સચિન તેંડુલકર
સચિન રમેશ તેંડુલકરને ક્રિકેટના ઈતિહાસમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું ક્રિકેટમાં એટલું ઉંચુ નામ છે કે, 5 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના દાદા-દાદી સુધી સૌ કોઈ તેને પસંદ કરે છે. સચિન તેંડુલકરના પિતા રમેશ તેંડુલકરે 2 લગ્ન કર્યા હતા. તેમના પિતાનું નામ રમેશ તેંડુલકર અને માતાનું નામ રજની તેંડુલકર છે. સચિનના પિતાનું વર્ષ 1999માં અવસાન થયું હતું. તે સમયે સચિન ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહ્યો હતો. અને 101 બોલમાં 140 રનની ઇનિંગ રમી. 19 મે 1999ના રોજ સચિનના પિતાનું અવસાન થયું હતું. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સચિન તેંડુલકરે 24 મે 1995 ના રોજ તેમના કરતાં છ વર્ષ મોટી બાળરોગ નિષ્ણાત ડૉ. અંજલિ સાથે લગ્ન કરીને તેમના લગ્ન જીવનની શરૂઆત કરી હતી. તેના ચાહકો તેને પ્રેમથી લિટલ માસ્ટર અને માસ્ટર બ્લાસ્ટર કહીને બોલાવે છે.સચિનને બે બાળકો છે. મોટી પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ અર્જુન છે. તેમનો પુત્ર ક્રિકેટર છે. સચિનની જેમ તે બેટ્સમેન નહીં પણ બોલર છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી ચૂક્યો છે.
સચિન તેંડુલકર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ખેલાડી છે. ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થનાર તે પ્રથમ ક્રિકેટર છે. વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યો હતો.
IPL Rules Chnages : IPLમાં 3 મોટા નિયમો બદલાશે! સચિન તેંડુલકરે બોલરોના હિતમાં આપી સલાહ, જાણો
સચિન તેંડુલકરે IPL અને T20 ક્રિકેટમાં બેટ્સમેન-બોલર વચ્ચે સંતુલન સ્થાપવા ત્રણ મોટા નિયમ ફેરફારો સૂચવ્યા છે.
- Sagar Solanki
- Updated on: May 31, 2026
- 6:23 pm
Breaking News : માત્ર પિતા સચિન જ નહી દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાના માલિક છે, જાણો નેટવર્થ
સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટસ માટે આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તો ચાલો આજે આપણે સચિનના દીકરા અર્જુન તેંડુલકરની નેટવર્થ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: May 24, 2026
- 11:45 am
Breaking News: સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરનું LSG માટે ડેબ્યૂ, IPL 2026 માં પહેલીવાર રમવાની તક મળી
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આખરે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કર્યું છે. પંજાબ કિંગ્સ સામે LSGની અંતિમ લીગ મેચ માટે તેને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો. સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરને IPL 2026 માં રમવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 7:48 pm
Breaking News: સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર વિનોદ કાંબલી MI vs SRH મેચ જોવા વાનખેડે પહોંચ્યો, Viral video
સચિન તેંડુલકરના બાળપણનો મિત્ર વિનોદ કાંબલી મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. સ્ટેડિયમમાં પહોંચ્યાનો કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાંબલી છેલ્લા કેટલાક વર્ષમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉપરાંત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. લાંબા સમય બાદ કાંબલી જાહેરમાં જોવા મળ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 30, 2026
- 5:55 pm
Breaking News: આ છે સંસ્કૃતિ… સચિન તેંડુલકરે પહેલા જૂતા ઉતાર્યા, પછી ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શ કરી, વીડિયો વાયરલ
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતો સચિન તેંડુલકર જેટલો મહાન ખેલાડી છે તેટલો જ મહાન માણસ પણ છે. તેના વ્યક્તિત્વની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. એક કાર્યક્રમમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શ કરતા પહેલા પોતાના જૂતા ઉતારવા બદલ સચિનની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 3:58 pm
Breaking News: 100 કરોડનો મહેલ, 35 કરોડની કાર, ક્રિકેટના ભગવાનનું હજારો કરોડનું સામ્રાજ્ય, જાણો સચિન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે
વિશ્વનો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આજે 53 વર્ષનો થયો છે. તેને ક્રિકેટ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સચિનના જન્મદિવસ પર ચાલો તેની સફર, તેની જીવનશૈલી, કુલ સંપત્તિ, ઘર અને કાર કલેક્શન વિશે જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 4:46 pm
Breaking News: પિતા સચિન તેંડુલકરના જન્મદિવસ પર પુત્ર અર્જુને કેક ન ખાધી, વીડિયોમાં જણાવ્યું કારણ
સચિન તેંડુલકરનો જન્મદિવસ ફક્ત તેના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ દેશભરમાં માસ્ટર બ્લાસ્ટરના લાખો ચાહકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. ઘણા ચાહકો કેક કાપીને એકબીજાને ખવડાવે છે. જોકે, સચિનનો પુત્ર અર્જુન તેનાથી દૂર રહે છે. જાણો કેમ.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 3:11 pm
Sachin Tendulkar Birthday: ‘God Of Cricket’ થયા 53 વર્ષના, જાણો તેમની 53 અનોખી સિદ્ધિઓ વિશે
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા Sachin Tendulkarનો આજે તેમનો 53મો જન્મદિવસ છે. સચિન તેંડુલકરની કારકિર્દી શાનદાર રહી હતી અને તેમણે ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું, તેમણે આ દરમિયાન અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી.
