શ્રાવણ માસ

શ્રાવણ માસ

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનો ખૂબ જ ફળદાયી છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવજીને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે, તેથી શિવભક્તો આતુરતાથી રાહ જુએ છે. આ મહિનામાં કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ રુદ્ર રૂપમાં સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી શ્રાવણ મહિનામાં જ ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભોલેનાથ પોતાના ભક્તો પર માત્ર એક ઘડા પાણીથી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પવિત્ર કાવડ યાત્રા દર વર્ષે શ્રાવણ માસમાં કરવામાં આવે છે. એવું કહેવાય છે કે શિવલિંગ પર કાવડ યાત્રા દરમિયાન લાવવામાં આવેલા જળનો અભિષેક કરવાથી કાવડીઓના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેમને ઈચ્છિત ફળ મળે છે.

Read More

સોમવતી અમાસ નિમીત્તે ભવનાથમાં ઉમટ્યા હજારો ભાવિક, દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડૂબકી- Video

હિંદુ ધર્મમાં ભાદરવી અમાસનું અનેરુ મહત્વ છે. આ દિવસે જેમાં પિતૃઓનો વાસ રહેલો છે એવા પીપળાનું પૂજન કરે છે પીપળાને પાણી રેડે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનું પણ અનેરુ મહત્વ છે. ત્યારે જુનાગઢના દામોદરકુંડ ખાતે હજારો ભાવિકો પવિત્ર કુંડમાં આસ્થાના ડૂબકી લગાવવા પહોંચ્યા હતા.

સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવારે અને સોમવતી અમાસે ઉમટ્યો ભક્તોનો શ્રદ્ધાસાગર- જુઓ તસવીરો

જપ તપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે અને આજથી શ્રાવણમાસની પૂર્ણાહુતિ થવાની છે. ત્યારે શ્રાવણના અંતિમ દિવસે પૂણ્યનું ભાથુ બાંધવા માટે ભક્તોનો માનવમહેરામણ સોમનાથ મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યુ હતુ.

Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય

Somvati Amavasya 2024 : હિંદુ કેલેન્ડર મુજબ, અમાસ એ મહિનાનો 30મો દિવસ છે અને કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

એવુ તો શું થયુ કે ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી તેની પ્રિય વાંસળી અને પછી ક્યારેય ન રેલાવ્યા સૂર

Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણની આપણે વાંસળી વિના કલ્પના નથી કરી શકતા. કાન્હાનો આ એવો શોખ હતો કે તેઓ વાંસળીમાંથી મધુર સૂરો રેલાવી ગમે તે વ્યક્તિને તેમના મોહપાશમાં બાંધી લેતા. શ્રીકૃષ્ણએ 11 વર્ષ અને 56 દિવસ સુધી વાંસળીને એક સેકન્ડ માટે પણ તેનાથી અલગ કરી ન હતી. જો કે તેમનો આ વાંસળી વગાડવાનો શોખ જ તો તેમની પ્રિયતમા રાધા રાનીને તેમની નજીક લાવવાનું માધ્યમ હતો. રાધા રાની તેના સૂરો સાભળતા જ કાન્હાને મળવા માટે કુંજ ગલીઓમાં દોડી જતા હતા

Rajkot News : રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, ફિટનેસ સહિતના સર્ટિના આધારે લોકમેળામાં રાઈડ્સ શરૂ થવાની સંભાવના, જુઓ Video

રાજકોટ-જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર આવી રહ્યો છે. લોકમેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી આશાઓ વધી છે. વહિવટી તંત્ર દ્રારા રાઇડ્સની ફિટીંગ કરવાની પરવાનગી આપી છે.ગઈકાલે સાંજે વહિવટી તંત્રએ રાઇડ્સ ફીટ કરવાની પરવાનગી આપી છે.

Krishna Janmashtami 2024: 26 કે 27 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી ? જાણી લો સાચી તિથિ

Krishna Janmashtami 2024: જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ થયો હતો. આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે.

