યુવરાજ સિંહ
યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ક્રિકેટની રમતના તમામ ફોર્મેટમાં રમ્યો હતો. તે એક ઓલરાઉન્ડર છે. તેણે ODI ક્રિકેટમાં 7 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે, યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પંજાબી અભિનેતા યોગરાજ સિંહના પુત્ર પણ છે. યુવરાજ સિંહનો જન્મ પંજાબી શીખ પરિવારમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ અને શબનમ સિંહને ત્યાં થયો હતો. યુવરાજે ચંદીગઢની ડીએવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ડીએવી કોલેજ, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.
2015માં યુવરાજે હેઝલ કીચ સાથે સગાઈ કરી હતી. યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 30 નવેમ્બર 2016ના રોજ થયા હતા. બંને કપલ 25 જાન્યુઆરી 2022ના રોજ પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા. યુવરાજ સિંહ અને હેઝલ કીચના પુત્રનું નામ ઓરિયન કીચ સિંહ છે. બંનેએ પોતાની દીકરીનું નામ ઓરા રાખ્યું છે.
Dharmendra Death : 10 કિલો લોહી ઓછું થઈ ગયું… ધર્મેન્દ્રના મૃત્યુ પર સચિન તેંડુલકર-વિરાટ કોહલી થયા ભાવુક
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. આ દુઃખદ સમાચારથી બોલિવૂડ અને ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી છે.
- Smit Chauhan
- Updated on: Nov 24, 2025
- 9:07 pm
યુવરાજ સિંહની બહેન કરી રહી છે સખત મહેનત, રાત્રે 11 વાગ્યે શરૂ કરે છે પ્રેક્ટિસ
યોગરાજ સિંહના પુત્ર યુવરાજ સિંહને બધા જાણે છે, પરંતુ અહીં તેમની પુત્રી અમરજોત પર એક નજર છે, જે હાલમાં સખત મહેનત કરી રહી છે. TV9 હિન્દી સાથે વાત કરતા યોગરાજે ખુલાસો કર્યો કે તેમની પુત્રી રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી તાલીમ લે છે.
- Smit Chauhan
- Updated on: Nov 18, 2025
- 10:57 pm
યુવરાજ સિંહ દર મહિને તેના પિતા યોગરાજ સિંહના ખાતામાં કેટલા પૈસા જમા કરાવે છે?
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેઓ મરવા માટે તૈયાર છે. યોગરાજે કહ્યું, "મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરે છે, અને મારો પુત્ર દર મહિને મારા ખાતામાં પૈસા જમા કરે છે."
- Smit Chauhan
- Updated on: Nov 18, 2025
- 10:22 pm
હું મરવા માટે તૈયાર છું, ભગવાન મને લઈ જાઓ… યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનું છલકાયું દર્દ
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે તેમના જીવનની તે ક્ષણો જણાવી જેણે તેમને સૌથી વધુ દુઃખ પહોંચાડ્યું હતું. તેમણે પોતાના મૃત્યુ વિશે પણ વાત કરી.
- Smit Chauhan
- Updated on: Nov 17, 2025
- 10:29 pm
યુવરાજ સિંહને હેડ કોચ બનાવશે આ ટીમ! IPL 2026 પહેલા મોટા ફેરફારની તૈયારી
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે હજુ સુધી IPLમાં કોઈ કોચિંગ કે મેન્ટરશિપની ભૂમિકા ભજવી નથી. તેણે ઘરેલુ ક્રિકેટમાં પણ આવું કંઈ કર્યું નથી. જોકે, તેણે શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓને વ્યક્તિગત કોચિંગથી મદદ કરી છે. હવે તે IPL 2026માં એક ટીમના કોચ બનશે તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Oct 30, 2025
- 9:55 pm
Breaking News : યુવરાજ સિંહ, ધવન-રૈનાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે, સટ્ટાબાજી એપ કેસમાં EDની કાર્યવાહી
તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનેક ક્રિકેટરો અને કેટલાક ફિલ્મ સ્ટાર્સની ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રમોશનના સંદર્ભમાં પૂછપરછ કરી હતી. ED આ સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. હવે ED એ આ સ્ટાર્સની સંપત્તિ જપ્ત કરશે.
- Smit Chauhan
- Updated on: Sep 28, 2025
- 8:11 pm
ગુરુ કરતા આગળ નીકળ્યો ચેલો, અભિષેક શર્માએ યુવરાજ સિંહને પાછળ છોડ્યો, પાવરપ્લેમાં બન્યો નંબર 1 બેટ્સમેન
એશિયા કપના સુપર 4 મેચમાં બાંગ્લાદેશ સામે અભિષેક શર્માએ 37 બોલમાં 75 રન બનાવ્યા. અભિષેક શર્માએ આ દરમિયાન કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી. તેણે યુવરાજ સિંહને પણ પાછળ છોડી દીધો હતો.
