મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.
Breaking News: દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોઈ ખેલાડી?
ક્રિકેટમાં “ફિનિશર” એ એવો ખેલાડી છે જે મેચની સૌથી તણાવભરી સ્થિતિમાં પણ શાંતિથી ટીમને જીત સુધી લઈ જાય.દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોણ ખેલાડી? — આ સવાલ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. ચાલો જાણી કોણ છે વિશ્વના ટોચના 10 શ્રેષ્ઠ ફિનિશર.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 9:54 pm
Breaking News: MS ધોની 16 એપ્રિલે લેશે મોટો નિર્ણય, IPL 2026માં રમવા અંગે સસ્પેન્સ થશે ખતમ
ધોની હાલમાં ઈજાથી પરેશાન છે. આ કારણે તે IPL 2026 માં હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં તેની વાપસીના અહેવાલો આવ્યા હતા, પરંતુ તેવું બન્યું નહીં. હવે શું ધોની હૈદરાબાદ સામે આગામી મેચમાં રમશે આ મોટો સવાલ છે? અને અહેવાલો અનુસાર આ અંગે ધોની 16 એપ્રિલે મોટો નિર્ણય લેશે.
- Smit Chauhan
- Updated on: Apr 15, 2026
- 3:40 pm
Breaking News: CSK ફેન્સ ફરી થયા નિરાશ, ધોનીનું નહીં થયું કમબેક, ભારતનો નંબર-1 બોલર KKRમાં પાછો ફર્યો
ધોનીને મેદાનમાં રમતા જોવાની ફેન્સની ઈચ્છા CSK vs KKR ની મેચમાં પણ પૂરી નથી થઈ. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં રમી રહ્યો નથી. ઈજાને કારણે તે આ સિઝનમાં હજી સુધી એક પણ મેચ રમ્યો નથી. જ્યારે ભારતનો નંબર 1 બોલર KKRમાં પાછો ફર્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 8:20 pm
Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 22 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 8:21 pm
IPL 2026: શું ધોની પછી રોહિત અને વિરાટ પણ થશે બહાર? ઈજા અંગે એક મોટી અપડેટ સામે આવી
Virat-Rohit injury update: વિરાટ કોહલી અને રોહિત શર્માની ઇજાઓ હવે કેવી છે? શું તેઓ પણ ધોનીની જેમ આગામી કેટલીક મેચોમાંથી બહાર થઈ જશે? RCBના કેપ્ટન રજત પાટીદારે વિરાટ કોહલી વિશે શું કહ્યું? ચાલો જોઈએ.
- Meera Kansagara
- Updated on: Apr 13, 2026
- 8:25 am
Breaking News : MS ધોનીની IPL 2026માં વાપસીની તારીખ નક્કી ! જાણો કઈ ટીમ સામે રમશે પહેલી મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો આઈકોન અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરશે. જોકે ધોની કઈ મેચમાં કમબેક કરશે, તે હજુ સ્પષ્ટ નથી. પણ શું તે દિલ્હી સામે અગામી મેચમાં રમશે? આ મોટો પ્રશ્ન છે.
- Smit Chauhan
- Updated on: Apr 10, 2026
- 6:23 pm
Breaking News: MS ધોનીના કમબેક અંગે આવ્યા ખરાબ સમાચાર, CSK ફેન્સને મોટો ઝટકો
IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમનો સૌથી અનુભવી ખેલાડી MS ધોનીની ઈજાને કારણે એક પણ મેચ રમી શક્યો નથી. હવે તેની વાપસી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
- Smit Chauhan
- Updated on: Apr 8, 2026
- 5:30 pm
Breaking News: સતત ત્રણ હાર બાદ CSK ને વધુ એક મોટો ઝટકો, ધોની-બ્રેવિસ બાદ આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ
IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ટીમના બે મુખ્ય ખેલાડીઓ ધોની અને બ્રેવિસ પહેલાથી જ ઈજાગ્રસ્ત છે. વધુમાં ટીમને પહેલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થતા CSKની મુશ્કેલીઓ વધી ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 7, 2026
- 8:13 pm
Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે?
IPLમાં વિકેટકીપર બેટ્સમેનોએ હંમેશા ટીમ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તાજેતરમાં રિષભ પંતે SRH સામે 68 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવી. આ સાથે IPLમાં સૌથી વધુ 50+ રન બનાવનાર વિકેટકીપર તરીકે પંતે દિનેશ કાર્તિકની બરાબરી કરી હતી. જાણો IPL ઈતિહાસમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ટોપ 5 વિકેટકીપર કોણ છે.
- Smit Chauhan
- Updated on: Apr 6, 2026
- 6:31 pm
ક્યાંક ધોનીને આવવામાં મોડુ ન થઈ જાય… IPL 2026માં પ્લેઓફમાંથી પણ બહાર થઈ શકે છે CSK, પોઈન્ટ ટેબલમાં કંગાળ હાલત
CSK ની ટીમને IPL 2026માં સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં હવે તેમના ઉપર પ્લેઓફ માંથી બહાર થવાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે.
- Mina Pandya
- Updated on: Apr 6, 2026
- 5:21 pm
Breaking News: સતત ત્રણ હાર બાદ CSK માટે સારા સમાચાર, MS ધોની IPL 2026 માં આ મેચથી કરશે કમબેક !
IPL 2026 માં સતત ત્રણ હારનો સામનો કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હવે રાહતના સંકેતો મળી રહ્યા છે. ટીમના અનુભવી ખેલાડી એમએસ ધોની અને યુવા બેટ્સમેન ડેવોલ્ડ બ્રેવિસ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે અને આગામી મેચમાં તેમની વાપસી શક્ય છે.
- Smit Chauhan
- Updated on: Apr 6, 2026
- 3:39 pm
Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં એમએસ ધોની રમશે કે નહીં તે અંગે થોડી અનિશ્ચિતતા છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ધોની બે અઠવાડિયા માટે નહીં રમે એવું CSK દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે પંજાબ સામેની મેચ પહેલા ધોની પ્રેક્ટિસ સેશનમાં દેખાતા તેના રમવા અંગે અચાનક ચર્ચા શરુ થઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 6:21 pm
Breaking News : ચેપોકમાં આજે ‘કિંગ્સ’ટકરાશે, શું ચેન્નાઈ પંજાબને હરાવી 2 વર્ષની રાહનો લાવશે અંત?
ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેટિંગ અને બોલિંગ ખૂબ જ કહાર્બ રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સે પહેલી મેચ જીતી હતી. હવે બંને કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. જેમાં ચેન્નાઈ પર જીત મેળવવાનું દબાણ હશે. CSK બે વર્ષથી PBKS સામે ચાલતો હારનો સિલસિલો અટકાવવા પ્રયાસ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 3:28 pm
Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?
15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 8:43 pm
IPL Controversy: ‘કેપ્ટન કૂલ’ ધોનીને આવ્યો ગુસ્સો! મેદાનમાં આવી અમ્પાયર સાથે કર્યો વાદ-વિવાદ, તે ઘટનાએ બધાને ચોંકાવ્યા, જુઓ Video
MS Dhoni Angry Moment in IPL : ભારતીય ક્રિકેટના સૌથી શાંત અને સમજદાર કેપ્ટન તરીકે ઓળખાતા MS Dhoniને સામાન્ય રીતે ‘Captain Cool’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક એવી ઘટના પણ બની હતી, જ્યારે ધોની પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા અને સીધા મેદાનમાં આવી અંપાયર સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા હતા.
- Meera Kansagara
- Updated on: Mar 31, 2026
- 12:42 pm