Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવ

બાબા રામદેવ

ભારતના પ્રખ્યાત યોગ ગુરુ રામ કિશન યાદવને આખી દુનિયા સ્વામી રામદેવ અથવા બાબા રામદેવના નામથી ઓળખે છે. તેઓ ભારતમાં યોગ અને આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે પ્રખ્યાત છે. રામદેવે તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી હતી.

બાબા રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈયદપુર ગામમાં થયો હતો. તેઓ રામ નિવાસ યાદવ અને ગુલાબો દેવીના મોટા પુત્ર છે. તેઓ પરંપરાગત આર્ય સમાજના છે અને તેમનો એક નાનો ભાઈ રામ ભરત પણ છે. નાનપણથી જ તેમને ભારતીય વેદો, યોગ અને સંસ્કૃતમાં રસ હતો.

બાબા રામદેવે અંગ્રેજી ભાષાને નકારી કાઢી અને પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓમાં વૈદિક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. બાબા રામદેવે હરિયાણાના શહઝાદપુર સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી પ્રાચીન વેદોના અભ્યાસ માટે તે હરિદ્વાર સ્થિત ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલય ઉત્તરાખંડ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને સાધુની જેમ રહેવાનું શરૂ કર્યું અને હરિદ્વારમાં યોગ કેન્દ્ર ‘યોગ ગ્રામ’ની સ્થાપના કરી.

યોગમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા રામદેવ દરરોજ તેનો અભ્યાસ કરે છે અને તેમના યોગ કેન્દ્રમાંથી દરેકને શિક્ષા આપે છે, જે સમગ્ર ભારતમાં ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે. એપ્રિલ 2017માં, ઈન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રકાશિત 2017ની ભારતની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં બાબા રામદેવ પાંચમા ક્રમે હતા.

 

Read More
Follow On:

પતંજલિ કરી રહ્યું છે દેશના ખેડૂતોની મદદ, આ રીતે બદલાઈ રહ્યું છે દેશનું એગ્રીકલ્ચર ક્ષેત્ર

પતંજલિ આયુર્વેદ ભારતીય ખેડૂતોને ગિલોય, આમળા જેવા કાચા માલ માટે વાજબી ભાવ આપીને સશક્ત બનાવે છે. તેમનો મેગા ફૂડ અને હર્બલ પાર્ક સ્થાનિક કૃષિને વેગ આપે છે અને રોજગારી પેદા કરે છે. આથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે અને આત્મનિર્ભર ભારતના ધ્યેયમાં પણ ફાળો આપે છે.

પતંજલિએ સૌપ્રથમ FMCGમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું, હવે આ સેકટરની છે તૈયારી

આ FMCG ક્ષેત્રની બહાર નાણાકીય સેવાઓમાં પતંજલિના વ્યૂહાત્મક વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે. પતંજલિ, તેના FMCG ઉત્પાદનો માટે જાણીતી છે, તે તેના મુખ્ય વ્યવસાયથી આગળ વધી રહી છે. પતંજલિ આયુર્વેદિક ઉત્પાદનો અને તંદુરસ્ત જીવનશૈલીની વધતી માંગને અનુરૂપ કુદરતી અને હર્બલ ઘટકો પર ભાર મૂકે છે.

પતંજલિનું આધ્યાત્મિક નેતૃત્વ વ્યવસાય સિવાયના જીવનને કેવી રીતે બદલી રહ્યું છે ? આવો જાણીએ

Patanjali આજે પતંજલિ યોગપીઠને કોઈપણ પ્રકારે ઓળખની જરૂર નથી. બાબા રામદેવ દ્વારા સ્થાપિત આ સંસ્થા આજે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર આયુર્વેદિક ઉત્પાદનો વેચવાનો જ નથી, પરંતુ એક સર્વગ્રાહી અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનો પણ છે.

