AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવ

બાબા રામદેવ

ભારતના પ્રખ્યાત યોગ ગુરુ રામ કિશન યાદવને આખી દુનિયા સ્વામી રામદેવ અથવા બાબા રામદેવના નામથી ઓળખે છે. તેઓ ભારતમાં યોગ અને આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે પ્રખ્યાત છે. રામદેવે તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી હતી.

બાબા રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈયદપુર ગામમાં થયો હતો. તેઓ રામ નિવાસ યાદવ અને ગુલાબો દેવીના મોટા પુત્ર છે. તેઓ પરંપરાગત આર્ય સમાજના છે અને તેમનો એક નાનો ભાઈ રામ ભરત પણ છે. નાનપણથી જ તેમને ભારતીય વેદો, યોગ અને સંસ્કૃતમાં રસ હતો.

બાબા રામદેવે અંગ્રેજી ભાષાને નકારી કાઢી અને પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓમાં વૈદિક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. બાબા રામદેવે હરિયાણાના શહઝાદપુર સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી પ્રાચીન વેદોના અભ્યાસ માટે તે હરિદ્વાર સ્થિત ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલય ઉત્તરાખંડ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને સાધુની જેમ રહેવાનું શરૂ કર્યું અને હરિદ્વારમાં યોગ કેન્દ્ર ‘યોગ ગ્રામ’ની સ્થાપના કરી.

યોગમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા રામદેવ દરરોજ તેનો અભ્યાસ કરે છે અને તેમના યોગ કેન્દ્રમાંથી દરેકને શિક્ષા આપે છે, જે સમગ્ર ભારતમાં ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે. એપ્રિલ 2017માં, ઈન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રકાશિત 2017ની ભારતની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં બાબા રામદેવ પાંચમા ક્રમે હતા.

 

Read More
Follow On:

Gyan Bharatam Mission: પતંજલિ યુનિવર્સિટીને ક્લસ્ટર સેન્ટર તરીકે માન્યતા, સ્વામી રામદેવે સમજાવ્યું જ્ઞાન ભારતમ મિશનનું મહત્વ

પતંજલિ યુનિવર્સિટીની સિદ્ધિઓમાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. સંસ્કૃતિ મંત્રાલયના જ્ઞાન ભારતમ મિશન દ્વારા, પતંજલિ યુનિવર્સિટીને ક્લસ્ટર સેન્ટરની માન્યતા આપવામાં આવી છે. યોગ ગુરુ સ્વામી રામદેવે આ સિદ્ધિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો છે.

Healthy Pizza Recipe: મેંદો કે સૉસ નહીં, શિયાળાના સુપરફૂડથી બનાવો હેલ્ધી પિઝા, બાબા રામદેવે શેર કરી રેસીપી

યોગ, આયુર્વેદ અને સ્વદેશી ઘટકો વિશે બાબા રામદેવ જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જ્યાં તેઓ નિયમિતપણે સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગેની અવનવી ટિપ્સ શેર કરતા રહે છે. આ વખતે, યોગ ગુરુ બાબા રામદેવે, શિયાળાના સુપરફૂડ્સથી બનેલા હેલ્ધી પિઝાની રેસીપી શેર કરી છે.

બાબા રામદેવે બતાવ્યો શિયાળાનો પૌષ્ટિક નાસ્તો, નહીં લાગે ઠંડી, સ્વાસ્થ્ય પણ રહેશે સારૂ

યોગ ગુરુ બાબા રામદેવ ફિટનેસ અને સ્વદેશી ખોરાક વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેઓ સ્વસ્થ ખોરાકને પ્રોત્સાહન આપવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પર ઘણા વીડિઓઝ શેર કરે છે. આજે, ચાલો બાબા રામદેવે એક સ્વાદિષ્ટ, સ્વદેશી શિયાળાનો નાસ્તાના વીડિયો શેર કર્યો છે તે અંગે જાણીએ

શિયાળાનું સુપર ટોનિક છે આ પીણું, બાબા રામદેવે ઠંડીથી બચવા માટે જણાવી રેસીપી

સ્વામી રામદેવ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના દ્વારા અપનાવેલા અને સફળ થયા હોય તેવા ઘરેલું ઉપાયો શેર કરે છે. આ વખતે, તેમણે શિયાળાની ઠંડીથી બચવા માટે એક સુપર ટોનિક પીણું શેર કર્યું છે. ચાલો તે કેવી રીતે બનાવવું અને તેના ફાયદાઓ જાણીએ.

જમતી વખતે ક્યારેય આ ભૂલો ના કરો, બાબા રામદેવ પાસેથી શીખો યોગ્ય રીત

પતંજલિના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવ નિયમિતપણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ દ્વારા લોકોને સ્વસ્થ રહેવા માટે શિક્ષિત કરે છે. હવે, બાબા રામદેવે સ્વસ્થ રહેવા માટે ખાતી વખતે ટાળવા જેવી ભૂલો દર્શાવી છે.

