દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાનું વહીવટી મથક ખંભાળિયામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા, નાગેશ્વર, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
ચાર ધામમાંથી એકધામ દ્વારકા છે. જ્યાં દ્વારકાધીશનું પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ મંદિર આવેલુ છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટદ્વારકા આવેલું છે. આ તીર્થ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે.
હવે અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી દ્વારકા જઈ શકશો, વંદે ભારત ટ્રેનના સમય, રૂટ અને સ્ટેશનમાં કરાયા મોટા ફેરફાર
રેલવે મંત્રાલયે અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રક અને સંચાલન દિવસોમાં ફેરફાર કર્યા છે. હવે ટ્રેન સાબરમતી જંક્શનથી ઉપડશે અને આંબલી રોડ સ્ટેશન પર સ્ટોપેજ મળશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. જોકે, દ્વારકા મંદિરમાં દર્શનનો સમય અને ટ્રેનના સમય વચ્ચે મેળ ન હોવાથી ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલી પડશે.
- Mina Pandya
- Updated on: Jun 25, 2026
- 7:59 pm
કતરની ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું થયુ મોત, પરિવારમાં માતમ -Video
કતરની ગેસ કંપનામાં થયલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું મોત થયુ છે. બ્લાસ્ટમાં કૂલ 12 ભારતીયોના મોત થયા છે જેમા દ્વરાકાના ખંભાળિયાના 31 વર્ષિય કિરીટ કણજારિયાએ પણ જીવ ગુમાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 4:11 pm
દ્વારકાધિશના ભક્તની આકરી ભક્તિ, છેક રાજસ્થાનથી દંડવત કરતા કરતાં પહોંચશે દ્વારકા- Video
દ્વારકાધિશના એક અનેરા ભક્તની અનોખી ભક્તિ સામે આવી છે. વાત છે રાજસ્થાનના એક એવા વૃદ્ધની જેઓ રાજસ્થાનથી દંડવત કરતા કરતા દ્વારકાધિશની યાત્રાએ નીકળ્યા છે. રોજ પગપાળા દંડવત કરતા કરતા તેઓ યાત્રાનો પડાવ પુરો કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 22, 2026
- 8:33 pm
દ્વારકા: ખંભાળિયા-આહીર સિંહણ માર્ગની બિસ્માર હાલતથી ગ્રામજનોમાં રોષ, ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની માંગ
દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી આહીર સિંહણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ મહિનાથી અધૂરો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ ચોમાસા પહેલા રોડનું કામ પૂર્ણ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચેતવણી આપી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 16, 2026
- 8:02 pm
Breaking News : આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી
આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ વરસી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર સિવાયના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.
- Nirupa Duva
- Updated on: Jun 2, 2026
- 7:56 am
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ તેને લઈને અનેક મતમતાંતરો છે. દ્વારિકા નગરીનું ડૂબવુ એ એક ભૌગોલિક ઘટના હતી. જો કે પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણના દેહ ત્યાગ અને યાદવ કુળના વિનાશ બાદ સમુદ્રએ દ્વારકા નગરીને પણ પોતાની અંદર જ સમાવી લીધી. મથુરાથી સ્થપાયેલી આ સુવર્ણ નગરી વિશ્વકર્મા દ્વારા નિર્મિત અદ્યતન શહેર હતું. ગાંધારીના શ્રાપ અને યાદવોના કલહથી તે સમુદ્રમાં સમાઈ ગઈ.
- Mina Pandya
- Updated on: Jun 1, 2026
- 8:33 pm
Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતા નું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાના ધરતીપુત્રોને છેતરીને ભેળસેળયુક્ત અને એક્સપાયરી વાળી એગ્રો પ્રોડક્ટ્સ વેંચતા તત્વો સામે એસ.ઓ.જી. પોલીસે પર્દાફાશ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 12:55 pm
Dwarka Breaking News : ઈંધણની અછત વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત ! જુઓ Video
ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવેલો છે. આ જથ્થો સલાયાથી ખરીદે કરવામાં આવ્યો હતો. અંદાજે 1000 લીટર જેટલું ડીઝલ જપ્ત કરાયું છે અને સાથે એક શખ્સની ધરપકડ થઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 24, 2026
- 1:10 pm
Breaking News : આજે મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં દ્વારકાનો ખેલાડી રુચિત આહિર રમતો જોવા મળશે, જુઓ ફોટો
Mumbai Indians : IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમશે. આ મેચ પહેલા મુંબઈએ એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં 2 નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ છે.
- Nirupa Duva
- Updated on: May 24, 2026
- 9:19 am
Breaking News : બેટ દ્વારકાના દરિયાના પેટાળમાંથી મળ્યા બે હજાર વર્ષ જેટલા જૂના પ્રાચીન બંદરના અવશેષો, જુઓ Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા નજીક થયેલા દરિયાઈ ઉત્ખનનમાં આર્કિયોલોજી વિભાગને 2000 વર્ષ જૂના સુનિયોજિત પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. આ શોધમાં વિશાળ બાંધકામ, સુવ્યવસ્થિત ગલીઓ અને રોમન સિક્કા જેવા પુરાવા મળ્યા છે, જે દ્વારકાના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડે છે.
- Hasmukh Ramani
- Updated on: May 3, 2026
- 1:35 pm
આજથી પનીર ખાવાનું બંધ! ગુજરાતના આ જિલ્લામાં ડેરી પર SOGના દરોડા, અખાદ્ય પનીરનો નાશ, જુઓ Video
દ્વારકાના ખંભાળિયામાં આવેલી જલારામ ડેરી પર SOG અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. 54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરવામાં આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: May 2, 2026
- 10:40 pm
ગુજરાતમાં પ્રવાસીઓની સુરક્ષામાં વધારો, ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં Tourist માટે સરકારનું મોટું પગલું, જુઓ Video
ગુજરાત પોલીસે પ્રવાસન ક્ષેત્રને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસી જિલ્લાઓમાં ટુરિસ્ટ-ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો સ્થાપવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: May 2, 2026
- 4:01 pm
Breaking News: દેવભૂમિ દ્વારકામાં ભાજપ જીતનો અનોખો જશ્ન, ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી હતી. જીતની ખુશીમાં કાર્યકરો અને સમર્થકોએ એવો જશ્ન મનાવ્યો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 29, 2026
- 12:56 pm
Breaking News : દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા, જુઓ વીડિયો
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે રાવલ નગરપાલિકાની જીતી છે. કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Apr 28, 2026
- 5:36 pm
Breaking News : દાનવીર અંબાણી પરિવાર, સાળંગપુર હનુમાનજી મંદિરને મળ્યુ 10 કરોડ અને દ્વારકામાં 30 કરોડનું અનુદાન કર્યું
રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રુપિયા 30 કરોડનું અનુદાન જાહેર કર્યું છે. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિરને ગૌશાળા નિર્માણ માટે 10 કરોડનું દાન આપ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 1:11 pm