AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતા દિવસ

ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. તેથી ભારતમાં દેશ 1947થી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી હતી કે, ભારત 30 જૂન 1948ના રોજ આઝાદ થશે, પરંતુ એવું બન્યું નહીં. 3 જૂન, 1947ના રોજ, ભારતના છેલ્લા વાઈસરોય, લોર્ડ માઉન્ટબેટને એક યોજના રજૂ કરી, જેમાં 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની સ્વતંત્રતાનો ઉલ્લેખ હતો. જેને માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે.

તેમની યોજનામાં બ્રિટિશ ભારતને બ્રિટનથી અલગ કરવું, ભારત અને પાકિસ્તાનની રચના અને બંને દેશોની સરકારોને સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આપવાનો સમાવેશ થાય છે. તેમની યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાનો અધિકાર હશે.

ભારતની સ્વતંત્રતા માટે, માઉન્ટબેટને 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કર્યું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.

Read More

Republic Day 2026: તિરંગો ખરીદતા પહેલા તેને ડિસ્પોઝ કેવી રીતે કરવો તે જાણો, નહીં તો જેલના સળિયા ગણવા પડશે

Republic Day 2026: જો તમે સ્વતંત્રતા દિવસ માટે તિરંગો ખરીદી રહ્યા છો તો તેનો નિકાલ કરવાની યોગ્ય રીત શીખો. નહિંતર તેને રસ્તા પર કે કચરાપેટીમાં ફેંકવું મોંઘુ સાબિત થઈ શકે છે.

ધ્વજ ફરકાવવો અને ધ્વજ લહેરાવવો બંનેમાં શું અંતર છે ? જાણો 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજને કેવી રીતે વંદન કરવામાં આવે છે

15 August and 26 January Difference: 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ ધ્વજવંદન સમારોહ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવતો છે. એક દિવસે, પ્રધાનમંત્રી રાષ્ટ્રધ્વજ સમારોહમાં ભાગ લે છે, જ્યારે બીજી બાજુ, રાષ્ટ્રપતિ સમારોહનું કેન્દ્ર હોય છે. વધુમાં બંને દિવસે રાષ્ટ્રધ્વજ સમારોહના સ્થળો સંપૂર્ણપણે અલગ હોય છે.

15 ઓગસ્ટના રોજ Flag Hoisting, 26 જાન્યુઆરીના રોજ Flag Unfurling થાય છે, જાણો બંન્ને વચ્ચે શું છે તફાવત

લોકોમાં કન્ફ્યુઝન હોય છે કારણ કે, સામાન્ય બોલચાલની ભાષામાં, લોકો ઘણીવારFlag Hoisting અને Flag Unfurling ને એક જ માને છે.Flag Hoisting અને Flag Unfurlingમાં તફાવત શું છે, જાણો

PM મોદીએ લાલ કિલ્લા પરથી સૌ કોઈને સ્પર્શતા મુદ્દે કરી જાહેરાત, જાણો

લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઘણી જાહેરાતો કરી છે. GSTના દર ઘટાડવા, યુવાનોને રોજગારી આપવા, નવા પરમાણુ રિએકટર્સ સ્થાપવા, દેશની સુરક્ષા વધારવા સાથે ઘૂસણખોરી અટકાવવા સહિતના ભારતીયોને સ્પર્શતા મુદ્દાઓને લઈને જાહેરાત કરી હતી.

ભારતના 79માં સ્વતંત્રતા દિવસ પર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ સૈનિકોને આ રીતે કરી સલામ

મહાન ખેલાડી સચિન તેંડુલકર અને ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલે પણ આ દિવસની ખાસ રીતે ઉજવણી કરી છે. સચિન અને કોહલીએ દેશના સૈનિકોને ભારતની સ્વતંત્રતાના અસલી હીરો ગણાવ્યા હતા.

વિભાજન વખતે દેશના 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ મુસ્લિમો જ પાકિસ્તાન ગયા, બાકીના ભારતમાં જ રહ્યા- તો ભાગલા કોના માટે કરાયા?

