મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.
Breaking News: IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો વિરાટ કોહલી, એમએસ ધોની-રોહિત શર્માને પાછળ છોડ્યા
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે રોહિત શર્મા અને એમએસ ધોનીને પાછળ છોડીને IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો છે.
- Smit Chauhan
- Updated on: May 13, 2026
- 10:08 pm
Breaking News: શું MS ધોનીની મેદાન પર થશે વાપસી? LSG સામેની મેચ પહેલા સામે આવ્યુ મોટુ અપડેટ
MSD લખનઉ સામેની મેચ માટે ટીમ સાથે પ્રવાસ કરી શકે છે, જેનાથી ટીમમાં તેની વાપસીની અટકળો ફરી તેજ થઈ ગઈ છે. સંજુ સેમસનના 304 રનની મદદથી CSK હાલ 12 અંક સાથે પ્લેઓફ ની રેસમાં ટકેલી છે.
- Mina Pandya
- Updated on: May 13, 2026
- 4:29 pm
Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે મેદાનમાં વાપસી કરશે MS ધોની!
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રદર્શન યાત્રા ઉતાર-ચઢાવભરી રહી છે, પરંતુ હવે ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસને લઈને નવી અપડેટ સામે આવી છે, જેના કારણે ચાહકોમાં ઉત્સાહ છે. અહેવાલ મુજબ, ધોની આગામી મહત્વપૂર્ણ મેચ માટે ટીમ સાથે લખનૌ જશે અને મેદાન પર ઉતરવાની શક્યતા પણ છે.
- Smit Chauhan
- Updated on: May 12, 2026
- 10:28 pm
Breaking News : વિરાટ કોહલી-રોહિત શર્માએ એક સાથે MS ધોનીના રેકોર્ડની બરાબરી કરી, બન્યા નંબર-1
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ બે દિગ્ગજોએ હવે IPLના એક મહત્વપૂર્ણ રેકોર્ડમાં એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. આગામી મેચોમાં તેમની પાસે ધોનીને પાછળ છોડવાની તક છે.
- Smit Chauhan
- Updated on: May 11, 2026
- 5:04 pm
Breaking News: Mother’s Day પર IPL 2026 માં થશે ટ્રીપલ ધમાકો, ધોની-વિરાટ અને રોહિતની ટીમો મેદાનમાં
આ મધર્સ ડે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે ભારતીય ક્રિકેટ ચાહકોને ત્રણ સ્ટાર ક્રિકેટરોને જોવાની તક મળશે, જેમની માતાઓને પણ ફેન્સ સલામ કરે છે. આ સ્ટાર્સ છે ધોની, રોહિત અને કોહલી.
- Smit Chauhan
- Updated on: May 8, 2026
- 9:22 pm
Breaking News: મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ MS ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ, CSKમાંથી કરાયો બહાર, ચોંકાવનારો દાવો
મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ એમએસ ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ હતી, જે બાદ ધોનીએ આ ખેલાડીને ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ દાવો સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યો છે. અનેક પોસ્ટ અને વીડિયો પણ વાયરલ થયા છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ.
- Smit Chauhan
- Updated on: May 8, 2026
- 8:42 pm
Breaking News : મહેન્દ્ર સિંહ ધોની ટેક્સમાં માર્યો હેલિકોપ્ટર શોર્ટ, બિહાર-ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ બન્યો
MS Dhoni Highest Taxpayer : નાણાકીય વર્ષ 26માં ઝારખંડ-બિહારમાંથી 20,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઝારખંડ રાજ્યના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા વ્યક્તિ બન્યો છે.
