Cricketer’s Divorce Story : ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા આ પાંચ ભારતીય ક્રિકેટરોના ડિવોર્સ, એકને તો તેના સાથી ખેલાડીએ જ આપ્યો હતો દગો
આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત તરફથી રમી ખ્યાતિ મેળવનાર ભારતીય ખેલાડીઓએ દેશભરમાં ખૂબ જ પ્રેમ અને સન્માન મળે છે. ક્રિકેટરોને ભારતમાં સેલિબ્રિટીનું સ્ટેટસ મળે છે. આ ખેલાડીઓ તેમની રમતની સાથે મેદાન બહાર તેમના અંગત જીવનના કરને પણ હંમેશા ચર્ચામાં રહે છે, જેમાં તેમના લગ્ન જીવનમાં ભંગાણની ન્યૂઝ આવે ત્યારે ફેન્સને વધુ શોક લાગે છે. હાલમાં જ શિખર ધવનના ડિવોર્સના સમચારે ભારે ચર્ચા જગાવી છે. ભારતના પાંચ એવા ક્રિકેટરો છે જેમના છૂટાછેડા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

હૈદરાબાદના ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના બે લગ્નોથી ઘણા લોકો પરિચિત છે. તેણે પહેલા લગ્ન નૌરીન સાથે કર્યા હતા, જેનાથી તેને બે પુત્રો છે. પરંતુ તે પછી તે 1996માં અભિનેત્રી સંગીતા બિલજાની સાથે લગ્ન કરવા માંગતો હતો, તેથી તેણે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા. તેના પર 2000માં મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા.

વિનોદ કાંબલી તેની પિચ બહારની હરકતો માટે જાણીતો હતો. વિનોદ કાંબલીએ 1998 માં તેની બાળપણની મિત્ર નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા. પરંતુ તે પછી, સમસ્યાઓના કારણે, તેણે તેના છૂટાછેડા લીધા અને ભૂતપૂર્વ મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા. વિનોદે તેની સાથે લગ્ન કરવા માટે તેનો ધર્મ પણ બદલી નાખ્યો હતો. તેમણે હિંદુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.

દિનેશ કાર્તિકના છૂટાછેડાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. કાર્તિકે તેની બાળપણની મિત્ર નિકિતા વણજારા સાથે લગ્ન કર્યા છે. 2012માં, કાર્તિકને ખબર પડી કે તેની પત્નીનું મુરલી વિજય સાથે અફેર છે અને તેણે નિકિતાથી છૂટાછેડા લીધા. 2015 માં, તેણે પ્રખ્યાત સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા.

ગબ્બર શિખર ધવને 2013માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા અને તેમને ઝોરાવર નામનો પુત્ર છે. 2021 માં, તેઓએ લગ્નના આઠ વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી. આયેશાના આ બીજા લગ્ન હતા. આયેશાને તેના અગાઉના લગ્નથી બે પુત્રીઓ હતી.

ભારતના પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ યુવરાજ સિંહના પિતા છે. યોગરાજ સિંહે સતવીર કૌર સાથે લગ્ન કરવા માટે તેમની પ્રથમ પત્ની શબમનને છૂટાછેડા આપી દીધા હતા. યોગરાજ અને સાતવરને વિક્ટર નામનો પુત્ર અને અમરજીત કૌર નામની પુત્રી છે.