Mumbai ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના, ગણપતિ મંડપમાં આવો અદ્ભુત શણગાર તમે નહીં જોયો હોય, જુઓ PHOTOS
હાલમાં સમગ્ર દ્દેશમાં 10 દિવસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી આ પવિત્ર પર્વની ઉજવણી કરવાં આવી રહી છે. ઠેર ઠેર વિવિધ સ્વરૂપો અને અલગ અલગ આકારના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ઘાટકોપરના આંગણે પ્રશાંત ભરત ઠક્કરને ત્યાં 37માં વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજીની નાની મૂર્તિ અને અન્ય વિષ્ણુ ભગવાનની આંગળી પર ફરતા ચક્ર પર ઉભેલા 6 હાથ વાળા ગણેશજીની મોટી મૂર્તિ બિરાજમાન છે. હરિ (વિષ્ણુ) , હાથી (ગજેન્દ્ર), મગર , ત્રિકુટ પર્વત અને સરોવર બનાવી, ભાગવત મહાપુરાણમાં વર્ણન કરેલ "ગજેન્દ્દ મોક્ષ" સ્તુતિ સૌ આવેલા ભક્તોને સમજાવી અને સંભળાવવામાં આવી રહી છે.

સતત 36 વર્ષથી ઘાટકોપર ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. દ્વારકા મંદિર, વૈષ્ણોદેવી, શિવ કૈલાશ પર્વત , શીશ મહેલ , બાપ્પા ના રિદ્ધિ સિદ્ધિ સાથે ના લગ્ન, હિંડોળા લેતા ગણપતિ, શિવ દેવ કુંડ અને વેલોર તમિલ નાડુંનું લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ જેવી અનેક ઝાંખી ઘરે બનાવવામાં આવી છે. જેના ગણેશજી બિરાજમાન છે.

37 માં વર્ષે ગણપતિમા અધભુદ અને ભવ્ય ગજેન્દ્ર મોક્ષની ઝાંખીના દર્શન કરવા લોકોની ભીડ ઉમટે છે. આયોજકનું કહેવું છે કે આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ સાંભળવાથી કે કરવાથી ભગવાન નારાયણ સર્વ પ્રકારે રક્ષા કરે છે.

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગજેન્દ્ર મોક્ષનો જાપ જીવનમાં સકારાત્મકતા લાવશે, તમને ભૌતિક દુઃખોથી મુક્ત થવામાં મદદ કરશે અને જીવનની ચિંતાઓને દૂર કરવા માટે તમને આધ્યાત્મિક શક્તિ આપશે.

ગણેશ ચતુર્થી એ વર્ષનો મોટા માં મોટો પ્રસંગ છે. ત્યારે આ આયોજક પ્રશાંત ભરત ઠક્કરનું કહેવું છે કે અમારા ઘરમાં, બાપાના આગમન થી લઇ એમની વિદાયી સુધીના દિવસો હર્ષ આનંદ અને ભજન કીર્તન થી ઉજવાય છે.