દિવાળી પર્વમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે, જાણો ખરીદીના વિકલ્પ ફોટો ગેલેરી દ્વારા
દિવાળી સાથે હિન્દૂ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ધનતેરસ અને દિવાળી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારનું રોકાણ શુભ માનવામાં આવે છે જો કે આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે.


દિવાળી સાથે હિન્દૂ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ધનતેરસ અને દિવાળી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારનું રોકાણ શુભ માનવામાં આવે છે જો કે આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે.

તાજેતરના સમયમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી છે તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે રોકાણના અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. તેનો અર્થ એ છે કે તમે સોનામાં ઘણી રીતે રોકાણ કરી શકો છો અને તેના પર ટેક્સના લાભ પણ મળે છે

સોનામાં રોકાણ માટે વિવિધ વિકલ્પો હોય છે જે પૈકી 3 વિકલ્પ અગત્યના માનવામાં આવે છે. ડિજિટલ ગોલ્ડ , ફિઝિકલ ગોલ્ડ અને પેપર ગોલ્ડના માધ્યમથી સોનાની ખરીદી કરી શકાય છે.


ફિઝિકલ ગોલ્ડ : સોનામાં ફિઝિકલ ગોલ્ડ સૌથી વધુ ખરીદવામાં આવે છે અને તે પરંપરાગત રોકાણ છે. તમે જ્વેલરી, સિક્કા અથવા ગોલ્ડ બાર ખરીદી શકો છો. અહીં તમારે સ્ટોરેજ અને મેકિંગ ચાર્જિસ, GST વગેરે ધ્યાને લેવું છે.

પેપર ગોલ્ડ : આ દ્વારા તમે સોનામાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડમાં, સોવરિન ગોલ્ડ બોન્ડમાં અથવા ગોલ્ડ ETF અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરો છો. આ રોકાણ તમને વ્યાજ સહિતના લાભ આપે છે.
Latest News Updates






































































