Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા

ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાનું વહીવટી મથક ખંભાળિયામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા, નાગેશ્વર, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

ચાર ધામમાંથી એકધામ દ્વારકા છે. જ્યાં દ્વારકાધીશનું પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ મંદિર આવેલુ છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટદ્વારકા આવેલું છે. આ તીર્થ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે.

Read More

દ્વારકા: કૃષ્ણનગરીમાં વર્ષો જૂના હનુમાનજીનું મંદિરનો થયો જીર્ણોદ્વાર, હવે ભાવિકો કરશે દર્શન

બાલાપુર વિસ્તારમાં હનુમાન દાદનું મંદિર ફરી ખુલ્યું છે અને લોકોમાં ધાર્મિક ઉલ્લાસ જોવા મળે છે. દ્વારકામાં આવેલા આ મંદિરના પુનઃસ્થાપનથી ફરી એકવાર ધાર્મિક વારસાની આગવી ઓળખ વ્યક્ત થઇ રહી છે.

Travel Tips : વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર

હિન્દુ કેલેન્ડર અનુસાર હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. 2025માં આ તહેવાર 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. તો આજે આપણે ટ્રાવેલ ટીપ્સમાં હનુમાનના દીકરાનું મંદિર જે વિશ્વમાં એક માત્ર ગુજરાતમાં આવેલું છે, તેના વિશે વાત કરીશું. તેમજ આજે દાંડી હનુમાન કેવી રીતે પહોંચશો. તેના વિશે જાણો.

અનંત અંબાણીની 115 કિલોમીટરની દ્વારકાની પગપાળા યાત્રાનું સમાપન, 30 મા જન્મદિવસે દ્વારકાધિશના ચરણોમાં નમાવ્યુ શીશ

અનંત અંબાણીએ જામનગરથી શરૂ કરેલી દ્વારકાની પગપાળા યાત્રાનું આજે સમાપન થયુ છે. 10 દિવસની તેમની આ પગપાળા યાત્રામાં તેઓ 115 કિલોમીટર ચાલ્યા છે. આજે અનંતે તેમના 30મા જન્મદિવસે દ્વારકાધિશના શરણોનાં શીશ નમાવ્યુ હતુ અને જગતના નાથના આશીર્વાદ મેળવ્યા હતા.

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી, રાધિકા પણ જોડાયા, જુઓ Video

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. અંબાણી પરિવારનું દ્વારકાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. અંતિમ દિવસની પદયાત્રમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા હતા. દ્વારકામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું છે.

Anant Ambani Padyatra : અનંત અંબાણી 140 કિમી ચાલીને કયા મંદિરે જઈ રહ્યો છે ? આ મંદિરનો ઈતિહાસ જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણી હાલમાં એક પદયાત્રા પર જઈ રહ્યા છે. આ વખતે તેમનો 30મો જન્મદિવસ આધ્યાત્મિક રીતે મનાવવાનો નિર્ણય લીધો છે. તો આ મંદિરના ઈતિહાસ વિશે જાણીએ.

અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો

મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ દ્વારકાધીશ મંદિરની પદયાત્રાએ જઈ રહ્યો છે. અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ છે.

અનંત અંબાણીનું મુંગા પક્ષી માટેનો પ્રેમ ફરી છલકાયો, 250 જેટલી મરઘી અને પક્ષીઓને કતલખાને લઇ જતાં બચાવ્યાં, જુઓ Video

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના હાલ દ્વારકાની પદયાત્રા કરી રહ્યાં છે. અનંત અંબાણીના પદયાત્રાના 5માં દિવસે તેમને 50 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. ત્યારે જેટલું અંતર કાપીને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે.

140 કિલોમીટર પગપાળા દ્વારકા કેમ જઈ રહ્યો છે અનંત અંબાણી, જાણો કારણ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં અનંત અંબાણી ચાલીને દ્વારકા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી દરરોજ 20 કિલોમીટર ચાલે છે.

Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ, એકની ધરપકડ, જુઓ Video

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં દારુની બંધી વચ્ચે દારુની હેરાફેરીની ઘટના સામે આવી છે. ખંભાળિયામાં ઓટો રિક્ષામાં ચોર ખાનું બનાવી દારુની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં UAW દ્વારા કરવામાં આવી રહ્યુ છે ખોદકામ, સર્વે ટીમમાં 3 મહિલા ડાઇવર્સ સામેલ

હજારો વર્ષો પહેલા દ્વારકા નગરી ડુબી ગઇ હતી એવી માન્યતા છે. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની શિપબ્રેક પુરાતત્વ શાખા (UAW) ગુજરાતના દ્વારકા અને બેટ દ્વારકા ખાતે પુરાતત્વીય સંશોધન કરી રહી છે. આ ઝુંબેશ ASI ના અધિક મહાનિર્દેશક પ્રો. આલોક ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ શોધખોળ ફેબ્રુઆરી 2025 માં દ્વારકામાં કરવામાં આવેલા સર્વેક્ષણનું વિસ્તરણ છે. આ સર્વે ટીમમાં ત્રણ મહિલા ડાઇવર્સનો પણ સમાવેશ થાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વકર્યો, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી- Video

સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીને લઈને વિવાદ ઉભો થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. હિન્દુ સંગઠનો પણ આ ટિપ્પણી મામલે મેદાનમાં આવ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની માફીની માંગ કરી રહ્યા છે. તો આ ટિપ્પણીએ અગાઉથી ચાલી રહેલા સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેના તણાવરૂપી આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ, ગોપાળાનંદ સ્વામીના પુસ્તકમાં દ્વારકામાં ભગવાન નથી તેવો ઉલ્લેખ

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક જૂના સાહિત્યએ સનાતનના ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના ભગવાન હોવા પર સવાલ ઉઠાવ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ લખેલા પુસ્તકમાં દ્વારકામાં ભગવાન નથી તેવો ઉલ્લેખ કરાયો છે. જેનાથી હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે અને માફીની માગ કરી છે.

Gujarat Tourism : પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, GSRTC ટુંક જ સમયમાં શરુ કરશે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે હવે એસટી નિગમ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. ટુંકમાં એસટી નિગમ ટુંક જ સમયમાં રાજ્યના તીર્થ સ્થળો માટે ટૂરિસ્ટ પેકેજની શરુઆત કરી શકે છે.

History of city name : ‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય!

દેવભૂમિ દ્વારકા માત્ર એક ઐતિહાસિક શહેર નથી પણ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક પણ છે. આ સ્થળ હિન્દુ ધર્મ, ભગવાન કૃષ્ણના જીવન અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે.

Travel tips : માર્ચ મહિનામાં ગુજરાતના આ સ્થળોએ કરો સસ્તી ટ્રિપ, જુઓ ફોટો

જો તમે પરિવાર સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો માર્ચ મહિનામાં ગુજરાતમાં એવા કેટલાક સુંદર સ્થળો આવેલા છે. જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. અહિ ઓછા બજેટમાં બમણી મજા કરી શકશો.

g clip-path="url(#clip0_868_265)">