Travel tips : ઉનાળાના વેકેશન માટે GSRTCએ ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરી
પ્રવાસીઓ માટે ગુજરાત એસટી નિગમે સારા સમાચાર લઈને આવ્યા છે. ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના ગુજરાત ભરના તમામ એસટી ડેપોમાં લાગુ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ આગામી ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને 'મન ફાવે ત્યાં ફરો' નામની યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ, કોઈપણ ગુજરાતી 450 થી 1,450 સુધીના ખર્ચે ચાર થી સાત દિવસ માટે ગુજરાતના કોઈપણ ખૂણામાં મુસાફરી કરી શકે છે.

ગુજરાત એસટી બસની સલામત સવારી એસટીમાં હવે તમે પણ ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો લાભ લઈ શકશો.

GSRTCએ આ યોજના અમલમાં મૂકી છે જેથી લોકો રાજ્યભરમાં સરળતાથી મુસાફરી કરી શકશે. મુસાફરો ચાર કે સાત દિવસમાં ગુજરાતના અનેક સ્થળોની મુલાકાત લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ યોજનામાં લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર કોચ, એસી કોચ અને વોલ્વો બસો જેવા વિવિધ પ્રકારના સેવાનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’યોજના અમલમાં મુકી છે. જેમાં ગુજરાતભરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માત્ર 4 થી 7 દિવસ દરમિયાન માત્ર 450થી 1450 રુપિયામાં ગુજરાતના કોઈ પણ ખુણે મુસાફરી કરી શકશે.

GSRTCની આ યોજના મુજબ માત્ર 450 રુપિયામાં અઠવાડિયું ગુજરાતના ગમે તે ખુણે મુસાફરી કરી શકશો. GSRTCની આ યોજનાથી પ્રવાસીઓ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
