કોહલી 300 વનડે રમનાર સાતમો ભારતીય બન્યો, વિરાટ પહેલા કોણે મેળવી છે આ સિદ્ધિ ?
વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડ સામે 300 વનડે રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવનાર સાતમો ભારતીય ખેલાડી છે. વિરાટ પહેલા કયા 6 ભારતીય ખેલાડીઓએ ODIમાં આ મોટી સિદ્ધિ મેળવી છે? જાણો આ આર્ટિકલમાં.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડ સામે ભલે કોહલી સસ્તામાં આઉટ થયો પરંતુ મેચમાં પ્રવેશતાની સાથે જ કોહલીએ ઈતિહાસ રચી દીધો હતો. કોહલી ODIમાં 300 મેચ રમનાર સાતમો ભારતીય ખેલાડી બન્યો હતો.

કોહલીએ 300 વનડેની 288 ઈનિંગમાં 58.01ની એવરેજથી 14096 રન બનાવ્યા છે. કોહલીએ વનડેમાં સૌથી વધુ 51 સદી અને 73 અડધી સદી પણ ફટકારી છે. કોહલીએ વનડેમાં 1318 ચોગ્ગા અને 152 છગ્ગા ફટકાર્યા છે.

વિરાટ પહેલા 6 ભારતીય ખેલાડીઓએ ODIમાં 300 કે તેથી વધુ વનડે રમવાની સિદ્ધિ મેળવી છે, જેમાં સૌથી પહેલું નામ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું છે. સચિન સૌથી વધુ વનડે રમનાર અને સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર છે. સચિને કુલ 463 વનડે રમી છે, જેમાં 18426 રન બનાવ્યા છે.

સચિન બાદ સૌથી વધુ વનડે રમાનાર ભારતીય ક્રિકેટર છે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. ધોનીએ કુલ 347 વનડે રમી હતી. વનડે ફોર્મેટમાં તેણે 9 સદીની મદદથી 10599 રન બનાવ્યા હતા.

સચિન-ધોની બાદ રાહુલ દ્રવિડ ભારત માટે સૌથી વધુ વનડે રમનાર ત્રીજો ખેલાડી છે. દ્રવિડે 340 મેચોમાં 12 સદીની મદદથી 10768 રન બનાવ્યા હતા.

ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ભારત માટે તરફથી સૌથી વધુ વનડે રમનાર ચોથો ખેલાડી છે. અઝહરુદ્દીને 334 વનડે મેચોમાં સાત સદીની મદદથી 9378 રન બનાવ્યા હતા.

સૌરવ ગાંગુલી ભારત માટે સૌથી વધુ વનડે રમનાર પાંચમો ખેલાડી છે. ગાંગુલીએ 308 મેચમાં 22 સદી સહિત 11221 રન બનાવ્યા હતા.

ભારત માટે સૌથી વધુ વનડે રમનાર છઠ્ઠો ખેલાડી છે યુવરાજ સિંહ. યુવરાજે 301 મેચ રમી હતી જેમાં 14 સદીની મદદથી યુવરાજે 8609 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
