AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હારી, અંડર 19 એશિયા કપમાં મળી કારમી હાર

મેન્સ અંડર-19 એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ પાકિસ્તાનની ટીમ સામે રમી હતી. આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. શાહઝેબ ખાન પાકિસ્તાનની જીતનો હીરો હતો. તેણે 147 બોલમાં 159 રન બનાવ્યા અને જીતનો પાયો નાખ્યો.

| Updated on: Nov 30, 2024 | 7:07 PM
Share
મેન્સ અંડર-19 એશિયા કપ 2024 UAEમાં રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન એકતરફી રીતે મેચ જીત્યું હતું. આ મેચમાં ભારતીય બોલરો કે બેટ્સમેન કંઈ જ પ્રદર્શન કરી શક્યા નહોતા, જેના કારણે ટૂર્નામેન્ટની શરૂઆત ટીમ માટે ખૂબ જ ખરાબ રહી હતી. બીજી તરફ પાકિસ્તાને રનથી મેચ જીતીને ટુર્નામેન્ટની સારી શરૂઆત કરી હતી.

મેન્સ અંડર-19 એશિયા કપ 2024 UAEમાં રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન એકતરફી રીતે મેચ જીત્યું હતું. આ મેચમાં ભારતીય બોલરો કે બેટ્સમેન કંઈ જ પ્રદર્શન કરી શક્યા નહોતા, જેના કારણે ટૂર્નામેન્ટની શરૂઆત ટીમ માટે ખૂબ જ ખરાબ રહી હતી. બીજી તરફ પાકિસ્તાને રનથી મેચ જીતીને ટુર્નામેન્ટની સારી શરૂઆત કરી હતી.

1 / 6
આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના બેટ્સમેનોએ તેને સાચો સાબિત કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઈનિંગ્સની શરૂઆત કરવા આવેલા ઉસ્માન ખાન અને શાહઝેબ ખાને શાનદાર બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 160 રન જોડ્યા હતા.

આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના બેટ્સમેનોએ તેને સાચો સાબિત કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઈનિંગ્સની શરૂઆત કરવા આવેલા ઉસ્માન ખાન અને શાહઝેબ ખાને શાનદાર બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 160 રન જોડ્યા હતા.

2 / 6
ઉસ્માન ખાને 94 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે શાહઝેબ ખાને 147 બોલમાં 159 રનની ઈનિંગ રમી હતી, જેમાં 10 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ ભારત તરફથી સમર્થ નાગરાજે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આયુષ મ્હાત્રેએ પણ 2 અને યુધાજીત ગુહા-કિરણ ચોરમલેએ એક-એક વિકેટ ઝડપી હતી.

ઉસ્માન ખાને 94 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે શાહઝેબ ખાને 147 બોલમાં 159 રનની ઈનિંગ રમી હતી, જેમાં 10 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ ભારત તરફથી સમર્થ નાગરાજે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આયુષ મ્હાત્રેએ પણ 2 અને યુધાજીત ગુહા-કિરણ ચોરમલેએ એક-એક વિકેટ ઝડપી હતી.

3 / 6
282 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. ટીમે 28 રનના સ્કોર પર આયુષ મ્હાત્રેના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. ભારતની અડધી ટીમ માત્ર 134 રન પર પેવેલિયન પરત ફરી હતી.

282 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. ટીમે 28 રનના સ્કોર પર આયુષ મ્હાત્રેના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. ભારતની અડધી ટીમ માત્ર 134 રન પર પેવેલિયન પરત ફરી હતી.

4 / 6
જોકે, નિખિલ કુમારે લડાયક ઈનિંગ રમી હતી. તેણે 77 બોલમાં 67 રન બનાવ્યા, પરંતુ ટીમ ઈન્ડિયાની જીત માટે આ પૂરતું નહોતું, કારણ કે આખી ટીમ માત્ર 47.1 ઓવર જ રમી શકી અને 237 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો. બીજી તરફ પાકિસ્તાન માટે અલી રઝાએ ઘણી સારી બોલિંગ કરી હતી. તેણે 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.

જોકે, નિખિલ કુમારે લડાયક ઈનિંગ રમી હતી. તેણે 77 બોલમાં 67 રન બનાવ્યા, પરંતુ ટીમ ઈન્ડિયાની જીત માટે આ પૂરતું નહોતું, કારણ કે આખી ટીમ માત્ર 47.1 ઓવર જ રમી શકી અને 237 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો. બીજી તરફ પાકિસ્તાન માટે અલી રઝાએ ઘણી સારી બોલિંગ કરી હતી. તેણે 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.

5 / 6
ભારત-પાકિસ્તાનના ગ્રુપમાં જાપાન અને UAEની ટીમો પણ છે. હવે 2 ડિસેમ્બરે ભારતીય ટીમ શારજાહમાં જાપાન સામે ટકરાશે અને ત્યારબાદ તે 4 ડિસેમ્બરે યુએઈની ટીમ સામે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે. આ પછી, બંને જૂથમાંથી 2-2 ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે અને ત્યારબાદ 8મી ડિસેમ્બરે ફાઈનલ મેચ રમાશે. (All Photo Credit : X / ACC / PTI )

ભારત-પાકિસ્તાનના ગ્રુપમાં જાપાન અને UAEની ટીમો પણ છે. હવે 2 ડિસેમ્બરે ભારતીય ટીમ શારજાહમાં જાપાન સામે ટકરાશે અને ત્યારબાદ તે 4 ડિસેમ્બરે યુએઈની ટીમ સામે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે. આ પછી, બંને જૂથમાંથી 2-2 ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે અને ત્યારબાદ 8મી ડિસેમ્બરે ફાઈનલ મેચ રમાશે. (All Photo Credit : X / ACC / PTI )

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">