દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાનું વહીવટી મથક ખંભાળિયામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા, નાગેશ્વર, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
ચાર ધામમાંથી એકધામ દ્વારકા છે. જ્યાં દ્વારકાધીશનું પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ મંદિર આવેલુ છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટદ્વારકા આવેલું છે. આ તીર્થ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે.
Read Moreદુષ્કાળના ડાકલા વચ્ચે દ્વારકા- ભાણવડ પંથકમાં મેહુલિયે કીધી મહેર… ધરતીપુત્રોમાં ખુશીની લહેર – Video
ગુજરાતમાં ખાસ કરીને જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમા છેલ્લા કેટલાય સમયથી વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ માગ ઉઠી હતી. આ તમામ વચ્ચે આજે દ્વારકા જિલ્લાના ભાણવડમાં મેઘમહેર થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 14, 2026
- 7:38 pm
Devbhumi Dwarka Rain Breaking : ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, 1 ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં દુષ્કાળની ચિંતામાં મુકાયેલા જગતના તાતમાં ખુશી પ્રસરી ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Sep 14, 2026
- 5:12 pm
Breaking News: દ્વારકામાં TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું… રેલવે-ખાનગી જમીનનો વિવાદ પૂરો, 700 પરિવારોને મળશે નળથી પાણી – જુઓ Video
TV9 ગુજરાતીના અહેવાલ બાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ધરમપુર ગામે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. રેલવે અને ખાનગી જમીન માલિક સાથેના વિવાદને કારણે અટકેલું પાઇપલાઇનનું કામ ફરી શરૂ થયું છે. આંતરિક અને મુખ્ય પાઇપલાઇન વચ્ચેનું જોડાણ પૂર્ણ થતાં બેડિયાવાડી અને ખવાસવાડીના 600 થી 700 પરિવારોને નળ દ્વારા પાણી મળશે.
- Ravi Prajapati
- Updated on: Sep 13, 2026
- 6:38 pm
Breaking News : દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખંભાળિયામાં છૂટોછવાયો વરસાદ
ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, વાડીનાર અને સુતારીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ બન્યા છે. જોકે, હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી માટે પૂરતો ફાયદો થશે કે નહીં તે અંગે સ્થિતિ જોવી રહી છે.
- Devankashi rana
- Updated on: Sep 11, 2026
- 1:52 pm
ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ, પીવાનું પાણી પણ ન મળતા સ્થાનિકોમાં રોષ- Video
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચોમાસામાં જ પાણીનો કકળાટ શરૂ થયો. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહીશોને પાણી ન મળતા હાલાકી. વરસાદ ન હોવાથી બોર સુકાઈ ગયા હોવાથી સ્થાનિકો માટે પાણીની સમસ્યા વિકટ બની. પીવા અને વપરાશના પાણીની ગંભીર અછત હોવાનો મહિલાઓનો દાવો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. […]
- TV9 Gujarati
- Updated on: Sep 8, 2026
- 8:54 pm
Breaking News : ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત, પોરબંદરની સ્થિતિ પણ ગંભીર ! જુઓ Video
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજી સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ધટ છે 73% પર ધટ પહોંચી છે. પોરબંદરમાં હજી સુધી 18 ટકા જ વરસાદ વરસ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 6, 2026
- 11:12 am
ખંભાળિયા તાલુકાના પશુપાલકો ઘાસચારા માટે ધક્કા ખાવા મજબુર, કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ નથી મળતો ચારો- Video
ખંભાળિયા તાલુકાના પશુપાલકોએ ઘાસચારો મેળવવા માટે ઘાસ ગોડાઉન ખાતે વહેલી સવારથી પહોંચ્યા હતા. આ પશુપાલકોને નોંમના દિવસે ઘાસચારો આપશે તેમ કહેવામાં આવ્યુ હતુ. ત્યારે 70 થી વધુ ગામોના પશુપાલકો ઘાસચારા માટે ઉમટ્યા હતા પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ધક્કો ખાઈને ઘાસચારા વિના જ પરત ફરવુ પડ્યુ હતુ,
- TV9 Gujarati
- Updated on: Sep 5, 2026
- 9:20 pm
શ્રીકૃષ્ણ જીવનના 5 અલૌકિક રહસ્યો: સમુદ્રમાં ડૂબેલી દ્વારકાથી લઈને જગન્નાથ પુરીમાં ધબકતા પવિત્ર અંશ સુધીની અજાણી ગાથા
ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ માત્ર પ્રેરણાદાયી જ નહીં, પરંતુ અગમ્ય રહસ્યોથી ભરેલી છે. દ્વારકા નગરીનું સમુદ્રમાં સમાઈ જવું, સુદર્શન ચક્રની પ્રાપ્તિ, ગુરુપુત્રને યમલોકમાંથી પાછો લાવી આપેલી ગુરુદક્ષિણા અને જગન્નાથ પુરીના ગર્ભગૃહમાં રહેલા પવિત્ર દિવ્ય તત્વ સાથે જોડાયેલી રહસ્યમય કથાઓ વિશે જાણો.
