ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. તેમના પિતા દશરથ ગાયકવાડ છે. જેઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના કર્મચારી હતા. તેની માતા સવિતા ગાયકવાડ શિક્ષિકા હતી. ઋતુરાજ ગાયકવાડે 3 જૂન 2023 ના રોજ મહાબળેશ્વર ખાતે તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટનશીપમાં મોટો ફેરફાર કર્યો હતો, ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી છે.
2019માં સીએસકેની ટીમમાં ઋતુરાજ ગાયકવાડે ડેબ્યુ કર્યું હતુ. ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 53 મેચ રમી છે. જેમાં કુલ 1812 રન બનાવ્યા છે. જેમાં 162 ચોગ્ગા અને 73 સિક્સ ફટકારી ચૂક્યો છે.
આઈપીએલ 2023માં ટીમને ખિતાબ જીતાડવામાં યુવા ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 27 વર્ષના ખેલાડીએ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2017માં ડેબ્યુ ક્યું હતુ. તેમણે એશિયાઈ રમતમાં ટીમને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 વનડે મેચમાં 115 રન બનાવ્યા છે.
Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 7:33 pm
Breaking News: પત્તાના મહેલની જેમ ઢેર થયો CSK નો ટોપ ઓર્ડર, RR vs CSK મેચમાં ધોની વિના ઢીલા પડ્યા ચેન્નાઈના ધુરંધર
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ યુનિટ સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે જેવા બેટ્સમેનોથી સજ્જ હતી પરંતુ રાજસ્થાનના બોલરોએ આ ટોપ ઓર્ડરને પત્તાના મહેલની જેમ વિખેરી નાખ્યો. ધોનીની ગેરહાજરીમાં CSKની બેટિંગ રણનીતિ સુપર ફ્લોપ સાબિત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:32 pm
IPL 2026: CSK પર ઇજાનું ગ્રહણ ધોની, બ્રેવિસ અને એલિસ બહાર, યુવા ખેલાડીઓના ખભા પર મોટી જવાબદારી !
ચેન્નાઈ સુપર કિંગ્સના ઈતિહાસમાં એક યુગનો અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર, મેદાન પર 'થાલા' ના માર્ગદર્શન વગર CSK ની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. એમ.એસ. ધોનીની પિંડણની ઈજાએ માત્ર ટીમને જ નહીં, પણ લાખો ચાહકોને આંચકો આપ્યો છે. હવે સવાલ એ છે કે, શું રુતુરાજ ગાયકવાડ ધોનીની છત્રછાયા વગર આ 'અગ્નિપરીક્ષા' પાર કરી શકશે ?
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2026
- 3:59 pm
Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું
IPL 2026 સિઝન શરૂ થવા પૂર્વે જ એક અનોખો ઈતિહાસ રચાઈ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય ખેલાડીઓ હશે. IPLના 19 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે વિદેશી કેપ્ટન વિના સમગ્ર લીગ રમાશે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2026
- 8:50 pm
IPLમાં સૌથી વધુ ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી? વિરાટ અને રોહિતના નામે કેટલી ઓરેન્જ કેપ ?
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ, IPLમાં દર વર્ષે નવા રેકોર્ડ્સ બને છે અને તૂટતા હોય છે. એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનારા બૅટ્સમેનને ઓરેન્જ કેપ મળે છે, પરંતુ આ ઓરેન્જ કેપ સૌથી વધુ વાર જીતનાર ખેલાડી કોઈ ભારતીય નથી.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 1:42 pm
Breaking News: ટીમ ઈન્ડિયા એક સાથે બે શ્રેણી રમશે, BCCI 30 ખેલાડીઓની કરશે પસંદગી
ભારતીય ક્રિકેટ ટીમ 2021 ની જેમ ફરી એકવાર એક સાથે બે જગ્યાએ રમતી જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓક્ટોબરમાં એક સાથે બે મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેના માટે બે ટીમનો પસંદગી કરવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Mar 12, 2026
- 8:42 pm
Ruturaj Gaikwad : હારની ગેરંટી છે ઋતુરાજ ગાયકવાડની સદી ! એ-બે નહીં પણ ચાર વખત થયું ટીમને નુકસાન
રાયપુર વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. આ તેની પહેલી વનડે સદી હતી અને ટીમ ઈન્ડિયા માટે તેની બીજી સદી હતી. પરંતુ ફરી એકવાર તેની સદી વિજય સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ.
