પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.
નોકરી બદલનારાઓ સાવધાન ! જો આ એક નાનું કામ નહીં કરો, તો ‘PF’ના પૈસા મેળવવામાં પડશે ‘ફાંફા’
જો તમે પણ તાજેતરમાં તમારી નોકરી બદલી છે અથવા તમારું સેલેરી એકાઉન્ટ બદલ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 24, 2026
- 3:58 pm
8મા પગાર પંચ પહેલા લાખો કર્મચારીઓ માટે ‘ખુશખબર’… EPFO એ પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે દર મહિને આવશે વધુ પૈસા
હોળીના તહેવાર પહેલા અને 8મા પગાર પંચની આતુરતા વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) લાખો કર્મચારીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર આપ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Feb 23, 2026
- 6:09 pm
રિટાયરમેન્ટ પછી પણ જોઈએ છે ‘PF’ પર વ્યાજ ? આ ‘3 વર્ષ’ વાળો નિયમ જાણી લેજો, નહીંતર થશે ‘મોટું નુકસાન’
નિવૃત્તિ પછી અવારનવાર લોકો પીએફ (PF) ના પૈસા ખાતામાં જ રહેવા દે છે. મોટાભાગના લોકો એમ વિચારે છે કે, તેના પર સુરક્ષિત વ્યાજ મળતું રહેશે પરંતુ ઈપીએફઓ (EPFO) નો એક એવો નિયમ છે કે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 23, 2026
- 5:50 pm
પત્ની, બાળકો કે માતા-પિતા? EPFO મેમ્બરના મૃત્યુ બાદ કોને મળશે ‘પેન્શન’ અને વીમાનો લાભ?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને માત્ર રિટાયરમેન્ટ પછી જ નાણાકીય સુરક્ષા નથી આપતું પરંતુ સભ્યના અકાળે મૃત્યુના કિસ્સામાં તેના પરિવારનો સહારો પણ બને છે.
- Ravi Prajapati
- Updated on: Feb 22, 2026
- 6:18 pm
50ની ઉંમરે પહોંચી ગયા છો? પેન્શન લેવાની ઉતાવળ કરતા પહેલા આ સત્ય જાણી લેજો, નહીં તો આજીવન પસ્તાવો થશે
પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નિવૃત્તિના આયોજનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને, જે કર્મચારીઓ 50 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને વહેલી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે, તેમના માટે પેન્શનના ગણિતને સમજવું અત્યંત જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Feb 21, 2026
- 1:04 pm
EPFO News: શું ખાનગી કર્મચારીઓનું પેન્શન ન્યૂનતમ ₹9,000 થશે ? EPS-95 પર સરકારનું વલણ શું છે, સમજીએ ગણતરી
EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધારીને ₹9,000 કરવાની માંગ સાથે આંદોલન તેજ બન્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને સરકારના વલણ વચ્ચે, સેલરી કેપ ₹15,000 થી વધીને ₹25,000 થાય તો તમારા પેન્શન પર શું અસર પડશે? વાંચો સંપૂર્ણ કેલ્ક્યુલેશન.
- Sachin Agrawal
- Updated on: Feb 19, 2026
- 7:25 pm
PF ખાતાધારકો માટે ખતરાની ઘંટડી ! તમારી એક બેદરકારી અને લાખો રૂપિયા થઈ શકે છે ‘સાફ’, શું તમે આ પ્રોસેસ કરી?
