મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.
Breaking News: શ્રેયસ અય્યર નહીં… સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટનનું નામ જાણીને ચોંકી જશો
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ જ્યારથી તેણે ટીમ ઈન્ડિયાની T20 ટીમની કમાન સંભાળી છે, ત્યારથી તે ચાહકોના નિશાના પર છે, કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ બધા વચ્ચે શ્રેયસની બહેનના વિરાટ અને રોહિતની કપ્તાનીમાં હાર અંગેના નિવેદનથી ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટન કોણ છે.
- Smit Chauhan
- Updated on: Jul 9, 2026
- 7:34 pm
IND vs ENG: ધોનીએ પોતાના જન્મદિવસ પર ફેન્સને આપ્યું સૌથી મોટું સરપ્રાઈઝ, અચાનક પહોંચ્યો ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન એક ખાસ નજારો જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંનો એક મહેન્દ્ર સિંહ ધોની અચાનક નોટિંગહામના ઐતિહાસિક ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યો હતો. ખાસ વાત એ હતી ધોનીએ પોતાના જન્મદિવસે ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમ પહોંચી ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી હતી.
- Smit Chauhan
- Updated on: Jul 8, 2026
- 5:28 pm
MS Dhoni Farmhouse : લક્ઝરી ઘર કરતા પણ વધારે સમય ફાર્મહાઉસમાં પસાર કરે છે ધોની, જુઓ Video
આજે 7 જુલાઈના રોજ ધોનીનો 45મો જન્મદિવસ છે. જે તેના ચાહકો માટે મોટો દિવસ છે.એમએસ ધોની ભારતનો પૂર્વ વિકેટકીપર અને બેટ્સમેન છે. જેને દુનિયાનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મહાઉસ વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Jul 7, 2026
- 1:12 pm
MS Dhoni Birthday : 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે ધોની, એક નજર તેના 5 રેકોર્ડ પર જે તોડવા સરળ નથી
એમએસ ધોની આજે પોતાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તે ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેમણે પોતાની કેપ્ટનશીપમાં અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા સરળ નથી. તો જુઓ ધોનીના 5 મોટા રેકોર્ડ
- Nirupa Duva
- Updated on: Jul 7, 2026
- 10:33 am
MS Dhoni Birthday: ફોન કેમ નથી ઉપાડતા ‘માહી’? 15 હજાર ફૂટથી શા માટે લગાવી હતી છલાંગ? જાણો તેમની જિંદગીના 7 રસપ્રદ કિસ્સા
ક્રિકેટના મેદાન પર કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીનું મેદાન બહારનું જીવન પણ એટલું જ રસપ્રદ છે. જાણો તેમના જીવન સાથે જોડાયેલી 7 એવી વાતો જે બહુ ઓછા લોકો જાણે છે.
- Nishat
- Updated on: Jul 7, 2026
- 8:55 am
ENG vs IND: અભિષેક શર્મા પાસે ધોની-રૈનાને પાછળ છોડવાની તક, ફક્ત આટલા રનની જરૂર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં બધાની નજર અભિષેક શર્મા પર રહેશે. પ્રથમ મેચમાં તોફાની અડધી સદી ફટકારનાર આ ડાબોડી બેટ્સમેન પાસે હવે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં મોટો ઉછાળો મારવાની તક છે. એક જ ઈનિંગમાં તે સુરેશ રૈના અને એમએસ ધોનીના રેકોર્ડ પાછળ છોડી શકે છે.
- Smit Chauhan
- Updated on: Jul 3, 2026
- 9:36 pm
Shreyas Iyer : શ્રેયસ અય્યર પહેલાં આ 14 ખેલાડીઓ બની ચૂક્યા છે ભારતના T20 કેપ્ટન !
શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનશે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે ભારતે T20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો, ત્યારે ટીમની કમાન સૂર્યકુમાર યાદવ પાસે હતી. પરંતુ કોઈને આશા નહોતી કે સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટન્સી જ નહીં પરંતુ તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. ભારતીય ટીમનો પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ હતા. તેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને તે મેચમાં જીત પણ મેળવી હતી.