- Smit Chauhan
- Updated on: Dec 4, 2025
- 5:47 pm
IND vs SA: 358 રન બનાવવા છતાં રાયપુરમાં ભારત કેમ હારી ગયું? જાણો તેના 5 મુખ્ય કારણો
રાયપુરમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 358 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ આ સાથે ભારતીય ટીમે ખરાબ રમવામાં કોઈ કસર છોડી નહીં. ચાલો સમજીએ કે આટલા ઊંચા સ્કોર છતાં ટીમ કેમ હારી ગઈ. જાણો ભારતની હારના 5 મુખ્ય કારણો.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:46 pm
Breaking News: કોહલી-ગાયકવાડની સદી બેકાર, દક્ષિણ આફ્રિકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું
વિરાટ કોહલી-ઋતુરાજ ગાયકવાડની સદી બેકાર, દક્ષિણ આફ્રિકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાની જીત સાથે ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીનો નિર્ણય હવે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાનારી અંતિમ ODI માં થશે.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 10:42 pm
Ruturaj Gaikwad : રાયપુરમાં ઋતુરાજે કર્યો કમાલ, માત્ર આટલા બોલમાં પહેલી ODI સદી ફટકારી
રાયપુરમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. આ ઋતુરાજ ગાયકવાડની પહેલી વનડે સદી છે. ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલી સાથે મળી 195 રનની જોરદાર ભાગીદારી પણ કરી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 5:29 pm
IND vs SA: રાંચી વનડેના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 અંગે કરી મોટી જાહેરાત
કેએલરાહુલ ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચના એક દિવસ પહેલા કેએલ રાહુલે પ્લેઈંગ ઈલેવન અને બેટિંગ પોઝિશન અંગે પોતાના વિચારો અને નિર્ણયો જાહેર કર્યા. તેણે પંત-ગાયકવાડના રમવા વિશે મોટી વાત કહી હતી.
- Smit Chauhan
- Updated on: Nov 29, 2025
- 4:24 pm
IND-A vs SA-A : ભારત ક્લીન સ્વીપ કરવામાં નિષ્ફળ, અભિષેક-તિલક ફ્લોપ, દક્ષિણ આફ્રિકાનો મોટો વિજય
ઈન્ડિયા A એ પહેલી બે વનડે જીતીને વનડે શ્રેણી પહેલાથી જ સુરક્ષિત કરી લીધી હતી. જોકે, તેઓ અંતિમ વનડેમાં હાર સાથે આફ્રીકાને ક્લીન સ્વીપ કરવાથી રહી ગયા. સ્ટાર ખેલાડીઓ અભિષેક શર્મા, તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડ ફ્લોપ રહ્યા. જો કે ભારતે શ્રેણી 2-1 થી જીતી હતી.
- Smit Chauhan
- Updated on: Nov 19, 2025
- 7:37 pm
IPL 2026 : સંજુ સેમસન માટે CSK રવીન્દ્ર જાડેજાને ટીમમાંથી કરશે બહાર! ઋતુરાજ-દુબેનું પત્તું કપાશે?
સંજુ સેમસન હવે રાજસ્થાન રોયલ્સનો ભાગ રહેશે નહીં. તેણે IPL 2026 પહેલા પોતાને રિલીઝ કરવાની વિનંતી કરી છે. આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2025
- 8:39 pm
IPL 2025 : આખી સીઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે. જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે અને 4માં હાર મળી છે. હવે સીઝન વચ્ચે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ બહાર થઈ ગયો છે.
- Nirupa Duva
- Updated on: Apr 11, 2025
- 11:52 am
Breaking News : એમએસ ધોની ફરી બન્યો ચેન્નાઈનો કેપ્ટન, IPL 2025ની આખી સિઝન સંભાળશે CSKની કમાન
2023 સિઝન પછી એમએસ ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દીધી. ગયા સિઝનમાં તેણે ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી હતી. ટીમે ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2023માં છેલ્લો ખિતાબ જીત્યો હતો. હવે ફરી 'કેપ્ટન કૂલ' મહેન્દ્ર સિંહ ધોની ફરી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 10, 2025
- 6:47 pm