AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

Breaking News : EPFOનો PF પર મોટો નિર્ણય! હવે પ્રોવિડન્ટ ફંડ માટેની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

નાણા મંત્રાલયે EPF અને EPS માટે ફરજિયાત પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને PF અને પેન્શન યોજનાનો લાભ મળશે, જેનાથી નિવૃત્તિ બાદ તેમને વધુ મજબૂત આર્થિક સુરક્ષા મળશે.

શું તમારું પણ PPF એકાઉન્ટ છે? તો ભૂલથી પણ ન કરતા આ ‘6 ભૂલ’, નહીંતર ગણતરીની મિનિટોમાં થશે ‘મોટું નુકસાન’

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF રોકાણનો એક લોકપ્રિય વિકલ્પ છે. આ બચત યોજનામાં રોકાણ કરવા પર કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે, તેથી તેમાં રોકાણ કરનારાઓને સારું એવું વળતર (Return) મળી શકે છે. જો કે, રોકાણકારોની કેટલીક ભૂલોને કારણે તેમનું વળતર ઓછું થઈ જાય છે. જો તમે પણ PPF માં રોકાણ કરો છો, તો તમારે એવી 6 ભૂલ વિશે પહેલાથી જ જાણી લેવું જોઈએ જે તમારા વળતરને અસર કરી શકે છે.

PF Withdrawal Rules 2026: બેરોજગાર હોવ તો કેટલા પૈસા મળશે અને કેટલા PFમાં જ જમા રહેશે? જાણી લો

નોકરી છોડ્યા બાદ બેરોજગાર થનારાઓ માટે PF ઉપાડના નિયમો બદલાયા છે. EPF યોજના 2026 મુજબ, હવે તરત જ સંપૂર્ણ PF ઉપાડી શકાશે નહીં.

કર્મચારીઓ માટે ‘મોટા સમાચાર’! હવે માત્ર 24 થી 48 કલાકમાં મળશે ‘PF ના પૈસા’, સીધા UPI ખાતામાં થશે ‘જમા’

EPFO એ કરોડો કર્મચારીઓ માટે મોટા સમાચાર આપ્યા છે. હવે PF ના પૈસા ઉપાડવા માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે, કારણ કે ક્લેમ માત્ર 24 થી 48 કલાકમાં જ મંજૂર થઈ જશે. એટલું જ નહીં, ટૂંક સમયમાં PF ની રકમ સીધી તમારા UPI થી લિંક થયેલા બેંક ખાતામાં પણ જમા થઈ જશે.

શું તમે તમારો UAN ભૂલી ગયા છો ? આધાર, PAN, અથવા PF નંબરનો ઉપયોગ કરીને આ રીતે મિનિટોમાં પુનઃ પ્રાપ્ત કરો

જો તમે તમારો EPF UAN (Universal Account Number) ભૂલી ગયા છો, તો તમે તેને EPFO ​​પોર્ટલ અથવા UMANG એપ્લિકેશન દ્વારા સરળતાથી મેળવી શકો છો. આમ કરવા માટે, તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, OTP અને તમારા આધાર, PAN અથવા PF સભ્ય ID જેવી વિગતોની જરૂર પડશે.

20, 30, 40 અને 50 હજાર રૂપિયા બેઝિક સેલરી પર 35 વર્ષની નોકરી, રિટાયરમેન્ટ પર કેટલું બનશે PF કોર્પસ ?

EPF ગણતરી મુજબ જો તમારી બેઝિક સેલરી ₹20,000 થી ₹50,000 ની વચ્ચે હોય અને દર વર્ષે 5% પગાર વધારો થાય, તો 35 વર્ષ પછી તમને ₹3.46 કરોડ સુધીનુંPF કોર્પસ મળી શકે છે.

LIC અને EPFO ​​પાસે દાવા વગરના પડી રહેલા રૂપિયાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો, જાણો કેવી રીતે LIC કે EPFOમાંથી તમારા રૂપિયા પાછા મેળવી શકો

કેન્દ્ર સરકારે સંસદમાં એવો ચોકાવનારો ખૂલાસો કર્યો છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ( LIC ) પાસે કોઈ પણ દાવો ના કરાયો હોય તેવા રૂપિયા 16,450 કરોડ જમા પડ્યા છે.

લગ્ન માટે PF માંથી એડવાન્સ પૈસા જોઈએ છે…! જાણો EPFO કેટલી રકમ ઉપાડવાની આપે છે મંજૂરી?

