
દુબઈ
દુબઈ એ સંયુક્ત આરબ અમીરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. દુબઈ અમીરાતની રાજધાની છે. જેમાં 7 રાજાશાહીઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. 18 મી સદીમાં એક નાનકડા માછીમારી ગામ તરીકે સ્થાપવામાં આવેલુ હતુ. આ શહેર 21મી સદીની શરૂઆતમાં પર્યટન અને લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી વિકસ્યું છે. વિશ્વમાં સૌથી વધારે ફાઈવ – સ્ટાર હોટેલો ધરાવતું બીજા નંબરનું શહેર છે. દુબઈમાં બુર્જ ખલીફા જે અડધા માઈલથી વધુ ઊંચી છે અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે.
દુબઇ પર્શિયન અખાતને કાંઠે અરબ સાગર પાસે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલુ છે. તેની દક્ષિણે અબુધાબી અને ઉત્તર-પુર્વમાં શારજાહની અમીરાતો આવેલ છે. દુબઈનો મોટાભાગનો પ્રદેશ અરેબીયન રણનો બનેલો છે. દુબઇની આબોહવા સુકી અને ગરમ રણ પ્રદેશ પ્રકારની છે. દિવસ દરમ્યાન તાપમાન ખુબ જ ઉંચુ અને રાત્રે ઠંડુ હોય છે. આખા વર્ષ દરમ્યાન અતી અલ્પમાત્રામાં વરસાદ વરસે છે. ઉનાળામાં તાપમાન 40 ડિગ્રી જેટલુ રહેતુ હોય છે.
Breaking News : Big Boss 16 ફેમ અબ્દુ રોજિકની દુબઈમાં ધરપકડ, શું છે આરોપ…જાણો
બિગ બોસ 16નો ભાગ રહેલા પ્રખ્યાત તાજિકિસ્તાની ગાયક અબ્દુ રોજિકની દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર, અબ્દુને ચોરીના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jul 12, 2025
- 10:16 pm
23 લાખ રૂપિયાના Golden Visaનું સ્વપ્ન ચકનાચૂર, UAE એ દાવાઓને નકારી કાઢ્યા, કહ્યું- આ બનાવટી દાવા છે
Golden Visa: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ સ્પષ્ટતા કરી છે કે ભારતીયો અને બાંગ્લાદેશી નાગરિકો માટે એક લાખ દિરહામમાં કોઈ ગોલ્ડન વિઝા ઉપલબ્ધ નથી. UAE સરકાર નોમિનેશનના આધારે નવો ગોલ્ડન વિઝા શરૂ કરી રહી છે તેવા સમાચાર પછી આ સ્પષ્ટતા આવી છે.
- Meera Kansagara
- Updated on: Jul 10, 2025
- 9:58 am
News9 Global Summitમાં બોલ્યા સુનીલ શેટ્ટી-વિરાટનો સંન્યાસ મોટું નુકસાન,રાહુલ પોતાના બેટથી આપશે જવાબ
દુબઈમાં 3 દિવસ સુધી ચાલનાર News9 Global Summit 2025ના પહેલા દિવસે અનેક દિગ્ગજો અને ફેમસ હસ્તીઓએ ભાગ લીધો હતો. જેમાંથી એક બોલિવુડ અન્ના સુનીલ શેટ્ટી છે. જેમણે માત્ર ઈન્ડસ્ટ્રી પર જ ચર્ચા નહી કરી પરંતુ પોતાના બીજા પ્રેમ ક્રિકેટ પર ખુલ્લીને વાત કરી હતી.
- Nirupa Duva
- Updated on: Jun 20, 2025
- 10:24 am
મોટી સંખ્યામાં ભારતીયો UAEને પોતાનું ઘર બનાવી રહ્યા છે, ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવી વાત
UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું કે, "અબુ ધાબીમાં આવેલું BAPS હિન્દુ મંદિર આ દેશનું પહેલું હિન્દુ મંદિર છે. પરંતુ આ મંદિર ભારત અને UAE વચ્ચેના સંબંધોનું એક નાનું પ્રતિનિધિત્વ છે. તે સંવાદિતા અને સદ્ભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. બુર્જ ખલીફાની જેમ, આજે તે આ દેશની પ્રતિષ્ઠિત વસ્તુઓમાં ગણાય છે."