- Smit Chauhan
- Updated on: Sep 24, 2025
- 10:40 pm
Breaking News : યુવરાજ સિંહ અને રોબિન ઉથ્પ્પાની મુશ્કેલીઓ વધી, EDએ પુછરછ માટે બોલાવ્યા
એવા સમાચાર છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ બંને પહેલા ED સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરી ચૂકી છે. ચાલો જાણીએ કે ED એ ઉથપ્પા અને યુવરાજને કેમ સમન્સ પાઠવ્યા.
- Nirupa Duva
- Updated on: Sep 16, 2025
- 12:51 pm
‘પીઠમાં છરા મારનાર’… યુવરાજ સિંહ અને વિરાટ કોહલીની મિત્રતા પર પિતાજીનું ચોંકાવનારું નિવેદન
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. ઘણીવાર એમએસ ધોની પર નિશાન સાધતા યોગરાજે આ વખતે વિરાટ કોહલી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે બધા યુવરાજ સિંહથી ડરતા હતા. સાથે જ તેમણે કોહલી અને યુવરાજની દોસ્તી અને પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Sep 5, 2025
- 9:57 pm
ભારતીય ક્રિકેટના 7 સૌથી ધનિક ક્રિકેટરો કોણ છે ? ‘થાલા’ અને ‘કિંગ કોહલી’ને છોડો, છેલ્લું નામ જોઈને તમે પણ ચોંકી ઊઠશો
ભારતના સૌથી ધનિક ક્રિકેટરો માત્ર ક્રિકેટ જગતથી જ નહીં પરંતુ બ્રાન્ડ ડીલ્સ અને બિઝનેસથી પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જાણો ભારતના 7 એવા ખેલાડીઓ વિશે કે, જેમણે કમાણીમાં પણ નવા રેકોર્ડ બનાવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Aug 8, 2025
- 7:56 pm
સારા તેંડુલકર જોતી રહી ગઈ, શુભમન ગિલ અજાણી છોકરી સાથે.. અને વીડિયો થઈ ગયો વાયરલ
વીડિયોમાં શુભમન ગિલ એક અજાણી છોકરી સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન, સારા તેંડુલકર, તેના પરિવાર સાથે બેઠેલી, શુભમન ગિલ તરફ પાછળ જોતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jul 19, 2025
- 8:13 pm
WCL 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં યોજાશે મુકાબલો
ભારત-પાકિસ્તાન મેચની રાહ જોતા ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં જ આ બંને દેશો વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. બંને દેશના દિગ્ગજ ક્રિકેટરોમાં મેચમાં રમશે. જાણો ક્યારે અને કયા યોજાશે આ મુકાબલો.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2025
- 5:55 pm
શુભમન ગિલ અને સચિનની લાડલી સારા તેંડુલકર ઇંગ્લેન્ડમાં સાથે..! લીક થઈ ગયો Photo
ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. તાજેતરમાં, ભારતીય ટીમના ખેલાડીઓએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા આયોજિત ચેરિટી ડિનરમાં હાજરી આપી હતી. આ દરમિયાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ જોવા મળી હતી.
- Sagar Solanki
- Updated on: Jul 9, 2025
- 6:29 pm
Breaking News : યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના મુશ્કેલીમાં, EDએ પૂછપરછ કરી
યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ત્રણેયે તે સટ્ટાબાજી એપ્લિકેશનને સમર્થન આપ્યું છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પહેલાથી જ તપાસ કરી રહ્યું છે. જાણો શું છે આખો મામલો?
- Nirupa Duva
- Updated on: Jun 17, 2025
- 1:06 pm
Breaking News : યુવરાજ સિંહ બનશે ગુજરાત ટાઈટન્સનો બેટિંગ કોચ ? જાણો શું છે સત્ય
ટીમ ઈન્ડિયાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહ હાલમાં ગુજરાત ટાઈટન્સ ટીમ સાથે જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, સમાચાર આવી રહ્યા છે કે કદાચ તે GT સાથે નવી ઈનિંગ શરૂ કરી શકે છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્લેઓફ પહેલા ગુજરાત ટાઈટન્સને લીગ મેચોમાં સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં GTનો કોચ આશિષ નેહરા યુવરાજ સિંહને ટીમમાં સામેલ કરી મોટો માસ્ટર સ્ટ્રોક રમી શકે છે.
- Smit Chauhan
- Updated on: May 27, 2025
- 5:21 pm