પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.
Read More0% રિસ્ક સાથે કરોડોનું ફંડ બનાવવાની ‘સિક્રેટ ટ્રિક’, તમારી મહેનતની કમાણી પર મેળવો ‘બમ્પર રિટર્ન’
નાણાકીય આયોજન કરતી વખતે દરેક રોકાણકારનો પહેલો ધ્યેય પોતાના પૈસા સુરક્ષિત રાખવાનો અને તેના પર સારું રિટર્ન મેળવવાનો હોય છે. ઘણા લોકો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાય છે પરંતુ બજારના જોખમથી ડરે છે. જો તમે પણ ઝીરો રિસ્ક (Zero Risk) સાથે લાંબાગાળા માટે કરોડોનું ફંડ બનાવવા માગતા હોવ, તો બે સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પનું મિશ્રણ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનથી તમારું રોકાણ બજારના ઘટાડા સામે સુરક્ષિત રહેશે અને મોંઘવારી સામે પણ રક્ષણ આપશે.
- Ravi Prajapati
- Updated on: Aug 25, 2026
- 7:04 pm
EPF કે શેરબજાર ? રિટાયરમેન્ટ ફંડ માટે કયો વિકલ્પ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક?
નિવૃત્તિ માટે બચાવેલા નાણાં સુરક્ષિત EPF માં રાખવા કે શેરબજારમાં રોકાણ કરવું? આ સવાલ દરેક પગારદાર કર્મચારીને મૂંઝવતો હોય છે. એવામાં ભવિષ્યની સુરક્ષા અને સારા વળતર વચ્ચે યોગ્ય પસંદગી કરવી ખૂબ જરૂરી બની જાય છે.
- Ravi Prajapati
- Updated on: Aug 24, 2026
- 7:28 pm
જો તમારા પગારમાંથી PF કપાતો હોય તો તમને રૂ. 7 લાખનો વીમો પણ મળે છે, બસ માત્ર આટલું જ કરવું પડશે
EPFO EDLI Scheme : કેન્દ્ર સરકારની EDLI યોજના હેઠળ, EPFO સભ્યનું નોકરી દરમિયાન મૃત્યું થાય તો તેના પરિવારને વધુમાં વધુ રૂ. 7 લાખ સુધીના વીમાનો લાભ મળી શકે છે. આ વીમા માટે કર્મચારી પાસેથી કોઈ અલગ કે વધારાનું પ્રીમિયમ લેવામાં આવતું નથી.
- Bipin Prajapati
- Updated on: Aug 20, 2026
- 1:40 pm
EPFO પોર્ટલ પર સર્વિસ હિસ્ટ્રી ખોટી દેખાઈ રહી છે? જાણો પીએફ અટકે નહીં તે માટે સુધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ઈપીએફઓ પોર્ટલ પર નોકરી શરૂ કરવા કે છોડવાની તારીખમાં ભૂલ તમારા પીએફ ક્લેમ અને પેન્શનને અટકાવી શકે છે. જાણો આ ભૂલને ઓનલાઈન કેવી રીતે ઝડપથી સુધારવી.
- Sachin Agrawal
- Updated on: Aug 13, 2026
- 9:45 pm
EPFO Alert : PF ખાતા ધારકો માટે જાહેર કરાયું અલર્ટ! જો આ સાવચેતી ના રાખી તો ખાતામાંથી ઉડી જશે પૈસા
EPFO એ તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ દ્વારા સભ્યોને ચોક્કસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમારા PF ભંડોળને સુરક્ષિત રાખવા માટે તમારે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
- Devankashi rana
- Updated on: Aug 10, 2026
- 8:46 am
નિવૃત્તિ પછી તરત જ ન ઉપાડો PF ના તમામ પૈસા, શું મળતું રહેશે વ્યાજ? જાણી લો EPFO નો આ મહત્વપૂર્ણ નિયમ
નિવૃત્તિ પછી ઘણા લોકોને લાગે છે કે PF ના તમામ પૈસા તાત્કાલિક ઉપાડી લેવા જોઈએ, પરંતુ EPFO ના નિયમો મુજબ નોકરી છોડ્યા કે રિટાયરમેન્ટ પછી આગામી કેટલા વર્ષ સુધી વ્યાજ મળતું રહે છે. જાણો
- Sachin Agrawal
- Updated on: Aug 8, 2026
- 7:44 pm
EPFO Breaking News : શું તમારો પણ EPF ક્લેમ 20 દિવસથી પેન્ડિંગ છે ? જાણો શા માટે EPFOમાં અટવાયા લાખો કર્મચારીઓના પૈસા
લાખો કર્મચારીઓના EPF ક્લેમ EPFO પાસે 20 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે. નિવૃત્તિ ફંડ સંસ્થા ડિજિટલ અને સબ્સ્ક્રાઇબર કેન્દ્રિત સંસ્થા બનવાની દિશામાં આગળ વધી રહી હોવા છતાં ક્લેમ પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: Aug 7, 2026
- 11:43 am
PF માં ક્લેમ વગર પડ્યા છે અંદાજીત ₹9,330 કરોડ, EPFO ટૂંક સમયમાં લોન્ચ કરશે E-PRAAPTI પોર્ટલ
જો તમારું જૂનું પીએફ (PF) ખાતું બંધ થઈ ગયું છે અથવા નોકરી બદલ્યા પછી તેમાં જમા થયેલા પૈસા અટવાઈ ગયા છે, તો ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. ઈપીએફઓ નવું ડિજિટલ પોર્ટલ લાવવા જઈ રહ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Aug 6, 2026
- 6:03 pm
Breaking News : EPFOનો PF પર મોટો નિર્ણય! હવે પ્રોવિડન્ટ ફંડ માટેની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે
નાણા મંત્રાલયે EPF અને EPS માટે ફરજિયાત પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને PF અને પેન્શન યોજનાનો લાભ મળશે, જેનાથી નિવૃત્તિ બાદ તેમને વધુ મજબૂત આર્થિક સુરક્ષા મળશે.
