IPL 2025 : વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરશે રાજસ્થાન રોયલ્સ? રાહુલ દ્રવિડે લેવો પડશે કડક નિર્ણય
વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું અને આવતાની સાથે જ તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યારબાદ વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને IPLમાં ઈતિહાસ રચ્યો. પણ હવે તેને ટીમની બહાર કરી દેવામાં આવશે એવી ચર્ચા થઈ રહી છે.

IPL 2025 સિઝન રાજસ્થાન માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ. ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આમ છતાં, આ સિઝનમાં રાજસ્થાન માટે એક સારા સમાચાર એ છે કે 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પરનો દાવ સફળ સાબિત થયો છે. પરંતુ શાનદાર પ્રદર્શન છતાં, વૈભવને બાકીની મેચોમાં બહાર બેસવું પડી શકે છે અને તેનું કારણ એક સારા સમાચાર છે.

IPL 2025 સિઝન ફરી શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે બહુ કંઈ બાકી નથી. ટીમ પહેલાથી જ બહાર થઈ ગઈ છે પરંતુ રાજસ્થાનને તેની 13મી મેચ રમતા પહેલા સારા સમાચાર મળ્યા છે. એક અહેવાલ મુજબ, ટીમનો નિયમિત કેપ્ટન સંજુ સેમસન સંપૂર્ણપણે ફિટ છે અને છેલ્લી બે મેચ રમવા માટે તૈયાર છે.

પરંતુ આનાથી એક પ્રશ્ન ઉભો થયો છે કે શું 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવશે? શું મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આટલું કડક પગલું ભરશે?

આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે સંજુ આ સિઝનમાં ટીમ માટે ઓપનિંગ કરી રહ્યો હતો અને જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. વૈભવને ઈજા પછી જ તક મળી અને ત્રીજા મેચમાં જ તેણે 35 બોલમાં વિસ્ફોટક સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો.

વૈભવે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચમાં 155 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 209 રહ્યો છે. આવી સ્થિતિમાં, રાહુલ દ્રવિડ IPL 2025ની સૌથી મોટી શોધ છોડી દેશે તે અશક્ય લાગે છે. તેથી, એ વાત ચોક્કસ છે કે રાજસ્થાન રોયલ્સના બેટિંગ ક્રમમાં ફેરફાર થઈ શકે છે અને સંજુ સેમસન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. (All Photo Credit : PTI / X)
IPL 2025 સિઝન રાજસ્થાન માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ. ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો.
