Vaccination For Babies : બાળકોને જન્મ પછી કેટલા વર્ષ કઈ રસી અપાવવી જોઇએ ? સરકારની યોજના હેઠળ તમામ નિ:શુલ્ક ઉપલબ્ધ
જન્મ પછી બાળકોને રસી અપાવવી એ ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકોમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા મજબૂત બને છે. જન્મ પછી બાળકોમાં ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે. જેથી બાળકોને રસી અપાવવી જ જોઈએ. આ રસીઓ સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક આપવામાં આવે છે. જન્મ પછી બાળકોને કેટલા વર્ષ કઈ રસી અપાવવી એ અમે જણાવીશું.

સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ બાળકનો આપવામાં આવતી રસીની એક યાદી હોય છે. જે અલગ અલગ વર્ષના બાળકોમાં અલગ અલગ સમયે આપવામાં આવે છે. આ રસીઓ સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ (NIP) હેઠળ બાળકોને મફતમાં આપવામાં આવે છે. આ સંદર્ભમાં અમે દિલ્હીની RML હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના HOD ડૉ. પિનાકી આર દેબનાથ સાથે વાત કરી છે.

દિલ્હીની આરએમએલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના એચઓડી ડૉ. પિનાકી આર દેબનાથે આ વાત કહી છે. તેમનું કહેવું છે કે નવજાત શિશુઓ અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તેમને બચાવવા માટે, રસીકરણ દ્વારા તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે.

ડૉ. પિનાકી સમજાવે છે કે સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ ઘણી રસીઓ છે જે ગંભીર રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આ તેમાંથી મુખ્ય છે. બીસીજી રસી ટીબી સામે રક્ષણ આપે છે. હેપેટાઇટિસ બી રસી ગંભીર કમળા સામે રક્ષણ આપે છે. ફ્લૂ અને ન્યુમોનિયા માટે H ઈન્ફલ્યુએન્ઝા B રસી, ડિપ્થેરિયા ટિટાનસ પેર્ટ્યુસિસ માટે DPT રસી, રોટાવાયરસ રસી ઝાડા ન થાય તે માટે, ઓરી રોકલા માટે ઓરીની રસી, ન્યુમોકોકલ રસી ન્યુમોનિયા અને મેનિન્જાઇટિસ સામે રક્ષણ આપે છે. JE રસી એન્સેફાલીટીસ, રુબેલા રસી જર્મન ઓરી, ટીટી રસીથી ટિટાનસ અને ડિપ્થેરિયા સામે રક્ષણ મળે છે.

હેપેટાઇટિસ બી રસીકરણ : મોટાભાગના બાળકોને હેપેટાઇટિસ બીની રસી આપવામાં આવે છે. તે જન્મના 24 કલાકની અંદર આપવામાં આવે છે. તેનો બીજો ડોઝ 1 મહિનાથી 2 મહિનાની વચ્ચે અને ત્રીજો ડોઝ 6 મહિનાથી 18 મહિનાની વચ્ચે આપવામાં આવે છે. લીવર કેન્સર જેવા ગંભીર, ક્રોનિક રોગ થવાની શક્યતા 90% છે. તેથી, જો બાળકના જન્મ સમયે રસીકરણ શરૂ કરવામાં આવે, તો બાળકોને ચેપથી બચાવી શકાય છે.

ડીપીટી રસી : બાળકોને રસીના 5 ડોઝ આપવામાં આવે છે. આ રસી ત્રણ રોગોથી થતી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે. ડિપ્થેરિયા બાળકોને ખૂબ જ ઝડપથી અસર કરે છે. ગળામાં ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ વધે છે. જો બાળકોને ડિપ્થેરિયાની રસી આપવામાં આવે તો મૃત્યુનું જોખમ ઘટે છે.

ટેટનસ : તે એક જીવલેણ બેક્ટેરિયા છે. તે બાળકોને ઝડપથી ચેપ લગાડે છે. આવી સ્થિતિમાં આ રસી બાળકના જન્મ સમયે આપવામાં આવે છે.

હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઇપ બી (Hib) રસી : હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ બી રસી બાળકોને કાનના ચેપ, ફેફસાના ચેપ, ગળામાં દુખાવો અને મગજ અને કરોડરજ્જુના અસ્તરની બળતરા સહિત વિવિધ રોગોથી રક્ષણ આપે છે. જે બાળકોને રસી આપવામાં આવી નથી તેમને મેનિન્જાઇટિસ થવાનું જોખમ વધારે છે. તેથી, બાળકોને આ રસી અપાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રોટાવાયરસ (RV) રસી : બાળકોમાં ઝાડા એક સામાન્ય સમસ્યા છે. આ વાયરસ ખૂબ જ સરળતાથી ફેલાય છે અને હાથ, ગંદા ડાયપર અથવા રમકડાં અને હવા દ્વારા બાળકોમાં પ્રવેશ કરે છે. આનાથી બાળકોમાં ઝાડા, ઉલટી, તાવ અને પેટમાં દુખાવો થાય છે. એટલા માટે બાળકોને રોટાવાયરસ રસી આપવામાં આવે છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય ને લગતા વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
