AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ક્રિકેટની રમતના તમામ ફોર્મેટમાં રમ્યો હતો. તે એક ઓલરાઉન્ડર છે. તેણે ODI ક્રિકેટમાં 7 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે, યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પંજાબી અભિનેતા યોગરાજ સિંહના પુત્ર પણ છે. યુવરાજ સિંહનો જન્મ પંજાબી શીખ પરિવારમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ અને શબનમ સિંહને ત્યાં થયો હતો. યુવરાજે ચંદીગઢની ડીએવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ડીએવી કોલેજ, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.

2015માં યુવરાજે હેઝલ કીચ સાથે સગાઈ કરી હતી. યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 30 નવેમ્બર 2016ના રોજ થયા હતા. બંને કપલ 25 જાન્યુઆરી 2022ના રોજ પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા. યુવરાજ સિંહ અને હેઝલ કીચના પુત્રનું નામ ઓરિયન કીચ સિંહ છે. બંનેએ પોતાની દીકરીનું નામ ઓરા રાખ્યું છે.

Read More

સચિન-યુવરાજ અને ગાંગુલી જે કરી ગયા, એ જ લિસ્ટમાં હવે આવી ગયું ‘બાપુ’ નું નામ; વન-ડેમાં રચ્યો ‘મોટો ઇતિહાસ’

ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. આ જીતની સાથે જ ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે બોલિંગ અને બેટિંગ બંનેમાં કમાલનું પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. તેણે મેચમાં 4 વિકેટ ઝડપવાની સાથે અણનમ અડધી સદી ફટકારી અને સચિન-યુવરાજ જેવા દિગ્ગજોની બરોબરી કરી છે.

સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ છે ? શું વૈભવ સૂર્યવંશી લખશે નવો ઈતિહાસ ?

ભારતીય ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના અનેક ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલા છે. ટેસ્ટ, વનડે, ટી20 અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી છે. હવે 17 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર સૌની નજર છે. જો તેને તક મળશે અને સદી ફટકારશે, તો તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નવું પાનું ઉમેરી શકે છે.

Breaking News: IPL માં યુવરાજ સિંહની રી-એન્ટ્રી, 2027 ની સિઝનમાં આ ટીમમાં સંભાળશે મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહ IPL 2027 પહેલા નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, યુવરાજ IPL ની એક ટીમના સપોર્ટ સ્ટાફ સાથે જોડાવા માટે તૈયાર થયો છે. જો આ નિમણૂક થાય છે, તો IPLમાં કોચિંગ ક્ષેત્રે યુવરાજનો આ પ્રથમ મોટો પડાવ ગણાશે, જે ટીમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Breaking News: IPLમાં સૌથી વધુ ટીમો માટે રમનારા ટોપ 5 ખેલાડીઓ, પહેલા નંબરવાળો 9 ફ્રેન્ચાઈઝી માટે રમ્યો

IPL માત્ર ક્રિકેટનો જ નહીં પરંતુ ખેલાડીઓના ટ્રાન્સફર અને ઓક્શનનો પણ મોટો મંચ રહ્યો છે. ઘણા ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને સતત સારા પ્રદર્શનના કારણે અનેક ફ્રેન્ચાઈઝીઓનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેટલાક ક્રિકેટરો તો પાંચથી વધુ IPL ટીમો માટે રમી ચૂક્યા છે. એક ખેલાડી એવો પણ છે જેને નવ અલગ-અલગ ટીમોએ ખરીદ્યો હતો. ચાલો જાણીએ IPL માં સૌથી વધુ ટીમો માટે રમનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે.

Breaking News : યુવરાજના પિતા યોગરાજ સિંહ કાનૂની મુશ્કેલીમાં ફસાયા, FIR દાખલ થઈ

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનું એક નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાએ પોતાના દીકરાના લગ્ન પર એક વાત કરી હતી. યોગરાજે કહ્યું હતુ કે, તેમણે તેમના પુત્રને બીજી જાતિની છોકરી સાથે લગ્ન કરવા વિનંતી કરી હતી.હાલમાં તેઓ એક વેબ સીરિઝના કારણે ફસાયા છે.

