
સ્વતંત્રતા દિવસ
ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. તેથી ભારતમાં દેશ 1947થી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી હતી કે, ભારત 30 જૂન 1948ના રોજ આઝાદ થશે, પરંતુ એવું બન્યું નહીં. 3 જૂન, 1947ના રોજ, ભારતના છેલ્લા વાઈસરોય, લોર્ડ માઉન્ટબેટને એક યોજના રજૂ કરી, જેમાં 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની સ્વતંત્રતાનો ઉલ્લેખ હતો. જેને માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે.
તેમની યોજનામાં બ્રિટિશ ભારતને બ્રિટનથી અલગ કરવું, ભારત અને પાકિસ્તાનની રચના અને બંને દેશોની સરકારોને સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આપવાનો સમાવેશ થાય છે. તેમની યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાનો અધિકાર હશે.
ભારતની સ્વતંત્રતા માટે, માઉન્ટબેટને 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કર્યું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.
અમેરિકમાં વિવાદ ! મુસ્લિમ સંસ્થાઓના વિરોધ વચ્ચે ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં રજૂ કરાઈ રામમંદિરની ઝાંખી
ભારતથી જોજનો દૂર અમેરિકામાં વર્ષોથી ભારતનો સ્વતંત્ર દિવસ, ઈન્ડિયા ડે પરેડના નામે ધામધૂમથી ઉજવાય છે. આ પરેડમાં દર વર્ષે ભારતની કોઈને કોઈ ઝાંખીને સામેલ કરવામાં આવે છે. આ વર્ષે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય રામ મંદિરની ઝાંખીને ઈન્ડિય ડે પરેડમાં સામેલ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Aug 19, 2024
- 5:45 pm
ભારતના આ શહેરોમાં 15 નહીં, 18મી ઓગસ્ટે કરાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી, જાણો શું છે કારણ
15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, ભારતના આ શહેરોમાં ત્રણ દિવસ પછી 18મી ઓગસ્ટે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે.
- Dilip Chaudhary
- Updated on: Aug 18, 2024
- 5:58 pm
પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિ જીવંત, અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ભારતીયોએ કરી ભવ્ય ઉજવણી
સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર અમેરિકાના નોરવોકમાં વસતા ભારતીયો દ્વારા આ દિવસની ખાસ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300થી વધારે ભારતીયો જોડાયા અને ધ્વજ યાત્રા કાઢી હતી.
- Devankashi rana
- Updated on: Aug 17, 2024
- 1:30 pm
દિલ્હીનો લાલ કિલ્લો પહેલા હતો સફેદ, જાણો કેવી રીતે બદલાયો રંગ
લાલ કિલ્લો જોવા માટે દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવતા હોય છે. પરંતુ આ ઐતિહાસિક સ્થળ સાથે સંકળાયેલો ઇતિહાસ કે તેના રસપ્રદ તથ્યો વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આજે આ લેખમાં અમે તમને દિલ્હીના લાલ કિલ્લા વિશે કેટલીક અજાણી અને રસપ્રદ વાતો જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ.
- Dilip Chaudhary
- Updated on: Aug 15, 2024
- 7:51 pm
નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને PM મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આટલો તફાવત, જુઓ વિગતવાર
ભારતના પ્રધાન મંત્રી નેહરુ, ઈન્દિરા અને રાજીવ ગાંધી અને PM મોદી દ્વારા આપવામાં આવેલા પ્રવચનમાં મોટી વૈવિધ્યતા જોવા મળી હતી. ત્યારે PM મોદીએ કહ્યું કે, ગુલામીમાંથી આઝાદ થયેલા દેશને પ્રેરણાની આપવાની જરૂર હતી. લોકોને ઉત્સાહિત કરવા અને પ્રેરણા આપવાને બદલે, તેમના સંબોધન અન્ય વધુ વિકસિત દેશોના લોકો સાથે ભારતીયોની તુલના કરતા, તેનુ આડકતરી રીતે સમર્થન આપતા જણાયા હતા.
