ઋષભ પંત
ઋષભ પંતનો જન્મ ભારતના ઉત્તરાખંડના રૂડકીમાં રાજેન્દ્ર પંત અને સરોજ પંતને ત્યાં થયો હતો. પંતને એક બહેન છે જેનું નામ સાક્ષી છે. 12 વર્ષની ઉંમરે પંત તેની માતા સાથે ક્રિકેટ એકેડમીમાં તાલીમ લેવા માટે દિલ્હી જતો હતો. પંતનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તે આસામ સામે દિલ્હી તરફથી U-19 ક્રિકેટ રમી રહ્યો હતો. પંતે તેની પ્રથમ ઇનિંગમાં 35 રન બનાવ્યા હતા અને પછી બીજા દાવમાં 150 રન બનાવ્યા હતા, જે તેની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ઇનિંગ હતી.
1 ફેબ્રુઆરી 2016ના રોજ, 2016ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, પંતે નેપાળ સામે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આ સ્તરે સૌથી ફાસ્ટ હતી.ઋષભના પિતાનું મૃત્યુ એપ્રિલ 2017માં કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. પિતાના અંતિમ સંસ્કાર કરી પંત ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો.ઋષભ પંતે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે.
20 વર્ષની ઉંમરે ઋષભ પંતે T20 ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ઋષભ પંતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. 30 ડિસેમ્બરના રોજ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો, 30 ડિસેમ્બર,2022ના રોજ તે મધરાત્રે દિલ્હીથી પોતાના ઘર રુડકી તરફ થઈ રહ્યો હતા, ત્યારે જ તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવેના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. છેલ્લા એક વર્ષથી ક્રિકેટના મેદાનથી પંત દુર છે.
Breaking News: લખનૌની જીત બાદ કેપ્ટન રિષભ પંતને લાગ્યો ઝટકો, BCCI એ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ
IPL ટાઈટલ રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલા લખનૌએ ચેન્નાઈને હરાવ્યું હતું. પરંતુ આ જીત સાથે ટીમના કેપ્ટન રિષભ પંતને મોટો ઝટકો લાગ્યો હતો. BCCI એ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતને પણ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
- Smit Chauhan
- Updated on: May 16, 2026
- 5:05 pm
Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 59 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 15, 2026
- 8:30 pm
Breaking News: એક-બે નહીં, ચાર-ચાર કેપ્ટનોની થશે છુટ્ટી, IPL 2026 પૂરું થતા જ કેપ્ટનશીપનો અંત
IPL 2026 માં કેટલીક ટીમોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. હવે આગામી સિઝનમાં તે ટીમના કેપ્ટનો પોતાનું સ્થાન ગુમાવવાના છે. જાણો ક્યા ખેલાડીઓ તેમની કેપ્ટનશીપ ગુમાવી શકે છે.
- Smit Chauhan
- Updated on: May 14, 2026
- 4:46 pm
Rishabh Pant: ઋષભ પંત પડ્યો ઘૂંટણિયે, RCB સામેની મેચ પહેલા જ હાર સ્વીકારી…! જાણો
આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સના નબળા પ્રદર્શનથી કેપ્ટન રિષભ પંતે ખુલ્લી નિરાશા વ્યક્ત કરી છે. 9 મેચમાંથી માત્ર 2 જીત સાથે LSG પ્લેઓફ રેસમાંથી લગભગ બહાર છે.
- Sagar Solanki
- Updated on: May 7, 2026
- 9:49 pm
Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 49 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: May 7, 2026
- 7:19 pm
MI vs LSG Playoff Scenarios : રોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સથી મુંબઈની પ્લેઓફની આશા જીવંત!
વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2026ની 47મી મેચમાં મુંબઈએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા લખનૌએ 228 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.
- Dhruval Shah
- Updated on: May 5, 2026
- 8:10 am
MI vs LSG : ખરાબ ફોર્મ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સનો સંઘર્ષ, લખનૌ સામે મહત્વની ટક્કર
મુંબઈ ઈન્ડિયન્સને IPL પ્લેઓફમાં સ્થાન મેળવવાના મુશ્કેલ માર્ગમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો તેમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે 04 મે 2026 સોમવારના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે.
