શ્રાવણ માસ
હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનો ખૂબ જ ફળદાયી છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવજીને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે, તેથી શિવભક્તો આતુરતાથી રાહ જુએ છે. આ મહિનામાં કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ રુદ્ર રૂપમાં સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી શ્રાવણ મહિનામાં જ ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભોલેનાથ પોતાના ભક્તો પર માત્ર એક ઘડા પાણીથી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પવિત્ર કાવડ યાત્રા દર વર્ષે શ્રાવણ માસમાં કરવામાં આવે છે. એવું કહેવાય છે કે શિવલિંગ પર કાવડ યાત્રા દરમિયાન લાવવામાં આવેલા જળનો અભિષેક કરવાથી કાવડીઓના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેમને ઈચ્છિત ફળ મળે છે.
History of city name : ‘કેદારનાથ ‘ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
કેદારનાથ મંદિર હિંદુ ધર્મનું પ્રખ્યાત તીર્થસ્થળ છે, જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં, મંદાકિની નદીની કિનારે સ્થિત છે. અહીંનું હવામાન અતિશય કઠોર હોવાને કારણે મંદિર વર્ષમાં મર્યાદિત સમય માટે જ ખુલ્લું રહે છે.સામાન્ય રીતે એપ્રિલની અક્ષય તૃતીયાથી શરૂ કરીને નવેમ્બર મહિનાની કાર્તિક પૂર્ણિમા સુધી યાત્રાળુઓ માટે પ્રવેશ ઉપલબ્ધ રહે છે.
- Ashvin Patel
- Updated on: Aug 18, 2025
- 6:34 pm
Farali Dosa Recipe : ઉપવાસમાં ખીચડી, ભાખરી ખાઈને કંટાળી ગયા છો ? ઘરે એક વાર ટ્રાય કરો ફરાળી ઢોસા
ભાજી અને ચટણી સાથે ફરાળી ઢોસા એ વ્રત અથવા ઉપવાસના દિવસો માટે એક સંપૂર્ણ અને ફળદાયી ભોજન છે. એકવાર તમે મોરૈયો, સાબુદાણા અને દહીં સાથે બનેલો આ ક્રિસ્પી ઢોસા ખાશો, તો તમને વારંવાર ભૂખ નહીં લાગે.
- Disha Thakar
- Updated on: Aug 12, 2025
- 2:26 pm
Sabudana Barfi Recipe : માવાની બરફી ખાઈને કંટાળી ગયા છો ? એક વાર ટ્રાય કરો સાબુદાણાની બરફી
શ્રાવણ મહિનો ખુશીઓ, તહેવારો અને ભક્તિથી ભરેલો હોય છે. આવી સ્થિતિમાં, આ મહિનામાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ગમે તે હોય, વરસાદની ઋતુમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું મન થાય છે. પરંતુ ઉપવાસ હોવાના કારણે કેટલીક વખત મીઠાઈ અને નવી વાનગીઓ ખાઈ શક્તા નથી.
- Disha Thakar
- Updated on: Aug 10, 2025
- 9:01 am
Sabudana Rasmalai Recipe : શ્રાવણમાસમાં ભગવાન શિવને પ્રસાદમાં ધરાવો સાબુદાણાની રસમલાઈ, જાણો ઘરે બનાવવાની સરળ રીત
શ્રાવણ મહિનો ખુશીઓ, તહેવારો અને ભક્તિથી ભરેલો હોય છે. આવી સ્થિતિમાં, આ મહિનામાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ગમે તે હોય, વરસાદની ઋતુમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું મન થાય છે. પરંતુ ઉપવાસ હોવાના કારણે કેટલીક વખત મીઠાઈ અને નવી વાનગીઓ ખાઈ શક્તા નથી.
- Disha Thakar
- Updated on: Aug 9, 2025
- 11:50 am
Sabudana Nuggets Recipe : નામ કરતા પણ સરળ છે સાબુદાણા નગેટ્સ, એક વાર ઘરે જરુર ટ્રાય કરો
જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાના શોખીન છો, તો સાબુદાણા નગેટ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. તમે તેને સાંજે અથવા થોડી ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. સાબુદાણાથી બનેલા આ નગેટ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, જે બધી ઉંમરના લોકોને ગમે છે. તેથી જો તમે કંઈક હળવું પણ સ્વાદમાં ઉત્તમ ખાવા માંગતા હો, તો એકવાર સાબુદાણા નગેટ્સનો ટેસ્ટ કરી જુઓ
- Disha Thakar
- Updated on: Aug 6, 2025
- 8:16 am
History of city name : ‘નાગેશ્વર જ્યોતિર્લિંગ’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
નાગેશ્વર મંદિર ગુજરાત રાજ્યના દ્વારકા નજીક આવેલું એક પ્રખ્યાત શિવધામ છે, જે ભગવાન શિવને અર્પિત છે. શિવ પુરાણમાં તેનું વર્ણન મળતું હોય છે અને તેને ભારતના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Aug 4, 2025
- 6:46 pm
દાદીમાની વાતો: શું પિરિયડ્સમાં શ્રાવણના સોમવારનું વ્રત રાખી શકાય? જાણો કોણ વ્રત ન રાખી શકે
દાદીમાની વાતો: શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારે ભોલેનાથ માટે ઉપવાસ રાખે છે, જે તેમની ભક્તિ અને પ્રેમ દર્શાવે છે. પરંતુ ઘણા લોકોએ સોમવારે ઉપવાસ ન રાખવો જોઈએ, તેનું કારણ જાણો.