- Nirupa Duva
- Updated on: May 8, 2026
- 12:56 pm
Breaking News : MS ધોની આ દિવસે તેના IPL કારકિર્દીની છેલ્લી મેચ રમશે, ત્યારબાદ લેશે નિવૃત્તિ, મોટો દાવો
ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર ખેલાડી એમએસ ધોનીએ હજુ સુધી IPL 2026માં એક પણ મેચ રમી નથી. દરેક મેચ પહેલા તે કઈ મેચોમાં રમશે તે અંગે અટકળો શરૂ થાય છે. હવે ધોની તેની છેલ્લી મેચ ક્યારે રમશે તે અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 8:33 pm
IPL 2026 માં MS Dhoni નહીં રમે એક પણ મેચ ? DC vs CSK મેચથી પણ રહ્યા દૂર, જાણો
MS ધોનીની વર્તમાન IPL સીઝનમાંથી ગેરહાજરીએ ચાહકોમાં ચિંતા જગાવી છે. પગની પિંડમાં થયેલી ઈજાને કારણે ધોની હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી, જોકે CSK મેનેજમેન્ટ તેના પુનરાગમનની આશા રાખી રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: May 4, 2026
- 5:21 pm
Breaking News: મેચના દિવસે CSK ડ્રેસિંગ રૂમમાંથી MS ધોની કેમ ગાયબ હોય છે? કોચે કર્યો મોટો ખુલાસો
IPL 2026, MS Dhoni: ભારતીય ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોની IPL 2026 માં મેચના દિવસે CSK ટીમ સાથે જોવા મળતો નહીં. ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ આ પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું છે. સાથે જ તેણે ધોનીની વાપસી અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: May 2, 2026
- 4:45 pm
‘લવ યુ, ડાર્લિંગ’… સાક્ષી કે દીકરી ઝીવા નહીં, આ વ્યક્તિએ ખુલ્લેઆમ MS Dhoni ને કહ્યું
IPL 2026 દરમિયાન CSK અને MI વચ્ચેની મેચ પહેલા હાર્દિક પંડ્યાએ MS ધોનીને ‘લવ યુ ડાર્લિંગ’ કહીને સૌનું દિલ જીતી લીધું. આ પળનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
- Nishat
- Updated on: May 2, 2026
- 8:21 am
Breaking News: MS ધોની IPL 2026 માં નહીં રમે? કોચના નિવેદન બાદ ‘થાલા’ના કમબેક અંગે વધ્યું સસ્પેન્સ
IPL 2026 શરુ થયાને એક મહિનાઓ થઈ ગયો છે, અને આ એક મહિનામાં CSK આઠ મેચ રમી ચૂક્યું છે, પણ આ આઠ મેચમાંથી ધોની એકપણ મેચમાં રમ્યો નથી. ધોનીના ફેન્સ તેને મેદાનમાં રમતો જોવા ઉત્સુક છે. ધોની ક્યારે કમબેક કરશે? આ સવાલ રોજ ફેન્સની ચર્ચાનો વિષય હોય છે. આ બધા વચ્ચે CSK હેડ કોચે ધોનીની ઈજા અંગે મોટું નિવેદન આપ્યું છે. જે બાદ ધોનીના મેદાનમાં પાછા ફરવાની ફેન્સની આશાઓ પર પાણી ફરી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Apr 27, 2026
- 3:03 pm
Breaking News: દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોઈ ખેલાડી?
ક્રિકેટમાં “ફિનિશર” એ એવો ખેલાડી છે જે મેચની સૌથી તણાવભરી સ્થિતિમાં પણ શાંતિથી ટીમને જીત સુધી લઈ જાય.દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોણ ખેલાડી? — આ સવાલ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. ચાલો જાણી કોણ છે વિશ્વના ટોચના 10 શ્રેષ્ઠ ફિનિશર.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 9:54 pm
Breaking News: MS ધોની 16 એપ્રિલે લેશે મોટો નિર્ણય, IPL 2026માં રમવા અંગે સસ્પેન્સ થશે ખતમ
ધોની હાલમાં ઈજાથી પરેશાન છે. આ કારણે તે IPL 2026 માં હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં તેની વાપસીના અહેવાલો આવ્યા હતા, પરંતુ તેવું બન્યું નહીં. હવે શું ધોની હૈદરાબાદ સામે આગામી મેચમાં રમશે આ મોટો સવાલ છે? અને અહેવાલો અનુસાર આ અંગે ધોની 16 એપ્રિલે મોટો નિર્ણય લેશે.
- Smit Chauhan
- Updated on: Apr 15, 2026
- 3:40 pm
Breaking News: CSK ફેન્સ ફરી થયા નિરાશ, ધોનીનું નહીં થયું કમબેક, ભારતનો નંબર-1 બોલર KKRમાં પાછો ફર્યો
ધોનીને મેદાનમાં રમતા જોવાની ફેન્સની ઈચ્છા CSK vs KKR ની મેચમાં પણ પૂરી નથી થઈ. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં રમી રહ્યો નથી. ઈજાને કારણે તે આ સિઝનમાં હજી સુધી એક પણ મેચ રમ્યો નથી. જ્યારે ભારતનો નંબર 1 બોલર KKRમાં પાછો ફર્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 8:20 pm