મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.
Breaking News: એમએસ ધોનીનું આ છેલ્લું IPL હોઈ શકે! પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો
IPL 2026 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને એ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ અંગેની ચર્ચાઓ ફરી જોર પકડી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના CEO દ્વારા ધોની આખી સિઝનમાં ઉપલબ્ધ રહેશે તેવી પુષ્ટિ વચ્ચે, ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ધોનીના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 9:58 pm
Breaking News: કાવ્યા મારનના પિતાની કંપનીએ CSK સામે કેસ દાખલ કર્યો, ધોનીની ટીમની આ હરકત બાદ કરી કાર્યવાહી
સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકીની કંપની સન ટીવી નેટવર્કે મદ્રાસ હાઇકોર્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. CSK ની સોશિયલ મીડિયા પોસ્ટ પર દાખલ કરાયેલા આ કેસની સુનાવણી શુક્રવારે થવાની છે. IPL 2026 શરુ થતા પહેલા જ વિવાદ શરુ થઈ ગયો છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 3:20 pm
IPL 2026 ની ઓપનિંગ મેચમાં રમશે વિરાટ કોહલી, જાણો રોહિત-ધોનીની પહેલી મેચ ક્યારે થશે?
IPL 2026 ની પ્રથમ 20 મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. સિઝનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. આ મેચમાં વિરાટ કોહલી એક્શનમાં જોવા મળશે. જ્યારે એમએસ ધોની અને રોહિત શર્મા ક્યારે પોતાની પહેલી મેચ રમશે તે બાબતે પણ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 10:41 pm
MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 5:55 pm
T20 WC Breaking : ‘તને જોઈને’… ગૌતમ ગંભીરે MS ધોનીને એવો જવાબ આપ્યો કે ચાહકોને વિશ્વાસ ના થયો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન ધોનીએ ગૌતમ ગંભીર વિશે એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેના પછી ભારતીય મુખ્ય કોચે પ્રતિક્રિયા આપી હતી. ગૌતમ ગંભીરે પોતાના જવાબમાં શું લખ્યું તે જાણો.
- Smit Chauhan
- Updated on: Mar 9, 2026
- 10:10 pm
ઈતિહાસના પાનાં પર નામ: 1983થી 2026 સુધીમાં ઇન્ડિયાએ જીત્યા 5 WC ફાઈનલ, જાણો ઇંડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનાર સ્ટાર્સ
T20 WC 2026 જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે T20 WC જીતનાર પહેલી ટીમ બની. આ જીતમાં ઘણા બધા ખેલાડીઓની મહેનત રહેલી છે. તો ચાલો જાણીએ ઇન્ડિયાને T20 અને ODI WC ફાઇનલમાં જીત અપાવનાર 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' અને 'પ્લેયર ઓફ ધ મેચ'.
- Dhruv Barot
- Updated on: Mar 9, 2026
- 3:11 pm
Breaking News: 19 મહિના બાદ સોશિયલ મીડિયા પર પરત ફર્યા MS Dhoni, ‘Coach Sahab…’ ગૌતમ ગંભીર માટે લખ્યો આ ખાસ સંદેશ
T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે ટીમ ઈન્ડિયા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા, જેના કારણે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
- Nishat
- Updated on: Mar 9, 2026
- 9:06 am
T20 WC Breaking : અમદાવાદમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી, ‘થાલા-થાલા’ના નાદથી ગુંજશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલને હવે થોડા જ કલાકો બાકી છે અને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થનારી આ ટક્કર પહેલા મહેન્દ્ર સિંહ ધોની શહેરમાં પહોંચતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં ‘થાલા-થાલા’ના નાદ સાથેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 3:49 pm
Breaking News : રાંચીમાં સ્પીડમાં કાર ચલાવવું એમએસ ધોનીને પડ્યું ભારે, ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ
રાંચીમાં ટ્રાફિક પોલીસે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કારને વધુ ઝડપે ચલાવવા બદલ દંડ ફટકાર્યો છે. કાંકે રિંગ રોડ પર લાગેલા કેમેરા દ્વારા જાણવા મળ્યું છે કે તેની મર્સિડીઝ કાર 91 કિમી/કલાકની ઝડપે ચાલી રહી હતી, જે 60 કિમી/કલાકની ગતિ મર્યાદા કરતા વધુ હતી.
