ક્રાઈમ
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. જેની કોઈ ખાસ પ્રકારની વ્યાખ્યા નથી. દેશ કે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેને પણ અપરાધ માનવામાં આવે છે. જેમાં ચોરીથી લઈને હત્યા સુધીના કૃત્યનો સમાવેશ થાય છે. ગુનો એ માત્ર અમુક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમુદાય, સમાજ અથવા રાજ્ય માટે પણ હાનિકારક કૃત્ય છે.આવા કૃત્યો કાયદા દ્વારા પ્રતિબંધિત અને સજાપાત્ર છે.
“જે પુત્રના લગ્નના સપના જોયા તેના જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં ન્યાય માટે માતાએ સીધો વડાપ્રધાનનો દરવાજો ખટખટાવ્યો!
પુણેના યુવાન ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા બાદ, તેની માતાએ ન્યાય માટે સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો છે. કેતનની માતા રાખી અગ્રવાલે વડા પ્રધાનને ખૂબ જ ભાવનાત્મક ઇમેઇલ મોકલીને તેમના પુત્રની હત્યામાં તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 3:06 pm
Breaking News: શતાબ્દી એક્સપ્રેસે પ્લેટફોર્મ છોડ્યું અને બિઝનેસ ક્લાસ મુસાફરો વચ્ચે પોલીસને મળ્યો બુટલેગર! બેબાક કરી કબૂલાત “હા દારૂ વેચું છું”
ભરૂચ : શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય રીતે બિઝનેસ અને અપર ક્લાસ મુસાફરોની પસંદગી માનવામાં આવે છે પણ આ ટ્રેન દારૂની ખેપના કેસને કારણે ચર્ચામાં આવી છે. ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસે શતાબ્દી એક્સપ્રેસના મુસાફરો વચ્ચે એક કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
- Ankit Modi
- Updated on: Jul 13, 2026
- 1:42 pm
Breaking News : બદ્રીનાથ દાન ચોરી મામલે મોટી કાર્યવાહી, SITએ મુખ્ય આરોપી પ્રમોદ નૌટિયાલની કરી ધરપકડ
તપાસના આધારે પોલીસે આરોપી પ્રમોદ નૌટિયાલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ઉત્તરાખંડ પોલીસે મંદિરમાં પ્રસાદ અને દાનના સંચાલનમાં કથિત અનિયમિતતાના સંદર્ભમાં નૌટિયાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી
- Devankashi rana
- Updated on: Jul 13, 2026
- 1:57 pm
Breaking News: પ્રાઇવેટ ગ્રુપ્સ, હજારો મેમ્બર્સ અને મહિલાઓનો શિકાર; ટેલિગ્રામ પર ‘ડ્રાઇવિંગ સ્કૂલ’ના નામે ચાલતું હતું ‘હેવાનિયતનું નેટવર્ક’
હાલમાં ઓનલાઈન ગુનેગારોના ભયાનક ડિજિટલ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ ટેલિગ્રામ એપ પર પ્રાઇવેટ ગ્રુપ્સ બનાવીને નિર્દોષ મહિલાઓને નશીલો પદાર્થ આપીને પોતાનો શિકાર બનાવતી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને છેતરવા માટે આ ગુનેગારો ખાસ 'કોડ લેંગ્વેજ'નો ઉપયોગ કરતા હતા.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 5:59 pm
Breaking News : અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં બની ઘટના, મોકડ્રીલ દરમિયાન ટીયર ગેસ લીક થતા અફરાતફરી, જુઓ Video
અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મોકડ્રીલ દરમિયાન ટીયર ગેસના સેલ બહાર રોડ પર પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા થતા ગભરાટનો માહોલ ફેલાયો હતો.
- TV9 Gujarati
- Updated on: Jul 9, 2026
- 2:52 pm
લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર FBI નો સપાટો, જેલમાંથી ચાલે છે 9 દેશનો કારોબાર, જુઓ ક્રાઇમ નેટવર્ક
અમેરિકી FBIએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક ચલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ નેટવર્કમાં હત્યા, ડ્રગ્સ, ખંડણી અને હથિયારોની હેરાફેરી જેવા ગુનાઓ સામેલ છે.
- Sagar Solanki
- Updated on: Jul 8, 2026
- 6:21 pm
Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ ભક્તોના નામે એક પત્ર લખીને પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 7, 2026
- 7:22 pm
Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર… અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?
અયોધ્યા રામ મંદિરના દાનની ઉચાપતના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અવિનાશ શુક્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેણે દાનમાં મળેલી રકમમાંથી લાખો રૂપિયા પોતાના મિત્રો, પરિવાર અને અંગત મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Jul 7, 2026
- 7:07 pm
Ketan Agrawal Murder Case : કેતન અગ્રવાલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો, 4 મહિના પહેલા જ સિયા-ચેતને કરી લીધા હતા લગ્ન
કેતન અગ્રવાલ હત્યા કેસમાં વધુ એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. સિયા અને ચેતનની વોટ્સએપ ચેટમાંથી તેમના લગ્નની વિગતો સામે આવી છે. સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ ચાર મહિના પહેલા ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. પોલીસે તેમના હાથમાં આવેલા વોટ્સએપ ચેટના આધારે આ દાવો કર્યો છે.
