Diwali 2025 : દિવાળી પર બાળકો આ કામમાં વ્યસ્ત રહ્યા, તો ફટાકડાને હાથ પણ લગાવશે નહી
દિવાળીના દિવસે ખુબ રોશની જોવા મળે છે પરંતુ આ સાથે તમને આકાશમાં આતાશબાજી પણ જોવા મળશે. જેના કારણે પ્રદૂષણ ખુબ વધી જાય છે. બાળકોને તહેવારનું મહત્વ સમજાવી, ફટાકડાંથી દુર રાખવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. તેમજ આ સાથે દિવાળીને ખાસ બનાવી શકો છો.

એક રીતે જોઈએ તો દિવાળીએ ખુશીઓનો તહેવાર છે. દિવાળીની રૌનક ખરાબ ન થાય તે માટે જરુરી છે કે, બાળકોને ફટાકડાંથી દુર રાખો. જેનાથી તમે સુરક્ષિત રીતે દિવાળી મનાવી શકો છો. તેમજ પ્રદુષણને પણ પ્રોત્સાહન મળશે નહી.

પોલ્યુશનને જઈ કેટલાક સ્થળો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. પરંતુ બાળકો ખુબ જિદ્દ કરે છે કે, ફટાકડાં ફોડવા છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમે દિવાળી પર બાળકોને ફટાકડાંથી દુર રાખી શકો છો.તમારા બાળકો ફટાકડાં વગર દિવાળી સેલિબ્રેટ કરશે.

બાળકોને હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો ગમે છે, અને જ્યારે રંગોથી કંઈક બનાવવાની વાત આવે છે, ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ જાય છે. દિવાળી પર મોટાભાગના ઘરોમાં રંગોળી એક સામાન્ય પ્રથા છે. બાળકોને આ પ્રવૃત્તિમાં સામેલ કરો. આનાથી તેમને આનંદ મળશે અને તેઓ કંઈક સર્જનાત્મક શીખશે. વધુમાં, તેમને પૂજામાં સામેલ કરો અને દીવા પ્રગટાવો.

નાના-નાની અને દાદા-દાદીની વાર્તાઓ ધીમે ધીમે દુર થઈ રહી છે, પરંતુ દિવાળી પર, તમે તમારા બાળકોને દિવાળી સંબંધિત વાર્તાઓ કહી શકો છો, જે તેમને વ્યસ્ત રાખશે અને તહેવાર પાછળનું વાસ્તવિક કારણ સમજવામાં મદદ કરશે. ઉપરાંત, સામાન્ય વાતચીતમાં, સમજાવો કે ફટાકડા કેવી રીતે ફોડવાથી પ્રદૂષણ વધે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

તેમજ દિવાળી પર કોઈને મિઠાઈ આપવી હોય કે પછી ગિફટ આપવાની હોય તો આમાં બાળકોને સામેલ કરો.ઉદાહરણ તરીકે, ભાઈઓ અને બહેનો એકબીજા સાથે ભેટોની આપ-લે કરે. આનાથી આ દિવસ તેમના માટે યાદગાર બનશે, અને તેઓ ભવિષ્યમાં આ પ્રેમાળ સંસ્કૃતિનું પાલન કરશે.

બાળકોને પડોશીઓ, સંબંધીઓ અને તેમના મોટા અને નાના ભાઈ-બહેનો માટે રંગબેરંગી દિવાળી શુભેચ્છા કાર્ડ બનાવનું કહો. દિવાળીના દિવસે, તેમને આ કાર્ડ્સ વડે બધાને દિવાળીની શુભકામનાઓ આપવા કહો. આનાથી તેમની સર્જનાત્મકતાનો વિકાસ થશે જ, પરંતુ સામાજિક વર્તનની ભાવના પણ વધશે.

જો તમારા બાળકો આ બધી વસ્તુઓમાં કામે લાગી જશે. તો તેઓ ફટાકડાંને ચોક્કસ ભૂલી જશે. આ સાથે તેઓ પણ સમજી જશે કે, ફટાકડાં કેટલું પ્રદુષણ કરે છે. (all photo : canva)
દિવાળી અથવા દીપાવલીએ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે રંગોળી અને દીવા સાથે ઉજવવામાં આવે છે, વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
