IPL 2023: આ ખાસ જર્સીમાં જોવા મળશે લખનઉ સુપર જાયન્ટ્સ, જાણો તેની પાછળનું કારણ?
LSG એ KKRની ટક્કરના થોડા દિવસો પહેલા જર્સીનું અનાવરણ કર્યું હતું જેમાં મોહન બાગાનની જર્સીના પ્રતિકાત્મક લાલ અને લીલા રંગો દર્શાવવામાં આવ્યા હતા. જે ટીમના પોશાકમાં પરંપરા અને ઇતિહાસનો સ્પર્શ ઉમેરે છે.

સંજીવ ગોએન્કાની માલિકીની IPL ક્રિકેટ ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ કોલકાતામાં રમાનારી તેમની છેલ્લી મેચ માટે મોહન બાગાન થીમ આધારિત જર્સી પહેરશે.

ATK મોહન બાગાન હાલમાં ISL 2023ની ચેમ્પિયન છે અને આગામી સિઝનમાં AFC કપમાં પણ રમશે. સંજય ગોયકા આ ફેન્ચાઈઝીના પણ માલિક છે. ઐતિહાસિક કોલકાતા ક્લબને 1 જૂનથી મોહન બાગાન સુપરજાયન્ટ્સ તરીકે ફરીથી બ્રાન્ડેડ કરવામાં આવશે.

લખનઉ શનિવારે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સીઝનની તેમની અંતિમ આઈપીએલ મેચમાં મોહન બાગાનના પ્રતિકાત્મક રંગોમાં રમશે. લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ માટે ખાસ જર્સી પહેરીને મોહન બાગાન સુપર જાયન્ટને ટ્રિબ્યુટ આપવાનું નક્કી કર્યું છે.

LSG એ KKRની ટક્કરના થોડા દિવસો પહેલા જર્સીનું અનાવરણ કર્યું હતું .

જેમાં મોહન બાગાનની જર્સીના પ્રતિકાત્મક લાલ અને લીલા રંગો દર્શાવવામાં આવ્યા હતા. જે ટીમના પોશાકમાં પરંપરા અને ઇતિહાસનો સ્પર્શ ઉમેરે છે.