જો તમારા ઘરમાં કે પરિવારમાં લગ્નનો પ્રસંગ હોય અને પૈસાની જરૂર હોય, તો તમે EPFO ના નિયમો હેઠળ તમારા PF એકાઉન્ટમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકો છો. આ રકમ કોઈ લોન નથી પરંતુ આંશિક ઉપાડ છે. જાણો કેટલા પૈસા ઉપાડી શકાય છે અને તેની ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ શું છે.

જો ‘PF’ ના પૈસા ઉપાડવા હોય તો તરત જ પૂરું કરો આ ‘1 કામ’, નહીં કરો તો અટકી જશે ‘તમારા જ પૈસા’

જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો અને ભવિષ્યમાં PF ના પૈસા ઉપાડવા અથવા ઈ-નોમિનેશન જેવી સેવાઓનો લાભ લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. EPFO દ્વારા પોર્ટલ પર એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે, જેનું પાલન ન કરવાથી તમારા PF ના કામ અધવચ્ચે જ અટકી શકે છે.

હવે નોકરીની ચિંતા છોડો, ગીગ વર્કર્સથી લઈને નાના દુકાનદારો સુધી… બધાને મળશે ‘PF નો લાભ’

અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારો, ગીગ વર્કર્સ (જેમ કે ફ્રીલાન્સર્સ અને ડિલિવરી એજન્ટ્સ) અને પોતાનો વ્યવસાય કરતા લોકો માટે નિવૃત્તિ (Retirement) પછીના જીવનને સુરક્ષિત બનાવવા માટે EPFO એક ખાસ તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક ખાસ નવી સ્કીમ લાવી રહ્યું છે, જેથી નોકરી ન કરતા લોકો પણ પીએફ (PF) નો લાભ લઈ શકે.

નોકરી બદલતા જ PF ના પૈસા આપોઆપ થઈ જશે ટ્રાન્સફર, જાણો EPFO ના નવા નિયમથી જૂના કર્મચારીઓને શું થશે ફાયદો કે નુકસાન

નોકરી બદલનારા કરોડો નોકરીયાત વર્ગ માટે કેન્દ્ર સરકારના વીમા અને ભંડોળ સંગઠન EPFO એ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. હવે નવી કંપનીમાં જોડાતા જ જૂની કંપનીના પીએફ ખાતાના પૈસા કોઈ પણ જાતની અરજી કર્યા વિના ઓટોમેટિક નવા ખાતામાં જમા થઈ જશે.

EPF વ્યાજને લઈને સૌથી મોટી ગેરસમજ! જાણો દર મહિને નહીં છતાં કેવી રીતે વધે છે PF

EPFO દર મહિને PF બેલેન્સ પર વ્યાજની ગણતરી કરે છે પરંતુ તેને વર્ષમાં એકવાર ખાતામાં જમા કરે છે. 8.25% વ્યાજ, નિયમિત યોગદાન અને ચક્રવૃદ્ધિની શક્તિ મળીને લાંબા ગાળા માટે નોંધપાત્ર નિવૃત્તિ ભંડોળ બનાવે છે.

EPFO Breaking News : તમારા પગારમાંથી PF કપાતો હશે તો તમને હવે મળશે 7 લાખનો વીમો, રૂ. 1 લાખનો વધારાનો લાભ પણ ખરો

EPFO એ પગારદાર કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી છે. નવા નિયમો હેઠળ, PF ખાતામાં હવે રૂ. 7 લાખના હાલના મફત વીમા કવરની સાથે રૂ. 1 લાખનો વધારાનો લાભ મળે છે. 29 જૂનથી અમલમાં આવેલ, આ નવી સિસ્ટમ કોઈ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં કર્મચારીઓના પરિવારો માટે વધુ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

EPFO Update: EPFOમાં 10 મોટા ફેરફાર, જાણો કઈ કઈ વસ્તુઓ સરળ બની જશે

EPFO એ CITES પ્લેટફોર્મ લાગુ કર્યું છે, PF અને EPS સેવાઓમાં 10 મોટા ફેરફારો રજૂ કર્યા છે. દાવાની પતાવટ ઝડપી થશે, PF ટ્રાન્સફર ઓટોમેટિક થશે, ₹5 લાખ સુધીના ઓટો-ક્લેમ ઉપલબ્ધ થશે, અને દેશની કોઈપણ PF ઓફિસમાંથી સેવાઓ મેળવી શકાશે.

ATM માંથી પણ વિડ્રો થઈ શકશે PF પરંતુ ગમે તે નહીં ઉપાડી શકે- જાણો ક્યાં ફસાયો છે પેચ?

PF Advance Rule: આ નવી સિસ્ટમથી હાલના EPFO ​​નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. સભ્યો ફક્ત એટલી જ રકમ ઉપાડી શકશે જેના માટે તેઓ વર્તમાન નિયમો હેઠળ પાત્ર છે.

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">