AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

EPFO: નોકરી છોડ્યા પછી પણ તમારું PF બેલેન્સ આપમેળે વધતું રહેશે, માત્ર આ ભૂલ ન કરતાં

ઘણા માને છે કે નોકરી છોડ્યા બાદ PF વ્યાજ 3 વર્ષમાં બંધ થાય છે. પરંતુ, આ ગેરસમજ છે. તમારું PF ખાતું 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ કમાવતું રહે છે, ભલે તમે નોકરી બદલો કે તમારી નોકરી જતી રહે.

PF ઉપાડવું હવે એકદમ સરળ, BHIM એપથી એક ક્લિકમાં મળશે રૂપિયા, જાણો A ટુ Z માહિતી

EPFO ટૂંક સમયમાં BHIM એપ દ્વારા PF ઉપાડની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આગામી 2-3 મહિનામાં 30 કરોડથી વધુ સભ્યો BHIM એપથી એક ક્લિકમાં PF એડવાન્સ ઉપાડી શકશે.

EPFO માં આવ્યું નવું અપડેટ, જૂના માં જૂનો પીએફ નંબર શોધવો થયો સરળ

તમારો જૂનો પીએફ નંબર ભૂલી જવાની સમસ્યાનો અંત આવવાનો છે. ઇપીએફઓએ એક સરળ પદ્ધતિ જાહેર કરી છે જેના દ્વારા કર્મચારીઓ પીએફ નંબર વિના પણ તેમના જૂના ખાતા શોધી શકે છે.

Breaking News : ખાનગી કર્મચારીઓ માટે મોટા સમાચાર, EPF પગાર મર્યાદા વધવાની શક્યતા, સુપ્રીમ કોર્ટનો આદેશ

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) હેઠળ લાગુ પડતી પગાર મર્યાદા વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આગામી ચાર મહિનામાં સ્પષ્ટ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.  

EPFO Pension Hike : કર્મચારીઓ માટે સારા સમાચાર, EPFO ​​પેન્શન 5,000 રૂપિયા સુધી પહોંચી શકે..

કેન્દ્ર સરકાર EPFO પેન્શન વધારવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવને મંજૂરી મળતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનું લઘુત્તમ માસિક પેન્શન ₹1,000 થી વધીને ₹5,000 થઈ શકે છે.

EPFO Rules : નોકરી ગુમાવ્યા પછી તમારા PF ખાતામાંથી તમે કેટલા રૂપિયા ઉપાડી શકો છો? નવા નિયમો જાણો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF ઉપાડના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે નોકરી ગુમાવ્યા પછી તરત નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે.

EPFO Alert: જો તમારી પાસે એક કરતાં વધુ UAN હોય, તો તરત મર્જ કરો, નહીંતર થઈ શકે છે મોટું નાણાકીય નુકસાન

નોકરી બદલતી વખતે બહુવિધ UAN રાખવા એ તમારા PF બેલેન્સ માટે જોખમી છે. તેનાથી જૂના ખાતા પર વ્યાજ મળતું બંધ થઈ શકે છે સાથે વિવિધ સમસ્યા પણ આવી શકે છે.

હવે કોઈ કર્મચારી PF વગર નહીં રહે: EES-2025 યોજના હેઠળ નોંધણીની પ્રક્રિયા થઈ સરળ

જો તમે ક્યાંક નોકરી કરો છો અને તમારી કંપનીએ અત્યાર સુધી તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) કાપ્યું નથી, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારે 'EES-2025' નામની એક નવી યોજના બહાર પાડી છે. જાણો તે યોજના વિશે.

EPFO નો મોટો નિર્ણય, નોકરી બદલનારાઓ માટે ખુશખબર, પરિવારને પણ મળશે આ લાભ

EPFO એ નોકરી બદલનારા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શનિવાર, રવિવાર કે રજાઓને લઈ મહત્વની વાત સામે આવી છે.

EPFO : તમારા અકાઉન્ટમાં PF જમા થઈ પણ રહ્યું છે કે નહીં? એક ક્લિકમાં આ રીતે જાણો

તમારા પગારમાંથી ફક્ત PF કાપવાનું પૂરતું નથી; કંપની તેને જમા કરાવી રહી છે કે નહીં તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. EPFOના નિયમો અનુસાર, પગાર કાપ્યાના 15 દિવસની અંદર PF જમા કરાવવું ફરજિયાત છે.

ખુશખબર : PF ખાતાધારકો માટે મોટી રાહતના સંકેત, જાણો એક્સપર્ટે શું કહ્યું ?

નાણાકીય વર્ષ 2025-26 માટે PF વ્યાજ દરમાં 8.25% થી 8.75% સુધીનો વધારો સંભવ છે. આ નિર્ણયથી દેશના 8 કરોડથી વધુ કર્મચારીઓને સીધો લાભ મળશે.

EPFO Rule : નોકરી બદલ્યા પછી PF ટ્રાન્સફરની ઝંઝટનો અંત, EPFO લાવી રહ્યું છે મોટો ફેરફાર

EPFO લગભગ 80 મિલિયન સભ્યો માટે પીએફ ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનાવી રહ્યું છે. નોકરી બદલ્યા પછી પીએફ ટ્રાન્સફર કરવાની ઝંઝટ હવે ભૂતકાળ બનશે.

તમારા કે પરિવારના લગ્ન માટે PF ખાતામાંથી મહત્તમ કેટલી રકમ ઉપાડી શકાય, અહીં છે સંપૂર્ણ માહિતી

કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ લગ્ન માટે PF ઉપાડની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે, જેથી સભ્યો હવે પોતાના અથવા પરિવારના કોઈપણ સભ્યના લગ્ન માટે સરળતા અને ઝડપથી નાણા મેળવી શકે. નવા નિયમો હેઠળ ઉપાડ મર્યાદા વધારવામાં આવી છે અને દસ્તાવેજોની ઝંઝટ દૂર કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે, તમે લગ્ન માટે તમારા PF ખાતામાંથી કેટલા પૈસા મેળવી શકો?

EPFO: અધવચ્ચેથી PF ઉપાડ્યું છે ? તો તમારા વ્યાજની ગણતરી કેવી રીતે થશે, જાણી લો

શું PF ખાતામાંથી પૈસા ઉપાડ્યા પછી પણ વ્યાજ મળે? EPFO દ્વારા PF વ્યાજની ગણતરી માસિક ધોરણે થાય છે, ભલે તે વાર્ષિક જમા થાય. જો તમે વર્ષ દરમિયાન PF ઉપાડો, તો ઉપાડ પહેલાના બેલેન્સ પર તે મહિના સુધી વ્યાજ મળે.

PF ખાતાધારકોને જાન્યુઆરીમાં ‘બલ્લે-બલ્લે’: વ્યાજ દર 8.75% થવાની શક્યતા, આટલા લાખ પર મળશે ₹52,000!

જો તમારો પગાર કપાયને PF ખાતામાં જમા થતો હોય છે, તો આ સમાચાર તમારા માટે સોનાથી ઓછા નથી! કેન્દ્ર સરકાર આ વખતે PF (પ્રોવિડન્ટ ફંડ) પર વ્યાજ દર વધારીને 8.75% સુધી કરી શકે છે. સરકારની આ જાહેરાત તમારી મહેનતની કમાણી અને સેવિંગ્સને મોટી તાકાત આપશે. ચાલો જાણીએ આ આખો મામલો શું છે અને તમને કેવી રીતે ફાયદો થશે.

g clip-path="url(#clip0_868_265)">