ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ હોસ્પિટલમાં દાખલ, પોતાની બીમારી અંગે આપી મોટી અપડેટ
યશસ્વી જયસ્વાલે તેના સ્વાસ્થ્ય વિશે લેટેસ્ટ અપડેટ આપી છે. તેણે તેના 'X'હેન્ડલ દ્વારા લેટેસ્ટ માહિતી શેર કરી છે. સ્વાસ્થ્ય અપડેટ આપવા ઉપરાંત તેણે તેના ચાહકોનો આભાર પણ માન્યો છે.

ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેણે કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરશે.

યશસ્વી જયસ્વાલે ઇન્સ્ટાગ્રામ પર તેની બીમારી વિશે અપડેટ આપ્યું. પુણેમાં હરિયાણા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન જયસ્વાલને અચાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ગંભીર ગેસ્ટ્રોએન્ટેરિટિસ હોવાનું સામે આવ્યું હતું.

ડોક્ટરોએ યશસ્વી જયસ્વાલને આરામ કરવાની અને સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી ક્રિકેટ ન રમવાની સલાહ આપી છે. યશસ્વી જયસ્વાલને પુણેની આદિત્ય બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યશસ્વી જયસ્વાલે તેના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ અપડેટ આપતાં હોસ્પિટલમાં તેને મળેલી સુવિધાઓ અને સારવારની પ્રશંસા કરી. તેણે તબીબી સ્ટાફ અને તેના માટે પ્રાર્થના કરનારા બધાનો પણ આભાર માન્યો.

યશસ્વી જયસ્વાલ હવે ન્યુઝીલેન્ડ શ્રેણીમાં મેદાનમાં પાછો ફરશે તેવી અપેક્ષા છે. ભારત ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે. (PC: Instagram)
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ બીમારીમાંથી જલ્દી સાજો થયા બાદ ફરી મેદાનમાં કમબેક કરશે. યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
