Breaking News : મુંબઈમાં પાઉં ભાજી અને વડા પાઉં થશે મોંઘા, સામાન્ય લોકોને લાગશે મોટો ઝટકો!
મુંબઈને માયાનગરી તરીખે ઓળખવામાં આવે છે. મુંબઈના સામાન્ય લોકોની લાઈફલાઇન ગણાતા વડા પાઉં અને પાઉં ભાજી હવે મોંઘા થવા જઈ રહ્યા છે. મુંબઈની બેકરીઓએ બ્રેડ અને પાવની કિંમતોમાં સીધો મોટો વધારો કર્યો છે. આ નિર્ણયનો સીધો અસર મુંબઈવાસીઓની ખિસ્સા અને તેમના રોજિંદા નાસ્તાના બજેટ પર પડશે.

મુંબઈની સ્થાનિક બેકરીઓ દ્વારા ભાવ પાઉંમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જે પાઉં પહેલા 3 રૂપિયાનો હતો તે હવે 4થી 5 રૂપિયીનો થયો છે.

મુંબઈમાં, પાઉં સામાન્ય રીતે પેકેટ દ્વારા વેચાય છે. 1 પેકેટમાં 12 નંગ હોય છે. આ 12 નંગના પેકેટની કિંમતમાં હવે નોંધપાત્ર વધારો થયો છે.

પાઉં મુંબઈના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મજૂરોથી લઈને કોર્પોરેટ કર્મચારીઓ સુધી દરેક વ્યક્તિ ઓછી કિંમતે પોતાની ભૂખ સંતોષવા માટે તેના પર આધાર રાખે છે.

મુંબઈમાં એક મધ્યમ વર્ગનો પરિવાર દર મહિને સરેરાશ 20 પેકેટ પાઉં ખાય છે. તેથી દૈનિક વસ્તુ પર કરવામાં આવેલા વધારાથી તેનો અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

મોંઘવારીનો અસર ઘરો સુધી સીમિત નથી રહીં પરંતુ હવે બહારનું ખાવાનું પસંદ કરનારાઓને પણ ઝટકો લાગવાનો છે. વડા પાઉં, પાઉં ભાજી અને કીમા પાઉં વેચતા નાના અને મોટા વેપારીઓને હવે બેકરીમાંથી પાઉં મોંઘા ભાવે ખરીદવા પડશે.

જ્યારે વેપારીઓનો ખર્ચ વધશે ત્યારે તેઓ નુકસાન સહન કરવાની જગ્યાએ વડા પાઉં અને પાઉં ભાજીની પ્લેટના ભાવમાં વધારો કરશે. એટલે આવનારા દિવસોમાં તમારી મનપસંદ સ્ટ્રીટ ફૂડની કિંમતો વધવી લગભગ નક્કી માનવામાં આવે છે.
આ પણ વાંચો, Breaking News : થલાપતિ વિજયનો CM બન્યા બાદ મોટો નિર્ણય, જો કોઈ લાંચ માંગે તો ફરિયાદ કરો, મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ
