AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા

ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાનું વહીવટી મથક ખંભાળિયામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા, નાગેશ્વર, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

ચાર ધામમાંથી એકધામ દ્વારકા છે. જ્યાં દ્વારકાધીશનું પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ મંદિર આવેલુ છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટદ્વારકા આવેલું છે. આ તીર્થ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે.

Read More

દુષ્કાળના ડાકલા વચ્ચે દ્વારકા- ભાણવડ પંથકમાં મેહુલિયે કીધી મહેર… ધરતીપુત્રોમાં ખુશીની લહેર – Video

ગુજરાતમાં ખાસ કરીને જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમા છેલ્લા કેટલાય સમયથી વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ માગ ઉઠી હતી. આ તમામ વચ્ચે આજે દ્વારકા જિલ્લાના ભાણવડમાં મેઘમહેર થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

Devbhumi Dwarka Rain Breaking : ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, 1 ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં દુષ્કાળની ચિંતામાં મુકાયેલા જગતના તાતમાં ખુશી પ્રસરી ગઈ છે.

Breaking News: દ્વારકામાં TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું… રેલવે-ખાનગી જમીનનો વિવાદ પૂરો, 700 પરિવારોને મળશે નળથી પાણી – જુઓ Video

TV9 ગુજરાતીના અહેવાલ બાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ધરમપુર ગામે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. રેલવે અને ખાનગી જમીન માલિક સાથેના વિવાદને કારણે અટકેલું પાઇપલાઇનનું કામ ફરી શરૂ થયું છે. આંતરિક અને મુખ્ય પાઇપલાઇન વચ્ચેનું જોડાણ પૂર્ણ થતાં બેડિયાવાડી અને ખવાસવાડીના 600 થી 700 પરિવારોને નળ દ્વારા પાણી મળશે.

Breaking News : દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખંભાળિયામાં છૂટોછવાયો વરસાદ

ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, વાડીનાર અને સુતારીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ બન્યા છે. જોકે, હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી માટે પૂરતો ફાયદો થશે કે નહીં તે અંગે સ્થિતિ જોવી રહી છે.

ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ, પીવાનું પાણી પણ ન મળતા સ્થાનિકોમાં રોષ- Video

  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચોમાસામાં જ પાણીનો કકળાટ શરૂ થયો. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહીશોને પાણી ન મળતા હાલાકી. વરસાદ ન હોવાથી બોર સુકાઈ ગયા હોવાથી સ્થાનિકો માટે પાણીની સમસ્યા વિકટ બની. પીવા અને વપરાશના પાણીની ગંભીર અછત હોવાનો મહિલાઓનો દાવો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. […]

Breaking News : ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત, પોરબંદરની સ્થિતિ પણ ગંભીર ! જુઓ Video

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજી સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ધટ છે 73% પર ધટ પહોંચી છે. પોરબંદરમાં હજી સુધી 18 ટકા જ વરસાદ વરસ્યો છે.

ખંભાળિયા તાલુકાના પશુપાલકો ઘાસચારા માટે ધક્કા ખાવા મજબુર, કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ નથી મળતો ચારો- Video

ખંભાળિયા તાલુકાના પશુપાલકોએ ઘાસચારો મેળવવા માટે ઘાસ ગોડાઉન ખાતે વહેલી સવારથી પહોંચ્યા હતા. આ પશુપાલકોને નોંમના દિવસે ઘાસચારો આપશે તેમ કહેવામાં આવ્યુ હતુ. ત્યારે 70 થી વધુ ગામોના પશુપાલકો ઘાસચારા માટે ઉમટ્યા હતા પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ધક્કો ખાઈને ઘાસચારા વિના જ પરત ફરવુ પડ્યુ હતુ,

શ્રીકૃષ્ણ જીવનના 5 અલૌકિક રહસ્યો: સમુદ્રમાં ડૂબેલી દ્વારકાથી લઈને જગન્નાથ પુરીમાં ધબકતા પવિત્ર અંશ સુધીની અજાણી ગાથા

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ માત્ર પ્રેરણાદાયી જ નહીં, પરંતુ અગમ્ય રહસ્યોથી ભરેલી છે. દ્વારકા નગરીનું સમુદ્રમાં સમાઈ જવું, સુદર્શન ચક્રની પ્રાપ્તિ, ગુરુપુત્રને યમલોકમાંથી પાછો લાવી આપેલી ગુરુદક્ષિણા અને જગન્નાથ પુરીના ગર્ભગૃહમાં રહેલા પવિત્ર દિવ્ય તત્વ સાથે જોડાયેલી રહસ્યમય કથાઓ વિશે જાણો.

જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video

જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાધિશના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. જગત મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ તરફ જગતમંદિરમાં કૃષ્ણજન્મોત્સવની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે અને દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન આવે તેનુ ધ્યાન રખાઈ રહ્યુ છે.

ગુજરાતના ભાલકા તીર્થથી મથુરા-વૃંદાવન સુધી, જ્યાં-જ્યાં પડ્યાં કાન્હાના ચરણ, શહેરોની બદલાઈ કિસ્મત !

મથુરાથી લઈ દ્વારકા અને ગુજરાત સુધી, જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ્યા, તે ભૂમિ એક પવિત્ર તીર્થસ્થાન બની ગઈ. તેમણે ઘણા સામાન્ય નગરોને અમર ઓળખ આપી અને તેમનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું. જાણો શ્રી કૃષ્ણની જીવનયાત્રાના 7 મોટા પડાવ વિશે.

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

દ્વારકા જિલ્લાના ખેડૂતો પાણીની અછત, નિષ્ફળ પાક અને ઘાસચારાની તંગીથી પીડાઈ રહ્યા છે. સરકારે જગાડવા તેમણે ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી.

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 94 ટકા વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસચારીના વ્યવસ્થા કરવા ખેડૂતોને રજૂઆત કરી છે.

Travel Tips : રક્ષાબંધન પર બહેનને આપો યાદગાર સરપ્રાઈઝ, આ સુંદર સ્થળોએ ફરવા લઈ જાઓ

જો રક્ષાબંધન પર તમારે કુદરતી સૌંદર્ય, ધાર્મિક સ્થળો કે બીચ પર ફરવાનો પ્લાન છે. તો આજે અમે તમને ગુજરાતમાં ફરવા લાયક સુંદર સ્થળો વિશે જણાવીશું. અહી પરિવાર તેમજ બહેન સાથે આ પળને યાદગાર બનાવી શકો છો.

Breaking News : દ્વારકાધીશના મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી, જુઓ Video

આજે દેશભરમાં 80માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકાધીશના મંદિરમાં કુષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી છે.સ્વતંત્રતા દિવસ નિમિતે મંદિરના શિખર પર 52 ગજ કાપડમાંથી બનેલ તિરંગા કલરની ધજા ચઢાવામાં આવી હતી.

Breaking News : અમદાવાદથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે સાંજે નહીં સવારે ઉપડશે અને તે પણ કાલુપુરથી નહીં સાબરમતી જેલ સાઈડથી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી સાબરમતી જેલ બાજુ આવેલ રેલવે સ્ટેશનેથી આવશે અને જશે. આ ફેરફાર આગામી 17મી ઓગસ્ટથી અમલમાં આવશે. આની સાથોસાથ આ ટ્રેન જતા અને આવતા આંબલી રેલવે સ્ટેશને પણ ઊભી રહેશે. 

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">