પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.
EPFO : 1 જુલાઈથી UPI અને ATM દ્વારા PFના પૈસા ઉપાડી શકાશે? EPFO જાહેર કરી મોટી અપડેટ, જાણો અહીં
PF withdrawal : કર્મચારીઓ ટૂંક સમયમાં UPI અને ATM સેવાઓનો ઉપયોગ કરીને તેમના PF ભંડોળ ઉપાડી શકશે. આ વચ્ચે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 26 જૂનથી 30 જૂન વચ્ચે સુનિશ્ચિત થયેલ સિસ્ટમ સ્થળાંતર અને અપગ્રેડ અંગે એક નવી સૂચના જાહેર કરી છે.
- Devankashi rana
- Updated on: Jun 26, 2026
- 9:06 am
EPFO એલર્ટ: 26થી 28 જૂન સુધી PF ક્લેમ નહીં કરી શકો, UMANGની સેવાઓ પણ થશે પ્રભાવિત
EPFOએ સિસ્ટમ અપગ્રેડેશન માટે 26થી 28 જૂન દરમિયાન PF ક્લેમ સંબંધિત ઓનલાઈન સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ દરમિયાન નવા ક્લેમ દાખલ નહીં થઈ શકે અને UMANG એપની કેટલીક સેવાઓ પણ પ્રભાવિત રહેશે.
- Sachin Agrawal
- Updated on: Jun 25, 2026
- 6:07 pm
શું તમારા EPF ખાતામાં 8.25% વ્યાજ જમા થયું છે ? માત્ર 2 મિનિટમાં આ રીતે તપાસો
EPFO એ, નાણાકીય વર્ષ 2025-26 માટે, પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટમાં જમા રકમ પરનો વ્યાજ દર 8.25% નક્કી કર્યો છે. કર્મચારીઓ EPFO પોર્ટલ અથવા UMANG એપ દ્વારા, 8.25 % વ્યાજ ક્રેડિટ, PF બેલેન્સ અને નોકરીદાતાના યોગદાનની તપાસ કરી શકે છે. EPFiGMS પર ફરિયાદ નોંધાવીને કોઈપણ વિસંગતતાની જાણ પણ કરી શકાય છે.
- Bipin Prajapati
- Updated on: Jun 24, 2026
- 4:12 pm
PF ઉપાડવો હવે થયો વધુ આસાન ! 75% નાણાં તાત્કાલિક મેળવી શકાશે, જાણો 100% પૈસા ક્યારે અને કેવી રીતે મળશે?
EPFO 3.0 હેઠળ પીએફના પૈસા ઉપાડવાના નિયમો સરળ બન્યા છે. હવે યુઝર્સ કોઈપણ કારણ વગર પણ ખાસ પરિસ્થિતિઓમાં 100% સુધીના નાણાં ઉપાડી શકશે.
- Sachin Agrawal
- Updated on: Jun 22, 2026
- 5:09 pm
PF ખાતામાં ‘નોમિની’ ન હોય તો ‘પૈસા’ કોને મળે છે? જાણી લો EPFOનો ‘નિયમ’
જો તમારા પીએફ (PF) ખાતામાં નોમિની (Nominee) નું નામ નથી, તો અણધારી ઘટનાના સમયે પરિવાર માટે પૈસા મેળવવાનું મુશ્કેલ બની શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આવી સ્થિતિમાં PFના પૈસા કોને અને કેવી રીતે મળે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 20, 2026
- 7:38 pm
EPFOએ રિટાયર્ડ કર્મચારી પાસે વ્યાજ સાથે 2.5 કરોડ પાછા માંગ્યા… હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
તેલંગાણાના એક નિવૃત્ત કર્મચારીને EPFO દ્વારા ₹2.5 કરોડ અને વ્યાજ પરત કરવા નોટિસ મોકલવામાં આવી હતી. જોકે, તેલંગાણા હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે નિવૃત્ત કર્મચારી પાસેથી PFની રકમ પાછી વસૂલ કરી શકાય નહીં. જો કોઈ કાર્યવાહી કરવી હોય તો EPFO કંપની અને તેના PF ટ્રસ્ટ સામે કરી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jun 18, 2026
- 8:55 pm
PF એકાઉન્ટમાંથી થઈ શકે છે ₹50,000 સુધીની ‘એક્સ્ટ્રા કમાણી’, કોઈ પણ ફોર્મ ભર્યા વગર મેળવો આ ‘લાભ’
શું તમે જાણો છો કે, તમારા પીએફ (PF) એકાઉન્ટમાં જમા વ્યાજ અને પેન્શન સિવાય પણ એક મોટો ફાયદો છુપાયેલો છે? વાત એમ છે કે, EPFO ના એક ખાસ નિયમ મુજબ નિવૃત્તિ સમયે તમને ₹50,000 સુધીનું વધારાનું બોનસ મળી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 15, 2026
- 7:06 pm
8.25% વ્યાજની પાછળ છુપાયેલ છે 12% રિટર્નનો ખેલ ! સમજો PF ના પૈસાનું આખું ગણિત
જો તમે પણ પીએફના વ્યાજને મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઓછું માનો છો, તો તમે ભૂલ કરી રહ્યા છો. ટેક્સ સેવિંગની મદદથી પીએફ કેવી રીતે એફડી કરતાં ડબલ ફાયદો આપે છે તે સમજો.
