અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ થકી કરાશે
અમદાવાદ જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાશે. 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી અન્વયે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. 13 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. મહત્વનું છે કે 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન અને 'તિરંગા યાત્રા' યોજાશે.
Most Read Stories