સ્વતંત્રતા દિવસ
ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. તેથી ભારતમાં દેશ 1947થી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી હતી કે, ભારત 30 જૂન 1948ના રોજ આઝાદ થશે, પરંતુ એવું બન્યું નહીં. 3 જૂન, 1947ના રોજ, ભારતના છેલ્લા વાઈસરોય, લોર્ડ માઉન્ટબેટને એક યોજના રજૂ કરી, જેમાં 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની સ્વતંત્રતાનો ઉલ્લેખ હતો. જેને માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે.
તેમની યોજનામાં બ્રિટિશ ભારતને બ્રિટનથી અલગ કરવું, ભારત અને પાકિસ્તાનની રચના અને બંને દેશોની સરકારોને સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આપવાનો સમાવેશ થાય છે. તેમની યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાનો અધિકાર હશે.
ભારતની સ્વતંત્રતા માટે, માઉન્ટબેટને 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કર્યું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.
Read MoreIND vs SL: શુભમન ગિલ-ગૌતમ ગંભીરે શ્રીલંકામાં ફરકાવ્યો ત્રિરંગો, ટીમ ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, જુઓ VIDEO
ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે ગાલેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે ગાલેમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. જેનો વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Aug 15, 2026
- 6:17 pm
IND vs SL: 15 ઓગસ્ટે 100 રન.. સ્વતંત્રતા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો પડિકલ
શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટમાં દેવદત્ત પડિકલે શાનદાર સદી ફટકારીને પોતાના નામે ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. 15 ઓગસ્ટ એટલે કે ભારતના સ્વતંત્રતા દિવસે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ સાથે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી પણ યાદગાર બની છે. લાંબા સમય બાદ મળેલી તકનો પડિકલે શાનદાર રીતે લાભ લીધો છે.
- Smit Chauhan
- Updated on: Aug 15, 2026
- 5:34 pm
સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- વાત ખોટી, નવા કાયદા મુજબ ગવાયું
સોનિયા ગાંધીએ 'વંદે માતરમ' ગાવાનું બંધ કર્યું હોવાના ભાજપના આરોપો બાદ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં નવી માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું, અને કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
- Bipin Prajapati
- Updated on: Aug 15, 2026
- 2:19 pm
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ત્રિશા થલાપતિ વિજયના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી Video જુઓ
ચેન્નાઈમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજય જોસેફે ધ્વજ ફરકાવ્યો હતો. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી અને તેમની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 1:19 pm
Breaking News : દ્વારકાધીશના મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી, જુઓ Video
આજે દેશભરમાં 80માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકાધીશના મંદિરમાં કુષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી છે.સ્વતંત્રતા દિવસ નિમિતે મંદિરના શિખર પર 52 ગજ કાપડમાંથી બનેલ તિરંગા કલરની ધજા ચઢાવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2026
- 12:36 pm
Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન
New announcement for unreserved category students : મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા ગુજરાતના યુવાનોને પરિવારની આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 15, 2026
- 12:17 pm
Happy Independence Day Wishes : આ માટી છે મારા દેશની, મને ગર્વ છે કે હું ભારતીય છું, સ્વતંત્રતા દિવસની આ સંદેશા દ્વારા પાઠવો શુભકામના
જો તમે પણ આ સ્વતંત્રતા દિવસને ખાસ રીતે ઉજવવા માંગતા હો, તો અહીં અમે તમારા માટે દેશભક્તિથી ભરપૂર શુભેચ્છા સંદેશાઓ અને અવતરણો લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.