Breaking News: મહિલાઓ પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ વિરુદ્ધ કેસ દાખલ

યોગરાજ સિંહ ફક્ત તેમના કોચિંગ માટે જ જાણીતા નથી, પરંતુ તેઓ એક પ્રતિભાશાળી અભિનેતા પણ છે. હવે, તેમના અભિનયના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક સંવાદમાં અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

36 વર્ષના આ ક્રિકેટરના નિધનથી વિરાટ, યુવરાજ સહિત શોકમાં ડૂબી ટીમ ઈન્ડિયા, પાઠવ્યો શોક સંદેશ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અંડર-19 અને પંજાબના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વિરાટ કોહલીના ભૂતપૂર્વ અંડર-19 સાથી હતા અને 2008ની IPL સીઝન દરમિયાન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ વતી રમ્યા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેમનો શોક સંદેશ પાઠવ્યો છે.

Breaking News : ‘ગુરુ’ યુવરાજ સિંહે ‘શિષ્ય’ અભિષેક શર્માને ‘સર’ કહ્યો, ધમાકેદાર સદી બાદ કરી સ્પેશિયલ પોસ્ટ

મંગળવારે રમાયેલી IPL મેચમાં અભિષેક શર્માએ 135 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી. તેની આ શાનદાર ઈનિંગ બાદ તેના મેન્ટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેને “સર” કહીને અભિનંદન પાઠવ્યા. બે વર્ષ જૂની મજાક હવે ગર્વમાં ફેરવાઈ ગઈ છે.

Breaking News : યુવરાજ સિંહે કહ્યું આ ખેલાડી વિશ્વ ક્રિકેટનો બીજો ‘વૈભવ સૂર્યવંશી’, જાણો કોણ છે રાહુલ કુમાર?

ભારતના પૂર્વ દિગ્ગજ યુવરાજ સિંહેએ ખેલાડી વિશે પોતાનું મંતવ્ય આપ્યું હતુ કે,તેઓ આ ખેલાડીને વિશ્વ ક્રિકેટનો બીજો વૈભવ સૂર્યવંશી માને છે. તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે રાહુલ કુમાર?

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

Breaking News: અર્જુન તેંડુલકરનો મોટો ખુલાસો, પિતા સચિન તેંડુલકર નહીં, આ સ્ટાર ભારતીય ખેલાડી છે તેનો આઈડલ

અર્જુન તેંડુલકરે તાજેતરમાં પોતાના આદર્શ વિશે આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજનો પુત્ર હોવા છતાં અર્જુને પોતાના પ્રિય બેટ્સમેન તરીકે ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીનું નામ લીધું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

Breaking News: એક, બે નહીં સાત… યુવરાજ સિંહના આ 7 શિષ્યો IPL 2026 માં ધમાલ મચાવવા તૈયાર

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે અભિષેક શર્મા અને શુભમન ગિલના કરિયર પર નોંધપાત્ર અસર કરી છે. જોકે, ફક્ત આ બે જ નહીં, પરંતુ સાત અન્ય ખેલાડીઓ પણ IPL 2026 માં ભાગ લેશે, જેમને યુવરાજ સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ

IPL 2026 નજીક આવતા તમામ ટીમોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડીએ પણ પોતાની બેટિંગ સુધારવા માટે મેદાનમાં ઉતરી ગયો છે. તેણે પૂર્વ ભારતીય સ્ટાર યુવરાજ સિંહ સાથે ખાસ ટ્રેનિંગ લીધી છે. આ દરમિયાન પાવર હિટિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે, જે આવનારી સિ ઝનમાં તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.

ઈતિહાસના પાનાં પર નામ: 1983થી 2026 સુધીમાં ઇન્ડિયાએ જીત્યા 5 WC ફાઈનલ, જાણો ઇંડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનાર સ્ટાર્સ

T20 WC 2026 જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે T20 WC જીતનાર પહેલી ટીમ બની. આ જીતમાં ઘણા બધા ખેલાડીઓની મહેનત રહેલી છે. તો ચાલો જાણીએ ઇન્ડિયાને T20 અને ODI WC ફાઇનલમાં જીત અપાવનાર 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' અને 'પ્લેયર ઓફ ધ મેચ'.

અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">