુસ્તી આવવા લાગે છે. અને તમને થાકનો અહેસાસ થશે. પ્રેગ્નેન્સીમાં મહિલાઓએ દિવસમાં અંદાજે 8 થી 10 ગ્લાસ પાણી જરુર પીવું જોઈએ. મહિલાઓએ કામ કરતી વખતે તાજા ફ્રુટ્સના જ્યુસ, નારિયલ પાણી વગેરેનું સેવન કરી શકે છે. જેનાથી તમારું પાચન પણ સારું રહેશે અને કબજીયાતની પણ સમસ્યા થશે નહી.

પ્રેગ્નેન્ટ મહિલાઓ જો આખો દિવસ બેસીને કામ કરે છે. તો તેના કમર અને પીઠમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં તમે અડધા કલાકમાં 5 મિનિટનો બ્રેક લઈ વોકિંગ કરી શકો છો. આ સાથે તમે નિયમિત નોર્મલ કસરત પણ કરી શકો છો.

પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલા જે માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહીછે, તેની અસર બાળકો પર પણ જોવા મળે છે.આનાથી પ્રેગ્નેન્ટ મહિલાઓએ ખુશ રહેવું જોઈએ અને વધારે સ્ટ્રેસ લેવો જોઈએ નહી. માનસિક રુપથી સ્વસ્થ રહેવા માટે દરરોજ કસરત અને મેડિટેશન.યોગ કરવા જોઈએ.જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે અને તમારા બાળકમાં પણ સર્વાંગી વિકાસ થશે.

પ્રેગ્નેન્સીમાં એક મહિલા દર મહિને પોતાના શરીરમાંથી અલગ અલગ પરિવર્તન મહેસુસ કરે છે.જે સામાન્ય વાત છે પરંતુ આ દરમિયાન તમારે ડોક્ટર પાસે સમયે સમયે ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ. જેનાથી તમારું બાળક અને તમે હેલ્ધી છે કે કેમ તેનો ખ્યાલ આવી શકે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































