Asia Cup 2025 : ફક્ત એક જ T20I મેચ રમનાર ખેલાડીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું
ટી20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ ટીમમાં એક એવા ખેલાડીને સ્થાન મળ્યું છે. જેની ચર્ચા થઈ રહી છે, કારણ કે, આ ખેલાડીએ માત્ર એક જ ટી20 મેચ રમી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. કેપ્ટનની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. તેમજ શુભમન ગિલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે.

એક નામથી બધાને આશ્ચર્ય થયું, તે છે હર્ષિત રાણા. યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ફક્ત 1 T20 મેચ રમી છે. આવી સ્થિતિમાં, તેને શા માટે પસંદ કરવામાં આવ્યો તે એક મોટો પ્રશ્ન છે, જેનો જવાબ ખુદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યો છે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવાની વાત પર તેનો બચાવ કર્યો છે. સૂર્યકુમાર યાદવે કહ્યું હર્ષિત રાણાએ આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે. મને લાગે છે કે,પુણેમાં રમાયેલી મેચમાં રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં આવ્યો હતો. અમને તેના કૌશલ પર ભરોસો છે અને અમે જાણીએ છીએ કે, તે સારું પ્રદર્શન કરી શકે છે.

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમના સ્ક્વોડમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આક્રમક અંદાજમાં જોવા મળશે. તેને સાથ આપવા માટે પ્લેઈંગ ઈલેવનમાં અર્શદીપ સિંહને પણ જોવા મળશે. હર્ષિત રાણાએ અત્યારસુધી માત્ર એક જ ટી20 મેચમાં કુલ 3 વિકેટ લીધી છે.

એશિયા કપ બાદ ભારતીય ટી20 વર્લ્ડકપ પહેલા આ ફોર્મેટમાં 15 વધુ મેચ રમાશે. સૂર્યકુમાર યાદવે કહ્યું ગત્ત વર્ષે ટી20 વર્લ્ડકપ બાદ આ પહેલી મોટી ટુર્નામેન્ટ છે. આ પછી ઘણી બધી T20 મેચો રમાશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ
પિતાએ દીકરાને ક્રિકેટર બનાવવા ખુબ મહેનત કરી, કામ પરથી આવી પિતા દીકરાને પ્રેક્ટિસ કરાવતા આવો છે હર્ષિત રાણાનો પરિવાર અહી ક્લિક કરો