લોકમેળામાં SOPના પાલનને લઈને તંત્રની બેધારી નીતિને tv9એ પાડી ખુલ્લી, રાઈડ્સ ધારકોને આપ્યા આ કડક નિર્દેશ- Video

રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં SOPના પાલનને લઈને ગઈકાલે tv9 દ્વારા ધારદાર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના મેળા દરમિયાન જ્યાં એક તરફ રાઈડ્સ સંચાલકોને જમીનનો સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કર્યા બાદ જ રાઈડ્સ ગોઠવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે રાઈડ્સ ધારકોએ એમ જ લાકડા કે પથ્થરના ટેકા સાથે રાઈડ્સ ગોઠવી દેતા tv9એ આ સમગ્ર ઘટનાને ઉજાગર કરતા તંત્રના અધિકારીઓ દોડતા થયા છે. 

સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં મેળા દરમિયાન નડી શકે છે વરસાદી વિઘ્ન, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આગામી થોડા દિવસોમાં રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજાની ફરી ધમાકેદાર તોફાની એન્ટ્રી થવાની છે.

શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં શ્રદ્ધાળુઓ થયા શિવભક્તિમાં લીન, દેવાધિદેવની પાલખી યાત્રામાં જોડાયા હજારો ભાવિભક્તો- Photos

શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં સોમનાથમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ. સોમવારના દેવાધિદેવના દિવ્ય દર્શનનો હજારો ભક્તોએ લ્હાવો લીધો. સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની પાલખી યાત્રામાં આયોજન કરાયુ હતુ. આ પાલખીયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મોટા સમાચાર, કલેક્ટરો અને સંચાલકો વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય- Video

રાજકોટમાં દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. આ લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.આજે રાજકોટના લોકમેળા અંગે કલેક્ટર અને સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમા લોકમેળાની SOPને લઈને ચર્ચા થઈ હતી. જો કે કેટલીક SOP બાબતે લોકમેળાના સંચાલકો ટસના મસ થયા ન હતા

IRCTC Tour Package : આ ટુર પેકેજમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, EMIથી ભાડું ચૂકવો, જાણો વિગતો

IRCTC એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે,શ્રાવણ મહિનામાં આઈઆરસીટીસી 7 જ્યોતિર્લિંગનું ટુર પેકેજ લઈ આવ્યું છે. તમે EMIથી પણ ભાડું ચૂકવી શકો છો.

શ્રાવણના પહેલા સોમવારે રાજુલાના કુંભનાથ મહાદેવ મંદિરે 61 હજાર પંચમુખી રૂદ્રાક્ષનું બનાવાયુ વિરાટ શિવલીંગ- Video

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી શિવ મંદિરો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. અમરેલીના રાજુલામાં આવેલા અતિ પૌરાણિક કુંભનાથ મહાદેવ મંદિરે આવેલા કૈલાસ ધામના પટાંગણમાં 6 હજાર પંચમુખી રૂદ્રાક્ષમાંથી વિરાટ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે.

Lord Vishnu : મોટાભાગે ભગવાન વિષ્ણુને શયન અવસ્થામાં જ કેમ બતાવવામાં આવે છે? જાણો પૌરાણિક કથા

Lord Vishnu : ભગવાન વિષ્ણુને તેમના ચિત્રોમાં ઘણીવાર સૂતા દર્શાવવામાં આવ્યા છે. ચિત્રોમાં મોટા ભાગના દેવી-દેવતાઓ ઉભા હોય છે કાં તો બેઠા છે. આખરે શા માટે ભગવાન વિષ્ણુ મોટે ભાગે સૂવાની મુદ્રામાં હોય છે? ભગવાન વિષ્ણુના આવા ચિત્ર પાછળનું રહસ્ય શું છે?

Mahakaleshwar Ujjain : એક તરફ મહાકાલની સવારી…તો બીજી તરફ થશે 1500 ડમરુનો નાદ, ઉજ્જૈનમાં આ નજારો ક્યારે જોવા મળશે?

Sawan 2024 : મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ રેકોર્ડ શ્રાવણના ત્રીજા સોમવારે મહાકાલ સવારી દરમિયાન બનશે. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Health Tips : ઉપવાસ કરવાથી શરીરમાં શું ચેન્જ આવે છે? જાણો તેના ફાયદા અને નુકસાન

પ્રાચીન કાળથી ઉપવાસ પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ઉપવાસ દરમિયાન શરીર અને મન શાંત થઈ જાય છે. ત્યારે ચાલો જાણીએ તેના ફાયદા અને નુકસાન

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">