14 ઓગસ્ટ 1947 એ ભારતનું વિભાજન થયુ જેની પીડા લાખો લોકોએ સહન કરી અને પાકિસ્તાન જેવા દેશનો જન્મ થયો. જે આજ સુધી નાસૂર બનેલો છે. 78 વર્ષ બાદ આજે પણ તે તેની હરકતોમાંથી બાઝ નથી આવી રહ્યો. ભારતના બે ટૂકડા કર્યા બાદ પણ જે ઈરાદાથી આ ટૂકડા કરવામાં આવ્યા હતા તે ઈરાદો પુરો ક્યારેય પુરો ન થઈ શક્યો.

રોહિત શર્મા-હાર્દિક પંડ્યાએ લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પોતપોતાની રીતે તમામ દેશવાસીઓને પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ અને સ્ટોરીઓ શેર કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. રોહિત શર્મા-હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં જીત બાદની રાષ્ટ્રધ્વજ સાથેની તસવીર પોસ્ટ કરી હતી.

‘દેશ રંગીલા’ પર ડાન્સ રિહર્સલ, આ વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ, લોકોએ કહ્યું- ‘બાળપણની યાદો તાજી થઈ ગઈ’

દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ તેમના ડાન્સ શિક્ષક સાથે ડાન્સનું રિહર્સલ કરતા જોવા મળતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આ વીડિયોએ નેટીઝન્સ માટે જૂની યાદો તાજી કરી દીધી છે.

15 ઓગસ્ટની સાંજે 7:29 વાગ્યે ધોનીની નિવૃત્તિ, ફેન્સ આજે પણ નથી ભૂલ્યા એ ચોંકાવનારા સમાચાર

5 વર્ષ પહેલા 15 ઓગસ્ટની સાંજે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેના ચાહકો આજે પણ આ દિવસ ભૂલી શક્યા નથી. મહેન્દ્ર સિંહ ધોની હવે ફક્ત IPLમાં જ રમે છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી તિરંગાને આ રીતે કરો ફોલ્ડ, ગ્રાફિકમાંથી સમજો રીત

How to fold Indian flag: સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી ભારતીય તિરંગાને તે જ રીતે વાળવો અને સુરક્ષિત રાખવો મહત્વપૂર્ણ છે જે રીતે તેને આદર સાથે ફરકાવવામાં આવે છે. તેને ફોલ્ડ કરવાની રીત પણ ઉલ્લેખિત છે. તિરંગાને કેવી રીતે ફોલ્ડ કરવો તે જાણો.

2025ના અંત સુધીમાં બજારમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ થશે ઉપલબ્ધ, PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી જાહેરાત કરી છે કે ભારત આ વર્ષના અંત સુધીમાં પોતાની ચિપ્સ બનાવશે. ભારતીય બજારમાં મેડ-ઇન-ઇન્ડિયા ચિપ્સ ઉપલબ્ધ થશે.

PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા કવચ ‘સુદર્શન ચક્ર’ ની જાહેરાત કરી, જાણો શું છે આ યોજના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં ટેકનોલોજી આધારિત પડકારોનો સામનો કરવા માટે વર્ષ 2035 સુધીમાં 'સુદર્શન ચક્ર' નામનું રાષ્ટ્રીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવશે.

લાલ કિલ્લા પરથી વિકાસિત ભારત ‘રોજગાર યોજનાની જાહેરાત’, PM મોદીએ કહ્યું- યુવાનોને મળશે 15 હજાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર "પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના" શરૂ કરી. આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા યુવાનોને 15,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આ યોજનાનો ઉદ્દેશ આગામી 3.5 વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો છે.

Breaking News: પાકિસ્તાનને PM મોદીની ચેતવણી, સિંધુનું પાણી તો નહીં જ મળે, પરમાણુની ધમકીઓ સહન નહીં કરે ભારત

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે લોહી અને પાણી સાથે ન વહી શકે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે પરમાણુ ધમકીઓનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

આ દિવાળી મળશે મોટી ભેટ, GSTમાં થશે ફેરફાર…લાલ કિલ્લા પરથી PMની જાહેરાત

15મી ઓગસ્ટ શુક્રવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેરાત કરતા દેશના વડાપ્રધાને કહ્યું કે સરકાર આ વર્ષે દિવાળી સુધીમાં "નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ"નું અનાવરણ કરશે, જેનો હેતુ પરિવારો અને નાના ઉદ્યોગપતિઓ પર કરનો બોજ ઘટાડવાનો છે.

g clip-path="url(#clip0_868_265)">