- Sagar Solanki
- Updated on: Aug 3, 2026
- 5:55 pm
શું તમારું પણ PPF એકાઉન્ટ છે? તો ભૂલથી પણ ન કરતા આ ‘6 ભૂલ’, નહીંતર ગણતરીની મિનિટોમાં થશે ‘મોટું નુકસાન’
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF રોકાણનો એક લોકપ્રિય વિકલ્પ છે. આ બચત યોજનામાં રોકાણ કરવા પર કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે, તેથી તેમાં રોકાણ કરનારાઓને સારું એવું વળતર (Return) મળી શકે છે. જો કે, રોકાણકારોની કેટલીક ભૂલોને કારણે તેમનું વળતર ઓછું થઈ જાય છે. જો તમે પણ PPF માં રોકાણ કરો છો, તો તમારે એવી 6 ભૂલ વિશે પહેલાથી જ જાણી લેવું જોઈએ જે તમારા વળતરને અસર કરી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Aug 3, 2026
- 5:22 pm
PF Withdrawal Rules 2026: બેરોજગાર હોવ તો કેટલા પૈસા મળશે અને કેટલા PFમાં જ જમા રહેશે? જાણી લો
નોકરી છોડ્યા બાદ બેરોજગાર થનારાઓ માટે PF ઉપાડના નિયમો બદલાયા છે. EPF યોજના 2026 મુજબ, હવે તરત જ સંપૂર્ણ PF ઉપાડી શકાશે નહીં.
- Sagar Solanki
- Updated on: Aug 1, 2026
- 9:21 pm
કર્મચારીઓ માટે ‘મોટા સમાચાર’! હવે માત્ર 24 થી 48 કલાકમાં મળશે ‘PF ના પૈસા’, સીધા UPI ખાતામાં થશે ‘જમા’
EPFO એ કરોડો કર્મચારીઓ માટે મોટા સમાચાર આપ્યા છે. હવે PF ના પૈસા ઉપાડવા માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે, કારણ કે ક્લેમ માત્ર 24 થી 48 કલાકમાં જ મંજૂર થઈ જશે. એટલું જ નહીં, ટૂંક સમયમાં PF ની રકમ સીધી તમારા UPI થી લિંક થયેલા બેંક ખાતામાં પણ જમા થઈ જશે.
- Ravi Prajapati
- Updated on: Aug 1, 2026
- 8:27 pm
શું તમે તમારો UAN ભૂલી ગયા છો ? આધાર, PAN, અથવા PF નંબરનો ઉપયોગ કરીને આ રીતે મિનિટોમાં પુનઃ પ્રાપ્ત કરો
જો તમે તમારો EPF UAN (Universal Account Number) ભૂલી ગયા છો, તો તમે તેને EPFO પોર્ટલ અથવા UMANG એપ્લિકેશન દ્વારા સરળતાથી મેળવી શકો છો. આમ કરવા માટે, તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, OTP અને તમારા આધાર, PAN અથવા PF સભ્ય ID જેવી વિગતોની જરૂર પડશે.
- Bipin Prajapati
- Updated on: Jul 29, 2026
- 2:05 pm
20, 30, 40 અને 50 હજાર રૂપિયા બેઝિક સેલરી પર 35 વર્ષની નોકરી, રિટાયરમેન્ટ પર કેટલું બનશે PF કોર્પસ ?
EPF ગણતરી મુજબ જો તમારી બેઝિક સેલરી ₹20,000 થી ₹50,000 ની વચ્ચે હોય અને દર વર્ષે 5% પગાર વધારો થાય, તો 35 વર્ષ પછી તમને ₹3.46 કરોડ સુધીનુંPF કોર્પસ મળી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jul 25, 2026
- 9:50 pm
LIC અને EPFO પાસે દાવા વગરના પડી રહેલા રૂપિયાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો, જાણો કેવી રીતે LIC કે EPFOમાંથી તમારા રૂપિયા પાછા મેળવી શકો
કેન્દ્ર સરકારે સંસદમાં એવો ચોકાવનારો ખૂલાસો કર્યો છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ( LIC ) પાસે કોઈ પણ દાવો ના કરાયો હોય તેવા રૂપિયા 16,450 કરોડ જમા પડ્યા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 22, 2026
- 1:59 pm