- Tanvi Soni
- Updated on: Apr 24, 2026
- 8:10 am
Breaking News: નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, બાળકો સાથે ગેમ્સ રમ્યા, પરિવર્તન-વિકાસનો આપ્યો સંદેશ
છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના દાંતેવાડા જિલ્લાના છિંદનાર ગામે ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરની મુલાકાતે અનોખી આશા જગાવી. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બાળકો સાથે તેમણે રમેલી ટગ-ઓફ-વોર અને અન્ય પ્રવૃત્તિઓએ સ્થાનિક જીવનમાં ઉત્સાહ ભરી દીધો. તેમના શબ્દો અને ઉપસ્થિતિએ પરિવર્તન અને વિકાસનો સંદેશ આપ્યો અને સમગ્ર ગામમાં આનંદનો માહોલ સર્જાયો. આ મુલાકાતે રમતગમતની શક્તિ પણ ઉજાગર કરી, સ્થાનિકોમાં નવી આશા જગાવી અને ગામમાં પરિવર્તનનો પવન ફૂંકાયો.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 7:28 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી તોડશે સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો રેકોર્ડ ? ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની ચર્ચા તેજ
ભારતીય ક્રિકેટમાં એક નવા સ્ટાર તરીકે ઊભરતા વૈભવ સૂર્યવંશી ફરી ચર્ચામાં છે. IPLમાં તેની વિસ્ફોટક બેટિંગ બાદ હવે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની ચર્ચા તેજ બની છે. ખાસ કરીને આયર્લેન્ડ પ્રવાસ માટે તેને શોર્ટલિસ્ટ કરાયો હોવાના અહેવાલો સામે આવતા, તે સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 7:28 pm
અંબાણી પરિવારની પાર્ટીમાં તેંડુલકર પરિવાર ચમક્યો, બૉલીવુડ સેલેબ્સનો પણ જલવો..જુઓ Photos
મુંબઈમાં NMACCની ત્રીજી વર્ષગાંઠે અંબાણી પરિવારે ભવ્ય પાર્ટી યોજી. આ ગ્લેમરસ ઇવેન્ટમાં સચિન તેંડુલકરનો પરિવાર - અંજલિ, સારા અને સાનિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા.
- Sagar Solanki
- Updated on: Apr 4, 2026
- 7:43 pm
ક્રિકેટર હોય કે સ્ટાર.. એરપોર્ટ પર બધાનું ચેકિંગ થાય છે, પરંતુ સચિન તેંડુલકરનું ચેકિંગ કેમ નથી થતી, જાણો કારણ
તાજેતરમાં વાયરલ થયેલા વીડિયો બાદ સચિન તેંડુલકરની એરપોર્ટ સુરક્ષા તપાસ મુક્તિ ચર્ચામાં છે. 'ભારત રત્ન' વિજેતા હોવાને કારણે તેમને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નિયમો મુજબ આ વિશેષ અધિકાર મળે છે.
- Sagar Solanki
- Updated on: Apr 2, 2026
- 10:19 pm
Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?
15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 8:43 pm
Breaking News: અર્જુન તેંડુલકરનો મોટો ખુલાસો, પિતા સચિન તેંડુલકર નહીં, આ સ્ટાર ભારતીય ખેલાડી છે તેનો આઈડલ
અર્જુન તેંડુલકરે તાજેતરમાં પોતાના આદર્શ વિશે આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજનો પુત્ર હોવા છતાં અર્જુને પોતાના પ્રિય બેટ્સમેન તરીકે ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીનું નામ લીધું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
- Smit Chauhan
- Updated on: Apr 1, 2026
- 8:53 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી અને સચિન તેંડુલકરના 29 છગ્ગા વચ્ચે છે ખાસ કનેક્શન, આ આંકડા જોઈને ચોંકી જશો
રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર આઠ મેચમાં જ 29 છગ્ગા ફટકાર્યા છે, અને આ મામલામાં મહાન ખેલાડી સચિન તેંડુલકરની બરાબરી કરી છે. આ બંને વચ્ચે 29 છગ્ગાનું એક ખાસ કનેક્શન છે.
- Smit Chauhan
- Updated on: Apr 1, 2026
- 8:26 pm