AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

નોકરી બદલતા જ PF ના પૈસા આપોઆપ થઈ જશે ટ્રાન્સફર, જાણો EPFO ના નવા નિયમથી જૂના કર્મચારીઓને શું થશે ફાયદો કે નુકસાન

નોકરી બદલનારા કરોડો નોકરીયાત વર્ગ માટે કેન્દ્ર સરકારના વીમા અને ભંડોળ સંગઠન EPFO એ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. હવે નવી કંપનીમાં જોડાતા જ જૂની કંપનીના પીએફ ખાતાના પૈસા કોઈ પણ જાતની અરજી કર્યા વિના ઓટોમેટિક નવા ખાતામાં જમા થઈ જશે.

EPF વ્યાજને લઈને સૌથી મોટી ગેરસમજ! જાણો દર મહિને નહીં છતાં કેવી રીતે વધે છે PF

EPFO દર મહિને PF બેલેન્સ પર વ્યાજની ગણતરી કરે છે પરંતુ તેને વર્ષમાં એકવાર ખાતામાં જમા કરે છે. 8.25% વ્યાજ, નિયમિત યોગદાન અને ચક્રવૃદ્ધિની શક્તિ મળીને લાંબા ગાળા માટે નોંધપાત્ર નિવૃત્તિ ભંડોળ બનાવે છે.

EPFO Breaking News : તમારા પગારમાંથી PF કપાતો હશે તો તમને હવે મળશે 7 લાખનો વીમો, રૂ. 1 લાખનો વધારાનો લાભ પણ ખરો

EPFO એ પગારદાર કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી છે. નવા નિયમો હેઠળ, PF ખાતામાં હવે રૂ. 7 લાખના હાલના મફત વીમા કવરની સાથે રૂ. 1 લાખનો વધારાનો લાભ મળે છે. 29 જૂનથી અમલમાં આવેલ, આ નવી સિસ્ટમ કોઈ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં કર્મચારીઓના પરિવારો માટે વધુ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

EPFO Update: EPFOમાં 10 મોટા ફેરફાર, જાણો કઈ કઈ વસ્તુઓ સરળ બની જશે

EPFO એ CITES પ્લેટફોર્મ લાગુ કર્યું છે, PF અને EPS સેવાઓમાં 10 મોટા ફેરફારો રજૂ કર્યા છે. દાવાની પતાવટ ઝડપી થશે, PF ટ્રાન્સફર ઓટોમેટિક થશે, ₹5 લાખ સુધીના ઓટો-ક્લેમ ઉપલબ્ધ થશે, અને દેશની કોઈપણ PF ઓફિસમાંથી સેવાઓ મેળવી શકાશે.

ATM માંથી પણ વિડ્રો થઈ શકશે PF પરંતુ ગમે તે નહીં ઉપાડી શકે- જાણો ક્યાં ફસાયો છે પેચ?

PF Advance Rule: આ નવી સિસ્ટમથી હાલના EPFO ​​નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. સભ્યો ફક્ત એટલી જ રકમ ઉપાડી શકશે જેના માટે તેઓ વર્તમાન નિયમો હેઠળ પાત્ર છે.

લગ્ન પછી PF નોમિની કોને બનાવવા? પતિ કે પત્નીનું નામ ફરજિયાત કે પછી… જાણી લો EPFOનો આ નવો નિયમ

નોકરી કરતા કરોડો લોકો માટે તેમના પીએફ (PF) ખાતા સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને જે લોકો પરિણીત છે અથવા ભવિષ્યમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, તેમના માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે.

EPF Interest Calculation :પીએફ પર વ્યાજ કેવી રીતે નક્કી થાય છે? જાણો જો દર મહિને 10,000 રૂપિયા કપાય તો કેટલું વ્યાજ મળશે

નોકરીયાત વર્ગ માટે પીએફ ખાતામાં વ્યાજ જમા થવાના નિયમો અને ગણતરી ખૂબ જ અલગ હોય છે. દર મહિનાના રનિંગ બેલેન્સ પર કમ્પાઉન્ડિંગ વ્યાજ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે તેની સંપૂર્ણ વિગતો સરળ ભાષામાં અહીં વાંચો.

Breaking News: EPFOના નિયમોમાં ‘મોટો બદલાવ’, હવે UAN એક્ટિવેશન માટે ઉમંગ એપનો કરવો પડશે ‘ઉપયોગ’

EPFO દ્વારા તેના નિયમો અને પોર્ટલમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારોને કારણે પીએફ (PF) ખાતાધારકો માટે આ વિગતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ નવા બદલાવ હેઠળ સિક્યોરિટી વધારવા માટે UAN સંબંધિત કેટલીક સેવાઓ હવે ઉમંગ (UMANG) એપ પર ટ્રાન્સફર કરવામાં આવી છે, જેથી પીએફ ધારકોને વધુ સુરક્ષિત અને ઝડપી સેવાનો લાભ મળી શકે.

