બાબા રામદેવના આ 5 ઉપાયો અજમાવો, યુવાવસ્થામાં વાળ જલ્દી સફેદ નહી થાય
અત્યારના યુવાઓમાં વાળ ખરવાની સમસ્યા અને વાળ સફેદ થવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો કે, સફેદ વાળ આવતા અટકાવવા હોય તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરી શકો છો અને કુદરતી ઉપચારો અજમાવી શકો છો.

અત્યારના યુવાઓમાં વાળ ખરવાની સમસ્યા અને વાળ સફેદ થવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. નાની ઉંમરે વાળ સફેદ થવાએ દરેક યુવા માટે ચિંતાનો વિષય છે. જો કે, સફેદ વાળ આવતા અટકાવવા હોય તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરી શકો છો અને કુદરતી ઉપચારો અજમાવી શકો છો. એવામાં ચાલો જાણીએ કે, યોગ ગુરુ બાબા રામદેવે સફેદ વાળને અટકાવવા માટે કઈ આયુર્વેદિક પદ્ધતિને અજમાવવાનું કહ્યું છે.

આમળા: આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો આમળાનું સેવન રોજ કરવામાં આવે તો યુવાવસ્થામાં સફેદ વાળ આવતા અટકે છે. આમળાનું સેવન કરવાથી વાળ મજબૂત બને છે.

નખ ઘસવા: બાબા રામદેવ કહે છે કે, બંને હાથની આંગળીઓના નખ એકસાથે ઘસવાથી માથાની ચામડીમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. જેનાથી વાળ વધુ મજબૂત બને છે અને બીજું કે, તે વાળ સફેદ થવાની સમસ્યાને પણ ઘટાડે છે.

એલોવેરા જ્યુસ: વાળને મજબૂત બનાવવા માટે, ચમકદાર બનાવવા માટે અને કાળા બનાવવા માટે એલોવેરા જ્યુસ પીવો જોઈએ. આનાથી વાળ સ્વસ્થ રહે છે અને નાની ઉંમરે વાળ જલ્દી સફેદ થતાં નથી.

આયુર્વેદિક તેલ માલિશ: કેટલીક ભારતીય ઔષધિઓ વાળ માટે ગુણકારી હોય છે. ગુણકારી ઔષધિની વાત કરીએ તો, તેમાં ભૃંગરાજ, આમળા, બ્રાહ્મી કરી પત્તાનો સમાવેશ થાય છે. જો બધી ઔષધિને સાથે ભેળવવામાં આવે અને તેનું તેલ બનાવીને તેની માલિશ વાળ પર કરવામાં આવે તો વાળ સ્વસ્થ બને છે.

યોગ્ય આહાર : વાળને જલ્દી સફેદ થતાં અટકાવવા હોય અને વાળ સ્વસ્થ રાખવા હોય તો સંતુલિત અને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. યોગ્ય આહારમાં તમે લીલા શાકભાજીનું અને ફળોનું સેવન કરી શકો છો.
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. જીવન શૈલીના અન્ય આવ્યા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..






































































