
મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.
ધોનીનું એક્ટિંગ ડેબ્યૂ ? લાંબા વાળ, હાથમાં રેડ બલૂન અને ડાયલોગબાજી, ધોનીનો લવરબોય અવતાર કરણ જોહરે કર્યો શેર
કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં મહેન્દ્ર સિંહ ધોની એક ખાસ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ધોનીનો લવર લુક જોઈ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું માહી ટૂંક સમયમાં અભિનયમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે?
- Smit Chauhan
- Updated on: Apr 15, 2025
- 6:02 pm
15 સેકન્ડમાં યુવા ખેલાડીએ એમએસ ધોનીને મોટી ભૂલ કરતા રોક્યો, CSKને થયો મોટો ફાયદો
IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની DRS લેવામાં મોટી ભૂલ કરી રહ્યો હતો. જો કે યુવા ખેલાડીએ ધોનીને માત્ર 15 સેકન્ડમાં વિશ્વાસમાં લીધો હતો અને CSKને મોટો ફાયદો થયો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2025
- 10:41 pm
CSK vs LSG: પહેલી વાર.. પણ ધોનીને મળી છેલ્લી વોર્નિંગ, જાણો કારણ
IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન, CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અમ્પાયરે ચેતવણી આપી હતી. પણ ચાલો તમને જણાવીએ કે અમ્પાયરે આવું કેમ કર્યું.
- Sagar Solanki
- Updated on: Apr 14, 2025
- 9:55 pm
LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક એવો નિર્ણય લીધો જેણે બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચેન્નાઈએ તેના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી સ્પિનર આર.અશ્વિનને પ્લેઈંગ 11 માંથી પડતો મૂક્યો હતો. ધોનીએ તેના ચહિતા અશ્વિનને બહાર કરી તેની જગ્યાએ યુવા ખેલાડીને ટીમમાં તક આપી હતી.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2025
- 8:32 pm
IPL 2025 : ‘શેર બુઢા હો ગયા !’ ધોની કેપ્ટન બનતાની સાથે જ તેના નામે જોડાયો શરમજનક રેકોર્ડ, મળી અત્યાર સુધીની મોટી હાર
ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તેના હોમ ગ્રાઉન્ડમાં પડી ભાંગી. CSKના બેટ્સમેન KKRના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ધોનીની કેપ્ટનશીપ પણ ટીમમાં કોઈ ઉત્સાહ જગાડી શકી નહીં. ટીમે તેના હોમ ગ્રાઉન્ડમાં એક નવો શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો.
- Sagar Solanki
- Updated on: Apr 12, 2025
- 5:00 pm
CSK vs KKR : એમએસ ધોની સાથે થઈ ‘ચીટિંગ’ ? થર્ડ અમ્પાયરના આઉટ આપવાના નિર્ણય પર મચી ગયો હોબાળો
ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ એમએસ ધોનીને ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળવી પડી. પરંતુ પહેલી જ મેચમાં ધોની તેની ટીમની બેટિંગમાં પ્રાણ ફૂંકવામાં નિષ્ફળ ગયો. જોકે, ધોનીને આઉટ આપવાના નિર્ણય પર ચોક્કસપણે વિવાદ થયો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 11, 2025
- 10:14 pm
CSK vs KKR : એમએસ ધોની ટોસ હાર્યા બાદ પણ ખુશ હતો, ‘થાલા’ની મનની ઈચ્છા થઈ પૂરી !
લગભગ દોઢ વર્ષ પછી એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પાછો ફર્યો છે. કોણીની ઈજાને કારણે ઋતુરાજ ગાયકવાડ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, જેના કારણે ધોનીને ફરીથી કેપ્ટનશીપ સંભાળવી પડી હતી. જોકે, તે ટોસમાં હારી ગયો હતો છતાં તેના ચહેરા પર સ્માઈલ હતી, જાણો કેમ.