- Dhruval Shah
- Updated on: Jun 26, 2026
- 2:46 pm
Breaking News: રોહિત શર્મા પહેલા આ ભારતીય ક્રિકેટરોને મળી ચૂક્યો છે પદ્મશ્રી એવોર્ડ, ક્રિકેટના ભગવાન ભારત રત્નથી સન્માનિત
ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર રોહિત શર્માને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેઓ દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન મેળવનારા ક્રિકેટરોની વિશિષ્ટ યાદીમાં સામેલ થયા છે. જોકે, રોહિત પહેલા પણ અનેક પુરુષ અને મહિલા ક્રિકેટરોને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન જેવા સન્માન મળી ચૂક્યા છે.
- Smit Chauhan
- Updated on: Jun 24, 2026
- 9:48 pm
IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?
આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.
- Dhruval Shah
- Updated on: May 31, 2026
- 11:13 am
Breaking News: IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ, જાણો કોણ છે નંબર-1
IPLમાં લીગ સ્ટેજ દરમિયાન ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે છે, પરંતુ પ્લેઓફમાં દબાણ વચ્ચે સતત સારું પ્રદર્શન કરવું દરેકના બસની વાત નથી. નોકઆઉટ મેચ માં જ સાચા મેચ વિનર્સ સામે આવે છે. IPL ઈતિહાસમાં કેટલાક બેટ્સમેનોએ પ્લેઓફમાં પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી છે અને ખાસ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે. આ યાદીમાં CSK અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળે છે.
- Smit Chauhan
- Updated on: May 26, 2026
- 6:13 pm
Breaking News: જો લખનૌ સામે પંજાબ હાર્યું, તો શ્રેયસ અય્યર MS ધોનીની બરાબરી કરવાની ગોલ્ડન તક ગુમાવશે
પંજાબ કિંગ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2026 ની છેલ્લી મેચ રમશે. પંજાબ કિંગ્સ પાસે 13 મેચમાંથી ફક્ત 13 પોઈન્ટ છે અને આ મેચ તેમના માટે કોઈપણ કિંમતે જીતવી જરૂરી છે. જોકે, જીત પણ તેમનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરશે નહીં. પણ જો તેઓ હારી જશે તો પ્લેઓફમાંથી તો બહાર થશે જ, પણ ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર એક મોટી સિદ્ધિ હાંસલ કરવાથી અને ધોનીની બરાબરી કરવાથી રહી જશે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 5:33 pm
Breaking News : IPL માં 18 વર્ષ જૂની પરંપરા તૂટી, ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
IPL 2026, GT vs CSK: IPL 2026 ની 66 મી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાયો. આ મેચમાં 18 વર્ષ જૂની IPL પરંપરા તૂટી હતી.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 6:07 pm
Breaking News: MS ધોની અને CSK વચ્ચેના સંબંધોમાં તિરાડ! IPLમાં નવી ટીમ માટે રમશે? ચોંકાવનારો દાવો
એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ અંગે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ધોની વર્તમાન સિઝન પછી ફ્રેન્ચાઈઝી છોડી દેશે. MS ધોની અને CSK વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી હોવાનો પણ દાવો.
- Smit Chauhan
- Updated on: May 20, 2026
- 10:18 pm
Breaking News: MS ધોની અમદાવાદમાં ટીમ સાથે જોવા નહીં મળે, ગુજરાત સામેની મેચના એક દિવસ પહેલા ઘરે પરત ફર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 ની પોતાની છેલ્લી લીગ મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ મેચ પહેલા ધોનીના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ધોની મેચના એક દિવસ પગેલા ઘરે પરત ફર્યો છે અને તે અમદાવાદમાં નહીં રમે.
- Smit Chauhan
- Updated on: May 20, 2026
- 6:52 pm
Breaking News: ધોની સામે ઈશાન કિશને CSK ફેન્સની ઉડાવી મજાક, સીટી વગાડી-ઘરે જવાનો ઈશારો કર્યો, વીડિયો વાયરલ
ધોનીની સામે ઈશાન કિશને CSK ચાહકો સાથે જે કર્યું તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ઈશાને સીટી વગાડીને CSK ચાહકોને ચીડવવાનો પ્રયાસ કર્યો. ચાલો જાણીએ તેણે બીજું શું કર્યું.
- Smit Chauhan
- Updated on: May 19, 2026
- 4:02 pm