1 વર્ષની અંદર છોડી દીધી ‘નોકરી’? તો શું PFના પૂરેપૂરા પૈસા ઉપાડી શકશો કે લાગશે ‘મોટો ઝટકો’? જાણી લો આ ‘નવો નિયમ’

જો તમે 1 વર્ષની અંદર જ નોકરી છોડી દીધી છે, તો શું તમે પીએફ (PF)ના પૂરેપૂરા પૈસા ઉપાડી શકશો? સરકારના નવા નિયમ પછી આ સવાલ દરેક કર્મચારીને મૂંઝવણમાં કુકી રહ્યો છે.

Explainer : નવી EPS સ્કીમ 2026થી પેન્શન અને ઇન-હેન્ડ સેલેરી પર શું અસર પડશે ? 12 સવાલોમાં સમજો કોને ફાયદો અને કોને નુકસાન

નવી EPS/EPF સ્કીમ 2026 હેઠળ, ₹15,000 થી વધુના પગાર પર PF યોગદાન સ્વૈચ્છિક બન્યું છે. આ નિર્ણયથી કર્મચારીઓની ઇન-હેન્ડ સેલેરી અને નિવૃત્તિ ફંડ પર સીધી અસર પડશે.

EPFO : PF ખાતામાં છે 10 લાખ રુપિયા ? હવે સરળતાથી ઉપાડી શકશો ₹7.5 લાખ, સરકારે જાહેર કર્યો નવો નિયમ

EPFO New Rule : સરકારે PF ઉપાડ સંબંધિત જૂના નિયમોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. હવે, તમારે કટોકટી દરમિયાન અથવા કોઈપણ તાત્કાલિક જરૂરિયાત માટે તમારા પોતાના પૈસા મેળવવા માટે અઠવાડિયા રાહ જોવી પડશે નહીં. નવા નિયમો હેઠળ, તમે તમારા PF બેલેન્સનો નોંધપાત્ર ભાગ ઉપાડી શકો છો

Breaking News : 3 જુલાઈથી PF ખાતાઓમાં જમા થશે 8.25 % વ્યાજ, કેટલું વ્યાજ આવ્યું છે તે કયાંથી, કેવી રીતે જાણી શકો

આવતીકાલ 3 જુલાઈથી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ​​PF ખાતાઓમાં 8.25 % લેખે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આગામી 15 દિવસમાં આશરે 7 કરોડ સક્રિય પ્રોવિડન્ડ ફંડ ધારકોના ખાતાઓમાં વ્યાજ જમા કરવામાં આવશે. ખાતાધારકો કેટલું વ્યાજ મળ્યું છે તે કેવી રીતે અને ક્યાથી જોઈ કે જાણી શકે તે આ અહેવાલ થકી જાણો.

Breaking News : EPFOના નવા નિયમો લાગુ, શું PF વ્યાજ, 12% યોગદાન અને ઉપાડના નિયમોમાં કોઈ ફેરફાર થશે ?

કેન્દ્ર સરકારે નવી EPF Scheme 2026 જાહેર કરી છે, જે EPF Scheme 1952નું સ્થાન લેશે. આ યોજના Social Security Code, 2020 હેઠળ લાગુ થશે.

Breaking news: તમારા ખિસ્સા પર થશે સીધી અસર! 1 જુલાઈથી આ 8 મહત્વપૂર્ણ નિયમો બદલાશે

1 જુલાઈ, 2026થી ઘણા નાણાકીય ફેરફારો થશે, જેની અસર કરદાતાઓ, બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ, પાસપોર્ટ અરજદારો અને આધાર ધારકો પર પડશે. આમાં ક્રેડિટ કાર્ડ લાભો અને પાસપોર્ટ ફીમાં ફેરફાર, તેમજ ખોટી વેચાણ સામે RBI ના નવા નિયમોનો સમાવેશ થાય છે. ચાલો આ ફેરફારો પર એક નજર કરીએ...

નોકરી બદલતા જ પીએફના પૈસા તરત થશે ટ્રાન્સફર, પરંતુ આ 5 ભૂલો કરી તો આખી રકમ અટકી જશે, જાણો બચવાનો ઉપાય

નવા ડિજિટલ સિસ્ટમ EPFO 3.0 ની ટેસ્ટિંગ પૂર્ણ. હવે નોકરી બદલાતા જ પીએફ બેલેન્સ ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર થશે, પરંતુ આ 5 ભૂલો કરવાથી રકમ અટકી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">