AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવ

બાબા રામદેવ

ભારતના પ્રખ્યાત યોગ ગુરુ રામ કિશન યાદવને આખી દુનિયા સ્વામી રામદેવ અથવા બાબા રામદેવના નામથી ઓળખે છે. તેઓ ભારતમાં યોગ અને આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે પ્રખ્યાત છે. રામદેવે તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી હતી.

બાબા રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈયદપુર ગામમાં થયો હતો. તેઓ રામ નિવાસ યાદવ અને ગુલાબો દેવીના મોટા પુત્ર છે. તેઓ પરંપરાગત આર્ય સમાજના છે અને તેમનો એક નાનો ભાઈ રામ ભરત પણ છે. નાનપણથી જ તેમને ભારતીય વેદો, યોગ અને સંસ્કૃતમાં રસ હતો.

બાબા રામદેવે અંગ્રેજી ભાષાને નકારી કાઢી અને પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓમાં વૈદિક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. બાબા રામદેવે હરિયાણાના શહઝાદપુર સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી પ્રાચીન વેદોના અભ્યાસ માટે તે હરિદ્વાર સ્થિત ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલય ઉત્તરાખંડ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને સાધુની જેમ રહેવાનું શરૂ કર્યું અને હરિદ્વારમાં યોગ કેન્દ્ર ‘યોગ ગ્રામ’ની સ્થાપના કરી.

યોગમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા રામદેવ દરરોજ તેનો અભ્યાસ કરે છે અને તેમના યોગ કેન્દ્રમાંથી દરેકને શિક્ષા આપે છે, જે સમગ્ર ભારતમાં ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે. એપ્રિલ 2017માં, ઈન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રકાશિત 2017ની ભારતની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં બાબા રામદેવ પાંચમા ક્રમે હતા.

 

Read More
Follow On:

શિયાળામાં કાકરા સિંઘી ખાવાનું ભૂલશો નહીં, બાબા રામદેવે જણાવ્યા તેના અદ્ભુત ફાયદા

યોગ ગુરુ બાબા રામદેવ પણ સોશિયલ મીડિયા પર સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ શેર કરે છે. તેમના એક વીડિયોમાં, તેઓ સમજાવે છે કે શિયાળામાં કાકરા સિંઘી ખાવાથી વિવિધ રોગોથી કેવી રીતે બચી શકાય છે. ચાલો આ લેખમાં કાકરા સિંઘીના અદ્ભુત ફાયદાઓ શોધીએ.

પતંજલિની શ્વસારી વટી: તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા જાણો

પતંજલિનો દાવો છે કે શ્વસારી વાટી ફેફસાંને સાફ કરી શકે છે અને શ્વસન સમસ્યાઓથી રાહત આપી શકે છે. આ દવા બ્રોન્કોડિલેટર તરીકે પણ કામ કરી શકે છે. તે ફેફસામાં ચેપને પણ દૂર કરે છે. તેના સેવનથી ફેફસાંની ક્ષમતામાં પણ સુધારો થાય છે.

શું છે પતંજલિની દિવ્ય યોવનામૃત વટી? જાણો તેનો ઉપયોગ અને ફાયદા

પતંજલિ આયુર્વેદની દિવ્ય યૌવનામૃત વટી એક આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે. પતંજલિ દાવો કરે છે કે તે એક પૌષ્ટિક દવા છે. તેમાં જાવંત્રી અને જાયફળ, કેસર, શતાવરી, મુસલી, સ્વર્ણ ભસ્મ, કૌંચ બીજ અને અકરકરા હોય છે.

બાબા રામદેવે કહ્યું- રોજ 20-30 મિનિટ કપાલભાતિ કરવાથી આ બીમારીઓ રહેશે દૂર

બાબા રામદેવ દરેકના ઘરમાં યોગ લાવ્યા છે લોકોને યોગથી પરિચીત કર્યાં છે. તેઓ હંમેશા યોગ કરવાની ભલામણ કરે છે. તેમના મતે, યોગ કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળી શકે છે. આ લેખમાં, આપણે કપાલભાતિ પ્રાણાયામના ફાયદાઓ અંગે જાણીશું.

દાંતની સમસ્યાઓ માટે ફાયદાકારક છે પતંજલિની ટૂથપેસ્ટ દિવ્ય દંતમંજન

બાળકોથી લઈને વૃદ્ધો સુધી ઘણા લોકો દાંતની વિવિધ સમસ્યાઓથી પીડાય છે. આવી પરિસ્થિતિઓમાં, પતંજલિની આયુર્વેદિક ટૂથપેસ્ટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે પતંજલિની ટૂથપેસ્ટ દાંતની કઈ કઈ સમસ્યાઓમાં ફાયદાકારક ગણાય છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

ત્વચાની સમસ્યાઓ માટે ફાયદાકારક છે પતંજલિનું આ તેલ, આ રીતે કરો તેનો ઉપયોગ

આજના સમયમાં ઘણા લોકો ત્વચા સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એવામાં પતંજલિનું આયુર્વેદિક તેલ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ તેલ કઈ સમસ્યાઓ માટે ઉપયોગી છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું હોય તો બાબા રામદેવે બતાવેલા યોગાસન કરો

શિયાળાની ઋતુમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે રહે છે. તેથી, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે તમે બાબા રામદેવ દ્વારા કેટલાક યોગાસન સુચવવામાં આવ્યા છે. આ યોગાસન કરીને શિયાળામાં હાઈ બીપીને નિયંત્રણમાં રાખી શકાય છે. જાણો આ યોગાસન કેવી રીતે ફાયદાકારક હોય છે.

