AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : જન્માષ્ટમી પર ગુજરાતમાં આવેલા, કૃષ્ણના આ મંદિર પર ફરવા જવાનો પ્લાન બનાવો

શ્રીકૃષ્ણનો જન્મોત્સવ સોમવાર 26 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવને લઈ દેશભરમાં તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. તો આજે તમને જણાવીશું કે, ગુજરાતમાં આવેલા આ કૃષ્ણ મંદિરો વિશે જે દુનિયાભરમાં ફેમસ છે.

| Updated on: Aug 25, 2024 | 2:38 PM
Share
26 ઓગસ્ટના દિવસે ઘરો અને મંદિરોમાં જય રણછોડ, માખણચોરનો નાદ સાંભળવા મળશે. કારણ કે, 26 ઓગસ્ટ સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. આ દિવસે દરેક જગ્યાએ દહી હાંડીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

26 ઓગસ્ટના દિવસે ઘરો અને મંદિરોમાં જય રણછોડ, માખણચોરનો નાદ સાંભળવા મળશે. કારણ કે, 26 ઓગસ્ટ સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. આ દિવસે દરેક જગ્યાએ દહી હાંડીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

1 / 5
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તો ગુજરાતના પ્રસિદ્ધ ભગવાન કૃષ્ણ વિશે જણાવીશું, જ્યાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.શામળાજી મેશ્વો નદીના કિનારે આવેલું છે. ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી મંદિરનું નામ પડયું છે. શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે.

જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તો ગુજરાતના પ્રસિદ્ધ ભગવાન કૃષ્ણ વિશે જણાવીશું, જ્યાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.શામળાજી મેશ્વો નદીના કિનારે આવેલું છે. ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી મંદિરનું નામ પડયું છે. શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે.

2 / 5
ગુજરાતમાં આવેલા દ્વારકાનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે, દ્વારિકાનું આ મંદિર દુનિયાભરમાં જાણીતું છે. દ્વારિકાનું આ મંદિરભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. તમે રેલવે, ફ્લાઈટ કે પછી બસ દ્વારા દ્વારિકાધીશના દર્શન કરી શકો છો.

ગુજરાતમાં આવેલા દ્વારકાનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે, દ્વારિકાનું આ મંદિર દુનિયાભરમાં જાણીતું છે. દ્વારિકાનું આ મંદિરભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. તમે રેલવે, ફ્લાઈટ કે પછી બસ દ્વારા દ્વારિકાધીશના દર્શન કરી શકો છો.

3 / 5
ડાકોર ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં છે, 43 કિ.મી. આણંદથી અને નડિયાદથી 35 કિમી દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો દ્રારા અમદાવાદ, વડોદરા અને આણંદથી જઈ શકો છો. દર પુનમે અહિ ભક્તોની ભીડ જોવા મળે છે. જે રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ડાકોર ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં છે, 43 કિ.મી. આણંદથી અને નડિયાદથી 35 કિમી દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો દ્રારા અમદાવાદ, વડોદરા અને આણંદથી જઈ શકો છો. દર પુનમે અહિ ભક્તોની ભીડ જોવા મળે છે. જે રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

4 / 5
અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં  "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.

અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">