- Dhinal Chavda
- Updated on: Jun 19, 2025
- 2:44 pm
તેલ સિવાય પણ UAE સાથે ભારતની મજબૂત ભાગીદારી, News9 ગ્લોબલ સમિટમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું
TV9 નેટવર્ક દુબઈમાં તેની બીજી ન્યૂઝ 9 ગ્લોબલ સમિટનું આયોજન કરી રહ્યું છે. આજના સમિટને ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ સંબોધિત કર્યું હતું. ચાલો જાણીએ તેમના મહત્વપૂર્ણ મુદ્દાઓ.
- Meera Kansagara
- Updated on: Jun 19, 2025
- 2:33 pm
News9 Global Summitની દુબઈમાં શરુઆત, TV9 નેટવર્કના MD અને CEOએ ભારત અને UAEની પાર્ટનરશીપને ખાસ ગણાવી
ટીવી9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે કહ્યું, "યુએઈની સફળતા તેણે બનાવેલા અનોખા ડીએનએમાં રહેલી છે. તેથી, ટીવી9 નેટવર્કે દુબઈમાં તેનું બીજું આંતરરાષ્ટ્રીય ન્યૂઝ9 ગ્લોબલ સમિટ યોજવાનું નક્કી કર્યું તે આશ્ચર્યજનક નથી." પ્રગતિ અને સમૃદ્ધિ સંવાદિતા અને શાંતિના ભોગે નહીં: બરુણ દાસ
- Devankashi rana
- Updated on: Jun 19, 2025
- 1:12 pm
News9 Global Summit : News9ની બીજી વૈશ્વિક સમિટ 19મી જૂને દુબઈમાં યોજાશે, ભારત-UAE વચ્ચેની ભાગીદારી પર રહેશે ફોક્સ
News9 નું બીજું આંતરરાષ્ટ્રીય સમિટ, "ભારત-UAE : સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભાગીદારી", આવતીકાલ ગુરુવારે દુબઈમાં યોજાશે. તેમાં નીતિના ઘડવૈયાઓ, નીતિના નિર્માતાઓ, વ્યવસાયિક નેતાઓ, ટેક ક્ષેત્રના નિષ્ણાતો, બોલીવુડ સેલિબ્રિટી સહિત ઘણા પ્રભાવશાળી અગ્રણી વ્યક્તિઓ સામેલ થશે. આ પરિષદ ભારત અને UAE વચ્ચે વધતા જતા આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત હશે, જેમાં CEPA, IMEC જેવા મહત્વપૂર્ણ પાસાઓની પણ ચર્ચા કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jun 18, 2025
- 5:06 pm
Air India Plane Crashમાં મૃત્યુ પામનાર ડોક્ટર્સના પરિવારોને 1 કરોડ રુપિયા મળશે, UAEના એક તબીબે બતાવી દરિયાદીલી
અમદાવાદમાં BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાના દુ:ખદ અકસ્માતથી દુઃખી, UAEના પ્રખ્યાત ડોક્ટર અને બુર્જિલ હોલ્ડિંગ્સના ચેરમેન ડૉ. શમશીર વાયલીલે પીડિતો અને તેમના પરિવારોને મદદ કરવા માટે 6 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ સહાય રકમ મૃતકોના પરિવારો, ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓ અને ડોકટરોને વહેંચવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jun 17, 2025
- 1:46 pm
ભારત સામે પુંછડી પટપટાવી રહ્યા છે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો, બિન બુલાયે મહેમાન થયા, આમંત્રણ વગર કાર્યક્રમમાં પહોંચી ગયા
પહેલગામ આંતકી હુમલો અને ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ માત્ર પાકિસ્તાની આતંકવાદીઓનો બચાવ કર્યો ન હતો પરંતુ સાથે ભારતીય સેના વિશે અપશબ્દો પણ કહ્યા હતા. આ વચ્ચે હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ભારતીય લોકો શાહિદ આફ્રિદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ […]
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2025
- 1:03 pm
ભારતનો જમાઈ પાકિસ્તાન જશે, આ ટીમનો કોચ બનાવવામાં આવ્યો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન અને યુએઈ પ્રવાસ માટે ભારતના જમાઈને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર હવે બાંગ્લાદેશ ટીમ સાથે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. બાંગ્લાદેશની ટીમ T20 શ્રેણી રમવા માટે આ બે દેશોનો પ્રવાસ કરશે.
