‘સેલેરી એકાઉન્ટ’ના ફાયદા ! શું તમને આના વિશે ખબર હતી? જો ના, તો હમણાં જ જાણી લો
નોકરી કરતા વ્યક્તિઓ સામાન્ય રીતે 'સેલેરી એકાઉન્ટ' ધરાવે છે. જો કે, મોટાભાગના લોકો સેલેરી એકાઉન્ટના શું-શું ફાયદા છે, તેને લઈને અજાણ છે.

મોટાભાગના લોકો સેલેરી એકાઉન્ટના ફાયદાઓ વિશે જાણતા નથી. આ એકાઉન્ટ ફક્ત 'સેલેરી ક્રેડિટ' માટે જ નહીં પરંતુ ઘણી બધી બાબતો માટે પણ ફાયદાકારક છે. ઘણી બેંકોમાં સેવિંગ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ લિમિટ હોય છે. સરળ રીતે કહીએ તો, ખાતાધારકે તેના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે.

જો ખાતાધારક મિનિમમ બેલેન્સ જાળવી ન શકે તો તેના પર દંડ લાદવામાં આવી શકે છે. જો કે, સેલેરી એકાઉન્ટમાં કોઈ મિનિમમ બેલેન્સની લિમિટ હોતી નથી, એટલે કે તમે કોઈપણ દંડ વિના તમારા મિનિમમ બેલેન્સમાં ઝીરો બેલેન્સ રાખી શકો છો.

બીજું કે, સેલેરી એકાઉન્ટ પર આપવામાં આવતા વ્યાજના દર પણ વધારે હોય છે. એવામાં તમે તમારા રૂપિયા સેલેરી એકાઉન્ટમાં સુરક્ષિત રાખી શકો છો અને સારું વ્યાજ મેળવી શકો છો.

સેલેરી એકાઉન્ટથી તમે તમારી બેંકના ATM માંથી ફ્રી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે, જેઓ નિયમિતપણે ATM નો ઉપયોગ કરે છે.

સેલેરી એકાઉન્ટ ધરાવતા લોકોને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે, એટલે કે ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા ન હોવા છતાં પણ તેઓ ઇમરજન્સીમાં પૈસા કાઢી શકે છે. ટૂંકમાં આ એક પ્રકારની લોન છે, જેની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે.

સેલેરી એકાઉન્ટમાં ફ્રી ચેકબુક અને ડેબિટ કાર્ડનો પણ લાભ મળે છે. એકાઉન્ટ હોલ્ડર અનલિમિટેડ ફ્રી ચેકબુક લઈ શકે છે. આ સાથે જ ગ્રાહકોને પ્રીમિયમ પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ ફ્રી મળે છે. જો કે, ઘણીવાર અલગ-અલગ બેંકોમાં નિયમો અલગ જોવા મળતા હોય છે.
કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ એ નિવૃતિ સમયે એક બચત સ્વરૂપ હોય છે. પ્રોવિડન્ટ ફંડ અંગેના વધુ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