- Dhruval Shah
- Updated on: May 4, 2026
- 11:02 am
Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 38 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 28, 2026
- 6:47 pm
Breaking News: 77 કરોડના આ 5 કેપ્ટન પોતાની જ ટીમ પર પડી રહ્યા છે ભારે, ખરાબ પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર કાઢવું મુશ્કેલ!
IPL 2026 માં પાંચ કેપ્ટનોએ સતત ખરાબ પ્રદર્શન કર્યું છે, જે તેમની ટીમો માટે મોટી સમસ્યા બની ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પાંચ ખેલાડીઓ મળીને ₹76.85 કરોડ કમાય છે, પરંતુ તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ 5 કેપ્ટનો અને તેમના પ્રદર્શન પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 24, 2026
- 6:53 pm
Breaking News: IPL 2026માં ત્રીજીવાર રિષભ પંત થયો ઈજાગ્રસ્ત, બોલ સીધો તેના નાક પર વાગ્યો, જાણો કેવી રીતે થયો અકસ્માત
લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વિકેટકીપિંગ કરતી વખતે લખનૌના કેપ્ટન રિષભ પંતના નાક પર બોલ વાગ્યો હતો. પંતને બોલ વાગતાની સાથે જ મેચ તાત્કાલિક રોકવી પડી હતી. IPL 2026માં ત્રીજીવાર રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. જાણો કેવી રીતે બની આ ઘટના.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 10:09 pm
Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 32 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રાજસ્થાન રોયલ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 7:24 pm
Breaking News: જો કેપ્ટન ના હોત, તો ટીમમાંથી બહાર થઈ ગયા હોત આ 6 સ્ટાર ખેલાડીઓ
IPLની 19 સિઝનમાં હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ 3 માં સામેલ પંજાબ, RCB અને હૈદરાબાદ ટીમના મજબૂત પ્રદર્શનનું મુખ્ય કારણ તેમના કેપ્ટનોનું મજબૂત પ્રદર્શન છે. તો બીજી તરફ ચારથી દસમાં ક્રમની ટીમોના કેપ્ટનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેની અસર ટીમના પ્રદર્શન પર પણ પડી છે. જો આ છ સ્ટાર ખેલાડીઓ કેપ્ટન ના હોત તો કદાચ તેમની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ હોત. જાણો કોણ છે આ કેપ્ટનો.
- Smit Chauhan
- Updated on: Apr 22, 2026
- 5:38 pm
Breaking News: IPL 2026માં પહેલી 30 મેચ પછી કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ, જાણો કોણ ફેલ કોણ પાસ
IPL 2026 ની પહેલી 30 મેચ પછી બધા 10 કેપ્ટનોના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ રિપોર્ટ કાર્ડ તેમની કેપ્ટનશીપ વિશે નથી, પરંતુ બેટ અને બોલ સાથેના તેમના પ્રદર્શન વિશે છે. દસમાંથી ફક્ત ચાર કેપ્ટન પાસ થયા છે, એટલે કે તેમનું પ્રદર્શન બ્લોકબસ્ટર રહ્યું છે. બાકીના છ કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, એટલે કે તેમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે કયા ચાર કેપ્ટન પાસ થયા અને કયા છ નિષ્ફળ ગયા. તો ચાલો દરેક પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Apr 21, 2026
- 6:05 pm
IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ
IPL 2026 માં પંજાબ કિંગ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સને ઋષભ પંતનો DRS ન લેવાનો નિર્ણય ભારે પડ્યો. 4 રન પર LBW હોવા છતાં કૂપર કોનોલીને જીવનદાન મળ્યું.
- Sagar Solanki
- Updated on: Apr 19, 2026
- 10:41 pm
Breaking News: રિષભ પંત સાથે રોહિત શર્મા જેવી જ ઘટના બની, આઉટ થયા વિના જ મેદાન છોડવું પડ્યું
IPL 2026 ની 23મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો. ટીમના કેપ્ટન રિષભ પંતે ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. જોશ હેઝલવુડનો બોલ તેને કોણીમાં વાગ્યો અને પંત ઈજાગ્રસ્ત થયો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 15, 2026
- 9:24 pm