પત્રકારિત્વ ક્ષેત્રે 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.બિઝનેસ અને શેરબજારના સમાચારની તમામ મહત્વપૂર્ણ માહિતી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. દક્ષિણ ગુજરાતની ઘટનાઓ અને સમસ્યાઓને લેખના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવાનો અને સમસ્યાને વાચા આપવા પ્રયત્નશીલ રહે છે. ક્રાઇમ રિપોર્ટિંગ થકી ગુનાહિત તત્વો અને ગુનેગારોના ગુનાહિત માનસથી વાચકોને વાકેફ રાખી જાગૃતિ લાવવા પ્રયત્નશીલ રહે છે.
Breaking News : કારના ચોરખાનામાં છુપાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 901 બોટલ સાથે બુટલેગર ઝડપાયો
ભરૂચ : અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદ્રા ગામના નોબલ માર્કેટ સ્થિત લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન ખાતે દરોડો પાડી મહીંદ્રા TUV 300 ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ગાડીમાં દારૂ છુપાવવા માટે અલગ-અલગ જગ્યાએ ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
- Ankit Modi
- Updated on: Jul 21, 2026
- 12:47 pm
Breaking news: નગરપાલિકાની સમિતિઓના ચેરમેનની ત્રણ મહિનાની ખેંચતાણનો આખરે અંત આવ્યો! નારાજ દાવેદારોથી માહોલ ગરમાયો
ભરૂચ / અંકલેશ્વર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રમુખ સહીત મુખ્ય હોદ્દેદાર તો નિમાયા પણ સમિતિઓના ચેરમેન પદનું કોકડું ગૂંચવાયું હતું. ત્રણ મહિનાથી અટવાયેલી ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની પસંદગી આખરે પૂર્ણ થઈ છે.
- Ankit Modi
- Updated on: Jul 17, 2026
- 3:09 pm
Breaking News : નર્મદા કિનારેથી સાબરમતી સુધી… ભરૂચની 250 વર્ષ જૂની રથયાત્રાનો અમદાવાદ સાથે છે ઐતિહાસિક સંબંધ!
ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની સૌથી જૂની રથયાત્રા ભરૂચના ફૂરજા બંદરેથી શરૂ થઈ હોવાનું સ્થાનિક ઐતિહાસિક પરંપરા અને ભોઈ સમાજનો દાવો છે. અંદાજે અઢી સદીથી વધુ સમયથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભરૂચમાં નીકળે છે.
- Ankit Modi
- Updated on: Jul 15, 2026
- 5:08 pm
Breaking News: શતાબ્દી એક્સપ્રેસે પ્લેટફોર્મ છોડ્યું અને બિઝનેસ ક્લાસ મુસાફરો વચ્ચે પોલીસને મળ્યો બુટલેગર! બેબાક કરી કબૂલાત “હા દારૂ વેચું છું”
ભરૂચ : શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય રીતે બિઝનેસ અને અપર ક્લાસ મુસાફરોની પસંદગી માનવામાં આવે છે પણ આ ટ્રેન દારૂની ખેપના કેસને કારણે ચર્ચામાં આવી છે. ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસે શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે એક કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
- Ankit Modi
- Updated on: Jul 13, 2026
- 1:42 pm
Breaking News : ભરૂચમાં મોટરસાયકલ માટે મિત્રનું મર્ડર કરાયું, અંકલેશ્વર રૂરલ પોલીસ અને LCB એ હત્યારાને ઝડપી પાડ્યો
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન અને ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દઢાલ-સાગબારા બ્રિજ નીચે નદીમાંથી મળેલી અજાણ્યા પુરુષની લાશના ગુનાનો ટૂંકા સમયમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. ગમતી મોટરસાયકલ પોતાની માલિકીની બનાવવાના આશયથી મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
- Ankit Modi
- Updated on: Jun 29, 2026
- 12:58 pm
Breaking News : ખેતી મૂકીને જુગારના રવાડે ચડ્યા? હાંસોટના ઓભા ગામમાં ખાનગી વાહનમાં પહોંચેલી પોલીસે 6 લોકોની ધરપકડ કરી
ભરૂચ : હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને જાહેરમાં રમાતા જુગારનો પર્દાફાશ કર્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના આધારે કાર્યવાહી કરાઈ છે
- Ankit Modi
- Updated on: Jun 27, 2026
- 11:21 am
Breaking News: ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું! 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ
ભરૂચ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના મામલે તેમની સામે કેસમાં નોટિસ જારી કરી છે અને 29 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
- Ankit Modi
- Updated on: Jun 24, 2026
- 10:57 am
Breaking News : સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડી! ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. 'શ્રી વલ્લભ રેસીડન્સી' નામે બિન-ખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
- Ankit Modi
- Updated on: Jun 23, 2026
- 5:36 pm
Breaking News : ખેડૂતોને કનડતી ચોર ટોળકી જેલ ભેગી કરાઈ , હાંસોટ પોલીસે 4 ગુનાનો ભેદ ઉકેલી 12 શખ્શોની ધરપકડ કરી
ભરૂચ : ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલી ખેતીવાડી વીજ લાઇનની વાયર ચોરી કરતી ગેંગને આખરે હાંસોટ પોલીસે ઝડપી પાડી છે.પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે.
- Ankit Modi
- Updated on: Jun 20, 2026
- 12:54 pm
Breaking News : ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે પણ આ ધ્યાન રાખવાનું ચૂકશો નહીં!!!
છેલ્લા કેટલાક દિવસોથી પાણીની અછતનો સામનો કરી રહેલા ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.20 જૂનથીભરૂચ શહેરના પાણી પુરવઠા માટે જરૂરી જથ્થો ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Ankit Modi
- Updated on: Jun 19, 2026
- 3:19 pm
Breaking News : વિશ્વમાં ગુંજ્યો ભારતનો દમ : 62 હજાર ટન LNG લઈને હોર્મુઝ પાર કરી પ્રથમ ભારતીય LNG ટેન્કર “દિશા” દહેજ પહોંચ્યું
ભરૂચ જિલ્લાના દહેજ એલએનજી ટર્મિનલ ખાતે આજે સવારે એલએનજી કેરિયર ‘દિશા’ સફળતાપૂર્વક લંગારાયું છે. આશરે 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ -LNG લઈને આવેલા આ જહાજે 15 જૂનના રોજ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કરી હતી.
- Ankit Modi
- Updated on: Jun 19, 2026
- 10:22 am
Breaking news : ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપના વિવાદ વચ્ચે કલેક્ટરનું મોટું પગલું: હવે સ્મારકની અંદર ભીડ કરવા પર પ્રતિબંધ
ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલી અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 'રાષ્ટ્રીય રક્ષિત સ્મારક' તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
- Ankit Modi
- Updated on: Jun 13, 2026
- 11:24 am