ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

ઈંગ્લેન્ડને ક્રિકેટનું જન્મસ્થળ માનવામાં આવે છે. પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. અહીંથી ઉદ્દભવેલી આ રમત આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે.ઈંગ્લેન્ડને હંમેશા મજબૂત ટીમ તરીકે જોવામાં આવે છે. જોકે, આ ટીમને તેનો પહેલો વર્લ્ડ કપ જીતવામાં ઘણો સમય લાગ્યો હતો. પોલ કોલિંગવુડની કપ્તાની હેઠળ, આ ટીમે 2010માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જે તેનો પહેલો વર્લ્ડ કપ હતો.

2019 માં, ઈયોન મોર્ગનની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડે તેનો પ્રથમ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા આ ટીમ ત્રણ વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. વર્ષ 1979માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યાં વેસ્ટ ઈન્ડિઝે આ ટીમને હરાવી હતી.
1987 અને 1992માં પણ આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી પાકિસ્તાન સામે હારી હતી. 2019માં, ઈંગ્લેન્ડે બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ન્યૂઝીલેન્ડને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો.

આ ટીમ પ્રથમ બે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. જોકે, ઈંગ્લેન્ડની મહિલા ટીમ વનડેમાં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમે વર્ષ 1973, 1993, 2009 અને 2017માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. 2009માં ઈંગ્લેન્ડની મહિલા ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

 

Read More

IPL 2024 દરમિયાન પાકિસ્તાનને મોટી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે BCCI, બોર્ડે બનાવ્યો માસ્ટર પ્લાન

IPLની વચ્ચે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સાથે T20 સિરીઝ રમવા માંગે છે. આ માટે ECBએ તેના આઠ ખેલાડીઓને IPLમાંથી પાછા બોલાવ્યા છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ મોટી યોજના બનાવી હતી. પરંતુ BCCIએ પાકિસ્તાનની આ યોજનાને બગાડવાનો નિર્ણય લીધો છે.

ક્રિકેટ જગત માટે શોકના સમાચાર, ઈંગ્લેન્ડના ખેલાડીનું 20 વર્ષની વયે થયું અવસાન

ઈંગ્લેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર ​​જોશ બેકરનું ગુરુવારે અવસાન થયું. બેકર વર્સેસ્ટરશાયર માટે રમતા હતા અને ક્લબે તેમને દુ:ખદ સમાચારની જાણ કરતી પ્રેસ રિલીઝ બહાર પાડી હતી. જોશ તેમના જન્મદિવસના બે અઠવાડિયા પહેલા મૃત્યુ પામ્યો હતો.

T20 World Cup : ટીમ ઈન્ડિયા ટાઈટલ તો છોડો સેમી ફાઈનલ સુધી પણ પહોંચે તેવું લાગતું નથી, જાણો કોણે કર્યો આવો દાવો

ભારતે 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યારથી તે આ ટ્રોફી ફરી જીતી શક્યું નથી. ટીમ ઈન્ડિયાએ 2014માં એક ફાઈનલ રમી હતી, જ્યારે ટીમ 2-3 વખત સેમી ફાઈનલમાં પણ પહોંચી હતી, પરંતુ તેમ છતાં ટાઈટલ જીતી શકી ન હતી. એવામાં આ વખતે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનશે એવી ફેન્સને આશા છે, જોકે એક એવું વ્યક્તિ છે જેણે કહ્યું હે ભારત આ વખતે સેમી ફાઈનલમાં પણ નહીં પહોંચે. જેને ભારતીય ફેન્સે જોરદાર જવાબ પણ આપ્યો છે.

T20 World Cup 2024: ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 13 મહિના બાદ ઘાતક બોલરની વાપસી

ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત બાદ હવે ઈંગ્લેન્ડે પણ ટીમની જાહેરાત કરી છે. કોણીની ઈજાના કારણે એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેલા જોફ્રા આર્ચરની ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન જોસ બટલરના હાથમાં છે. ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ મોટેભાગના બેટ્સમેન હાલ IPLમાં ધમાલ મચાવી રહ્યા છે.

IPL 2024માં વર્લ્ડકપ પહેલા આવ્યા મોટા સમાચાર, આ ખેલાડી નહીં રમે T20 World Cup 2024

ટી 20 વર્લ્ડકપ 2024ની શરુઆત 1 જૂનથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાંથી એક ખેલાડીએ પોતાનું નામ પરત લઈ લીધું છે. તમને જણાવી દઈએ કે, ક્રિકેટરે નિર્ણય લીધો છે કે, તે ટી 20 વર્લ્ડકપમાં રમશે નહિ.

હેરી બ્રુકે જણાવ્યું IPL છોડવાનું કારણ, દિલ તોડનારી ઘટના બાદ લીધો આ નિર્ણય

ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ IPL સિઝનની શરૂઆત પહેલા વિવિધ કારણોસર પોતાના નામ પાછા ખેંચી લે છે, જેના કારણે ટીમો અને ચાહકોમાં નારાજગી છે. હેરી બ્રુકને લઈને પણ આવા જ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડના આ યુવા બેટ્સમેને એક દિલધડક કારણ આપ્યું છે, જેના કારણે ભાગ્યે જ કોઈ તેના નિર્ણય પર સવાલ ઉઠાવશે.

IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવી 112 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની ટીમ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું પરંતુ ભારતે આ મેચ જીતી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ભારતને તે પ્રકારની સ્પર્ધા ન આપી શકી જેની અપેક્ષા હતી. પરિણય એ આવ્યું કે ભારતે સતત ચાર મેચ જીતી ટેસ્ટ સિરીઝ 4-1થી પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો હતો.

WTC Points Table: ટીમ ઈન્ડિયાની બાદશાહતમાં લાગ્યા ચાર ચાંદ, ઈંગ્લેન્ડની હાલત કંગાળ

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ધર્મશાળા ટેસ્ટમાં ભવ્ય જીત મેળવવા સાથે જ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની બાદશાહતને વધારે મજબૂત કરી દીધી છે. ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમે એક ઈનીંગ અને 64 રનથી ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યુ છે.

ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને મળી ખુશખબર, BCCIએ વધાર્યો પગાર

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ ધર્મશાલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રને હરાવ્યું અને આ સાથે જ સિરીઝ 4-1થી જીતી લીધી. આના થોડા સમય બાદ BCCI સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી અને ખેલાડીઓની ફીમાં નોંધપાત્ર વધારો કર્યો.

IND vs ENG: ભારતીય ટીમનો ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે એક ઈનીંગ અને 64 રનથી ભવ્ય વિજય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ઘર આંગણે રમાઈ રહી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 4-1 થી શાનદાર જીત સિરીઝ જીતી લીધી છે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી હતી. જ્યાં ભારતે એક ઈનીંગ અને 64 રનથી ઈંગ્લેન્ડ સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો.

IND vs ENG: અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, હેડલીની કરી બરાબરી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ છે. આ સિરીઝમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. અંતિમ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે, જ્યાં પ્રથમ દાવમાં બેટર્સ ધમાલ મચાવ્યા બાદ હવે બોલરો ધમાલ મચાવીને અંગ્રેજોને પરસેવો છોડાવી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામે હવે મોટી હારનો ખતરો તોળાયો છે.

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, નોંધાયા 5 વિશ્વ વિક્રમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ શરુઆતથી જ નોંધાયો છે. સિક્સર એટલી વરસી છે કે, 5 વિશ્વ વિક્રમ નોંધાઈ ચૂક્યા છે. તો છગ્ગા ફટકારવામાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ સિક્સર કિંગ તરીકે ઉભરી આવ્યો છે. જયસ્વાલે સિરીઝમાં અંગ્રેજ બોલરોની ધુલાઇ કરતા સૌથી વધારે છગ્ગા ફટકાર્યા છે.

ખરાબ રમત નહીં નકારાત્મક વિચારસરણીને કારણે હારશે ઈંગ્લેન્ડ, આખી સિરીઝમાં કરી ભૂલો

ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે ભારતે મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. ભારતીય ટીમ પાસે હાલમાં 255 રનની લીડ છે. ઈંગ્લેન્ડની ટીમે હજુ ભારતના પૂંછડીના બેટ્સમેનોને આઉટ કરવાના છે. ઈંગ્લેન્ડ પાસેથી આવા ખરાબ પ્રદર્શનની કોઈને અપેક્ષા નહોતી. હવે સવાલ એ છે કે ભારતમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખરાબ રહ્યું તેની પાછળ જવાબદાર કોણ છે? તો આ નનો જવાબ છે તેમની નકારાત્મક વિચારસરણી.

બેન સ્ટોક્સે 9 મહિના બાદ કરી બોલિંગ, પહેલા જ બોલ પર થયો કમાલ, જુઓ Video

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને ગયા વર્ષે ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેથી જ તે બોલિંગ કરી રહ્યો ન હતો, પરંતુ ધર્મશાળા ટેસ્ટ મેચ પહેલા તેણે ઈશારો કર્યો હતો કે તે બોલિંગ કરશે અને તેણે તેમ કર્યું. નવ મહિના પછી સ્ટોક્સે બોલિંગ કરી અને પહેલા જ બોલ પર રોહિતને બોલ્ડ કર્યો હતો.

ધર્મશાળા ટેસ્ટમાં ખરાબ સ્થિતિ સર્જાતા ઈંગ્લેન્ડના બહાના શરૂ થઈ ગયા

ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જીત સાથે શ્રેણીની મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ત્યારપછી દરેક ટેસ્ટમાં તેમની હાલત ખરાબ થતી ગઈ અને હવે પાંચમી ટેસ્ટમાં બેન સ્ટોક્સની ટીમ બીજા દિવસે પણ ભારતથી પાછળ રહી હતી. એવામાં મેદાનની બહાર તેમની ટીમના પૂર્વ કપ્તાને ટીમનો બચાવ કરતા બહાના શરૂ કરી દીધા છે.

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">