AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

EPFO નો મોટો નિર્ણય, નોકરી બદલનારાઓ માટે ખુશખબર, પરિવારને પણ મળશે આ લાભ

EPFO એ નોકરી બદલનારા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શનિવાર, રવિવાર કે રજાઓને લઈ મહત્વની વાત સામે આવી છે.

EPFO : તમારા અકાઉન્ટમાં PF જમા થઈ પણ રહ્યું છે કે નહીં? એક ક્લિકમાં આ રીતે જાણો

તમારા પગારમાંથી ફક્ત PF કાપવાનું પૂરતું નથી; કંપની તેને જમા કરાવી રહી છે કે નહીં તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. EPFOના નિયમો અનુસાર, પગાર કાપ્યાના 15 દિવસની અંદર PF જમા કરાવવું ફરજિયાત છે.

ખુશખબર : PF ખાતાધારકો માટે મોટી રાહતના સંકેત, જાણો એક્સપર્ટે શું કહ્યું ?

નાણાકીય વર્ષ 2025-26 માટે PF વ્યાજ દરમાં 8.25% થી 8.75% સુધીનો વધારો સંભવ છે. આ નિર્ણયથી દેશના 8 કરોડથી વધુ કર્મચારીઓને સીધો લાભ મળશે.

EPFO Rule : નોકરી બદલ્યા પછી PF ટ્રાન્સફરની ઝંઝટનો અંત, EPFO લાવી રહ્યું છે મોટો ફેરફાર

EPFO લગભગ 80 મિલિયન સભ્યો માટે પીએફ ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનાવી રહ્યું છે. નોકરી બદલ્યા પછી પીએફ ટ્રાન્સફર કરવાની ઝંઝટ હવે ભૂતકાળ બનશે.

તમારા કે પરિવારના લગ્ન માટે PF ખાતામાંથી મહત્તમ કેટલી રકમ ઉપાડી શકાય, અહીં છે સંપૂર્ણ માહિતી

કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ લગ્ન માટે PF ઉપાડની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે, જેથી સભ્યો હવે પોતાના અથવા પરિવારના કોઈપણ સભ્યના લગ્ન માટે સરળતા અને ઝડપથી નાણા મેળવી શકે. નવા નિયમો હેઠળ ઉપાડ મર્યાદા વધારવામાં આવી છે અને દસ્તાવેજોની ઝંઝટ દૂર કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે, તમે લગ્ન માટે તમારા PF ખાતામાંથી કેટલા પૈસા મેળવી શકો?

EPFO: અધવચ્ચેથી PF ઉપાડ્યું છે ? તો તમારા વ્યાજની ગણતરી કેવી રીતે થશે, જાણી લો

શું PF ખાતામાંથી પૈસા ઉપાડ્યા પછી પણ વ્યાજ મળે? EPFO દ્વારા PF વ્યાજની ગણતરી માસિક ધોરણે થાય છે, ભલે તે વાર્ષિક જમા થાય. જો તમે વર્ષ દરમિયાન PF ઉપાડો, તો ઉપાડ પહેલાના બેલેન્સ પર તે મહિના સુધી વ્યાજ મળે.

PF ખાતાધારકોને જાન્યુઆરીમાં ‘બલ્લે-બલ્લે’: વ્યાજ દર 8.75% થવાની શક્યતા, આટલા લાખ પર મળશે ₹52,000!

જો તમારો પગાર કપાયને PF ખાતામાં જમા થતો હોય છે, તો આ સમાચાર તમારા માટે સોનાથી ઓછા નથી! કેન્દ્ર સરકાર આ વખતે PF (પ્રોવિડન્ટ ફંડ) પર વ્યાજ દર વધારીને 8.75% સુધી કરી શકે છે. સરકારની આ જાહેરાત તમારી મહેનતની કમાણી અને સેવિંગ્સને મોટી તાકાત આપશે. ચાલો જાણીએ આ આખો મામલો શું છે અને તમને કેવી રીતે ફાયદો થશે.

