AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અચાનક થયો બીમાર

રવિવાર 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને આ ચિંતાજનક સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અચાનક થયો બીમાર થઈ ગયો છે, જેના કારણે હવે પાકિસ્તાન સામેની મેચના દિવસે ટીમ ઈન્ડિયા પાસે ફક્ત એક જ વિકેટકીપર હશે.

| Updated on: Feb 22, 2025 | 7:26 PM
Share
રવિવાર 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં સૌથી મોટી ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાને એક ખરાબ સમાચાર મળ્યા છે.

રવિવાર 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં સૌથી મોટી ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાને એક ખરાબ સમાચાર મળ્યા છે.

1 / 6
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત મેચના એક દિવસ પહેલા બીમાર પડી ગયો છે. પંતની બીમારીએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાની પાસે કેએલ રાહુલના રૂપમાં ફક્ત એક જ વિકેટકીપર છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત મેચના એક દિવસ પહેલા બીમાર પડી ગયો છે. પંતની બીમારીએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાની પાસે કેએલ રાહુલના રૂપમાં ફક્ત એક જ વિકેટકીપર છે.

2 / 6
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શુભમન ગિલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે યોજાનારી મોટી મેચના એક દિવસ પહેલા પંત વિશે આ માહિતી આપી હતી. 22 ફેબ્રુઆરી, શનિવારના રોજ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પછી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે ખુલાસો કર્યો કે પંત અચાનક બીમાર પડી ગયો હતો, જેના કારણે તે આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નહીં. ભારતીય વાઈસ કેપ્ટને કહ્યું કે પંત વાયરલ તાવથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તેને આ પ્રેક્ટિસ સત્રમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શુભમન ગિલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે યોજાનારી મોટી મેચના એક દિવસ પહેલા પંત વિશે આ માહિતી આપી હતી. 22 ફેબ્રુઆરી, શનિવારના રોજ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પછી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે ખુલાસો કર્યો કે પંત અચાનક બીમાર પડી ગયો હતો, જેના કારણે તે આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નહીં. ભારતીય વાઈસ કેપ્ટને કહ્યું કે પંત વાયરલ તાવથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તેને આ પ્રેક્ટિસ સત્રમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

3 / 6
હવે બધાની નજર તેના પર છે કે રવિવારની મેચ પહેલા પંત ફિટ થઈ શકશે કે નહીં. જોકે, પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર કોઈ અસર કરશે નહીં, કારણ કે આ મેચમાં પણ તેના માટે રમવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ માટે કેએલ રાહુલને પોતાના પહેલા વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ રાહુલ જ ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર હતો. આવી સ્થિતિમાં પંતને બીજી મેચમાં પણ સ્થાન મળવાનું નહોતું.

હવે બધાની નજર તેના પર છે કે રવિવારની મેચ પહેલા પંત ફિટ થઈ શકશે કે નહીં. જોકે, પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર કોઈ અસર કરશે નહીં, કારણ કે આ મેચમાં પણ તેના માટે રમવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ માટે કેએલ રાહુલને પોતાના પહેલા વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ રાહુલ જ ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર હતો. આવી સ્થિતિમાં પંતને બીજી મેચમાં પણ સ્થાન મળવાનું નહોતું.

4 / 6
આમ છતાં પંતનું બીમાર પડવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે જો મેચ પહેલા અથવા દરમિયાન રાહુલને કંઈક થાય અને પંત પણ ફિટ ન રહે, તો ટીમ ઈન્ડિયાને વિકેટકીપર પસંદ કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે. આ બે સિવાય ભારતીય ટીમમાં ત્રીજો મુખ્ય વિકેટકીપર નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આશા રાખશે કે રાહુલ સંપૂર્ણપણે ફિટ રહે, સાથે જ પંત ​​પણ શક્ય તેટલી વહેલી તકે તાવમાંથી સ્વસ્થ થઈ જાય.

આમ છતાં પંતનું બીમાર પડવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે જો મેચ પહેલા અથવા દરમિયાન રાહુલને કંઈક થાય અને પંત પણ ફિટ ન રહે, તો ટીમ ઈન્ડિયાને વિકેટકીપર પસંદ કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે. આ બે સિવાય ભારતીય ટીમમાં ત્રીજો મુખ્ય વિકેટકીપર નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આશા રાખશે કે રાહુલ સંપૂર્ણપણે ફિટ રહે, સાથે જ પંત ​​પણ શક્ય તેટલી વહેલી તકે તાવમાંથી સ્વસ્થ થઈ જાય.

5 / 6
મેચની વાત કરીએ તો, 2023ના વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી ટક્કર છે, જ્યારે એશિયા કપ 2018 પછી તેઓ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી વાર આ ફોર્મેટમાં ટકરાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા હેટ્રિક પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન કોઈપણ ભોગે આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. (All Photo Credit : PTI / GETTY)

મેચની વાત કરીએ તો, 2023ના વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી ટક્કર છે, જ્યારે એશિયા કપ 2018 પછી તેઓ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી વાર આ ફોર્મેટમાં ટકરાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા હેટ્રિક પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન કોઈપણ ભોગે આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. (All Photo Credit : PTI / GETTY)

6 / 6

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રિષભ પંત સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વાંચવા કરો ક્લિક

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">