સચિન તેંડુલકર
સચિન રમેશ તેંડુલકરને ક્રિકેટના ઈતિહાસમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું ક્રિકેટમાં એટલું ઉંચુ નામ છે કે, 5 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના દાદા-દાદી સુધી સૌ કોઈ તેને પસંદ કરે છે. સચિન તેંડુલકરના પિતા રમેશ તેંડુલકરે 2 લગ્ન કર્યા હતા. તેમના પિતાનું નામ રમેશ તેંડુલકર અને માતાનું નામ રજની તેંડુલકર છે. સચિનના પિતાનું વર્ષ 1999માં અવસાન થયું હતું. તે સમયે સચિન ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહ્યો હતો. અને 101 બોલમાં 140 રનની ઇનિંગ રમી. 19 મે 1999ના રોજ સચિનના પિતાનું અવસાન થયું હતું. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સચિન તેંડુલકરે 24 મે 1995 ના રોજ તેમના કરતાં છ વર્ષ મોટી બાળરોગ નિષ્ણાત ડૉ. અંજલિ સાથે લગ્ન કરીને તેમના લગ્ન જીવનની શરૂઆત કરી હતી. તેના ચાહકો તેને પ્રેમથી લિટલ માસ્ટર અને માસ્ટર બ્લાસ્ટર કહીને બોલાવે છે.સચિનને બે બાળકો છે. મોટી પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ અર્જુન છે. તેમનો પુત્ર ક્રિકેટર છે. સચિનની જેમ તે બેટ્સમેન નહીં પણ બોલર છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી ચૂક્યો છે.
સચિન તેંડુલકર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ખેલાડી છે. ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થનાર તે પ્રથમ ક્રિકેટર છે. વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યો હતો.
Breaking News: 100 કરોડનો મહેલ, 35 કરોડની કાર, ક્રિકેટના ભગવાનનું હજારો કરોડનું સામ્રાજ્ય, જાણો સચિન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે
વિશ્વનો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આજે 53 વર્ષનો થયો છે. તેને ક્રિકેટ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સચિનના જન્મદિવસ પર ચાલો તેની સફર, તેની જીવનશૈલી, કુલ સંપત્તિ, ઘર અને કાર કલેક્શન વિશે જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 4:46 pm
Breaking News: પિતા સચિન તેંડુલકરના જન્મદિવસ પર પુત્ર અર્જુને કેક ન ખાધી, વીડિયોમાં જણાવ્યું કારણ
સચિન તેંડુલકરનો જન્મદિવસ ફક્ત તેના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ દેશભરમાં માસ્ટર બ્લાસ્ટરના લાખો ચાહકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. ઘણા ચાહકો કેક કાપીને એકબીજાને ખવડાવે છે. જોકે, સચિનનો પુત્ર અર્જુન તેનાથી દૂર રહે છે. જાણો કેમ.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 3:11 pm
Sachin Tendulkar Birthday: ‘God Of Cricket’ થયા 53 વર્ષના, જાણો તેમની 53 અનોખી સિદ્ધિઓ વિશે
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા Sachin Tendulkarનો આજે તેમનો 53મો જન્મદિવસ છે. સચિન તેંડુલકરની કારકિર્દી શાનદાર રહી હતી અને તેમણે ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું, તેમણે આ દરમિયાન અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી.
- Tanvi Soni
- Updated on: Apr 24, 2026
- 8:10 am
Breaking News: નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, બાળકો સાથે ગેમ્સ રમ્યા, પરિવર્તન-વિકાસનો આપ્યો સંદેશ
છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના દાંતેવાડા જિલ્લાના છિંદનાર ગામે ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરની મુલાકાતે અનોખી આશા જગાવી. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બાળકો સાથે તેમણે રમેલી ટગ-ઓફ-વોર અને અન્ય પ્રવૃત્તિઓએ સ્થાનિક જીવનમાં ઉત્સાહ ભરી દીધો. તેમના શબ્દો અને ઉપસ્થિતિએ પરિવર્તન અને વિકાસનો સંદેશ આપ્યો અને સમગ્ર ગામમાં આનંદનો માહોલ સર્જાયો. આ મુલાકાતે રમતગમતની શક્તિ પણ ઉજાગર કરી, સ્થાનિકોમાં નવી આશા જગાવી અને ગામમાં પરિવર્તનનો પવન ફૂંકાયો.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 7:28 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી તોડશે સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો રેકોર્ડ ? ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની ચર્ચા તેજ
ભારતીય ક્રિકેટમાં એક નવા સ્ટાર તરીકે ઊભરતા વૈભવ સૂર્યવંશી ફરી ચર્ચામાં છે. IPLમાં તેની વિસ્ફોટક બેટિંગ બાદ હવે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની ચર્ચા તેજ બની છે. ખાસ કરીને આયર્લેન્ડ પ્રવાસ માટે તેને શોર્ટલિસ્ટ કરાયો હોવાના અહેવાલો સામે આવતા, તે સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2026
- 7:28 pm
અંબાણી પરિવારની પાર્ટીમાં તેંડુલકર પરિવાર ચમક્યો, બૉલીવુડ સેલેબ્સનો પણ જલવો..જુઓ Photos
મુંબઈમાં NMACCની ત્રીજી વર્ષગાંઠે અંબાણી પરિવારે ભવ્ય પાર્ટી યોજી. આ ગ્લેમરસ ઇવેન્ટમાં સચિન તેંડુલકરનો પરિવાર - અંજલિ, સારા અને સાનિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા.