EPFO માંથી એક સમયે કેટલા પૈસા ઉપાડી શકાય છે ? જાણો અહીં સંપૂર્ણ અપડેટ

જો તમે નોકરી છોડી દીધી હોય અથવા નોકરી ગુમાવી દીધી હોય અને બેરોજગાર હોવ, તો તમે બે મહિના પછી કેટલું પીએફ ઉપાડી શકો છો તે સિવાય કયા કિસ્સામાં તમે એકવારમાં પૈસા ઉપાડી શકો છો. ચાલો અહીં જાણીએ

EPFO માં જમા કરાયેલ રૂપિયાનું સરકાર શું કરે છે ? તેનું રોકાણ કરવામાં આવે છે કે પછી બેંકમાં રહે છે?

ઘણા કર્મચારીઓને એ પ્રશ્ન થાય છે કે, તેમના પીએફમાં જમા થયેલા રૂપિયાનું આખરે શું થાય છે? શું તે ફક્ત પીએફ ખાતામાં જ જમા થાય છે કે પછી સરકાર તેને બીજે ક્યાંક રોકાણ કરીને વધારી દે છે?

કામની વાત : EPFO તરફથી તમને કેટલું પેન્શન મળશે ? એક ક્લિકે જાણી લો આખી ગણતરી અને ફોર્મ્યુલા

EPFO ની EPS યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. ઓછામાં ઓછી 10 વર્ષની સેવા અને 58 વર્ષની ઉંમર પછી પેન્શન મળે છે.

EPFO Pension : પ્રાઇવેટ કર્મચારીઓને રૂપિયા 7,500 પેન્શન આપવાની ચર્ચા.. સરકારે સંસદમાં આપી દીધો જવાબ

ખાનગી ક્ષેત્રના EPS-95 પેન્શનરો માટે નિરાશાજનક સમાચાર: સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું કે હાલ ₹7,500 લઘુત્તમ પેન્શન વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. જોકે આ પ્રશ્ન કયા કારણ સર સામે આવ્યો તે જાણીએ.

EPFOમાં મોટા ફેરફારોની તૈયારી, શું પગારની લિમિટ વધશે? જાણો સંસદમાં શું વાત થઈ..

દેશમાં PF વેતન મર્યાદા ₹15,000 થી ₹30,000 વધારવાની વાત સંસદમાં ઉઠી છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે, પરંતુ કર્મચારીઓના ટેક-હોમ પગાર અને નોકરીદાતાઓ પરના બોજને ધ્યાનમાં લેશે.

અમીર બનવા માટેની PPF યોજના, દર મહિને ફક્ત 7,000 રૂપિયાનું રોકાણ કરો, મળશે આશરે 57.72 લાખનું ફંડ !

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) એક સુરક્ષિત સરકારી બચત યોજના છે જે લાંબા ગાળે ધનસંપત્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. તેમાં બજારના ઉતાર-ચઢાવનો પ્રભાવ નથી પડતો અને રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

PF ખાતાધારકોની બલ્લે બલ્લે, દરેક સમસ્યાનો આવશે અંત, અમદાવાદ સહિત આખા દેશમાં યોજાશે કેમ્પ

EPFO દ્વારા "નિધિ આપકે નિકટ કેમ્પ 2.0" શરૂ કરાયો છે, જે 27 નવેમ્બર 2025 ના રોજ દેશભરમાં યોજાશે. આ પહેલ PF ખાતાધારકો, પેન્શનરો અને નોકરીદાતાઓને PF અને EPS સંબંધિત સમસ્યાઓનો સ્થળ પર જ ત્વરિત ઉકેલ પૂરો પાડશે.

PPF : શું બાળકના નામે ખોલવામાં આવેલું એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય ?

PPF એ લોન્ગટર્મના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટેની એક મજબૂત સરકારી યોજના છે. એવામાં સવાલ એ છે કે, શું બાળકના નામે ખોલવામાં આવેલ PPF એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય?

g clip-path="url(#clip0_868_265)">