- Sachin Agrawal
- Updated on: Jun 11, 2026
- 6:29 pm
EPFO Breaking News : લગ્ન અને બાળકોના શિક્ષણ માટે PFમાંથી પૈસા ઉપાડવા હવે બન્યું વધુ સરળ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF ખાતાધારકો માટે લગ્ન અને બાળકોના શિક્ષણ જેવા મહત્વના ખર્ચ માટે PF માંથી આંશિક રકમ ઉપાડવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવી છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2026
- 8:25 pm
Provident Fund: EPF મેમ્બરને મળે છે 7 લાખનો લાઈફ ઈન્સ્યોરન્સ, એ પણ કોઈ પ્રીમિયમ વિના- જાણો સમગ્ર વિગત
EPF મેમ્બરને સરકાર તરફથી 7 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ મળે છે. જેના માટે કર્મચારીએ કોઈ જ પ્રીમિયમ ભરવાનું નથી. જો કે આ ઈન્સ્યોરન્સ તેની નોકરી દરમિયાનના વર્ષો સુધી જ માન્ય રહે છે.
- Mina Pandya
- Updated on: Jun 10, 2026
- 2:53 pm
EPFO: હવે સરળતાથી સ્પેશિયલ કેસમાં 100% ઉપાડી શકો છો PF ફંડ, આ છે નિયમ
EPFOએ PF ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ખાસ સંજોગોમાં સભ્યો તેમના PF ખાતામાંથી 100% રકમ ઉપાડી શકશે. આ નવા નિયમોથી દાવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે, જરૂરિયાતના સમયે કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય સહાય મળશે અને દાવા નકારવાની ઘટનાઓ ઘટશે.
- Sagar Solanki
- Updated on: Jun 8, 2026
- 6:49 pm
શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા માર્ચ 2026માં 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કરોડો સભ્યોના ખાતામાં વ્યાજ જમા થયું નથી. વ્યાજ ક્યારે આવશે અને શું આ વિલંબના કારણે યુઝર્સને વ્યાજનું નુકસાન થશે? વાંચો આ ખાસ અહેવાલમાં.
- Sachin Agrawal
- Updated on: Jun 4, 2026
- 8:41 pm
EPFO 3 ATM: તમારી PFની રકમ ATMમાંથી ક્યારથી ઉપાડી શકશો? જાણો આ સિસ્ટમ ક્યારથી થશે લોન્ચ, કેટલી મળશે રકમ?
EPFO 3.0 હેઠળ, PF ઉપાડ અને ટ્રાન્સફર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે. સભ્યો UPI અને UPI-સક્ષમ ATM દ્વારા PF ભંડોળ ઉપાડી શકશે. નવી સિસ્ટમ ઉપાડનો સમય ઘટાડશે અને લાખો ખાતાધારકોને ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે.
- Tanvi Soni
- Updated on: Jun 3, 2026
- 9:42 am
બાળકોનું ભવિષ્ય સુધરી જશે! આંખ બંધ કરીને આ ‘4 સરકારી સ્કીમ’માં રોકાણ કરી દો, મોંઘવારી પણ નહીં નડે
વર્ષ-દર-વર્ષે વધતા જતા ફુગાવાને કારણે શિક્ષણનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. એવામાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારની આ 4 યોજનામાં કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજનામાં તમને કોઈપણ જોખમ વગર ઉત્તમ વળતર મળી શકે છે.
- Ravi Prajapati
- Updated on: May 31, 2026
- 4:17 pm
EPFO: PF ખાતામાં દર મહિને 15 હજાર રૂપિયા બચાવો, 30 વર્ષમાં 2.24 કરોડ રૂપિયાનું ભંડોળ કમાઓ! અહીં જુઓ સંપૂર્ણ ગણતરી
બેંક એફડીની તુલનામાં નોકરી કરતા વ્યક્તિઓ માટે EPF સૌથી સલામત અને સૌથી નફાકારક વિકલ્પ રહે છે. વર્તમાન 8.25% વ્યાજ દરે, જો તમે VPF નો ઉપયોગ કરીને દર મહિને ₹15,000 જમા કરો છો, તો ચક્રવૃદ્ધિનો જાદુ 30 વર્ષ પછી સરળતાથી ₹2.24 કરોડનું કરમુક્ત નિવૃત્તિ ભંડોળ બનાવી શકે છે.
- Meera Kansagara
- Updated on: May 31, 2026
- 12:44 pm