- Meera Kansagara
- Updated on: Aug 4, 2025
- 2:23 pm
History of city name : ‘ભવનાથ મહાદેવ’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ભવનાથ મહાદેવ મંદિર ગુજરાતના જુનાગઢ જિલ્લામાં, ગિરનાર પર્વતની નજીક આવેલું છે. આ સ્થળ માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે, ગિરનાર પર્વત પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલ વિસ્તારથી પણ ઘેરાયેલું છે. ગિરનાર હંમેશાથી સાધુ-સંતોની તપશ્ચર્યા માટેનું કેન્દ્ર રહ્યું છે.
- Ashvin Patel
- Updated on: Aug 3, 2025
- 6:17 pm
Leaves for Lord Shiva: શિવલિંગ પર બિલિપત્ર પત્ર સિવાય બીજા કયા પાન ચઢાવવા જોઈએ?
Bel Patra: શ્રાવણના સોમવારે ભક્તો શિવલિંગ પર ઘણા ફૂલો અને પાંદડા ચઢાવે છે, જેમાંથી બિલિપત્ર ખૂબ પ્રખ્યાત છે. બિલિપત્રની સાથે કેટલાક અન્ય પાંદડા પણ ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. જેને તમે તેમની પૂજામાં સામેલ કરી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Aug 3, 2025
- 5:26 pm
Sabudana Dhokla : શ્રાવણ મહિનામાં ઘરે બનાવો સાબુદાણાના ઢોકળા, એક વાર ખાશો તો વારંવાર યાદ કરશો
શ્રાવણ માસમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈશું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના ઢોકળા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
- Disha Thakar
- Updated on: Jul 31, 2025
- 8:29 am
દાદીમાની વાતો : શીતળા સાતમના દિવસે ઠંડુ કેમ ખાવામાં આવે છે? જાણો તેની પાછળનું વિજ્ઞાન અને ધાર્મિક કારણ
દાદીમાની વાતો: શીતળા સાતમ પર વાસી ખોરાક ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. આ દિવસે લોકો એક દિવસ પહેલા તૈયાર કરેલો ખોરાક ખાય છે. ચાલો જાણીએ આ અનોખી માન્યતા અને તેની પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે.
- Meera Kansagara
- Updated on: Jul 29, 2025
- 4:59 pm
શ્રાવણમાં કયાં 8 શુભ કાર્યો કરવા જોઈએ? જાણો શિવપૂજાની પાછળના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ
શ્રાવણ મહિનો આધ્યાત્મિક વિકાસ માટે અનુકુળ છે. આ લેખમાં, નકારાત્મકતા દૂર કરવાના 7 ઉપાયો આપ્યા છે. જે દરેક લોકોએ જાણવા જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Jul 27, 2025
- 3:48 pm
Farali Bhel : શ્રાવણ માસમાં ઘરે બનાવો ચટપટી ફરાળી ભેળ, આ રહી સરળ ટીપ્સ
શ્રાવણ માસમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક ફરાળી ભેળ સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
- Disha Thakar
- Updated on: Jul 27, 2025
- 2:58 pm
Real vs Fake Rudraksha: તમારી પાસે રુદ્રાક્ષ છે? અસલી અને નકલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો?
How to identify real rudraksha: વૈજ્ઞાનિક પરીક્ષણો પછી Elaeocarpus Ganitrus પ્રજાતિને શુદ્ધ રુદ્રાક્ષ અને Elaeocarpus Lacunosus પ્રજાતિને નકલી પ્રજાતિ માનવામાં આવી છે. પ્લાસ્ટિક અને ફાઇબરથી બનેલા રુદ્રાક્ષ પણ ભારતીય બજારોમાં વેચાઈ રહ્યા છે. રુદ્રાક્ષના નામે નકલી રુદ્રાક્ષ વેચીને લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. જાણો અસલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો.
- Meera Kansagara
- Updated on: Jul 26, 2025
- 9:00 am
બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ કરો આ ચમત્કારિક મંત્રોનો જાપ, ભાગ્ય બદલાઈ જશે
સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને અત્યંત પવિત્ર સમય ગણવામાં આવે છે, જે સવારે આશરે 4 થી 5:30 વચ્ચેનો સમય હોય છે. આ અવધિને 'અક્ષય મુહૂર્ત' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સમયે કરેલા સાધન-જાપ અને કાર્ય શુભ ફળ આપે છે.
- Ashvin Patel
- Updated on: Jul 26, 2025
- 7:15 am