Travel Tips : ઉનાળામાં મુસાફરી દરમિયાન તમે નહીં પડો બીમાર, નિષ્ણાતોએ આપી છે આ ટ્રાવેલ ટિપ્સ

Summer Travelling : ઉનાળાની રજાઓમાં લોકો તેમના પરિવાર સાથે દૂરના પ્રવાસનું આયોજન કરે છે. પરંતુ ઘણી વખત મુસાફરી કરતી વખતે લોકો બીમાર પડી જાય છે, જેના કારણે સફરની આખી મજા બગડી જાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે મુસાફરી કરતી વખતે રોગોથી બચવા માટે કઈ ટીપ્સનું પાલન કરવું જોઈએ.

| Updated on: Apr 08, 2024 | 1:05 PM
Summer Travelling Tips : ઉનાળામાં લોકો ઘણીવાર તેમના પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરે છે. પરંતુ કેટલીકવાર લોકો મુસાફરીને કારણે બીમાર પડી જાય છે, જેના પછી તમારે ડૉક્ટરની મુલાકાત લેવી પડે છે. આવી સ્થિતિમાં આખો આનંદ બગડી જાય છે. ખાસ કરીને ઉનાળામાં લોકોએ તેમના શારીરિક સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે, જેના કારણે ઉબકા કે ઉલ્ટી થઈ શકે છે.

Summer Travelling Tips : ઉનાળામાં લોકો ઘણીવાર તેમના પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરે છે. પરંતુ કેટલીકવાર લોકો મુસાફરીને કારણે બીમાર પડી જાય છે, જેના પછી તમારે ડૉક્ટરની મુલાકાત લેવી પડે છે. આવી સ્થિતિમાં આખો આનંદ બગડી જાય છે. ખાસ કરીને ઉનાળામાં લોકોએ તેમના શારીરિક સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે, જેના કારણે ઉબકા કે ઉલ્ટી થઈ શકે છે.

1 / 6
ગુરુગ્રામની નારાયણા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિનનાં સિનિયર સલાહકાર ડૉ. પંકજ વર્મા કહે છે કે જો તમે ઉનાળામાં ક્યાંક ટ્રિપનું આયોજન કરવાનું વિચારી રહ્યાં હોવ પરંતુ તમને બીમારીનો ડર લાગતો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે બીમારીથી બચી શકો છો.

ગુરુગ્રામની નારાયણા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિનનાં સિનિયર સલાહકાર ડૉ. પંકજ વર્મા કહે છે કે જો તમે ઉનાળામાં ક્યાંક ટ્રિપનું આયોજન કરવાનું વિચારી રહ્યાં હોવ પરંતુ તમને બીમારીનો ડર લાગતો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે બીમારીથી બચી શકો છો.

2 / 6
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો : ડો.પંકજ વર્મા કહે છે કે ઉનાળામાં વધુ પડતા પરસેવાને કારણે તમારા શરીરને પાણીની વધુ જરૂર પડે છે. જો આપણે ઉનાળામાં પૂરતું પાણી પીતા નથી, તો શરીર ડિહાઈડ્રેટ થઈ જશે. તેથી મુસાફરી કરતી વખતે પોતાને હાઇડ્રેટેડ રાખો. આ તમને લૂથી પણ બચાવશે.

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો : ડો.પંકજ વર્મા કહે છે કે ઉનાળામાં વધુ પડતા પરસેવાને કારણે તમારા શરીરને પાણીની વધુ જરૂર પડે છે. જો આપણે ઉનાળામાં પૂરતું પાણી પીતા નથી, તો શરીર ડિહાઈડ્રેટ થઈ જશે. તેથી મુસાફરી કરતી વખતે પોતાને હાઇડ્રેટેડ રાખો. આ તમને લૂથી પણ બચાવશે.

3 / 6
તડકાથી બચવું : જો તમે ઉનાળાની ઋતુમાં ક્યાંય ફરવા જતા હોવ તો સૂર્યપ્રકાશથી બચવાનો પ્રયાસ કરો.લાંબો સમય તડકામાં રહેવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સૂર્યપ્રકાશથી પોતાને બચાવવા માટે તમારી સ્કીન પર સનસ્ક્રીન લગાવો. આ સિવાય તમારે તમારા માથા પર ટોપી પહેરવી જોઈએ.

તડકાથી બચવું : જો તમે ઉનાળાની ઋતુમાં ક્યાંય ફરવા જતા હોવ તો સૂર્યપ્રકાશથી બચવાનો પ્રયાસ કરો.લાંબો સમય તડકામાં રહેવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સૂર્યપ્રકાશથી પોતાને બચાવવા માટે તમારી સ્કીન પર સનસ્ક્રીન લગાવો. આ સિવાય તમારે તમારા માથા પર ટોપી પહેરવી જોઈએ.

4 / 6
આહાર કેવો હોવો જોઈએ : નિષ્ણાતો કહે છે કે મુસાફરી દરમિયાન ક્યારેય વધારે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. આને પચાવવામાં તકલીફ પડી શકે છે. આ સિવાય જો તમે ક્યાંક બેસી જાવ છો તો, બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. આ ખાવાથી શરીરનું તાપમાન વધે છે અને શરીર ડીહાઇડ્રેટેડ થઇ શકે છે.

આહાર કેવો હોવો જોઈએ : નિષ્ણાતો કહે છે કે મુસાફરી દરમિયાન ક્યારેય વધારે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. આને પચાવવામાં તકલીફ પડી શકે છે. આ સિવાય જો તમે ક્યાંક બેસી જાવ છો તો, બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. આ ખાવાથી શરીરનું તાપમાન વધે છે અને શરીર ડીહાઇડ્રેટેડ થઇ શકે છે.

5 / 6
આરામ કરો : ધ્યાનમાં રાખો કે તમે મુસાફરી દરમિયાન પૂરતો આરામ કરી શકો. પ્રવાસની વચ્ચે થોડો આરામ કરવો અને પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

આરામ કરો : ધ્યાનમાં રાખો કે તમે મુસાફરી દરમિયાન પૂરતો આરામ કરી શકો. પ્રવાસની વચ્ચે થોડો આરામ કરવો અને પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">