- Dhruval Shah
- Updated on: Jul 7, 2026
- 1:28 pm
Breaking News : કેતન અગ્રવાલ હત્યાકાંડમાં સામે આવ્યું સોનમ રઘુવંશી કનેક્શન ! ફરી થયો મોટો ખુલાસો
Ketan Agrawal Murder case : રાજા રઘુવંશી અને કેતન અગ્રવાલની હત્યાઓ વચ્ચે આશ્ચર્યજનક સમાનતાઓ જોવા મળી રહી છે. બંને કિસ્સાઓમાં, પીડિતોને તેમના ભાગીદારો દ્વારા પર્વતની કિલ્લા પરથી ફેંકી દેવામાં આવ્યા હતા.
- Devankashi rana
- Updated on: Jul 7, 2026
- 9:52 am
Breaking News : દારૂડિયા પતિની ક્રૂરતાનો ભયાનક અંત, રોજની મારપીટથી કંટાળી પત્નીએ સૂતા પતિ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો !
પોલીસે પ્રીતિ, જેને વિનિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ધરપકડ કરી છે. જેણે 26 જૂને ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં પોતાના પતિ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, રોજિંદા હિંસાથી કંટાળીને, પત્નીએ ચાલાકીપૂર્વક હત્યાને બંધ રૂમમાં અકસ્માત તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
- Dhruval Shah
- Updated on: Jul 7, 2026
- 10:06 am
લોહગઢ પુણે હત્યાકાંડમાં અગ્રવાલ પરિવાર પર આભ તૂટ્યું, પૌત્ર કેતનની ક્રૂર હત્યાના આઘાતમાં દાદા દેવીચંદનું પણ કરૂણ મોત !
લોહાગઢ કિલ્લા હત્યાકાંડ બાદ અગ્રવાલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પૌત્ર કેતન અગ્રવાલની ક્રૂર હત્યાના આઘાતને સહન ન કરી શકતા દાદા દેવીચંદ અગ્રવાલનું કરૂણ અવસાન થયું છે. પરિવારમાં એક જ મહિનામાં બે મોટી દુઃખદ ઘટનાઓથી શોકનું વાતાવરણ છે.
- Dhruval Shah
- Updated on: Jul 5, 2026
- 11:15 am
Siya Goyal ની પ્રાઇવેટ ચેટ લીક, મિત્ર પાસેથી Snapchat પર માંગ્યું આધાર કાર્ડ, પછી કેતન સાથેના લગ્ન અંગે કહી ચોંકાવનારી વાત
કેતન અગ્રવાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી સિયા ગોયલની કથિત સ્નેપચેટ ચેટ વાયરલ થઈ છે. જેમાં સિયા એક મિત્ર પાસેથી લગ્ન માટે આધાર કાર્ડ માંગી રહી છે, પરંતુ સાથે જ કહે છે કે આ લગ્ન 'ક્યારેય થવાના નથી'.
- Sagar Solanki
- Updated on: Jul 4, 2026
- 4:41 pm
વોશિંગ મશીનમાં નાખ્યો, સ્પ્રે કર્યું અને બાથરૂમમાં ફેંકી દીધો, બેંગલુરુના ડેકેરમાં માસુમ બાળકો સાથે ક્રૂરતા
HAL કેમ્પસમાં IT જાયન્ટ કેપજેમિની દ્વારા સંચાલિત ડેકેર સેન્ટરમાં બે અને ત્રણ વર્ષના માસૂમ બાળકો પર કથિત શારીરિક અને માનસિક શોષણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.
- Meera Kansagara
- Updated on: Jul 4, 2026
- 9:23 am
Ketan Agrawal Murder Case : સિયા-ચેતનને ન્યાયિક કસ્ટડી, શું હત્યાનું કાવતરું કોડેડ ભાષામાં રચાયું? ફોનમાંથી મળ્યા ગુપ્ત સંકેતો !
પુણેની એક કોર્ટે કેતન અગ્રવાલની મંગેતર સિયા ગોયલ અને લોહગઢ કિલ્લા હત્યા કેસમાં આરોપી તેના પ્રેમી ચેતન ચૌધરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસે આરોપીના ફોનમાંથી કોડ વર્ડ ધરાવતી ચેટ જપ્ત કરી છે. પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલના જણાવ્યા અનુસાર, પોલીસે કેટલાક મુખ્ય સાક્ષીઓ અને બીજો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. જે સાબિત કરે છે કે આ પૂર્વયોજિત હત્યા હતી.
- Dhruval Shah
- Updated on: Jul 4, 2026
- 9:09 am