Iran-Israel war : પીએમ મોદીએ સાઉદીના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત, ભારતીયો અંગે વ્યક્ત કરી ચિંતા
વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો ઉપર ઈરાને કરેલા હુમલાઓની નિંદા કરી અને બંને દેશોમાં રહેતા ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ અને ઈરાનની બદલો લેવાની કાર્યવાહીએ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રને અસર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને લઈને સર્જાયેલ સ્થિતિ અંગે બહેરીન, સાઉદી અરેબિયાના રાષ્ટ્રપતિ અને સાઉદીના પ્રિન્સ સાથે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ઈરાની હુમલાઓની નિંદા કરી અને ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઈરાને કરેલા હુમલાને કારણે બગડતી પરિસ્થિતિએ ભારતીય સમુદાયમાં ચિંતા પેદા કરી છે.
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. દરમિયાન, ઈરાન સતત બદલો લેવા માટે અન્ય દેશમાં હુમલાઓ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારને 2 માર્ચના રોજ બે અગ્રણી પશ્ચિમ એશિયાઈ દેશના નેતા સાથે ફોન પર વાત કરી. તેમણે બહેરીનના રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે વાત કરી. તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાતચીત કરી.
વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો ઉપર ઈરાને કરેલા હુમલાઓની નિંદા કરી અને બંને દેશોમાં રહેતા ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ અને ઈરાનની બદલો લેવાની કાર્યવાહીએ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રને અસર કરી છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે પશ્ચિમના આ પ્રદેશમાં હાલ તણાવ ખૂબ વધી રહ્યો છે.
PM Narendra Modi had 2 important telephone conversations today.
He spoke with the King of Bahrain, King Hamad bin Isa Al Khalifa. He also spoke with Crown Prince and PM of Saudi Arabia, Mohammed bin Salman Al Saud.
PM condemned the attacks on both these countries and discussed… pic.twitter.com/1df62okWYs
— ANI (@ANI) March 2, 2026