AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.

Read More
Follow On:

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ

આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં એમએસ ધોની રમશે કે નહીં તે અંગે થોડી અનિશ્ચિતતા છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ધોની બે અઠવાડિયા માટે નહીં રમે એવું CSK દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે પંજાબ સામેની મેચ પહેલા ધોની પ્રેક્ટિસ સેશનમાં દેખાતા તેના રમવા અંગે અચાનક ચર્ચા શરુ થઈ છે.

Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?

ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

IPL Controversy: ‘કેપ્ટન કૂલ’ ધોનીને આવ્યો ગુસ્સો! મેદાનમાં આવી અમ્પાયર સાથે કર્યો વાદ-વિવાદ, તે ઘટનાએ બધાને ચોંકાવ્યા, જુઓ Video

MS Dhoni Angry Moment in IPL : ભારતીય ક્રિકેટના સૌથી શાંત અને સમજદાર કેપ્ટન તરીકે ઓળખાતા MS Dhoniને સામાન્ય રીતે ‘Captain Cool’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક એવી ઘટના પણ બની હતી, જ્યારે ધોની પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા અને સીધા મેદાનમાં આવી અંપાયર સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા હતા.

Breaking News: પત્તાના મહેલની જેમ ઢેર થયો CSK નો ટોપ ઓર્ડર, RR vs CSK મેચમાં ધોની વિના ઢીલા પડ્યા ચેન્નાઈના ધુરંધર

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ યુનિટ સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે જેવા બેટ્સમેનોથી સજ્જ હતી પરંતુ રાજસ્થાનના બોલરોએ આ ટોપ ઓર્ડરને પત્તાના મહેલની જેમ વિખેરી નાખ્યો. ધોનીની ગેરહાજરીમાં CSKની બેટિંગ રણનીતિ સુપર ફ્લોપ સાબિત થઈ છે.

IPL 2026: CSK પર ઇજાનું ગ્રહણ ધોની, બ્રેવિસ અને એલિસ બહાર, યુવા ખેલાડીઓના ખભા પર મોટી જવાબદારી !

ચેન્નાઈ સુપર કિંગ્સના ઈતિહાસમાં એક યુગનો અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર, મેદાન પર 'થાલા' ના માર્ગદર્શન વગર CSK ની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. એમ.એસ. ધોનીની પિંડણની ઈજાએ માત્ર ટીમને જ નહીં, પણ લાખો ચાહકોને આંચકો આપ્યો છે. હવે સવાલ એ છે કે, શું રુતુરાજ ગાયકવાડ ધોનીની છત્રછાયા વગર આ 'અગ્નિપરીક્ષા' પાર કરી શકશે ?

Breaking News: RR vs CSK મેચમાંથી 3 ખેલાડીઓ બહાર, IPL ઈતિહાસમાં પહેલીવાર આવું થશે

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ત્રણ ખેલાડીઓ નહીં રમે. તેમની ગેરહાજરી પાછળના કારણો પહેલાથી જ જાહેર થઈ ગયા છે. આ સિવાય IPL ઈતિહાસમાં પહેલીવાર CSK ત્રણ દિગ્ગજ ખેલાડીઓ વિના રમશે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

RR vs CSK: નવી જર્સીમાં જૂની ટીમ સામે સંજુ-જાડેજાનો થશે ભાવનાત્મક મુકાબલો, મેદાન પર થશે લાગણીઓનો જંગ

આજનો IPL મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો માત્ર એક સામાન્ય મેચ નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સંજુ સેમસન માટે તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ રવિન્દ્ર જાડેજા માટે ભાવનાત્મક રહેશે. કારણ કે આ બને ખેલાડીઓ આજે પોતાની જૂની ટીમો વિરુદ્ધ મેચ રમશે. આ ઉપરાંત મેદાન પર રમત સાથે લાગણીનો પણ આ મુકાબલો જોવા મળશે.

Breaking News : IPL 2026 માં ધોનીના ચાહકોને મોટો ઝટકો, ફક્ત ત્રણ મેચ નહીં પરંતુ આટલી બધી મેચો માટે બહાર રહેશે થાલા..

IPL 2026 પહેલાં CSKને મોટો ઝટકો: MS ધોની પગની ઈજાને કારણે શરૂઆતની મેચોમાંથી બહાર. તે ત્રણ અઠવાડિયા અથવા છ મેચ સુધી ગેરહાજર રહી શકે છે, જે ટીમ માટે મોટી ચિંતા છે.

Breaking News: એમએસ ધોનીની ઈજાએ ઇતિહાસ બદલી નાખ્યો, 253 મેચ પછી પહેલીવાર આવી મેચ રમાશે

2008 માં IPLની શરૂઆત થઈ ત્યારથી પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે 16 સિઝનમાં ભાગ લીધો છે અને 253 મેચ રમી છે. આ મેચો દરમિયાન એક સિલસિલો સ્થાપિત થયો છે, જે હવે IPL 2026માં તૂટી જવાની તૈયારીમાં છે.

Breaking News: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 44 વર્ષના ધોની અને CSK ને ફરી હરાવવાનો ફેંક્યો પડકાર

રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે IPL 2026 ની મેચ 30 માર્ચે યોજાવાની છે. રાજસ્થાનના વૈભવ સૂર્યવંશીએ તે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવવાનો ખુલ્લો પડકાર આપ્યો છે. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 44 વર્ષના એમએસ ધોનીની ટીમને આ રીતે પડકાર ફેંકી મેચનો રોમાંચ વધારી દીધો છે.

Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?

CSK એ ચેપોક સ્ટેડિયમ ખાતે ચાહકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં આખી ટીમ હાજર રહી હતી, સાથે-સાથે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. જેઓ વર્ષોથી CSK ટીમનો ભાગ રહેલો અને ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી ઈવેન્ટમાં જોવા મળ્યો નહીં.

Breaking News : ધોની IPLની આગામી સીઝન રમશે કે નહીં ? રિટાયરમેન્ટ પર ‘માહી’એ જાતે જ આપી દીધો જવાબ

રવિવારે, ચેન્નાઈ સુપર કિંગ્સે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન CSK દિગ્ગજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ધોનીએ ખુલ્લેઆમ તેની નિવૃત્તિ યોજનાઓની ચર્ચા કરી હતી.

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા કઈ ટીમે ફટકાર્યા છે? ટોપ-3 માં ચેમ્પિયન ટીમોનો દબદબો

IPLના ઈતિહાસમાં અનેક બેટ્સમેનોએ ફેન્સને સિક્સરોના વરસાદથી મંત્રમુગ્ધ કર્યા છે. IPL 2026 પહેલા સામે આવેલા આંકડાઓ બતાવે છે કે કઈ ટીમે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. જાણો IPLના ઇતિહાસમાં કઈ ટીમે સૌથી વધુ સિક્સર ફટકારી છે.

Breaking News: યુવાઓ વચ્ચે સિનિયર્સનો દબદબો, આ છે IPL 2026 ના પાંચ સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ

IPL 2026 માં યુવા ખેલાડીઓની સાથે અનુભવી ખેલાડીઓ પર પણ બધાનું ધ્યાન રહેશે. આ સિઝનમાં કેટલાક સિનિયર ક્રિકેટરો એ સાબિત કરી રહ્યા છે કે ઉંમર માત્ર એક આંકડો છે. તેમની રમત, અનુભવ અને દબાણમાં પ્રદર્શન કરવાની ક્ષમતા ટીમ માટે આજે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">