Vastu Tips : શું તમારી પાસે પણ છે T આકારનો પ્લોટ ? જાણો તમારા માટે શુભ છે કે અશુભ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘર ચોક્કસ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, તો તે ઘર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર કયા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

ત્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

દરેક જમીનમાલિકને તેની જરૂરિયાતો અનુસાર નાના, મોટા અને વિવિધ કદના પ્લોટની જરૂર હોય છે. ઘર બનાવવા માટે વિવિધ પ્રકારના પ્લોટ હોય છે, ( Pic- Orange Homes )

કેટલાક પ્લોટ અંગ્રેજી મૂળાક્ષર ટી જેવા આકારના પણ હોય છે. આ પ્રકારના પ્લોટમાં આગળનો ભાગ પહોળો અને અંદરનો ભાગ સાંકડો જોવા મળે છે.

આ કારણે, આ પ્લોટ કોઈપણ રીતે ફળદાયી સાબિત થઈ શકતો નથી. આ પ્રકારના આકારના પ્લોટ પર બનેલા ઘરનો માલિક અને ઘરમાં રહેતા સભ્યોનું સ્વાસ્થ્ય નબળુ રહે છે.

તે હંમેશા કોઈને કોઈ સમસ્યાથી પીડાતા રહે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, આવા પ્લોટ ક્યારેય ખરીદવા જોઈએ નહીં. આવા પ્લોટ હંમેશા અશુભ હોય છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