યુરિક એસિડ વધારી રહ્યુ છે તમારા સાંધાનો દુખાવો? બાબા રામદેવે જણાવેલા 4 આસનથી મળશે જલ્દી રાહત

આજકાલ યુરિક એસિડના ઊંચા સ્તરની સમસ્યા વધુને વધુ સામાન્ય બની રહી છે. તેને અવગણવી ન જોઈએ, કારણ કે તે ઘણા રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ દ્વારા સૂચવેલા યોગ આસન યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ.

તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે, સ્વામી રામદેવે સૂચવેલા આ યોગાસન શરૂ કરો

આજકાલ નાની વયથી માંડીને મોટી ઉમરના લોકોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. યોગને તમારી જીવનશૈલીમાં સામેલ કરવાથી હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. ચાલો સ્વામી રામદેવ પાસેથી શીખીએ કે કયા આસનો હૃદયના સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે.

ઘૂંટણમાં દુખાવો હોય તો ચિંતા ના કરશો, સવારે માત્ર 10 મિનિટ બાબા રામદેવે જણાવેલા આ આસન કરો ફરક દેખાશે

ઘૂંટણનો દુખાવો આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ તેને હળવાશથી ન લેવી જોઈએ. તે પછીથી ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ દ્વારા સૂચવેલા યોગ આસનો ઘૂંટણના દુખાવાને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ.

શું તમે પણ ફેટી લીવરથી પરેશાન છો? આ યોગ આસનથી મળશે રાહત

ફેટી લીવરની સમસ્યા આજકાલ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને એ મહત્વનું છે કે વૃદ્ધ લોકો કરતાં યુવાનોમાં કેસ વધુ જોવા મળે છે. જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો, તે લીવરમાં બળતરા, ફાઇબ્રોસિસ અને સિરોસિસમાં પ્રગતિ કરી શકે છે. તેથી, શરૂઆતના તબક્કામાં જ તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વામી રામદેવે કેટલાક યોગ આસનો સૂચવ્યા છે જે લીવરના કાર્યને સુધારવા અને ફેટી લીવરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક હોઈ શકે છે.

વધતા પ્રદૂષણ વચ્ચે ફેફસાંના સ્વાસ્થ્યને જાળવવા માટે, યોગ અને પ્રાણાયામ કરો, બાબા રામદેવે જણાવ્યુ

દિલ્હી-એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. આની સૌથી વધુ અસર ફેફસાં પર પડી છે. વધતા પ્રદૂષણ વચ્ચે ફેફસાંના સ્વાસ્થ્યને જાળવવા માટે સ્વામી રામદેવે કેટલીક યોગાસનો સૂચવ્યા છે.

પતંજલિ દેશી ઘીનો કેસ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં રજૂ થશે, કોર્ટે આપ્યો આદેશ

પતંજલિ ગાયના ઘી અંગેના મીડિયા અહેવાલો અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, પિથોરાગઢ દ્વારા 20 ઓક્ટોબર, 2020 ના રોજ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસનો ઉલ્લેખ કરીને, પતંજલિએ ત્યારબાદના કોર્ટના આદેશને "ખોટો અને ગેરકાયદેસર" ગણાવ્યો.

દંત કાંતિ કે એલોવેરા જેલ? પતંજલિની કઈ પ્રોડક્ટ સૌથી વધુ વેચાય છે?

ભારતમાં FMCG સેક્ટરમાં પતંજલિના ઉત્પાદનોની લોકપ્રિયતામાં વધારો થયો છે. પતંજલિની દંત કાંતિ અને એલોવેરા જેલનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. એવામાં શું તમને ખબર છે કે, કંપનીની કઈ પ્રોડક્ટ સૌથી વધુ વેચાય છે?

પતંજલિની રૂપિયા 5 લાખ કરોડની મહાયોજના, ભારત સાથે દુનિયામાં પણ વાગશે ડંકો

પતંજલિએ ₹5 લાખ કરોડની મહાયોજના તૈયાર કરી છે, જે 2025 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો અને વૈશ્વિક વેલનેસ ઉદ્યોગમાં પ્રભાવશાળી સ્થાન મેળવવાનો લક્ષ્ય ધરાવે છે.

ઓર્ગેનિક ખેતીથી સૌર ઉર્જા સુધી : પર્યાવરણને આ રીતે બચાવે છે પતંજલિ

ઓર્ગેનિક ખેતી, સૌર ઉર્જા, કચરાનું વ્યવસ્થાપન અને જળ સંરક્ષણમાં પહેલ દ્વારા ભારતની ગ્રીન ઝુંબેશને વેગ આપવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવા અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે. પતંજલિ આ ક્ષેત્રોમાં કેવી રીતે સામેલ છે તે જાણો.

પતંજલિ કિસાન સમૃદ્ધિ કાર્યક્રમ ભારતના ગ્રામીણ અર્થતંત્રને કેવી રીતે મજબૂત બનાવી રહ્યો છે?

પતંજલિ કિસાન સમૃદ્ધિ કાર્યક્રમ ભારતીય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, તાલીમ, ટેકનોલોજી એકીકરણ અને વાજબી ભાવ નિર્ધારણ દ્વારા સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. ચાલો તેના અમલીકરણ અને તેના પડકારો સમજાવીએ.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">