AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક

મૃગીકુંડમાં સ્નાન મુદ્દે શરૂ થયેલો વિવાદ વીડિયો આક્ષેપો અને પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો. કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ નોંધાયા હતા, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ભારતીઆશ્રમમાં થયેલા સમાધાનથી સંતસમાજમાં શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે.

Breaking News :  વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક
controversial kirti patel ends dispute with saints in presence of indrabharati bapu
| Updated on: Mar 03, 2026 | 10:06 AM
Share

જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચે અંતે સમાધાન થઈ ગયું છે. ભારતી આશ્રમમાં સોમવારે યોજાયેલી બેઠકમાં કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતીની હાજરીમાં આ મામલો સમાપ્ત કરાયો હતો. બેઠક દરમિયાન ઈન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃગીકુંડમાં સ્નાન મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ ઈન્દ્રભારતી બાપુએ કીર્તિ પટેલને બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર ઈન્દ્રભારતી બાપુ વિરુદ્ધ આક્ષેપોના વીડિયો જાહેર કર્યા હતા, જેને કારણે સંત સમાજમાં ભારે ચકચાર મચી હતી. વિવાદ દરમિયાન કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ પણ નોંધાયા હતા, જેના કારણે તેમની ભૂમિકા પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

હરિહરાનંદ ભારતી બાપુએ સમાધાનની પુષ્ટિ કરી

વિવાદની ગરમી વચ્ચે કીર્તિ પટેલ દ્વારા ઈન્દ્રભારતીના “ચીઠ્ઠા ખોલવાની” ધમકી આપવામાં આવી હોવાના દાવાઓ પણ સામે આવ્યા હતા. પરંતુ અચાનક જ સોમવારે સાંજે મહેન્દ્રાનંદ બાપુ કીર્તિ પટેલને લઈને ભારતી આશ્રમ પહોંચ્યા હોવાની માહિતી બહાર આવી. ત્યારબાદ હરિહરાનંદ ભારતી બાપુએ સમાધાનની પુષ્ટિ કરી અને સમગ્ર વિવાદનો અંત આવ્યાનું જણાવ્યું.

બેઠક દરમિયાન કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ સહિત અન્ય સંતોને સાલ ઓઢાડી માન આપ્યું, જેને સમાધાનનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. તેમ છતાં આ અચાનક થયેલા ફેરફારને લઈને શહેરમાં અનેક અટકળો ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર કડક નિવેદનો અને આક્ષેપો બાદ સમાધાન સુધીનો આ સફર અનેક સવાલો ઊભા કરે છે.

હાલમાં બંને પક્ષો વચ્ચે થયેલા સમાધાનથી સંતસમાજ અને ભક્તોમાં રાહતનો માહોલ છે. આશા છે કે ભવિષ્યમાં આવી ગેરસમજો ફરી ન ઊભી થાય અને ધાર્મિક પરંપરાઓ સાથે શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે. હાલ તો આશ્રમ તરફથી વિવાદ પૂર્ણ થયાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમને લઈને ચર્ચાઓ યથાવત છે.

જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">