મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો અને પરિવારે તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી. હોબાળા બાદ પોલીસને (Bharuch Police) તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી.
દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.
અંકલેશ્વરના પિરામણનાકા નજીક યુનિયન બેંકમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યા હતા. લૂંટારાઓએ (Robbers) પોલીસ ઉપર ફાયરિંગ કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં 2 લૂંટારુ ઝડપાયા હતા.
ભરૂચમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોને મળેલા ઈન્પુટ્સને આધારે તપાસ માટે પહોંચી છે. જેમા આમોદના મૌલાના અમીન તેના પિતાની પૂછપરછ કરવામાં આવી છે.
શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન બાળકોની સમસ્યા હલ ન કરાય તો તેમનો બીમાર પાડવાનો ભય હતો. આ ઉપરાંત અસુવિધાઓના કારણે બાળકો અભ્યાસમાં રુચિ ન ગુમાવે તે અમારી પણ ફરજ છે.
ભરૂચની લાલબજાર મિશ્ર શાળામાં શિક્ષકની ઘટ છે. એકજ શિક્ષક ધોરણ 1 થી 5 ના 50 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તેવી વ્યવસ્થા છે. શાળામાં રમેશભાઈ વસાવા એકમાત્ર શિક્ષક છે
ગુજરાત(Gujarat) ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-2 ઔદ્યોગિક વસાહત ખાતે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
ધોરણ 10 ની માર્કશીટના આધારે પોતાને કઠિન પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટે લાયક ન હોવાનું સ્વીકારી તુષાર સુમેરા હાથ ઉપર હાથ રાખી બેસી રહ્યા હોત તો આજે એ જિલ્લા કલેકટર જેવી જવાબદાર અને મહત્વની પોસ્ટ ઉપર પહોંચી શકતે નહિ.