- Devankashi rana
- Updated on: Aug 15, 2026
- 11:26 am
Breaking News : અમદાવાદના કોમનવેલ્થથી લઈ દેશમાં ઓલિમ્પિક સુધી, લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાત કરી
Happy Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં એ રમતને પડકાર ફેક્યો છે. જેમાં ભારત ક્વોલિફાય કરી શક્યું નથી. તેમણે દેશભરમાં ટેલેન્ટ હંટની જાહેરાત કરી છે.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 2:55 pm
Independence Day 2026 : આઝાદી પહેલાં શરૂ થયેલી આ 7 ભારતીય કંપનીઓ આજે પણ દુનિયામાં ધરાવે છે દબદબો, બનાવે છે આ પ્રોડક્ટ્સ
ભારત દેશ આજે 15 ઓગસ્ટના રોજ તેની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. 1947માં સ્વતંત્રતા પહેલા સ્થાપિત લગભગ 70 કંપનીઓએ અર્થતંત્રના વિકાસમાં ફાળો આપ્યો હતો. આમાંની ઘણી કંપનીઓ હજુ પણ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે.
- Dhruval Shah
- Updated on: Aug 15, 2026
- 11:17 am
ભારતના ત્રિરંગા જેવા જ દેખાય છે આ દેશોના ઝંડા ! જાણો કારણ અને સમાનતા
ત્રિરંગાની વર્તમાન ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા બનાવવામાં આવી હતી અને 22 જુલાઈ, 1947 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવી હતી. જો કે ભારતના ત્રિરંગા જેવા જ અન્ય દેશોના પણ ઝંડા છે ત્યારે ચાલો જાણીએ ક્યા ક્યા દેશનો ઝંડો ભારતના તિરંગા જેવો છે.
- Devankashi rana
- Updated on: Aug 15, 2026
- 10:41 am
Independence Day 2026 : લાલ કિલ્લાની પ્રાચીર પરથી પહેલીવાર ગવાયું ‘વંદે માતરમ્’, જાણો આ વર્ષે જ કેમ બદલાયો નિયમ!
સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન પહેલીવાર આજે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘વંદે માતરમ્’ ગાવામાં આવ્યું. અત્યાર સુધીમાં 'વંદે માતરમ્' સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારોહમાં ક્યારેય ગાવામાં આવ્યું નથી.
- Dhruval Shah
- Updated on: Aug 15, 2026
- 10:06 am
Breaking News : પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને એવી વાત કરી કે, પાકિસ્તાનના હાજા ગગડી ગયા
Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80માં સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને એક ટેન્શન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 2047ના લક્ષ્ય વિશે જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું ભારતે 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 9:29 am
Independence Day 2026: “હવે નાના સપના નહીં ચાલે…” લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશને આપ્યા 2047ના મોટા સંકલ્પો !
સ્વતંત્રતા દિવસ પર દેશ આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી આ રાષ્ટ્રીય સમારોહની આગેવાની કરી રહ્યા છે. આ વર્ષની ઉજવણી એટલા માટે પણ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ આ અવસરે કરવામાં આવી રહી છે.
- Dhruval Shah
- Updated on: Aug 15, 2026
- 9:20 am
શું છે સપ્તધારા ? જેનું PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું આહ્વાન, કહ્યું કોસ્ટ, ક્વોલિટી પર ધ્યાન આપવું પડશે
PM મોદીએ ભાર મૂક્યો કે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલ પર ખાસ ધ્યાન આપવું પડશે. ઉત્પાદન માત્ર ભારતમાં થાય એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા વૈશ્વિક સ્તરની હોય અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવવી પડશે.
- Devankashi rana
- Updated on: Aug 15, 2026
- 9:15 am
Independence Day 2026 : 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત ઉજવી રહ્યો છે 80મો સ્વતંત્રતા દિવસ, જાણો આઝાદી સાથે જોડાયેલી 7 રસપ્રદ વાતો !
15 ઓગસ્ટ 2026ના રોજ ભારત 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. આ દિવસ દેશની આઝાદી, સંઘર્ષ અને એવા વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો અવસર છે, જેમણે સ્વતંત્ર ભારતનું સપનું જોયું હતું.
- Dhruval Shah
- Updated on: Aug 15, 2026
- 8:39 am