- Smit Chauhan
- Updated on: May 12, 2025
- 10:03 pm
Breaking News: 12 દિવસ બાદ પાકિસ્તાનમાં ફરી થવા જઈ રહ્યુ છે કંઈક મોટુ ! ખુદ પાકિસ્તાનની મોટી બેંક એ કર્યો ખૂલાસો
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં તખ્તાપલટ અથવા માર્શલ લો લાગુ થવાની આશંકા પ્રબળ બની રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાકિસ્તાનના ટોચના નેતાઓએ અને મોટા સૈન્ય અધિકારીઓએ એક મોટી રકમ વિદેશોમાં જેમા પણ ખાસકરીને દુબઈની બેંકોમાં જમા કરાવી છે.
- Mina Pandya
- Updated on: May 11, 2025
- 6:40 pm
PSL માટે PCBએ વિદેશી ખેલાડીઓના જીવ જોખમમાં મૂક્યા, પાકિસ્તાનની ‘નાપાક’ હરકતની પોલ ખૂલી ગઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને હુમલાઓ છતાં પાકિસ્તાને વિદેશી ખેલાડીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. PSLના એક ખેલાડીએ ખુલાસો કર્યો હતો કે PCBના ચેરમેન મોહસીન નકવી વિદેશી ખેલાડીઓના જીવ જોખમમાં મૂકીને બાકીની મેચોનું આયોજન કરાચીમાં જ કરવા માંગતા હતા. જો કે ખેલાડીઓ દુબઈમાં બાકીની મેચ યોજવા મક્કમ રહ્યા હતા. PSLના ખેલાડીએ પાકિસ્તાનની 'નાપાક' હરકતની પોલ ખોલી હતી.
- Smit Chauhan
- Updated on: May 10, 2025
- 10:31 pm
Breaking News : UAEએ પાકિસ્તાનના મોઢા પર મારી થપ્પડ, PSL 2025નું આયોજન કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો
ભારત-પાકિસ્તાન તણાવને કારણે, પાકિસ્તાની બોર્ડની T20 લીગ, PSL 2025 ને અધવચ્ચે જ સ્થગિત કરવી પડી. આ પછી, PCB એ ટુર્નામેન્ટની બાકીની મેચો UAE માં યોજવાની જાહેરાત કરી હતી. પણ હવે, પાકિસ્તાની ઈચ્છા પણ વ્યર્થ જતી લાગે છે. અમીરાત ક્રિકેટ બોર્ડ તેમને ટુર્નામેન્ટનું આયોજન કરવાની પરવાનગી આપવા તૈયાર નથી.
- Smit Chauhan
- Updated on: May 9, 2025
- 7:59 pm
India Pakistan War : પાકિસ્તાની વ્યક્તિએ ‘ઓપરેશન સિંદૂર’ વિશે મોટી વાત કહી, દરેક ભારતીયનું દિલ જીતી લીધું
વાયરલ વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિએ ભારતના ઓપરેશન સિંદૂરના વખાણ દિલ ખોલીને કર્યા છે. તો ચાલો જાણીએ આ વાયરલ વીડિયોમાં પાકિસ્તાનનો એક વ્યક્તિ શું કહી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: May 9, 2025
- 1:56 pm
Dubai Murder : દુબઈમાં પાકિસ્તાનીએ બે ભારતીયોની કરી હત્યા, અલ્લાહ-અલ્લાહના નારા લગાવી કર્યા છરીથી ઘા
દુબઈમાં એક પાકિસ્તાની નાગરિકે તેલંગાણાના બે મજૂરોની હત્યા કરી છે.11 એપ્રિલના રોજ, દુબઈમાં મોર્ડન બેકરી એલએલસીમાં કામ કરતી વખતે અષ્ટાપુ પ્રેમ સાગર અને શ્રીનિવાસ પર એક પાકિસ્તાની નાગરિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બંનેએ જીવ ગુમાવ્યા. હુમલો કરનાર પાકિસ્તાની નાગરિકે બંનેને મારતી વખતે જોરથી ધાર્મિક નારા લગાવ્યા હતા.
- Dhinal Chavda
- Updated on: Apr 18, 2025
- 4:13 pm