AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શિયાળાની ઋતુમાં દરરોજ 2 અંજીર ખાવાના છે આ 8 ફાયદા, જાણીને તમે પણ દંગ રહી જશો!

શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે, ત્યારે પ્રકૃતિએ આપણને 'અંજીર' તરીકે એક અદભૂત સુપરફૂડ આપ્યું છે. તાજેતરના સ્વાસ્થ્ય રિસર્ચમાં બહાર પ્રકાશિત થયું છે કે જો શિયાળામાં દરરોજ માત્ર બે અંજીર ખાવામાં આવે, તો તે શરીરને અંદરથી ગરમાવો આપવાની સાથે અનેક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસથી લઈને હાડકાની મજબૂતી સુધી, અંજીરના આ 8 ફાયદા જાણીને તમે પણ આજથી જ તેને ડાયટમાં સામેલ કરી દેશો.

| Updated on: Dec 20, 2025 | 2:40 PM
Share
શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઘટે છે ત્યારે આપણું શરીર રોગો સામે લડવા માટે વધુ શક્તિની માંગ કરે છે. અંજીર એક એવું ફળ છે જેને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેએ 'સુપરફૂડ' માન્યું છે. તાજેતરના હેલ્થ રિસર્ચ અનુસાર, અંજીરમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ શિયાળામાં દવા જેવું કામ કરે છે.

શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઘટે છે ત્યારે આપણું શરીર રોગો સામે લડવા માટે વધુ શક્તિની માંગ કરે છે. અંજીર એક એવું ફળ છે જેને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેએ 'સુપરફૂડ' માન્યું છે. તાજેતરના હેલ્થ રિસર્ચ અનુસાર, અંજીરમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ શિયાળામાં દવા જેવું કામ કરે છે.

1 / 9
અંજીર કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. રિસર્ચ મુજબ, વધતી ઉંમરે હાડકાં નબળા પડવાની સમસ્યા (Osteoporosis) સામે અંજીર રક્ષણ આપે છે. શિયાળામાં સાંધાના દુખાવા વધતા હોય છે, રોજ 2 અંજીર ખાવાથી હાડકા મજબૂત બને છે.

અંજીર કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. રિસર્ચ મુજબ, વધતી ઉંમરે હાડકાં નબળા પડવાની સમસ્યા (Osteoporosis) સામે અંજીર રક્ષણ આપે છે. શિયાળામાં સાંધાના દુખાવા વધતા હોય છે, રોજ 2 અંજીર ખાવાથી હાડકા મજબૂત બને છે.

2 / 9
અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે કુદરતી લેક્સટિવ (Laxative) તરીકે કામ કરે છે. જે લોકોને શિયાળામાં ઓછું પાણી પીવાના કારણે કબજિયાતની સમસ્યા રહે છે, તેમના માટે પલાળેલા અંજીર આંતરડાની સફાઈ કરવામાં મદદરૂપ થાય છે.

અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે કુદરતી લેક્સટિવ (Laxative) તરીકે કામ કરે છે. જે લોકોને શિયાળામાં ઓછું પાણી પીવાના કારણે કબજિયાતની સમસ્યા રહે છે, તેમના માટે પલાળેલા અંજીર આંતરડાની સફાઈ કરવામાં મદદરૂપ થાય છે.

3 / 9
રિસર્ચ દર્શાવે છે કે અંજીર શરીરમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડ્સ (લોહીમાં રહેલી ચરબી) ના સ્તરને ઘટાડે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

રિસર્ચ દર્શાવે છે કે અંજીર શરીરમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડ્સ (લોહીમાં રહેલી ચરબી) ના સ્તરને ઘટાડે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

4 / 9
જોકે અંજીર ગળ્યા હોય છે, પરંતુ તેમાં રહેલું પોટેશિયમ અને ક્લોરોજેનિક એસિડ શરીરમાં ઈન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે.

જોકે અંજીર ગળ્યા હોય છે, પરંતુ તેમાં રહેલું પોટેશિયમ અને ક્લોરોજેનિક એસિડ શરીરમાં ઈન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે.

5 / 9
અંજીરમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. જો તમને જલ્દી થાક લાગતો હોય અથવા શરીરમાં લોહી ઓછું હોય, તો અંજીર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધે છે.

અંજીરમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. જો તમને જલ્દી થાક લાગતો હોય અથવા શરીરમાં લોહી ઓછું હોય, તો અંજીર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધે છે.

6 / 9
શિયાળામાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામાન્ય છે. અંજીરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની ઈમ્યુનિટી વધારે છે. અંજીરમાં વિટામિન C અને E હોય છે, જે શિયાળાની સૂકી ત્વચાને અંદરથી પોષણ આપે છે. તે વાળ ખરવાની સમસ્યા ઘટાડે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

શિયાળામાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામાન્ય છે. અંજીરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની ઈમ્યુનિટી વધારે છે. અંજીરમાં વિટામિન C અને E હોય છે, જે શિયાળાની સૂકી ત્વચાને અંદરથી પોષણ આપે છે. તે વાળ ખરવાની સમસ્યા ઘટાડે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

7 / 9
અંજીર ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે લોકો શિયાળામાં વજન ઉતારવા માંગે છે, તેઓ નાસ્તા તરીકે અંજીર ખાઈ શકે છે. તે મેટાબોલિઝમને તેજ કરે છે.

અંજીર ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે લોકો શિયાળામાં વજન ઉતારવા માંગે છે, તેઓ નાસ્તા તરીકે અંજીર ખાઈ શકે છે. તે મેટાબોલિઝમને તેજ કરે છે.

8 / 9
નિષ્ણાતોના મતે, અંજીરને રાત્રે અડધા કપ પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે ખાલી પેટે તે પાણી અને અંજીર બંનેનું સેવન કરવું જોઈએ. આ રીતે ખાવાથી અંજીરમાં રહેલા પોષક તત્વો શરીર વધુ સારી રીતે શોષી શકે છે.

નિષ્ણાતોના મતે, અંજીરને રાત્રે અડધા કપ પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે ખાલી પેટે તે પાણી અને અંજીર બંનેનું સેવન કરવું જોઈએ. આ રીતે ખાવાથી અંજીરમાં રહેલા પોષક તત્વો શરીર વધુ સારી રીતે શોષી શકે છે.

9 / 9
Follow Us
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
g clip-path="url(#clip0_868_265)">