- Smit Chauhan
- Updated on: Apr 11, 2025
- 8:51 pm
CSK vs KKR: ધોનીએ કેપ્ટન બનતાની સાથે જ રમ્યો મોટો દાવ… કોથળામાંથી કાઢ્યો ખતરનાક બોલર ! એક ઇનિંગમાં લીધી 10 વિકેટ
CSK vs KKR: ચેપોકમાં ફરી એકવાર એમએસ ધોની માટે ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ધોની બે વર્ષ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેપ્ટન તરીકે રમી રહ્યો છે. કેપ્ટન બનતાની સાથે જ તેણે મોટો જુગાર રમ્યો; છેલ્લા 5 મેચોથી બેન્ચ પર ગરમાવો જમાવનાર 3.4 કરોડ રૂપિયાના ખેલાડીનું નસીબ અચાનક ચમકી ગયું છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2025
- 8:23 pm
CSK vs KKR : MS ધોની પર એક કે બે મેચનો પ્રતિબંધ લગાવવો જોઈએ… વીરેન્દ્ર સેહવાગે CSK કેપ્ટન પર કેમ સવાલ ઉઠાવ્યા?
મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે. CSK ચાહકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ધોનીની ટીકા કરતો જોવા મળી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 11, 2025
- 7:32 pm
IPL 2025 : આખી સીઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે. જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે અને 4માં હાર મળી છે. હવે સીઝન વચ્ચે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ બહાર થઈ ગયો છે.
- Nirupa Duva
- Updated on: Apr 11, 2025
- 11:52 am
Breaking News : એમએસ ધોની ફરી બન્યો ચેન્નાઈનો કેપ્ટન, IPL 2025ની આખી સિઝન સંભાળશે CSKની કમાન
2023 સિઝન પછી એમએસ ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દીધી. ગયા સિઝનમાં તેણે ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી હતી. ટીમે ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2023માં છેલ્લો ખિતાબ જીત્યો હતો. હવે ફરી 'કેપ્ટન કૂલ' મહેન્દ્ર સિંહ ધોની ફરી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 10, 2025
- 6:47 pm
VIDEO : નવજોત સિંહ સિદ્ધુએ એમએસ ધોનીને કાચિંડો કહ્યો ? અંબાતી રાયડુ પર કર્યો વળતો પ્રહાર
પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ 8 એપ્રિલના રોજ રમાઈ હતી. આ મેચ દરમિયાન કોમેન્ટ્રી તેની હદ સુધી પહોંચી ગઈ જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અને અંબાતી રાયડુ વચ્ચે દોષારોપણનો ખેલ જોવા મળ્યો. નવજોત સિંહ સિદ્ધુએ અંબાતી રાયડુના આઈડલ એમએસ ધોનીને કાચિંડો કહ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 9, 2025
- 6:30 pm
ધોનીએ બાળપણની એક રમુજી વાત શેર કરી, કહ્યું પિતાથી સૌથી વધુ ડરતો હતો
એમએસ ધોનીએ એક પોડકાસ્ટમાં પોતાના બાળપણની વાતો શેર કરી હતી. તેમણે કહ્યું કે,તે તેના પિતાથી કેમ ડરતો હતો. સાથે તેમણે પોતાના પિતા વિશે અદ્દભૂત વાતો પણ શેર કરી હતી.
- Nirupa Duva
- Updated on: Apr 8, 2025
- 11:34 am
IPL 2025 : ધોની આઉટ થતા જ વાયરલ થયેલી છોકરી બ્રાન્ડ્સની ફેવરિટ બની, સ્વિગી-યસ મેડમે કરી જાહેરાતની ઓફર
IPL મેચ દરમિયાન કેમેરાએ એક એવી ક્ષણ કેદ કરી જેણે એક સામાન્ય છોકરીને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી. ઈમોશનલ એક્સપ્રેશન અને ધોનીના નામથી ગુવાહાટીની આ છોકરી રાતોરાત ફેમસ થઈ ગઈ. અને હવે તે મોટી-મોટી બ્રાન્ડ્સની પણ ફેવરિટ બની ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 7, 2025
- 7:57 pm
MS Dhoni : ‘હું આ નિર્ણય નથી લઈ રહ્યો’… MS ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર તોડ્યું મૌન
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ માટે એમએસ ધોનીના માતા-પિતા ચેન્નાઈ પહોંચ્યા પછી, દરેક ચાહકને ડર લાગવા લાગ્યો કે કદાચ આ ધોનીની છેલ્લી મેચ હશે. જોકે આવું થયું નહીં અને ધોનીએ આ અંગે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ હવે નિવૃત્તિ અંગેનું તેમનું નિવેદન બહાર આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Apr 6, 2025
- 7:01 pm