AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિન રમેશ તેંડુલકરને ક્રિકેટના ઈતિહાસમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું ક્રિકેટમાં એટલું ઉંચુ નામ છે કે, 5 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના દાદા-દાદી સુધી સૌ કોઈ તેને પસંદ કરે છે. સચિન તેંડુલકરના પિતા રમેશ તેંડુલકરે 2 લગ્ન કર્યા હતા. તેમના પિતાનું નામ રમેશ તેંડુલકર અને માતાનું નામ રજની તેંડુલકર છે. સચિનના પિતાનું વર્ષ 1999માં અવસાન થયું હતું. તે સમયે સચિન ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહ્યો હતો. અને 101 બોલમાં 140 રનની ઇનિંગ રમી. 19 મે 1999ના રોજ સચિનના પિતાનું અવસાન થયું હતું. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

સચિન તેંડુલકરે 24 મે 1995 ના રોજ તેમના કરતાં છ વર્ષ મોટી બાળરોગ નિષ્ણાત ડૉ. અંજલિ સાથે લગ્ન કરીને તેમના લગ્ન જીવનની શરૂઆત કરી હતી. તેના ચાહકો તેને પ્રેમથી લિટલ માસ્ટર અને માસ્ટર બ્લાસ્ટર કહીને બોલાવે છે.સચિનને ​​બે બાળકો છે. મોટી પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ અર્જુન છે. તેમનો પુત્ર ક્રિકેટર છે. સચિનની જેમ તે બેટ્સમેન નહીં પણ બોલર છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી ચૂક્યો છે.

સચિન તેંડુલકર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ખેલાડી છે. ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થનાર તે પ્રથમ ક્રિકેટર છે. વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યો હતો.

 

Read More

અંબાણી પરિવારની પાર્ટીમાં તેંડુલકર પરિવાર ચમક્યો, બૉલીવુડ સેલેબ્સનો પણ જલવો..જુઓ Photos

મુંબઈમાં NMACCની ત્રીજી વર્ષગાંઠે અંબાણી પરિવારે ભવ્ય પાર્ટી યોજી. આ ગ્લેમરસ ઇવેન્ટમાં સચિન તેંડુલકરનો પરિવાર - અંજલિ, સારા અને સાનિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા.

ક્રિકેટર હોય કે સ્ટાર.. એરપોર્ટ પર બધાનું ચેકિંગ થાય છે, પરંતુ સચિન તેંડુલકરનું ચેકિંગ કેમ નથી થતી, જાણો કારણ

તાજેતરમાં વાયરલ થયેલા વીડિયો બાદ સચિન તેંડુલકરની એરપોર્ટ સુરક્ષા તપાસ મુક્તિ ચર્ચામાં છે. 'ભારત રત્ન' વિજેતા હોવાને કારણે તેમને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નિયમો મુજબ આ વિશેષ અધિકાર મળે છે.

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

Breaking News: અર્જુન તેંડુલકરનો મોટો ખુલાસો, પિતા સચિન તેંડુલકર નહીં, આ સ્ટાર ભારતીય ખેલાડી છે તેનો આઈડલ

અર્જુન તેંડુલકરે તાજેતરમાં પોતાના આદર્શ વિશે આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજનો પુત્ર હોવા છતાં અર્જુને પોતાના પ્રિય બેટ્સમેન તરીકે ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીનું નામ લીધું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

Breaking News: વૈભવ સૂર્યવંશી અને સચિન તેંડુલકરના 29 છગ્ગા વચ્ચે છે ખાસ કનેક્શન, આ આંકડા જોઈને ચોંકી જશો

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર આઠ મેચમાં જ 29 છગ્ગા ફટકાર્યા છે, અને આ મામલામાં મહાન ખેલાડી સચિન તેંડુલકરની બરાબરી કરી છે. આ બંને વચ્ચે 29 છગ્ગાનું એક ખાસ કનેક્શન છે.

Breaking News : IPLમાં પહેલીવાર પિતા-પુત્રની ટીમો આમને-સામને, જાણો ક્યારે થશે ઐતિહાસિક ટક્કર

IPL 2026 એક અનોખી ઘટના માટે યાદગાર બનશે, જ્યાં પહેલીવાર પિતા-પુત્ર સામ-સામે રમશે. MI અને LSG ના પ્લેયર આમને સામને ટકરાશે.