- Smit Chauhan
- Updated on: Mar 4, 2026
- 4:22 pm
Breaking News : IPL 2026 પહેલા CSKની નવી જર્સી લોન્ચ થઈ, ફ્રેન્ચાઇઝીએ વીડિયો શેર કર્યો
CSK New Jersey 2026 : આઈપીએલ 2026 પહેલા પાંચ વખતની ટ્રોફી પોતાને નામ કરનારી સીએસકે છઠ્ઠી ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. આ પહેલા ફેન્ચાઈઝીએ જર્સી લોન્ચ કરી છે. જેનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 1, 2026
- 1:31 pm
Breaking News: જમીન દુરુપયોગ કેસમાં મહેન્દ્ર સિંહ ધોનીને મળી નોટિસ, 15 દિવસમાં માંગ્યો જવાબ, જાણો શું છે આરોપ
ઝારખંડ હાઉસિંગ બોર્ડે હાર્મુ વિસ્તારમાં ફાળવાયેલા રહેણાંક પ્લોટના વાણિજ્યિક ઉપયોગ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવી છે. બોર્ડે 15 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે. આ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે અને જમીન ફાળવણીના નિયમો ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Feb 27, 2026
- 7:06 pm
Breaking News: મહેન્દ્ર સિંહ ધોનીને ફટકો, હાઈકોર્ટે 10 લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો; આખરે શું છે સમગ્ર મામલો?
ક્રિકેટર એમ.એસ. ધોનીને મોટો ફટકો પડ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે ધોનીને જણાવ્યું છે કે, એક સીડી (CD) માં રહેલા પુરાવાઓને ટ્રાન્સક્રાઇબ (લખાણમાં ફેરવવા) કરવાનો ખર્ચ તેમણે પોતે ભોગવવો પડશે, જે ખર્ચ આશરે 10 લાખ રૂપિયા છે.
- Ravi Prajapati
- Updated on: Feb 13, 2026
- 11:16 am
Breaking News : મદ્રાસ હાઈકોર્ટે MS ધોનીને10 લાખ રૂપિયા જમા કરાવવાનો આપ્યો આદેશ, જાણો શું છે મામલો
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 2013 ના IPL મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી કૌભાંડના સંદર્ભમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જે કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. ધોનીને હવે એક ચોક્કસ કારણસર 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 12, 2026
- 5:56 pm
Prashant Veer IPL Auction 2026: કોણ છે આ પ્રશાંત વીર? જેને IPL હરાજીમાં મળ્યા ₹14.2 કરોડ, ધોનીએ પૂરું કર્યું યુવાનનું સપનું
ઉત્તર પ્રદેશના ઓલરાઉન્ડર પ્રશાંત વીરે પર IPL હરાજીમાં મોટી રકમનો વરસાદ થયો છે. તે લીગનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો.
- Manish Gangani
- Updated on: Dec 16, 2025
- 8:02 pm
સચિન, વિરાટ, ધોની સહિત ભારતના સાત સૌથી અમીર ક્રિકેટરોની કુલ કમાણી કરતા પણ વધુ છે લિયોનેલ મેસ્સીની નેટવર્થ
ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીની દુનિયાના સૌથી સફળ અને સૌથી અમીર ખેલાડીઓમાં એક છે. તેની કમાણી પણ કરોડોમાં છે. જો તેની કુલ નેટવર્થની વાત કરવામાં આવે તો તે સચિન, વિરાટ, ધોની સહિત ભારતના સાત સૌથી અમીર સ્ટાર્સ ક્રિકેટરોની કુલ કમાણી કરતા પણ વધુ છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 4:17 pm