- Sachin Agrawal
- Updated on: Sep 5, 2026
- 5:53 pm
જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video
જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાધિશના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. જગત મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ તરફ જગતમંદિરમાં કૃષ્ણજન્મોત્સવની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે અને દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન આવે તેનુ ધ્યાન રખાઈ રહ્યુ છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 4:19 pm
ગુજરાતના ભાલકા તીર્થથી મથુરા-વૃંદાવન સુધી, જ્યાં-જ્યાં પડ્યાં કાન્હાના ચરણ, શહેરોની બદલાઈ કિસ્મત !
મથુરાથી લઈ દ્વારકા અને ગુજરાત સુધી, જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ્યા, તે ભૂમિ એક પવિત્ર તીર્થસ્થાન બની ગઈ. તેમણે ઘણા સામાન્ય નગરોને અમર ઓળખ આપી અને તેમનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું. જાણો શ્રી કૃષ્ણની જીવનયાત્રાના 7 મોટા પડાવ વિશે.
- Dhruval Shah
- Updated on: Sep 4, 2026
- 9:42 am
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
દ્વારકા જિલ્લાના ખેડૂતો પાણીની અછત, નિષ્ફળ પાક અને ઘાસચારાની તંગીથી પીડાઈ રહ્યા છે. સરકારે જગાડવા તેમણે ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી.
- TV9 Gujarati
- Updated on: Sep 1, 2026
- 4:51 pm
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 94 ટકા વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસચારીના વ્યવસ્થા કરવા ખેડૂતોને રજૂઆત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 21, 2026
- 9:04 pm
Travel Tips : રક્ષાબંધન પર બહેનને આપો યાદગાર સરપ્રાઈઝ, આ સુંદર સ્થળોએ ફરવા લઈ જાઓ
જો રક્ષાબંધન પર તમારે કુદરતી સૌંદર્ય, ધાર્મિક સ્થળો કે બીચ પર ફરવાનો પ્લાન છે. તો આજે અમે તમને ગુજરાતમાં ફરવા લાયક સુંદર સ્થળો વિશે જણાવીશું. અહી પરિવાર તેમજ બહેન સાથે આ પળને યાદગાર બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Aug 21, 2026
- 11:24 am
Breaking News : દ્વારકાધીશના મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી, જુઓ Video
આજે દેશભરમાં 80માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકાધીશના મંદિરમાં કુષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી છે.સ્વતંત્રતા દિવસ નિમિતે મંદિરના શિખર પર 52 ગજ કાપડમાંથી બનેલ તિરંગા કલરની ધજા ચઢાવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2026
- 12:36 pm
Breaking News : અમદાવાદથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે સાંજે નહીં સવારે ઉપડશે અને તે પણ કાલુપુરથી નહીં સાબરમતી જેલ સાઈડથી
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી સાબરમતી જેલ બાજુ આવેલ રેલવે સ્ટેશનેથી આવશે અને જશે. આ ફેરફાર આગામી 17મી ઓગસ્ટથી અમલમાં આવશે. આની સાથોસાથ આ ટ્રેન જતા અને આવતા આંબલી રેલવે સ્ટેશને પણ ઊભી રહેશે.
- Bipin Prajapati
- Updated on: Jul 27, 2026
- 8:00 pm