પતંજલિએ શેરબજારના દિગ્ગજોને કેવી રીતે કર્યા ધરાશાયી? 5 વર્ષમાં તેણે કેટલી કમાણી કરી?

પતંજલિ ફૂડ્સે શેરબજારમાં પ્રવેશ કર્યો ત્યારથી, તેણે રોકાણકારોને 55% થી વધુ વળતર આપ્યું છે. આ ડેટા છેલ્લા 5 વર્ષોને પ્રતિબિંબિત કરે છે. નોંધપાત્ર વાત એ છે કે હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે અને ડાબર સહિત દેશની અગ્રણી FMCG કંપનીઓ પણ આવું વળતર આપી શકી નથી.

મોંઘી દવાઓનો આયુર્વેદિક ઉપાય ! આ છે પતંજલિની સસ્તી દવા, ઓર્ડર કેવી રીતે આપશો ?

મોંઘી એલોપેથિક દવાઓ તમારા માસિક બજેટને ખોરવી રહી છે, તેથી ઘણા લોકો હવે આયુર્વેદિક દવાઓ તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં, પતંજલિની સસ્તી આયુર્વેદિક દવાઓ બજેટ અને આરોગ્ય બંનેને "ફિટ અને ફાઇન" રાખે છે. આયુર્વેદિક દવાઓ ફક્ત રોગના લક્ષણોને દબાવવા પર નહીં, પરંતુ સંતુલિત શરીર જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો, ચાલો તમને બતાવીએ કે તમે તમારા ઘરેથી આરામથી સસ્તી પતંજલિ દવાઓ કેવી રીતે ઓર્ડર કરી શકો છો.

પતંજલિ ફૂડ્સના શેરના ભાવમાં 4 દિવસથી વધારો, રોકાણકારોએ ₹3,900 કરોડની કમાણી કરી

દેશની સ્થાનિક FMCG કંપની પતંજલિ ફૂડ્સના શેરમાં 4 દિવસથી વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના શેરમાં લગભગ 7%નો વધારો થયો છે. આ વધારાને કારણે કંપનીના મૂલ્યાંકનમાં આશરે ₹3,900 કરોડનો વધારો થયો છે.

Baba Ramdev Ayurvedic Upay : પ્રદૂષણનો ખતરો ! બાળકોના વહેતા નાકની સમસ્યા, બાબા રામદેવે જણાવ્યો શરદી કફનો આર્યુવેદિક રામબાણ ઉપાય

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અને કાતીલ ઠંડીનો બેવડો માર લોકો માટે નોંધપાત્ર સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. બાળકો ઘણા દિવસોથી શરદી અને ખાંસીથી પીડાય છે. બાબા રામદેવના આ આયુર્વેદિક ઉપાયો રાહત આપશે. વધુ જાણો.

Gyan Bharatam Mission: પતંજલિ યુનિવર્સિટીને ક્લસ્ટર સેન્ટર તરીકે માન્યતા, સ્વામી રામદેવે સમજાવ્યું જ્ઞાન ભારતમ મિશનનું મહત્વ

પતંજલિ યુનિવર્સિટીની સિદ્ધિઓમાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. સંસ્કૃતિ મંત્રાલયના જ્ઞાન ભારતમ મિશન દ્વારા, પતંજલિ યુનિવર્સિટીને ક્લસ્ટર સેન્ટરની માન્યતા આપવામાં આવી છે. યોગ ગુરુ સ્વામી રામદેવે આ સિદ્ધિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો છે.

Healthy Pizza Recipe: મેંદો કે સૉસ નહીં, શિયાળાના સુપરફૂડથી બનાવો હેલ્ધી પિઝા, બાબા રામદેવે શેર કરી રેસીપી

યોગ, આયુર્વેદ અને સ્વદેશી ઘટકો વિશે બાબા રામદેવ જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જ્યાં તેઓ નિયમિતપણે સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગેની અવનવી ટિપ્સ શેર કરતા રહે છે. આ વખતે, યોગ ગુરુ બાબા રામદેવે, શિયાળાના સુપરફૂડ્સથી બનેલા હેલ્ધી પિઝાની રેસીપી શેર કરી છે.

બાબા રામદેવે બતાવ્યો શિયાળાનો પૌષ્ટિક નાસ્તો, નહીં લાગે ઠંડી, સ્વાસ્થ્ય પણ રહેશે સારૂ

યોગ ગુરુ બાબા રામદેવ ફિટનેસ અને સ્વદેશી ખોરાક વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેઓ સ્વસ્થ ખોરાકને પ્રોત્સાહન આપવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પર ઘણા વીડિઓઝ શેર કરે છે. આજે, ચાલો બાબા રામદેવે એક સ્વાદિષ્ટ, સ્વદેશી શિયાળાનો નાસ્તાના વીડિયો શેર કર્યો છે તે અંગે જાણીએ

શિયાળાનું સુપર ટોનિક છે આ પીણું, બાબા રામદેવે ઠંડીથી બચવા માટે જણાવી રેસીપી

સ્વામી રામદેવ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના દ્વારા અપનાવેલા અને સફળ થયા હોય તેવા ઘરેલું ઉપાયો શેર કરે છે. આ વખતે, તેમણે શિયાળાની ઠંડીથી બચવા માટે એક સુપર ટોનિક પીણું શેર કર્યું છે. ચાલો તે કેવી રીતે બનાવવું અને તેના ફાયદાઓ જાણીએ.

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">