AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?

આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

| Updated on: May 31, 2026 | 11:13 AM
Share
રિષભ પંત 2025માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો હતો. LSGના ટીમે તેને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સતત ખરાબ પરફોર્મન્સના કારણે તે LSG કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. મોટો સવાલ એ છે કે શું પંતે આ નિર્ણય પોતે લીધો છે કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા તેને હટાવવામાં આવ્યો છે.

રિષભ પંત 2025માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો હતો. LSGના ટીમે તેને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સતત ખરાબ પરફોર્મન્સના કારણે તે LSG કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. મોટો સવાલ એ છે કે શું પંતે આ નિર્ણય પોતે લીધો છે કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા તેને હટાવવામાં આવ્યો છે.

1 / 6
સતત 2 વર્ષથી અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન અપેક્ષા મુજબ સામાન્ય રહ્યું છે. દિલ્હી કેપિટલ્સનની ટીમે કેટલીક પ્રભાવશાળી મેચ પણ જીતી છે. પરંતુ તેઓ ફરી એકવાર પ્લેઓફથી બહાર થઇ ગયા. અક્ષરની કેપ્ટનશીપ પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.

સતત 2 વર્ષથી અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન અપેક્ષા મુજબ સામાન્ય રહ્યું છે. દિલ્હી કેપિટલ્સનની ટીમે કેટલીક પ્રભાવશાળી મેચ પણ જીતી છે. પરંતુ તેઓ ફરી એકવાર પ્લેઓફથી બહાર થઇ ગયા. અક્ષરની કેપ્ટનશીપ પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.

2 / 6
કોલકાતા નાઈટ રાઇડર્સની શરૂઆત સારી નહોતી. KKR એ 2026ની IPL સીઝનની શરૂઆતમાં તેમની પ્રથમ 6 મેચમાંથી 5 મેચ હારી હતી. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ સિઝનના અંતમાં વાપસી કરવા છતાં સતત સારું પ્રદર્શન કરવામાં ટીમ નિષ્ફળ ગઈ.

કોલકાતા નાઈટ રાઇડર્સની શરૂઆત સારી નહોતી. KKR એ 2026ની IPL સીઝનની શરૂઆતમાં તેમની પ્રથમ 6 મેચમાંથી 5 મેચ હારી હતી. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ સિઝનના અંતમાં વાપસી કરવા છતાં સતત સારું પ્રદર્શન કરવામાં ટીમ નિષ્ફળ ગઈ.

3 / 6
હાર્દિકની કેપ્ટનશીપ અંગે મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા 2 સિઝનથી મોટો સંઘર્ષ કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફરી એકવાર પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે. 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું સતત ખરાબ પ્રદર્શન રહ્યું છે. 14 મેચમાં માત્ર 4 જીત સાથે ટીમ 9માં સ્થાને છે.

હાર્દિકની કેપ્ટનશીપ અંગે મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા 2 સિઝનથી મોટો સંઘર્ષ કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફરી એકવાર પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે. 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું સતત ખરાબ પ્રદર્શન રહ્યું છે. 14 મેચમાં માત્ર 4 જીત સાથે ટીમ 9માં સ્થાને છે.

4 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ત્રીજી વર્ષે પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ મુશ્કેલ બની રહી છે. રુતુરાજ ગાયકવાડે એમએસ ધોની પછી કેપ્ટનશીપ સંભાળી હતી. સૂત્રો મુજબ, સંજુ સેમસન CSKનો નવો કેપ્ટન બની શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ત્રીજી વર્ષે પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ મુશ્કેલ બની રહી છે. રુતુરાજ ગાયકવાડે એમએસ ધોની પછી કેપ્ટનશીપ સંભાળી હતી. સૂત્રો મુજબ, સંજુ સેમસન CSKનો નવો કેપ્ટન બની શકે છે.

5 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 2023 માં કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં તેમનું છેલ્લું IPL ટાઇટલ જીત્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ 2020 માં કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં તેમનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું. બંને ફ્રેન્ચાઇઝી IPL ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી સફળ ટીમો છે. IPLના ઈતિહાસમાં આ 2 ટીમો છે જે સૌથી વધુ વખત ચેમ્પિયન બની હોય.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 2023 માં કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં તેમનું છેલ્લું IPL ટાઇટલ જીત્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ 2020 માં કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં તેમનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું. બંને ફ્રેન્ચાઇઝી IPL ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી સફળ ટીમો છે. IPLના ઈતિહાસમાં આ 2 ટીમો છે જે સૌથી વધુ વખત ચેમ્પિયન બની હોય.

6 / 6

આ પણ વાંચો, Virat Kohli Final Match Performance : IPL ફાઇનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન છે ચોંકાવનારું, આંકડા વધારશે ચાહકોની ચિંતા !

Follow Us
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
Breaking News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
g clip-path="url(#clip0_868_265)">