- Sagar Solanki
- Updated on: Apr 4, 2026
- 7:43 pm
ક્રિકેટર હોય કે સ્ટાર.. એરપોર્ટ પર બધાનું ચેકિંગ થાય છે, પરંતુ સચિન તેંડુલકરનું ચેકિંગ કેમ નથી થતી, જાણો કારણ
તાજેતરમાં વાયરલ થયેલા વીડિયો બાદ સચિન તેંડુલકરની એરપોર્ટ સુરક્ષા તપાસ મુક્તિ ચર્ચામાં છે. 'ભારત રત્ન' વિજેતા હોવાને કારણે તેમને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નિયમો મુજબ આ વિશેષ અધિકાર મળે છે.
- Sagar Solanki
- Updated on: Apr 2, 2026
- 10:19 pm
Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?
15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 8:43 pm
Breaking News: અર્જુન તેંડુલકરનો મોટો ખુલાસો, પિતા સચિન તેંડુલકર નહીં, આ સ્ટાર ભારતીય ખેલાડી છે તેનો આઈડલ
અર્જુન તેંડુલકરે તાજેતરમાં પોતાના આદર્શ વિશે આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજનો પુત્ર હોવા છતાં અર્જુને પોતાના પ્રિય બેટ્સમેન તરીકે ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીનું નામ લીધું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
- Smit Chauhan
- Updated on: Apr 1, 2026
- 8:53 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી અને સચિન તેંડુલકરના 29 છગ્ગા વચ્ચે છે ખાસ કનેક્શન, આ આંકડા જોઈને ચોંકી જશો
રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર આઠ મેચમાં જ 29 છગ્ગા ફટકાર્યા છે, અને આ મામલામાં મહાન ખેલાડી સચિન તેંડુલકરની બરાબરી કરી છે. આ બંને વચ્ચે 29 છગ્ગાનું એક ખાસ કનેક્શન છે.
- Smit Chauhan
- Updated on: Apr 1, 2026
- 8:26 pm
Breaking News : IPLમાં પહેલીવાર પિતા-પુત્રની ટીમો આમને-સામને, જાણો ક્યારે થશે ઐતિહાસિક ટક્કર
IPL 2026 એક અનોખી ઘટના માટે યાદગાર બનશે, જ્યાં પહેલીવાર પિતા-પુત્ર સામ-સામે રમશે. MI અને LSG ના પ્લેયર આમને સામને ટકરાશે.
- Sagar Solanki
- Updated on: Mar 31, 2026
- 5:49 pm
IPLમાં ધીમી સદી ફટકારનારા 5 બેટ્સમેન, જાણો લિસ્ટમાં કેટલા ભારતીયો સામેલ છે
Slowest Centuries in IPL: T20 ક્રિકેટનો એક અલગ જ જોશ છે. પરંતુ તેમા IPL વધુ જોશ ઉમેરે છે. કોઈ ટીમ 20 ઓવરોમાં 250 બનાવે છે તો કોઈ ટીમ 262 નો ટાર્ગેટ પણ ચેસ કરી લે છે. આ બધી બાબતો અવિશ્વસનીય લાગે છે. T20 ક્રિકેટમાં બધું જ ખૂબ ઝડપથી થાય છે, પરંતુ અહિયાં અમુક એવા ખેલાડીઓ છે જેમણે કાચબાની ચાલે સદી ફટકારી છે. તો ચાલો જાણીએ કોણ છે એ 5 ખેલાડીઓ, જેના નામે IPLની સૌથી ધીમી સદી ફટકારવાનો રેકોર્ડ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 21, 2026
- 3:51 pm
લગ્નના 12 દિવસ પછી, સારા તેંડુલકરે ભાઈના લગ્નના ફંક્શનના ફોટો શેર કર્યા, જુઓ ફોટો
પિતા અને ભાઈ ક્રિકેટ સાથે સંકળાયેલા માતા છે ડોક્ટર, આવો છે સારા તેંડુલકરનો પરિવાર અહી ક્લિક કરો
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2026
- 4:15 pm
MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 5:55 pm
અર્જુન તેંડુલકર લગ્નના બીજા જ દિવસે મેદાનમાં ઉતર્યો, પણ સારો દેખાવ કરવામાં નિષ્ફળ, વૈભવ સૂર્યવંશી પણ ફ્લોપ
સચિન તેંડુલકરના પુત્ર અર્જુને 5 માર્ચે મુંબઈમાં સાનિયા ચાંડોક સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા, જેમાં સેંકડો મહેમાનો હાજર રહ્યા હતા. પરંતુ ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે લગ્નના બીજા જ દિવસે અર્જુન ટીમ માટે મેદાનમાં હશે.
- Smit Chauhan
- Updated on: Mar 6, 2026
- 11:49 pm