PF ખાતાધારકો માટે એક મહત્વની ચેતવણી સામે આવી છે. જો તમે સમયસર આ પ્રોસેસ પૂર્ણ નહીં કરી હોય, તો તમારા PF ખાતામાં જમા લાખો રૂપિયા જોખમમાં મુકાઇ શકે છે. ઘણી વખત લોકો આ એક નાની પ્રોસેસને અવગણે છે અને પછી મોટું નુકસાન ભોગવે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 13, 2026
- 5:07 pm
ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર… હવે મળશે ‘લાઈફટાઈમ પેન્શન’, જાણો ક્યારે અને કેવી રીતે
ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર છે, કારણ કે હવે તેમને આજીવન પેન્શન મળવાની તક મળશે. ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન રહે છે કે, પેન્શન ક્યારે મળશે, કેટલી મળશે અને કયા નિયમ હેઠળ મળશે, તેથી આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Feb 10, 2026
- 12:17 pm
નોકરિયાત વર્ગ માટે ખુશખબર… એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મેળવો 7 લાખનો વીમો, તમારા પરિવારને મુશ્કેલીમાં સાથ આપશે આ ‘સ્કીમ’
નોકરિયાત વર્ગ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે પીએફ (PF) કપાવતા કર્મચારીઓને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર 7 લાખ રૂપિયા સુધીનું 'વીમા કવચ' મળી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 7, 2026
- 11:31 am
Breaking News : વર્ષ 2026 માં EPFO ને લઈ આવી શકે મોટો નિર્ણય, વધી શકે છે EPF પગાર મર્યાદા
વર્ષ 2026માં EPF પગાર મર્યાદા ₹15,000 થી ₹25,000 કરવાની તૈયારી છે, જેનાથી લાખો કર્મચારીઓને સીધો લાભ થશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
- Sagar Solanki
- Updated on: Jan 29, 2026
- 10:16 pm
Breaking News : EPFO 3.0 અંતર્ગત PF ઉપાડવું હવે વધુ સરળ, ટૂંક સમયમાં શરૂ થશે UPI અને બેંક જેવી સુવિધાઓ
EPFO 3.0 હેઠળ PF સેવાઓ સંપૂર્ણ ડિજિટલ અને બેંક જેવી બનશે. UPI દ્વારા PF ઉપાડ, AI આધારિત ઝડપી દાવાની પતાવટ, અને સ્વચાલિત પ્રક્રિયાઓ લાખો કર્મચારીઓને રાહત આપશે.
- Sagar Solanki
- Updated on: Jan 25, 2026
- 5:01 pm
PF Withdrawal : મોબાઇલથી પેમેન્ટ કરવા જેટલું સરળ થઈ જશે PF ઉપાડવું, એપ્રિલથી લાગુ થશે આ ફેરફાર
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) હવે PF ઉપાડ પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને સંપૂર્ણ ડિજિટલ બનાવવા જઈ રહી છે. એપ્રિલ 2026 થી EPFO સભ્યો UPI મારફતે સીધા પોતાના બેંક ખાતામાં PFની રકમ ઉપાડી શકશે. આ પ્રક્રિયા મોબાઇલથી UPI પેમેન્ટ કરવાના જેટલી સરળ બનશે, જેના કારણે લાંબી કાગળપત્રોની પ્રક્રિયા અને દિવસો સુધી રાહ જોવાની ઝંઝટથી મુક્તિ મળશે.
- Sagar Solanki
- Updated on: Jan 20, 2026
- 4:20 pm
EPFO: નોકરી છોડ્યા પછી પણ તમારું PF બેલેન્સ આપમેળે વધતું રહેશે, માત્ર આ ભૂલ ન કરતાં
ઘણા માને છે કે નોકરી છોડ્યા બાદ PF વ્યાજ 3 વર્ષમાં બંધ થાય છે. પરંતુ, આ ગેરસમજ છે. તમારું PF ખાતું 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ કમાવતું રહે છે, ભલે તમે નોકરી બદલો કે તમારી નોકરી જતી રહે.
- Sagar Solanki
- Updated on: Jan 12, 2026
- 5:45 pm
PF ઉપાડવું હવે એકદમ સરળ, BHIM એપથી એક ક્લિકમાં મળશે રૂપિયા, જાણો A ટુ Z માહિતી
EPFO ટૂંક સમયમાં BHIM એપ દ્વારા PF ઉપાડની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આગામી 2-3 મહિનામાં 30 કરોડથી વધુ સભ્યો BHIM એપથી એક ક્લિકમાં PF એડવાન્સ ઉપાડી શકશે.
- Sagar Solanki
- Updated on: Jan 9, 2026
- 5:32 pm
EPFO માં આવ્યું નવું અપડેટ, જૂના માં જૂનો પીએફ નંબર શોધવો થયો સરળ
તમારો જૂનો પીએફ નંબર ભૂલી જવાની સમસ્યાનો અંત આવવાનો છે. ઇપીએફઓએ એક સરળ પદ્ધતિ જાહેર કરી છે જેના દ્વારા કર્મચારીઓ પીએફ નંબર વિના પણ તેમના જૂના ખાતા શોધી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jan 8, 2026
- 8:13 pm