IPLમાં ધીમી સદી ફટકારનારા 5 બેટ્સમેન, જાણો લિસ્ટમાં કેટલા ભારતીયો સામેલ છે

Slowest Centuries in IPL: T20 ક્રિકેટનો એક અલગ જ જોશ છે. પરંતુ તેમા IPL વધુ જોશ ઉમેરે છે. કોઈ ટીમ 20 ઓવરોમાં 250 બનાવે છે તો કોઈ ટીમ 262 નો ટાર્ગેટ પણ ચેસ કરી લે છે. આ બધી બાબતો અવિશ્વસનીય લાગે છે. T20 ક્રિકેટમાં બધું જ ખૂબ ઝડપથી થાય છે, પરંતુ અહિયાં અમુક એવા ખેલાડીઓ છે જેમણે કાચબાની ચાલે સદી ફટકારી છે. તો ચાલો જાણીએ કોણ છે એ 5 ખેલાડીઓ, જેના નામે IPLની સૌથી ધીમી સદી ફટકારવાનો રેકોર્ડ છે.

લગ્નના 12 દિવસ પછી, સારા તેંડુલકરે ભાઈના લગ્નના ફંક્શનના ફોટો શેર કર્યા, જુઓ ફોટો

  પિતા અને ભાઈ ક્રિકેટ સાથે સંકળાયેલા માતા છે ડોક્ટર, આવો છે સારા તેંડુલકરનો પરિવાર અહી ક્લિક કરો

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.

અર્જુન તેંડુલકર લગ્નના બીજા જ દિવસે મેદાનમાં ઉતર્યો, પણ સારો દેખાવ કરવામાં નિષ્ફળ, વૈભવ સૂર્યવંશી પણ ફ્લોપ

સચિન તેંડુલકરના પુત્ર અર્જુને 5 માર્ચે મુંબઈમાં સાનિયા ચાંડોક સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા, જેમાં સેંકડો મહેમાનો હાજર રહ્યા હતા. પરંતુ ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે લગ્નના બીજા જ દિવસે અર્જુન ટીમ માટે મેદાનમાં હશે.

Arjun Tendulkar Wedding : પરણી ગયો સચિનનો દીકરો અર્જુન તેંડુલકર, સાનિયાએ લાલ તો નણંદે પહેરી પિન્ક સાડી, જુઓ Photos

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક 5 માર્ચે લગ્નના બંધને બંધાયા. આ ભવ્ય સમારંભમાં દુલ્હન સાનિયા ચંડોકે પરંપરાગત લાલ સાડીમાં બધાનું ધ્યાન ખેંચ્યું.

Arjun Tendulkar Wedding : સચિન તેડુલકરનો દીકરો અર્જુન તેડુલકર લગ્નના બંધનમાં બંધાયો

Arjun Tendulkar Saaniya Chandhok Wedding : સચિન તેડુલકરનો દીકરો અર્જુન તેડુલકર લગ્નના બંધનમાં બંધાયો છે. અર્જુન તેડુલકરે સાનિયા ચંદોક સાથે સાત ફેરા લીધા છે. આ લગ્નમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટ જગતની હસ્તીઓ પહોંચી હતી.

યુવરાજથી લઈને ઈરફાન પઠાણ સુધી અર્જુન તેંડુલકરના પ્રિ-વેડિંગ ફંક્શનમાં સ્ટાર જોવા મળ્યા, વીડિયો

Arjun Tendulkar Pre-Wedding Celebrations : સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર ટુંક સમયમાં સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંધાશે. 3 માર્ચથી લગ્નના ફંક્શન શરુ થયા છે. જેમાં સ્ટારનો જમાવડો જોવા મળ્યો છે.

Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

રમતજગતમાં પ્રતિભા જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની માનસિક મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ માટે વ્યક્તિગત જીવનના આઘાતો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ બને છે. તેમાં પણ પરિજનને ગુમવ્યા બાદ ફરી મેદાનમાં ફરવું અને પર્ફોમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. છતાં કેટલાક ક્રિકેટરોએ વ્યક્તિગત દુઃખને શક્તિમાં ફેરવી દેશ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ સંકલ્પશીલ ખેલાડીઓ પર એક નજર કરીએ.

Arjun Tendulkar Wedding : પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે અર્જુન તેંડુલકર તેની મંગેતર સાથે જામનગર પહોંચ્યો, અંબાણી પરિવારે આશીર્વાદ આપ્યા જુઓ વીડિયો

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર તેની મંગેતર સાથે જામનગર પહોંચ્યો હતો તેડુલકર પરિવાર જામનગરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે આવ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણીએ એક સુંદર સ્પીચ આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સે પોસ્ટ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">