- Sagar Solanki
- Updated on: Aug 15, 2024
- 7:14 pm
15મી ઓગસ્ટે PM મોદીએ આપેલા અને પુરા કરેલા વચનોનું રિપોર્ટ કાર્ડ
PM મોદી તેમના 15મી ઓગસ્ટના દરેક સંબોધનમાં વિકાસના લક્ષ્યોને આગળ વધારવા અને પાછલા વર્ષોની સફળતાઓ પર ભાર મુકે છે, જ્યારે રાષ્ટ્રના લાંબા ગાળાના હિતોને પણ સામેલ કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ભારતીય વિકાસમાં હિસ્સેદાર છે. વડાપ્રધાનનું ભાષણ એક રિપોર્ટ કાર્ડ છે, જેમાં તેઓ તેમની સરકારની સિદ્ધિઓ વિશે જણાવે છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 6:50 pm
દીકરીઓ પર અત્યાચાર થાય છે, રાક્ષસી લોકોને કડક સજા થવી જોઈએઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરનારાઓ સામે લાલ કિલ્લાની પ્રાચી પરથી આકરા પ્રહારો કર્યા હતા. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી અને ચિંતા વ્યક્ત કરી. મહિલાઓ વિશે તેમણે કહ્યું કે તેઓ માત્ર ભાગીદારી જ નથી વધારી રહી, પરંતુ હવે આગેવાની લઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 5:58 pm
આઝાદી સમયે ભારતને ટાટા પાસેથી મળ્યો હતો આ વારસો, જે બની દેશની મોટી તાકાત
ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. હાલમાં ભારત આર્થિક મહાસત્તા તરીકે લોકો તેને જોઇ રહ્યા છે. પરંતુ જરા કલ્પના કરો કે 1947માં ભારત કેવું રહ્યું હશે. સ્વતંત્રતા સમયે, ભારતને દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ તરફથી વારસામાં આ ભેટ મળી હતી.
- Sagar Solanki
- Updated on: Aug 15, 2024
- 5:36 pm
Independence day 2024 : દિલ્લી અક્ષરધામ મંદિર પરિસરમાં 78મા સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, મહંત સ્વામી મહારાજે લહેરાવ્યો તિરંગો, જુઓ તસવીરો
દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 78મા સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં,ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 3:23 pm
બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાને લઈને RSSના વડા મોહન ભાગવતે શુ કહ્યું ? જુઓ વીડિયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે 78માં સ્વતંત્રતા દિવસ પર, આરએસએસના મુખ્યાલય ખાતે ત્રિરંગો ફરકાવ્યો હતો. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં સંઘ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. સંઘ પ્રમુખે કહ્યું કે, હિંદુઓ કોઈપણ કારણ વગર હિંસાનો સામનો કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 2:46 pm
Video : વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ, ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું – શક્તિ સિંહ ગોહિલ
ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓએ ટીશર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 2:33 pm
Independence day theme movie : જવાન, શેરશાહ, સ્વદેશ અને પરમાણુ…દેશભક્તિની થીમ આધારિત ફિલ્મો, જે દરેકમાં જગાડશે દેશપ્રેમ
Independent day theme movie : જ્યારથી સ્વતંત્રતા દિવસ આવ્યો છે, ત્યારથી દેશભક્તિની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકોમાં ખુશીનો માહોલ છે. લોકો ઝંડા ખરીદી રહ્યા છે અને તિરંગો લહેરાવી રહ્યા છે. આ સમય દરમિયાન ઘણા લોકો તેમના પરિવાર સાથે રાષ્ટ્રીય રજાઓ ઉજવવા માટે બહાર જાય છે, જ્યારે ઘણા લોકો ઘરે રહીને દેશભક્તિની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. સ્વતંત્રતા દિવસ પર ચાલો ફરી એક વાર આવી 10 ફિલ્મો જોઈએ જે તમને આનંદ આપશે.
- Meera Kansagara
- Updated on: Aug 15, 2024
- 2:11 pm
લાલ કિલ્લા ખાતે આગળની હરોળમાં ફાળવેલી બેઠક છોડીને છેલ્લે કેમ બેઠા રાહુલ ગાંધી ?
લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લે આરક્ષિત ના હોય તેવી સામાન્ય લોકો માટેની જગ્યામાં બેઠેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસના સાંસદે આવું કેમ કર્યું તેના પર સંરક્ષણ મંત્રાલયનું નિવેદન આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 1:46 pm
Independence day News : આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતના 2 કરોડ ગરીબ પરિવારને 10 લાખ સુધીનું પુરુ પડાશે આરોગ્ય કવચ – ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમાં સંબોધન કરતા જણાવ્યુ કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. ગુજરાતમાં બે કરોડથી વધુ ગરીબોને આયુષ્ય દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવા મળે છે. તેમાં પણ બમણો વધારો કર્યો છે.
- Dharmendra Kapasi
- Updated on: Aug 15, 2024
- 12:41 pm
Independence Day 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદમાં કરી, જુઓ ફોટા
દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે.
- Disha Thakar
- Updated on: Aug 15, 2024
- 11:02 am