પતંજલિ હેલ્થકેર આ રીતે લોકોના સ્વાસ્થ્યમાં કરી રહ્યું છે સુધારો, વેલનેસ સેન્ટરથી લઈને નેચરલ થેરાપી સુધી સુવિધા

આજના વ્યસ્ત જીવનમાં ડાયાબિટીસ, બીપી, સાંધાનો દુખાવો, સ્થૂળતા અને માનસિક તણાવ જેવા રોગો ખૂબ જ સામાન્ય બની ગયા છે. લોકો દવાઓ પર નિર્ભર થઈ જાય છે પરંતુ તેમની સમસ્યા સંપૂર્ણપણે દૂર થતી નથી. આવી સ્થિતિમાં પતંજલિ નિરામય એક ઉત્તમ વિકલ્પ છે. જ્યાં આયુર્વેદ, યોગ, પંચકર્મ અને નેચરોપથી દ્વારા ક્રોનિક રોગોની સારવાર કરવામાં આવે છે.

પતંજલિ એક મજબૂત ભારતના પાયાનો ભાગ બનશે, આયુર્વેદ અને વિજ્ઞાન આ રીતે આવ્યા સાથે

પતંજલિની ભવિષ્યની યોજનાઓ આત્મનિર્ભરતા અને સમગ્ર સ્વાસ્થ પર કેન્દ્રિત છે.પતંજલિ આયુર્વેદ ખેડૂતો, ઔષધિ ઉત્પાદકો અને સ્થાનિક કારીગરોને ટેકો આપીને, તે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે.

પતંજલિએ ભારતીય ખેલાડીઓની તાકાતમાં વધારો કર્યો, આ રીતે તેણે આખી રમત બદલી

ભારતના ખેલાડીઓ સફળતા મેળવી રહ્યા છે અને આ સફળતામાં મોટો હાથ પતંજલિનો રહ્યો છે. પતંજલિએ કેવી રીતે ભારતીય ખેલાડીઓની તાકતમાં વધારો કર્યો તેના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

પતંજલિની રેનોગ્રીટ ટેબ્લેટ કિડની માટે છે રામબાણ, આ રીતે થાય છે ફાયદો, સંશોધનમાં દાવો

પતંજલિની આયુર્વેદિક દવાઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પતંજલિની અનેક પ્રકારની દવાઓ છે. આ દવાઓમાંથી એક છે પતંજલિ રેનોગ્રિત ટેબ્લેટ. આ દવાને કિડનીના રોગોની સારવારમાં રામબાણ માનવામાં આવે છે. દવાની અસર અંગે નેચર જર્નલમાં સંશોધન પણ પ્રકાશિત થયું છે.

બાબા રામદેવ વેચશે વીમા પોલિસી ! પતંજલિ આયુર્વેદ ખરીદશે અદાર પૂનાવાલાની મેગ્મા ઇશ્યોરેંસ

Baba Ramdev's entry in Insurance Sector: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને રજનીગાંધી બ્રાન્ડની માલિકી ધરાવતું DS ગ્રુપ હવે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, અદાર પૂનાવાલાની સનોતી પ્રોપર્ટીઝે મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાં તેનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. જાણો આ ડીલમાં કેટલો ખર્ચ થશે અને કોણ વેચી રહ્યું છે અને કોણ તેમાં હિસ્સો ખરીદી રહ્યું છે?

પતંજલિ વિશ્વવિદ્યાલયમાં ક્યા ક્યાં કોર્સનો થાય છે અભ્યાસ? જાણો પ્રાચીન પરંપરાનો આધુનિક શિક્ષણ સાથે કેવી રીતે કરાઈ રહ્યો છે સંગમ

Patanjali University: પતંજલિ વિશ્વવિદ્યાલયમાં યોગ, વેદ અને સંસ્કૃત જેવા ભારતીય પ્રાચીન વિષયો ભણાવવાામાં આવે છે. વિશ્વવિદ્યાલય ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસમાં UG, PG, અને PHD કોર્સ પણ સામેલ છે. આવો જાણીએ યુનિવર્સિટીમાં પ્રાચીન પરંપરાઓને અને આધુનિક શિક્ષણ સાથે કેવી રીતે જોડવામાં આવી રહી છે.

નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા

મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્દઘાટન દરમિયાન સીએમ ફડણવીસે કહ્યુ કે આ પાર્કને બનવામાં 9 વર્ષ થયા. બાબાા રામદેવએ તેમને મફતમાં મળતી જમીન પર ફુડ પાર્ક બનાવવાના બદલે નાગપુરને પસંદ કર્યુ અને તેને પુરુ કરીને બતાવ્યુ. તેમણે કહ્યુ અહીં સંતરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે નર્સરીથી લઈ પ્રોસેસિંગ અને પેકેજિંગની પણ સુવિધા આપવામાં આવશે.

પતંજલિ શરૂ કરશે મેગા ફૂડ અને હર્બલ પાર્ક, 1500 કરોડ રૂપિયાના રોકાણની છે યોજના

પતંજલિ નાગપુરમાં  ટૂંક સમયમાં જ ફળો અને શાકભાજીનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરશે. આ પ્લાન્ટ સાઇટ્રસ અને ઉષ્ણકટિબંધીય ફળો અને શાકભાજીની પ્રક્રિયા કરીને રસ, રસનું કેન્દ્રીકરણ, પલ્પ, પેસ્ટ અને પ્યુરીનું ઉત્પાદન કરશે. મિહાનમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક (મલ્ટિ-મોડલ ઇન્ટરનેશનલ કાર્ગો હબ અને એરપોર્ટ) 9 માર્ચથી નાગપુરમાં કામગીરી શરૂ કરશે.

Video Viral: સુપર ફિટનેસ ! બાબા રામદેવે ઘોડા સાથે રેસ, જૂઓ વીડિયો

હાલમાં જ બાબા રામદેવનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં બાબા રામદેવ ઘોડા સાથે રેસ કરતા જોવા મળે છે.

Patanjali Foods : પતંજલિના લાલ મરચાના પાવડર પર ઉઠ્યા સવાલ, FSSAIએ કંપનીને આપ્યો આ આદેશ

Patanjali Foods share: સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે પતંજલિ ફૂડ્સનો શેર 0.44% ઘટીને રૂ. 1855.30 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ શેર રૂ. 1827.80ના નીચા સ્તરે આવી ગયો હતો.

Shares Bought: અદાણીના અમેરિકન મિત્રનું મોટું રોકાણ, આ કંપનીના ખરીદ્યા 835 કરોડના શેર

અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે 45.03 લાખ શેર અથવા 1.24 ટકા હિસ્સો ખરીદ્યો છે. GQG પાર્ટનર્સે શેર દીઠ સરેરાશ 1,854ના ભાવે હિસ્સો હસ્તગત કર્યો છે. આ સમગ્ર ડીલની કિંમત 834.99 કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણીના અમેરિકન મિત્ર રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ કંપની GQG પાર્ટનર્સે આ શેર પર પોતાની નજર કરી છે.

Video: યોગગુરુ બાબા રામદેવે અમેરિકામાં ડ્રાઇવર વગરની કારમાં કરી મુસાફરી, જણાવ્યો પોતાનો અનુભવ

અમેરિકામાં વેમો નામની કંપની મોટા પાયે ડ્રાઇવર વિનાની ટેક્સી સેવાઓ પૂરી પાડે છે. અમેરિકાની મુલાકાત દરમિયાન યોગગુરુ રામદેવે પણ ડ્રાઈવર વિનાની કારની સવારીનો આનંદ માણ્યો હતો અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. સ્વામી રામદેવે કાર વિશે ઘણી ખાસ વાતો જણાવી.

g clip-path="url(#clip0_868_265)">